SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૧૨-૧૬ લેાકાને ઉંઠાં ભણાવીને ચેડા સમય માટે કદાચ સામ્યવાદ થાડીશી પ્રગતિ કરી શકશે, પરંતુ તેથી દિપણ સ્વતંત્ર અને સમાન માનવઘટકેાનાં વર્ગવિહીન સમાજના ધ્યેયના કિનારે પહોંચી શકશે નહિ. બુદ્ધે જીવન આના અનુસ ંધાનમાં આજકાલ બની રહેલી ઘટનાઓએ સામ્યવાદીઓ સમક્ષ એક જલ્દી જવાબની અપેક્ષા ધરાવતા પ્રશ્ન ઉપસ્થિત કર્યાં છે. હંગેરીની જનતાની સ્વાતંત્ર્યની અને આત્મનિણૅયની ચળવળના ભૂકા કરી નાખવા માટે રશિયાએ તાજેતરમાં હંગેરીની જનતા સામે પાશવી હુમલેા કર્યાં છે. હિંદના સામ્યવાદી પક્ષ સ્વાતંત્ર્યની પડખે ઉભે રહેશે કે ગુલામીની પડખે ? હંગેરીની પડખે ઉભા રહેશે કે રશિયાની ? આ સમસ્યાના ઉત્તર પર સામ્યવાદનું ભાવિ આધારિત છે. સામ્યવાદીએ જો આત્મપૃથક્કરણ અને પોતાના વિચારાનું સંશોધન કરશે તે તે તેમને મેં રજૂ કરેલા અથવા તેા તાજેતરની ઘટનાઓએ ઉપસ્થિત કરેલા મૂળભૂત પ્રશ્નો તરફ જરૂર લઈ જશે. આ સધળા પ્રશ્નમાંથી વધારેમાં વધારે મૂળભૂત પ્રશ્ન આ છે. હજી પણ શું અસત્ય અને હિંસા ઉપર સામ્યવાદી પોતાની ફીલસુરી અને વન—ëવહાર આધારિત રાખવા માગે છે? શું તેઓ સરમુખત્યારશાહીને લેાકશાહી તરીકે, રાજ્યસત્તાના મૂડીવાદને સમાજવાદ તરીકે, સંસ્થાનવાદને વિપ્લવ તરીકે કહેવાનુ—ગણાવવાનું ચાલુ રાખશે? શુ તે વાસ્તવિકતાની ખાતર આભાસના ઇન્કાર નહિ કરે? શું તે સત્યની ખોજ નહિ કરે? અને આ સૌથી વધુમાં વધુ અગત્યનુ તે, શું તે પ્રતિજ્ઞાપૂર્વક હિંસાનેા ઈનકાર કર્યા સિવાય આ બધું કરી શકશે ? હિંસાએ ક્રાંતિના જાણે કે ટુંકા રસ્તા બતાવ્યા હોય એમ લાગે છે. પરંતુ આટલા મેોટા પ્રમાણમાં હિંસા થવા છતાં, રશિયામાં શું હજી પણ ક્રાંતિનું આગમન થયું છે ખરૂં? આના જવાબ ‘ના' સિવાય ખીજો કાઈ હાઈ શકે નહિ–સિવાય । ક્રાંતિ વિશે આપણે માત્ર એક નકારાત્મક વિચારણા ધરાવતા હાઇએ· અથવા તે સિવાય છિન્નભિન્ન બનેલા આદર્શ પ્રત્યે આપણે ફરીથી આંખો બંધ કરીને ચાલવા માંગતા હાઈએ અથવા તે અંધકારને અજવાળું કહેવામાં મશગુલ રહેવા ઈચ્છતા હોઇએ, અગર માત્ર આર્થિક વિકાસ–સમૃધ્ધિએટલે સામ્યવાદ અથવા સમાજવાદ એવું સમીકરણ આપણે સ્વીકારતા હાઇએ. આર્થિક વિકાસ-અરે ઝડપી આર્થિક વિકાસ-મૂડીવાદ અને ફાસીવાદથી પણ થતા અને થયેલા આપણા જાણવામાં આવ્યા છે. સમાજવાદ અથવા સામ્યવાદ વનની એક વિશિષ્ટ પધ્ધતિના દ્યોતક છે અને નહિ કે માત્ર ઉત્પાદનના આંકડાઓની ઇંદ્રજાળના યા લશ્કરી સામર્થ્યના સૂચક છે. આનો અર્થ એવા નથી કે સમાજવાદ અગર સામ્યવાદમાં