________________
તા. ૧-૨-૫૬
પ્રભુદ્ધ જીવન
કાંગ્રેસ કારાબારીની મકકમ જાહેરાત
( મુંબઇ પ્રદેશ અને તેની આનુબાજુના પ્રદેશની પુનઃરચના અંગે તા. ૧૬ મી જન્યુઆરીના રાજ ભારત સરકારે પેાતાના છેવટના નિચ એ મુજબ જાહેર કર્યાં હતા કે (૧) ગુજરાત સર॰ર્દૂ અને કચ્છ, (૨) મુંબઈ સિવાયનુ` મહારાષ્ટ્ર, વિદર્ભ અને હૈદ્રાબાદમાંના મરાઠાવાડાના વિભાગ (૩) બૃહદ મુંબઇ પ્રમાણે રચના કરીને પહેલા બેમાં પ્રાદેશિક રાજ્યની રચના કરવામાં આવશે અને બૃહદ મુંબઇનું કેન્દ્રસ્થ સરકાર વહીવટી સ`ચાલન કરશે. આ જહેરાત સાથે ` સુ`બઈ અને મહારાષ્ટ્રના જુદા જુદા શહેરોમાં તકાનો શરૂ થયાં અને બીને મહારાષ્ટ્રી-ખાસ કરીને ગુજરાતી અને મારવાડી-સમુદાયની માલમીલ્કતા લૂંટાવા માંડી અને તેમના અન જૈખમમાં મૂકાયાં. ત્યાર બાદ તા. ૨૩-૧-૫૬ ના રોજ દીલ્હીમાં મળેલી કાંગ્રેસની કારાબારીએ આ અરાજક પરિસ્થિતિની કડક આલોચના કરતી અને પેાતાના નિર્ણયને અક્રૂર રીતે વળગી રહેવાની જાહેરાત કરી. આ જાહેરાત માત્ર મુંબઇ, મહારાષ્ટ્ર કે ગુજરાતને જ નહિ પણ સમગ્ર ભારતની પ્રખ્તને સ્પષ્ટ માર્ગદર્શન આપતી હાઇને અત્યન્ત મહત્વની છે. તેમાંની વિગતા સા કેઇ શાન્તિથી વિચારે અને તેમાં કરવામાં આવેલ આદેશ મુજબ વર્તવાને કટિબધ્ધ થાય તેથી અહિં તે પ્રગટ કરવામાં આવે છે, ત`ત્રી ) વિરોધી ખળાને દેશને વિધાતક અને વિનાશને પંથે દોરી જવા દેવાય છે. એ અત્યંત મહત્ત્વનું છે કે રાષ્ટ્રવિરોધી, પ્રત્યાધાતી અને સમાજનહિ. આથી પ્રત્યેક હિંદીની, હાલની પરિસ્થિતિના જોખમને સમજવાની`` અને તમામ પ્રવૃત્તિ અટકાવવા પોતાથી બનતું તમામ કરી છૂટવાની પ્રાથમિક ફરજ ખતી રહે છે.
છેલ્લા ત્રણ માસ દરમિયાન કૉંગ્રેસ કારોબારી અને તેની ઉપસમિતિએ રાજ્યાની પુનર્રચના અંગે શકય તેટલા પ્રમાણમાં સમજૂતી. સ્થપાય એ માટે સતત રીતે આતુરતાપૂર્વક મત્રણા કરી હતી. આર્ભને તબકકે તેઓએ એવા અભિપ્રાય વ્યકત કર્યો હતો કે રાજ્ય પુનરચના પચની ભલામણા સામાન્ય રીતે સ્વીકારી લેવી જોઇએ અને જે ફેરફારો જરૂરી લાગે તે સમજૂતીથી કરવા જોઇએ.
કારોબારીએ આ હેતુ માટે નીમેલી ઉપ-સમિતિએ લાગતાવળગતા તમામ રાજ્યાના પ્રતિનિધિને મળીને સમજૂતીના માર્ગ શોધી કાઢવા માટે પ્રયાસો કર્યાં હતા. સખ્યાબંધ કિસ્સાઓમાં સમજૂતી સ્થપાવા પામી હતી અને પંચની ભલામણેા નજીવા ફેરફારો સાથે સ્વીકારવામાં આવી હતી.
વિઘાતક મળેાએ લાભ લીધે
સમિતિ આ બધા ઉપરાંત ભારતની એકતા અને અખંડિતતા જાળવવા માટે આતુર હતી અને તેણે દુઃખપૂર્વક એવી નોંધ લીધી હતી કે ભાષાવાર પ્રાંતાના નામે વિધાતક ખળા કામ કરી રહ્યાં હતાં પણ એની પાછળની તેમની તેમ જુદી જ હતી. તેઓએ આ બાબતનું નિયંત્રણ કરવાના અને એવું ભારપૂર્વક ઠસાવવાના પ્રયત્ન કર્યો હતા કે પ્રાથમિક મહત્ત્વ એકદરે ભારતની એકતા પર મુકાવુ જોઇએ, વહીવટી વિભાગો પર નહિં. કમનસીએ વિધાતક ખળાએ લોકોના પોતાની ભાષા પ્રત્યેના પ્રેમના લાભ ઉઠાવીને તેમને ઊંધે રસ્તે દાર્યાં હતા અને એ દ્વારા બળ મેળવ્યું હતું.
સમિતિએ મુખશ્વના મહાન રાજ્યના ભાવિ અંગે ખાસ વિશિષ્ટ લક્ષ કેન્દ્રિત કર્યું હતું. આ પ્રશ્ન અંગે સમજૂતીભર્યાં ઉકેલ લાવવાની તેમની દચ્છાથી તેઓએ મુંબઇ રાજ્યના જુદા જુદા ભાગોના તેમના સાથીએ સાથે સખ્યાબંધ મંત્રણાઓ યેજી હતી અને પરિણામે કેટલીક દરખાસ્ત વખતે વખત કરવામાં આવી હતી. આ દરખાસ્તામાંની પ્રત્યેક દરખાસ્ત એક વખત સ્વીકારાઇ હેવાનું જણાતું હતું, પણ પાછળથી એના અસ્વીકાર થતા હતા. છેવટે ક્રીથી લાગતાવળગતા લોકાની સાથે મસલત ચલાવીને મુંબઈ રાજ્યને લગતા નિર્ણયની ખીજા નિર્ણયા સાથે જાહેરાત કરવામાં આવી હતી.
ભારતને ક્લક લાગ્યુ
સમિતિના ઉપાયો છતાં મુંબઇ શહેરમાં ગંભીર તાકાના ફાટી નીકળ્યાં હતાં, જેને પરિણામે લોકોના જાન અને માલમિલ્કતને વ્યાપક પાયા પર નુકસાન થયું હતું, મુંબઈ અને ભારતને કલંક લાગ્યું હતું અને ઉભયની ભારે માનહાની થવા પામી હતી. દેશના ખીજા કેટલાક ભાગામાં પણ આથી જરા નાના પાયા. પર તેાના થવા પામ્યાં હતાં. આ બધા મનાવાએ એવી પરિસ્થિતિનું સર્જન કર્યું છે કે જેનાથી ભારત અને તેની પ્રજાનું ભાવિ ભયમાં મુકાયાં છે.
-
જે આદર્શ માટે ભારત ઊભું હતું તેને તેફાનીએએ –જેઓએ આ હિંસા આચરી હતી તેઓએ તેમ જ જેલકાએ તેમને પરોક્ષ કે અપરેક્ષ રીતે ટેંક આપ્યો તેઓએ અનાદર કર્યો છે અને પોતાના પગની એડી હેઠળ એ આદર્શને કચડી નાંખ્યા છે. રાષ્ટ્રપિતાની તસવીરોનું પણ અપમાન કરાયુ હતું. એ સ્પષ્ટ છે કે જેઓએ લાંછનરૂપ વર્તન દાખવ્યું. તેઓએ ભારત કે એની પ્રજાના કલ્યાણના જરા પણ ખ્યાલ કર્યો નથી. તેઓ કાં તે સમાજવિરોધી યા રાષ્ટ્રવિરોધી તવા હતાં અથવા તે એ તત્ત્વા હતાં કે જેમને ઊધે રસ્તે દોરવવામાં આવ્યાં હતાં. રાળાંએ દ્વારા થતી હિંસાથી અને લોકશાહી કે શાંત પદ્ધતિઓના ઈન્કાર કરવાથી કાઈ પણ પ્રકારની પ્રગતિ સાધી શકાય નહિ. વિનાશપ'થે જવાય નહિ. -
©
જો કે -ટાળાંની હિંસા સરકારના પગલાંથી ખાવી શકાય છે, છતાં જે પરિસ્થિતિ ઉભી થવા પામી છે તે જોખમકારક છે . અને રાષ્ટ્રને માટે ભયસમાન છે. પાતાના દેશને ચાહતા ભારતના કામ પણ નાગરિક અને ખાસ કરીને કાઇ પણ ગ્રેસી અપાર ચિંતા સિવાય આ પરિસ્થિતિ નિહાળી શકે નહિ. હકીકતને વ્યાપક રીતે જોતાં દેશની અંદર જે કાંઈ પુનર્રચના કરવામાં આવે તે પ્રમાણમાં એછા મહત્વની
૧૮૩
એ સ્પષ્ટ રીતે સમજાવુ જોઇએ કે હિંસા અને ત્રાસ ફેલાવતી પદ્ધતિઓને નમતું અપાવું જોઇએ નહિ અને નિર્દોષ નાગરિકાનાં રક્ષણ માટે, રાષ્ટ્રના કલ્યાણ માટે રાજ્યના તમામ બળથી એના સામના કરવા જોઇએ, એ પણ સ્પષ્ટ રીતે સમજી લેવુ જોઇએ કે લઈ લેવામાં આવેલા નિર્ણયોમાં તેમજ હવે પછી રાજ્યપુનર્રચના અંગે લેવાનારા નિષ્ણુ ચોમાં હિંસા અને ત્રાસવાદી પદ્ધતિઓને કારણે કરો ફેરફાર કરવામાં... આવશે નહિ.
રાજીનામા કોણ માંગી શકે ?
સમિતિને એવી જાણ કરવામાં આવી છે કે કેટલાક પ્રધાનો અને ધારાસભ્યાએ તેમની સરકારોમાંથી અથવા વિધાનસભામાંથી રાજીનામાં આપ્યાં છે અથવા આપવા માંગે છે. હાલની પરિસ્થિતિમાં આવાં રાજીનામાં ટાળાનાં પગલાં અને હિંસાને ઉત્તેજન આપશે અને રાષ્ટ્રિય હિતો તેમ જ જે હેતુ માટે તે અપાઇ રહ્યા છે તેને માટે નુકસાનકારક બનશે. કોંગ્રેસના બંધારણની દૃષ્ટિએ પણ પાર્લામેન્ટરી એડ. અગર કારોબારીની મંજુરી વગર રાજીનામાં આપી શકાય નહિ. કોઇ પ્રદેશ કોંગ્રેસ સમિતિને આ રીતે રાજીનામાં માગવાના અધિકાર નથી અને આવું કાઇ પણ પગલું ખંધારણની વિરૂદ્ધનુ છે અને તેને મંજૂરી આપી શકાય નહિં. આવાં રાજીનામાંએ જ્યાં આપવામાં આવ્યાં હાય તે પાછા ખેંચાવા જોઇએ.
ભારતની એકતા
તાજેતરના બનાવેાએ બતાવ્યું છે કે વિધાતક પ્રવૃત્તિઓને, અલગતાવાદ અને પ્રાંતવાદને પોષવામાં ગંભીર ભયેા રહેલા છે અને આવી મનેાવૃત્તિ અટકાવવાની અને કાની વિચારશ્રેણીને નવી દૃષ્ટિ આપવાની રાષ્ટ્રની પ્રાથમિક ફરજ બની રહે છે. આથી રાજ્યાની પુનરચનાને લગતા સમગ્ર પ્રશ્ન આ ચેસ દૃષ્ટિથી જોવા જોષ્ટએ, જેથી કરીને ભારતની એકતાને ઉ-તેજન આપી શકાય.
કારામારી આથી દેશને અને ખાસ કરીને તમામ કોંગ્રેસીઓને આ ગંભીર પરિસ્થિતિના પડકારને પહેોંચી વળવા અને આ વ્યાપક પ્રયાસની વચ્ચે કાઈ નાની બાબતાને આવવા નહિ દેવાના આદેશ આપે છે.
આ મહાન દેશના સર્વ ભાગનું એકીકરણ કરવામાં જે એક મહાન બળ હતું તે કાંગ્રેસની એકતા અને શિસ્તને જાળવવાં એ દરેક કોંગ્રેસી માટે આવશ્યક બની રહે છે. જ્યારે ભારતની પ્રગતિને માટે વ્યાપક માર્ગો ખૂલેલા છે ત્યારે આ બળને નબળું બનાવવુ એ દેશને નબળા બનાવવા સમાન છે. કોંગ્રેસની આ શિસ્તને અને કૉંગ્રેસના આદશ ને વળગી રહેવાની દરેક પ્રદેશ તેમ જ બીજી કેંગ્રેસ સમિતિલેાાની અપ્રિયતા વહેારવી પડે. એની જ બની રહે છે, પછી ભલે તેમ કરવામાં હાલની ક્ષણે
અપનાવવાની કોંગ્રેસની નીતિ રહેલી છે. કટોકટીના સમયે આ મૂળભૂત માત્ર સાચા હેતુ સેવવાની જ નહિ પણ સાચા માર્ગો જ ખાબતા યાદ રાખવાનું અને અનિષ્ટ બળને તામે નહિ થવાનું વધુ જરૂરી છે.
આઝાદીનું રક્ષણ કરા
ભારતની આઝાદીની પ્રાપ્તિ કરનાર અને ભારતની પ્રજાના અનેક વિધ ભાવિની પરિપૂર્તિ કરનાર કેંગ્રેસ .એક ઐતિહાસિક સસ્થા છે.. આઝાદી હાંસલ કરવામાં આવી છે પણ તે નવેસરથી કાઈ બહારની નહીં પણ આપણી આંતરિક નબળાઇને કારણે ભયમાં મુકાઈ છે, કૉંગ્રેસને આ આઝાદી કે જે મહાન કિંમતે મેળવવામાં આવી છે તેનુ રક્ષણ કરવાનો પુનઃ આદેશ આપવામાં આવે છે, પ્રત્યેક હિંદી જે આ આઝાદીને ચાહતા હાય તેણે હ ંમેશાં આપણા દેશના ઉજ્જવળ ભાવિને દૃષ્ટિ સમક્ષ રાખીને આઝાદીનું રક્ષણ કરવુ જોઇએ.