SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ : પ્રબુદ્ધ જીવન ઉપર ઉપનિષદ અને ત્યાર પછીના કાળમાં તે યજ્ઞને બદલે આત્મા જ બ્રાહ્મણુસંસ્કૃતિમાં પ્રધાન થઈ ગયેા. આ કાળ શ્રમણ-બ્રાહ્મણુ સંસ્કૃતિના સમન્વયના હતા, આર્ય-અના સંસ્કૃતિના સમન્વયના હતા, અને એ કાળ તે ભગવાન મહાવીર અને બુદ્ધને સમય છે. શ્રમણ અને બ્રાહ્મણુના સમન્વયના ફળરૂપે શ્રમણાએ બ્રાહ્મણા પાસેથી નવુ સ્વીકાર કર્યુ અને બ્રાહ્મણોએ શ્રમણા પાસેથી નવુ સ્વીકાર કર્યું. બ્રહ્મને અર્થ જે પહેલા યજ્ઞ અને તેના મંત્રો કે સ્તાત્રો થતા હતા તેને બદલે બ્રહ્મ એટલે આત્મા એમ થવા લાગ્યા. શ્રમણા પેાતાના શ્રેષ્ઠ પુરુષાને આર્યોના નામથી ઓળખવા લાગ્યા. અને પેાતાના ધર્મને આર્ય ધર્મનુ નામ આપ્યું, યજ્ઞ એ શ્રમણાએ પણ સ્વીકાર્યો અને તેના આધ્યાત્મિક અર્થ કર્યો. તે પોતાના સંધના શ્રમણેાને બ્રાહ્મણના નામથી પણ સખેાધવામાં ગૌરવને અનુભવ કરવા લાગ્યા. પોતાના આચાર ધર્મનુ નામ બ્રહ્મચર્યં રાખ્યું, બ્રહ્મવિહાર રાખ્યું. બ્રાહ્મણેામાં બ્રહ્મચર્યના અર્થ વેપઠનની ચર્યાં એમ હતા તેને બદલે શ્રમણાએ એ જ બ્રહ્મચર્યને પોતાના આધ્યાત્મિક સાધનાના આચારરૂપે ઓળખાવ્યું. બ્રાહ્મણામાં જ્યાં સન્યાસ કે મેાક્ષનું નામ પણ ન હતુ, ત્યાં એ વસ્તુ શ્રમણા પાસેથી લઇને તેમણે આત્મસાત્ કરી દીધી. ભૌતિક મૂળમાં શ્રેષ્ઠ અને મનુષ્યના પૂજ્ય ઈન્દ્રાદિ દેવાને શ્રમણાએ જિનાના–મનુષ્યના પૂજક સેવકનું સ્થાન આપ્યું અને બ્રાહ્મણોએ એ જ પ્રુન્દ્રાદિની પૂજાને ખલે આત્મપૂજા શરૂ કરી, અને શારીરિક સ ંપત્તિ કરતા આત્મિક સંપત્તિને મહત્ત્વ આપ્યુ. અથવા તે કહો કે ઇન્દ્રને આત્મામાં ફેરવી નાખ્યું. ટૂંકામાં બ્રાહ્મણધર્મનું રૂપાન્તર બ્રહ્મધર્મ અર્થાત આત્મધર્મમાં થયું. આ સમન્વયને કારણે શ્રમણુ અને બ્રાહ્મણ બન્ને સમૃદ્ધ થયા. પણ તેમની ભેદ રેખા વેદશાસ્ત્રમાં મર્યાદિત થઇ. અર્થાત જે પેાતાની માન્યતાના મૂળમાં વેદને પ્રમાણભૂત માને છે તે બ્રાહ્મણુપર પરામાં ગણાયા અને જે વેદશાસ્ત્ર નહિ પણ સમયે સમયે થનાર જિનાને પ્રમાણુભૂત માને છે તે શ્રમણા ગણાયા. જેમ બ્રાહ્માણુ પરંપરામાં અનેક મતાન્તા છે તેમ શ્રમણ પરંપરામાં પણ અનેક મતાન્તા છે. એક જ વેદશાસ્ત્રના અર્થમાં મતભેદ થવાથી જેમ બ્રાહ્મણ પરંપરામાં અનેક સપ્રદાયા થયા, તેમ અનેક જિનાના કે તીર્થંકરાના ઉપદેશમાં પાર્થકયને કારણે શ્રમણેામાં પણ અનેક સપ્રદાયો થયા.