આર્થિક વિકાસને અવકાશ નથી. તેને જરૂર અવકાશ છે, પરંતુ તે તેનાં મૂળભૂત મૂલ્યાનાં ભાગે તે નહિ જ, એક રફતાર અસલમાં તે માત્ર ‘દુશ્મન' સામે એટલે કે એ વખતની ઝારશાહી સામે અસત્ય અને હિંસાના ઉપયોગ કપાયા હતા, પરંતુ તે તે જાણે કે એક ટેવ જ (રસ્તાર) બની ગઈ અને જેવી જડ ન ઉખડે એવી ટેવ. અસત્ય અને હિંસાના પ્રયોગા જનતાની સામે, પક્ષની સામે અને એક ખીજાની સામે અનેકવાર થયા છે અને થઈ રહ્યા છે. એ ખરૂ છે કે સામ્યવાદી સિવાય બીજા ઘણાએ જેવા કે ઈડનના નેતૃત્વ હેઠળના ગ્રેટ બ્રિટનના મુઝેવા લોકશાહીવાદીએએ અને મેલેટના નેતૃત્વ હેઠળના ક્રાંસના સમાજવાદી લેકશાહીવાદીઓએ પણ એ શિખવાનું છે કે અસત્ય અને હિંસા એ બન્ને અનિષ્ટ છે અને અનિષ્ટ પ્રતિ જ દોરી જાય છે. પરંતુ શું સામ્યવાદી એવા દાવા નથી કરતા કે અસત્ય અને હિંસાદ્રારા તે ધણાં વધારે સારાં પરિણામે નિર્માણ કરી શકે તેમ છે? મારી નમ્ર માન્યતા છે કે વધારે અને વધારે અસત્ય અને હિંસાનું આચરણ કરવાથી તે દિ પણ સારૂ પરિણામ નિપજાવી શકે જ નહિ, સામ્યવાદીઓને સત્ય અને હિંસાને હું ઉપદેશ આપું છું તેથી હું હસવા—પાત્ર લેખાશ એનું મને પૂ ભાન છે. પરંતુ માનવીની ૧૬૫ પણુ - વિચારશક્તિમાં—બુધ્ધિમાં મને શ્રધ્ધા છે અને સામ્યવાદી વિચારશક્તિ ધરાવતા માનવા છે એમ હું જરૂર માનું છું. અણુ-: શકિતનાં શસ્ત્રોના આ યુગમાં સામાન્યમાં સામાન્ય માનવબુધ્ધિ એટલું તે સમજે છે અને સ્વીકારે છે કે વિશ્વવ્યાપી યુધ્ધ વી મેટા પાયા પરની હિંસા કાઈ પણ કિંમતે અને હિંસાખે અટકાવવી જ જોઇએ. મોટા પાયાની હિંસામાં આજે કાઈ માનતું નથી. માનવબુધ્ધિને એ સમજવામાં ઘણું કઠિન તે નહિ લાગે કે જો હિંસાનુ અસ્તિત્વ થોડા પ્રમાણમાં પણ રહ્યું તેા મોટા પાયા પરની હિંસા કાયમને માટે અટકાવી શકાય જ નહિ. નાની હિંસામાંથી જ મેટી હિંસા જન્મ પામે છે. મને ફરીથી કહેવા ઘો કે માત્ર સામ્યવાદીએ જ નહિ. પરંતુ બીજા ઘણાને આ પાઠ શિખવાની જરૂર છે, પરંતુ જો સામ્યવાદી પોતાના શાંતિ અને ભ્રાતૃભાવના વ્યવસાય પ્રત્યે સાચી નિષ્ટ ધરાવતા હાય તા તેમણે બીજા શિખી લે તે પહેલાં, આ પાઠ પેતે શિખી લેવા જરૂરી છે. આદર્શ વ્યવસ્થા વર્તમાન સધળાં સામ્યવાદી શાસના હિંસામાંથી--સ્થૂળ હિંસામાંથી જન્મ પામ્યા છે; અને તેમની સ્થાપનાથી અદ્યાપિ ત સાચા લોકમત જાણવાની કે તે જાણીને તેને અનુકુળ બનીને ચાલવાની તેમણે દિ પરવા કરી નથી. હા, ચૂંટણી જરૂર યોજાઈ છે, પણ તે હિટલરની ચૂંટણીઓની જેમ વિરેધ પક્ષા અને નાગરિક સ્વાતંત્ર્યની ગેરહાજરીમાં, સામ્યવાદીઓએ હિટલરની ચૂંટણીઓને વખાડી કાઢી હતી, પરંતુ તેમની પોતાની એકપક્ષી રાજ્યસત્તાને ‘લેકશાહી’ની તેમણે ઉભી કરેલી એક ભાતના નામે તેમણે ન્યાયી ઠરાવી હતી. પશ્ચિમમાં સ્થાપિત થયેલી વિવિધ પક્ષાની રાજ્યપધ્ધતિ એ લાકશાહી માટે એક આદર્શ વ્યવસ્થા તો નથી જ, પરંતુ એકપક્ષી રાજ્યસત્તાની પધ્ધતિ તે। તેનાથી પણ વધારે ખુરી છે. ભારતની જનતા એ જાણ્વા માગે છે કે જ્યારે પણ તેમને સત્તા પ્રાપ્ત થાય ત્યારે સામ્યવાદી લેાકશાહીના ચૂકાદાને અનુસરવા અને તે મુજબ ચાલવા માગે છે કે બળજબરીથી—હિંસાથી રાજ્ય કરવાના ઈરાદા રાખે છે? માત્ર શારીરિક—સ્થૂળ—હિંસાના ત્યાગથી આ પ્રશ્નના ઉકેલ આવે તેમ નથી. રાજ્યની કાયદેસર”ની હિંસા પણ એક એવી જ વસ્તુ છે. હું એક દાખલો આપું. રશિયાની ખેતીવાડીના અભ્યાસી વિદ્યાર્થીઓએ વારંવાર જાહેર કર્યું છે કે જો રશિયાના ખેડુતને કાઈપણ જાતના પ્રતિકુળ પરિણામના ભયવિના અને મુક્ત રીતે કહેવાની વર્તવાની તક સાંપડે તે તેમાંના મેટા ભાગના સામુહિક. ખેતી ( collectives ) છેાડી દે. આ કદાચ ધારી અસત્ય હોય અગર ચાલુ પરિભાષામાં વર્ણ - વીએ તેા આવું કથન સિસ્ટ બદનામી’ કહેવાતું હાય. પરંતુ અહિં મુદ્દો એ છે; અયેાજનના નામે, જેમની ઇચ્છા ન હેાય એવા ખેડુતને સામુહિક–ખેતીમાં જબ્બરદસ્તથી ધકેલવાળાં સામ્યવાદ ન્યાયી ઠરે છે કે કેમ ? આખરે કાની મુખ્યતા છે ? પક્ષની કે જનતાની ? સિધ્ધાન્તની કે માનવ સમાજની ? એ ખરૂં છે કે, પોતાના માટે શું સારૂં છે એ ન સમજવા પૂરતા માનવા મૂર્ખ હાઇ શકે છે, પરંતુ લોકા ઉપર પોતાના અભિપ્રાયા લાદવાના કાને હક્ક છે ખરા ? લઘુમતિ ઉપર બહુમતિના શાસનની વ્યવસ્થા એ એક આદર્શ લોકશાહી વ્યવસ્થા છે - એવી ચાલુ માન્યતા વિષે ઋણુ અંગત રીતે તે હું શંકાશીલ છું. બહુ બહુ તે તેને મર્યાદિત લેાકશાહી કરી શકાય. પરંતુ તેથી કેવળ વિપરીત પ્રકારની વ્યવસ્થા (બહુમતિ ઉપર લઘુમતિનું શાસન ) એ તેા કેવળ અત્યાચાર જ છે એમ વિના શકાએ કહી શકાય. હિંદના સામ્યવાદીઓ આવા અત્યાચારને વખાડી કાઢવા તૈયાર છે ખરા? મારા લાંબા લખાણને વધારે લાંબુ કરવા ઇચ્છતા નથી. મારા સામ્યવાદી મિત્રાને હું કરીથી યાદ દેવડાવવા માગું છું કે માનવી અને તેવુ નૈતિક તથા ભૌતિક કલ્યાણ અને વિકાસ એ જ સર્વ કાઈ સામાજિક પ્રયત્નાનું ધ્યેય છે, લક્ષ્ય છે.
SR No.525941
Book TitlePrabuddha Jivan 1956 Year 17 Ank 17 to 24 and Year 18 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1956
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy