________________
પ્રબુદ્ધ જીવન
૧૬૬
જે કાઇ પણ કાર્ય કે પગલું માનવને પાર્શ્વ-ભૂમિમાં ધકેલી દે છે અને સધવ્યવસ્થા, પક્ષ, સમાજ, રાજ્યસત્તા, રાષ્ટ્ર, આયેાજન, ઉત્પાદન, વિજ્ઞાન અને એવી કોઈ બાબત, વિચાર કે તત્ત્વને પ્રાધાન્ય આપે છે તેને છાપરે ચડીને ખીરદાવે છે. તે પ્રગતિયા ક્રાંતિ નથી પરંતુ પ્રત્યાધાત છે, પીછેહઠ છે અને તેથી તેના સદન્તર ત્યાગ કરવા ઘટે છે. આ વિચારમાં મારા મિત્ર મારી સાથે સહમત થશે કે કેમ તે વિષે મને શક છે.
હું આશા રાખું છું કે મારા મિત્ર આને માત્ર રાજકારણલક્ષી જવાબ આપીને સતેષ નહિ માને, તેવા જવાબનેા સણસણતા પ્રત્યુત્તર લખવા માટે હું સામ્યવાદી વિચાર અને વાણીથી પૂરા જાણુકાર છું. પરંતુ તેમ કરવામાં શાહી અને શકિતના નિરક વ્યય થશે. આથી જ, હું મારા મિત્રાને વિન ંતિ કરૂં છું કે તે મારા ઉપર જીત મેળવવાની ચિંતા ન કરે, હું આ કે તે બાબતમાં ખોટા છું એમ સાબિત કરવાની ઉપાધિમાં ન પડે, પરંતુ ઉપર જે કંઈ કહ્યું છે તેના ગંભીરતાપૂર્વક વિચાર કરે. કદાચ કોઈ કાઈ જગાએ મેં કશ કહ્યું હશે, પરંતુ હું પ્રત્યેકને ખાત્રી આપુ છું કે ઊંડા મિત્રભાવની લાગણીઓએ જ મને આ લખવા પ્રેરિત કર્યાં છે,
મૂળ અંગ્રેજી: શ્રી. જયપ્રકાશ નારાયણ અનુવાદ : શ્રી શાન્તિલાલ નંદું પ્રકીર્ણ નોંધ
સામ્યવાદી પક્ષના સામાન્ય મત્રીના શ્રી જયપ્રકાશ નારાયણને
જવાબ
પ્રબુદ્ધ જીવનના આગળના તથા આ અંકમાં એ હકતાથી ‘સામ્યવાદીઓને સખે!ધન' એ મથાળાથી પ્રજાસમાજવાદી પક્ષના આગેવાન નેતા શ્રી જયપ્રકાશના એક લેખ પ્રગટ કરવામાં આવેલ છે. તેના ઉત્તરરૂપે ભારતના સામ્યવાદી પક્ષના સામાન્ય મંત્રી શ્રી અજય ધેાષ તા. ૨૩-૧૧-૫૬ ના એક જાહેર નિવેદનારા જણાવે છે કે “અમે કબુલ કરીએ છીએ કે ભારતના સામ્યવાદી સેવિયટ સંધમાં ભૂતકાળમાં ચાલી રહેલી અને બની રહેલી બધી ખબતાને આદર્શ અને અનુકરણીય ગણવામાં અમે ખાટા હતા. એ પણુ કબુલ છે ૐ સમાજવાદીઓએ અને બીનસામ્યવાદી લાકરશાસનવાદીઓએ સેવિયટ સ ંધની અવારનવાર કરેલી આલેચના અને ટીકાઓ ઉપર અમારે વધારે ધ્યાન આપવુ જોતું હતું. સેવિયટ સધમાં જે કાંઈ અને તેને બચાવ કરવાની અને રશીઆની નીતિની કોઈ પણ બાજુની ટીકા કરનારાઓને વખેડી કાઢવાની વૃત્તિ અમારામાં અને ખીન્ન સામ્યવાદી પક્ષામાં ધર કરી ગઈ હતી એ પણ અમે ખુલ કરીએ છીએ. સામ્યવાદી–સમાજવાદી એકતાને અને સમાજવાદના લક્ષ્યને આથી જે ગંભીર હાનિ પહોંચી છે. એ વિષે અમે ઊંડેથી સભાન ન્યા છીએ અને એ વળષ્ણુનો ત્યાગ કરવાના અમે નિશ્ચય કર્યો છે, આમ છતાં પણ દુનિયાભરના સામ્યવાદી સ માસ્કાને સદા હકાર ભણતા પૂતળા જેવા હતા એવા શ્રી જયપ્રકાશ નારાયણ જે આક્ષેપ કરે છે તેના અમે ઈનકાર કરીએ છીએ. જો એમ હોય તો ફ્રાન્સ અને ઇટાલીમાંના સામ્યવાદી દળા ખીજા કાઈ પણું રાજદ્વારી પક્ષા કરતાં વધારે મોટી સંખ્યામાં છે. એ હકીકતને તે શી રીતે ખુલાસા કરશે ? આપણા દેશના રાજકારણમાં પણ સામ્યવાદી પક્ષ એક મહત્વનું અને ઉપેક્ષા થઈ ન શકે એવું સ્થાન ધરાવતા થયા છે એ વાસ્તવિક પરિસ્થિતિના પણ તેએ શી રીતે ખુલાસો કરશે ?”
તા. ૧૫–૧૨૫૬
“ભૂતકાળમાં સામ્યવાદી પક્ષની જે એક ગંભીર નિષ્ફળતા રહી છે એ માર્કસ અને લેનીનના સિધ્ધાન્ત મુજબ ન વવાને લગતી છે. આા સિધ્ધાન્ત છે: દરેક દેશમાં એવી હીલચાલ વડે સમાજવાદની સાધના કરવી કે જે હીલચાલ સર્વ દેશને સમાન એવા સિધાન્તા ઉપર આધારિત કરવામાં આવી હોય અને એમ છતાં સાથે સાથે જેમાં દરેક દેશની ચોક્ક્સ પ્રણાલિકા અને પરંપરાના અને તેની સંસ્કૃતિના વિશિષ્ટ અંગાના પણ પૂરતા ખ્યાલ રાખવામાં આવ્યા હાય અને તેના પરિણામે દેશ દેશની સમાજવાદી રચના ભિન્ન ભિન્ન પ્રકારની હાય અને સમાજવાદની સાધનાને માર્ગ પણ દેશે દેશ પૃથક્ પૃથક્ હાય.’
શ્રી અજય ધોષ પોતાના નિવેદનમાં આગળ ચાલતાં કબુલ કરે છે કે ભારતીય સામ્યવાદીઓની આતરરાષ્ટ્રીયવાદને લગતી દૃષ્ટિમાં કેટલાક દોષો હતા—ખાસ કરીને સેવિયટ સઘના સામ્યવાદી પક્ષ અને અન્ય દેશાના સામ્યવાદી પક્ષે સાથેના સબંધ વિષે આ દોષ રહ્યો હતા. આમ છતાં પણ જે આન્તરરાષ્ટ્રીયવાદની અમે હિમાયત કરતા રહ્યા છીએ તેણે જગતને એક નવી દૃષ્ટિ આપી છે, આ હકીકતના શ્રી જયપ્રકાશ નારાયણ નકાર કરી નહિ શકે
અમારાં અનેક નિવેદનેામાં અમે આ બાબત ઉપર જરૂર ભાર મૂકતા રહ્યા છીએ કે હિંસા અને આન્તરવિગ્રહનુ અવલખન લીધા સિવાય આપણા દેશમાં સમાજવાદી રચનાના અમલ થવાની શકયતામાં અમે માનીએ છીએ અને આ શક્યતાને સિધ્ધ કરવા માટે અમે અમારાથી અનતુ કરી રહ્યા છીએ.”
બધું પલળે છે, તે શું ભારતના સામ્યવાદીએ પણ ન પલટાય ?
આ નિવેદનમાં ભારતના સામ્યવાદી પક્ષના મંત્રી શ્રી અજય ઘેષે,શ્રી જયપ્રકાશ નારાયણે પોતાના લેખમાં સૂચવેલી કેટલીક પક્ષત્રુટિઓના, સ્વીકાર કર્યો છે અને એમ છતાં રશિયા સાથેના એ પક્ષના આજ સુધીના ચાલુ જોડાણના તેમાં કશા પણ સ્વીકાર કરવામાં આવ્યા નથી અને પક્ષના હેતુ સાધવા માટે હિંસા અને આન્તરવિગ્રહનું કર્દિ પણ્ અવલંબન લેવામાં નહિ આવે એવી સ્પષ્ટ અને સચોટ જાહેરાત પણ આ નિવેદનમાં આપણને જોવામાં મળતી નથી. આને લગતા જે કાંઈ ઉલ્લેખ એ નિવેદનમાં છે તે વિશેષતઃ નકારાત્મક અને આડકતરા છે. આમ છતાં પણ આ નિવેદન એટલું તેા જરૂર સૂચવે છે કે સ્ટાલીનના અવસાન બાદ રશિયામાં પલટાતી જતી પરિસ્થિતિ અને ખલાતાં જતાં રાજકીય વળા, તેમજ રશિયા આસપાસના સામ્યવાદી દેશામાં રશિયાવિરોધી ચાલી રહેલી હીલચાલે અને સ્વાતંત્ર્યપ્રવૃત્તિઓની ભારતના સામ્યવાદીઓના મન ઉપર ભારે અસર પડી છે અને અમુક અંશે આન્તરસાધન તરફ તે વળ્યા છે. જે જરૂર આવકારદાયક છે.
જૈન શાસ્ત્રામાં જીવના એ પ્રકાર પ્રરૂપવામાં આવ્યા છેઃ ભવી' અને ‘અભવી'. સમયાન્તરે પણ જે જીવમાં મેક્ષપ્રાપ્તિની શકયતા હેાય એ ‘ભવી જીવ' કહેવાય અને જેનામાં કાઇ પણ કાળે એવી શકયતા ન હોય એ ‘અભવી જીવ’ કહેવાય. ભવી જીવની અપેક્ષાએ આવા અભવી છવાની સખ્યા અતિ અલ્પ હોય છે એમ કહેવામાં આવ્યું છે. આ રીતે સામ્યવાદીઓ વિષે આપણામાંના ઘણા ખરાના લિમાં એક એવી પ્રતીતિ છે કે તેમની પાસેથી સર્વસ્વીકૃત નૈતિક મૂલ્યોની આશા રાખવી અને રાષ્ટ્રલક્ષી દૃષ્ટિકાણુથી રાષ્ટ્રના પ્રશ્નો તે જોતા થાય એવી અપેક્ષા રાખવી એ આકાશકુસુમવત્ છે. તેમનાં માપતાલ અને કાર્ય પદ્ધતિ હંમેશાને માટે જુદી જ રહેવાની અને તેથી કાઈ પણ બાબતમાં કે પ્રવૃત્તિમાં આપણે તેમની સાથે વિશ્વાસ રાખીને ચાલી ન જ શકીએ—એવું વળણ આજ સુધીના તેમની સાથેના અનુભવ ઉપરથી આપણામાં કેળવાતું રહ્યું છે. આ રીતે તેમને આપણે ઉપર વર્ણવેલ ‘અભવી જીવ' ની કાટિમાં મૂકીને ચાલીએ છીએ.
પણ કાઈ પણ માનવી વિષે આવી ક્લ્પના બાંધીને ચાલવું એ વ્યાજબી નથી. માનવીપ્રકૃતિમાં કાઇ પણ પ્રકારના પરિવર્તનની કાઇ પણ કાળે શકયતા રહેલી જ છે. સ'ચાંગા બદલાય, વિચાર વાતાવરણ બદલાય, કલ્પનાથી પ્રતિકુળ અનુભવ થાય અને માનવીમન એકાએક બદલાવા લાગે છે અને અમુક એક વિચારના ઝાકમાંથી મુકત અનીને ખીજા જ વિચારના ઝોક તરફ ઢળવા માંડે છે. આ આપણે! હરહ ંમેશના અનુભવ છે. ભારતના સામ્યવાદીએ સબંધમાં આજે એવી તક ઉભી થવાનુ દેખાતાં શ્રી જયપ્રકાશ નારાયણે તેમને સખેાધીને Revelations in moscow' માસ્કામાં નવા પ્રકાશનું દશન’એ