-જેવા કે આછવક, નિર્પ્રન્થ, બૌધ્ધ આદિ એ બધા સંપ્રદાયે જિનના ઉપાસક હેાવાથી જૈન કહી શકાય. બૌદ્ધ સંપ્રદાય તા છઠ્ઠી શતાબ્દી સુધી જૈનને નામે ઓળખાતા એ ઇતિહાસસિદ્ધ હકીકત છે. આજીવકાને પણુ દિગંબર જૈન તરીકે કે ક્ષપણુક તરીકે ઇતિહાસમાં આળખાવવામાં આવ્યા જ છે એ હકીકત છે. પણ આજે રૂઢિ એવી છે કે ભગવાન મહાવીરના અનુયાયીઓને જ જૈન નામથી એળખવામાં આવે છે. શ્રમણાને બીજો સપ્રદાય જે ભ. યુદ્ધના અનુયાયી વર્ગ છે તે બૌદ્ધ કહેવાય છે અને આજે આજીવકાનુ અને ભ. યુદ્ધ અને મહાવીરકાલીન બીજા શ્રમણુરા પ્રદાયાનું તે નામનિશાન પણ નથી. આ પ્રમાણે એમ કહી શકાય કે જૈન નામ એ એક વિશાળ અર્થમાં છતાં તેને આજે અકુચિત અર્થ છે. વિશાળ અર્થમાં જિનના ઉપાસકે તે જૈન. છતાં સકુચિત અર્થમાં આજે ભગવાન મહાવીરની પર ંપરાને અનુસાર તે જૈન છે. જેમ 'ભ, મહાવીર જિન, સુગત, શ્રમણુ, તથાગત, અર્હત, તીર્થંકર, બુદ્ધ એવાં નામેાથી ઓળખાય છે તેમ ભ. મુદ્ પણ જન, સુગત, શ્રમણ, તથાગત, અદ્વૈત, તીથ કર, બુદ્ધ એવાં નામેાથી ઓળખાય છે. આ વસ્તુ મૂળે તે બન્ને એક જ શ્રમણપર ંપરાના છે એ સૂચવવા માટે પૂરતી છે. પણ એક પરપરાએ અહત કે જિન શબ્દ ઉપર વધારે ભાર આપ્યા, તેથી તે પરપરા અત્યારે આર્હત પરંપરા કે જૈનપર ંપરાને નામે પ્રસિદ્ધ થઇ છે, જ્યારે બીજી પરંપરાએ બુદ્ધ નામ ઉપર વધારે ભાર આપ્યો તેથી તે પરંપરા આગળ જઈ બૌદ્ધ પરપરાને નામે ઓળખા, અપૂર્ણ દલસુખ માલવણિયા તા. ૧-૧૨-પ૬ સામ્યવાદીઓને સમેાધન ( તા. ૧૯ તથા તા. ૨૦મી નવેમ્બરના ‘ટાઇમ્સ ઓફ ઈન્ડી’ Revelations in Moscow' માં નવા પ્રકાશનું દન' એ મથાળા નીચે જાણીતા સમાજવાદી આગેવાન શ્રી જયપ્રકાશ નારાયણુને એક લેખ એ હકતામાં પ્રગટ થયા છે. આ લેખ ભારતના સામ્યવાદીઆને સખાધીને લખવામાં આવ્યો છે. અને રશીગ્માના અધ અનુકરણ અને બંધારણીય પકડમાંથી છુટા થવાને અને અહિંની તેમની રાજ્યનીતિમાં અહિંસા અને સત્યને અપનાવવાના તેમને એ લેખમાં અનુરોધ કરવામાં આવ્યા છે. માલ સ્ટેલીનને અપ્રતિષ્ટિત કર્યા બાદ આજે સામ્યવાદી દેશમાં વિચારાની જે અરાજકતા પ્રવર્તે છે તેનું પ્રસ્તુત લેખમાં સુન્દર નિરૂપણ કરવામાં આવ્યું છે. શ્રી શાન્તિલાલ નદુએ કરી આપેલ એ લેખને અનુવાદ પ્રગટ કરતાં આનંદ થાય છે. તંત્રી. ) મારા સામ્યવાદી મિત્રોને સખેધીને હું થોડું કહેવાની હિંમત કરૂ છું. મેં ‘મિત્ર’ શબ્દના ઉપચેગ જાણી જોઇને કર્યાં છે, કારણ કે હિંદના સામ્યવાદી પક્ષમાં—ખાસ કરીને પક્ષની નેતાગીરીની આગલી હરોળમાં-ધણી એવી વ્યક્તિ છે કે જે કૉંગ્રેસ સમાજવાદી પક્ષમાં મારી સાથે નિકટના સહકાય કર્તા હતા. જાગતિક વર્તમાનપત્રાના અહેવાલ ઉપરથી એમ માલુમ પડે છે કે રશિયાના સામ્યવાદી પક્ષની ૨૦ મી કાંગ્રેસે જગતના પ્રત્યેક સામ્યવાદી વર્તુળમાં વિચાર અને વર્તનની એક ક્રાંતિકારી પ્રક્રિયા શરૂ કરી છે. હું માનું છું કે ભારતને સામ્યવાદી પક્ષ તેમાં અપવાદ નથી. તેથી આ પ્રક્રિયાને મદદરૂપ થવા માટે હું આ મૈત્રીભર્યા શબ્દો લખી રહ્યો છું. સાચા હેતુ હું માનું છું કે પ્રત્યેક સામ્યવાદી ક્રુશ્ચેવના વ્યાખ્યાનનું અને તે પછી જે ટનાઓ ઉપસ્થિત થઇ છે તેનું ઊંડું રહસ્ય અને મહત્ત્વ સમજે છે. ક્રુશ્ચેવે કરાવેલા મેાસ્કની પરિસ્થિતિના પ્રકાશન પાછળના સાચા હેતુ અંગે ઘણા અર્ધાં ધટાવવામાં આવ્યા છે; પરંતુ હેતુએની એટલી બધી અગત્ય નથી, કારણ કે હેતુ ગમે તે હાય, પણ એ હકીકતમાં તો શંકા નથી જ કે તે હેતુ રાજકીય હતા. વધારે મહત્ત્વની અને અગત્યની ભાખત તે એ છે કે સમગ્ર જગત માટે એક આદર્શ તરીકે અનુસરણીય ગણવામાં આવતા એવા એક એક રાષ્ટ્રમાં ત્યાંના નેતાઓએ જે નેતાઓએ ત્યાંની પ્રજા ઉપર પાતાની જાતને લગભગ એક સદી સુધી ડેકી બેસાડી હતી તેમણે—જે ચાંકાવનારા ગુનાઓ આચર્યો તેને સત્તાવાર એકરાર કરવામાં આવ્યા છે. પ્રત્યેક રાષ્ટ્રના લાંકા સામ્યવાદીઓને જરૂર પૂછશે કે “શું. આ એ જ ભયંકર વસ્તુ હતી જે તમે અમને ચાલુ પૂરી પાડતા હતા ?” તે પછી સામ્યવાદીઓએ પેાતાના માટે જેના જવાબ આપવા જ જોઇએ એવા પ્રથમ પ્રશ્ન આ છે: જે હકીકતાનુ ક્રુશ્ચેવે પ્રકાશ– દર્શન કરાવ્યું છે તે હકીકતે અંગે તેમને અત્યાર સુધી અંધારામાં રાખવામાં આવ્યા હતા તે શક્ય કેમ બન્યું ? શું જગતના ખીન— સામ્યવાદી લાકા આ હકીકતે અંગે લગભગ છેલ્લાં ત્રીસ વરસે દરમિયાન ચર્ચા નિર્દેશ નહેાતા કરી રહ્યા ? ખરેખર, તો ક્રુશ્ચેવે કરેલું માસ્કાની પરિસ્થિતિનું પ્રકાશ-દર્શન એ કાઈ નવું પ્રકાશ–દર્શન હતું જ નહિં. સામ્યવાદીઓએછામાં એહુ તેમના નેતાઓ-આ હકીકતા ખીલકુલ જાણતા નહાતા એ અશકય છે. તે પછી તે અત્યાર સુધી શા માટે મૌન રહ્યા ? આ પ્રશ્નને અદ્યાપિ પર્યંત કાંઇ પણ સતાષકારક જવાબ કે ખુલાસો કરવામાં આવ્યા નથી. બીજો પ્રશ્ન આ છે ઃ ક્રુશ્ચેવે સામ્યવાદીને જ્યાં સુધી દોર્યાં છે ત્યાં જ શુ તે અટકશે ? સત્યની ખેાજમાં શુ તે આગેકૂચ નહિ કરે ? શું ક્રુશ્ચેવે સંપૂર્ણ પ્રકાશ–દર્શન કરાવ્યું છે ? સામ્યવાદના નામે જે બધા ગુનાઓનું આચરણ થયું છે તે બધા ગુનાઓને * તેણે પ્રગટ કર્યાં છે અને વખાડી નાંખ્યા છે. તેણે પાતે કરેલા - ગુનાઓ કબુલ કર્યા છે ખરા ? જો કીરાવનું ખૂન.. એ એક
SR No.525941
Book TitlePrabuddha Jivan 1956 Year 17 Ank 17 to 24 and Year 18 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1956
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy