________________
તા. ૧૫-૧૧-૫૬
પ્રબુદ્ધ જીવન
હું હિન્દીમાં લખવા તરફ કેવી રીતે વળ્યા ?
( જે પ્રદેશની માતૃભાષા હિંદી હાય એ પ્રદેશા સિવાયના બીજા પ્રદેશમાં જન્મેલા જે કોઈ વિદ્વાને રાષ્ટ્રભાષા હિન્દીની નોંધપાત્ર સેવા બજાવી હોય એમની એ સેવાનું સન્માન કરવાના હેતુથી વર્ષાની રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિએ મહાત્મા ગાંધી પુરસ્કાર' એ નામે રૂ।. ૧૫૦૧] તે પુરસ્કાર આપવાની યોજના કરી છે, અને એ રીતે છેલ્લા પાંચ વર્ષથી આવા ક્રાઇ પણ અહિન્દીભાષી પ્રદેશના વિદ્વાનને આ પુરસ્કાર આપીને તેનું બહુમાન કરવામાં આવે છે. ચોથા વર્ષને પુરસ્કાર આચાય વિનેબાજીને આપવામાં આવ્યા હતા. પાંચમા એટલે કે ચાલુ વર્ષના પુરસ્કાર પંડિત સુખલાલજીને અણુ કરવાને તેને લગતી સમિતિએ નિર્ણય કર્યો હતા. તદનુસાર ચાલુ વર્ષના પુરસ્કાર ૫. સુખલાલજીને સમર્પિત કરવાના સમારંભ તા. ૧૮-૧૦-૫૬ ના રોજ જયપુર ખાતે ભરાયલા અખિલ ભારતીય રાષ્ટ્રભાષા પ્રચાર સમેલન પ્રસ ંગે, તે અધિવેશનના પ્રમુખ શેઠ શ્રી ગાવિદાસના હાથે, અધિવેશન દરમિયાન જ, યાજવામાં આવ્યા હતા. આ સમારંભના પ્રારંભમાં સંસ્થાના મંત્રીશ્રીએ મહાત્મા ગાંધી પુરસ્કારની યેાજનાની વિગતા રજી કરી હતી, અને અધ્યાપક શ્રી દલસુખભાઈ માલવિયાએ પંડિતજીનો પરિચય કરાવ્યો હતો. ત્યાર બાદ દીપક પ્રગટાવીને, પંડિતજીના કપાળમાં ચાંદલો કરીને, હાથમાં શ્રીકુળ આપીને શંખનાદ સાથે તેમને રૂ।. ૧૫૦૧] ની થેલી અર્પણુ કરવામાં આવી હતી અને પુરસ્કાર–અપ ણુના પ્રસગને યાદગાર બનાવતું એક તામ્રપત્ર પડિતજીને અર્પણ કરવામાં આવ્યુ હતું. પાંડિત સુખલાલજીએ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિને આ માટે આભાર માનતાં એક પ્રસગાચિત બહુમૂલ્ય પ્રયન કર્યું હતું. આ પ્રવચન મૂળ હિન્દીમાં હતું. તેના શ્રી રતિલાલ દીપચ ંદ દેસાઇએ કરી આપેલા અનુવાદ નીચે પ્રગટ કરતાં આનંદ થાય છે. તંત્રી. )
અહીં મારુ મુખ્ય વક્તવ્ય તે એ મુદ્દાને લઈને હાવુ જોઈએ કે હુ એક ગુજરાતી, ગુજરાતીમાં પણ ઝાલાવાડી એમાંય પાછો પરાધીન; એમ છતાં હિન્દી ભાષામાં લખવા તરફ કેમ, કયારે અને શા કારણે `વત્યા ? ટૂંકમાં એમ કહી શકાય કે હિન્દીમાં લખવાની પ્રેરણાનું ખી શું હતું?
મારા સહચર' અને સહાધ્યાયી ૫. વ્રજલાલજી શુકલ, જે ઉત્તરપ્રદેશના રહેવાસી કાન્યકુબ્જ બ્રાહ્મણુ હતા તે, મારા મિત્ર પણ હતા. અમે બન્નેએ બંગભંગની ચળવળથી—ખાસ કરીને લાકમાન્યને સજા થયા પછીની પરિસ્થિતિથી—સાથે જ કામ કરવાનું નક્કી કર્યું હતું. કાઠિયાવાડના સુપ્રસિદ્ધ જૈન તીર્થ પાલીતાણામાં એક જૈન મુનિ હતા, જેમનું નામ હતુ. સન્મિત્ર પૂવિજયજી, તે અમેા બન્નેના શ્રદ્ધાસ્થાન પણ હતા. એક વખત એ મુનિજીએ વ્રજલાલજીને કહ્યું કે તમે તે દેખી શકો છે અને સ્વતંત્ર પણ છે, તેથી સારા સારા જૈન ગ્રંથોના અનુવાદ કરો કે એમના સાર લખા; અને સુખલાલજી, જોઈ નહીં શકવાને કારણે, લખી શકે એમ તે છે નહીં, એટલે તે એમને પ્રિય એવુ ભણાવવાનું કામ જ કરતા રહે. એ 'મુનિજીની સલાહની જાણ મને પાછળથી થઈ. એ જ વખતે મને વિચાર આવ્યો કે શું સાચેસાચ હું, મારા સારી રીતે અભ્યાસી અને સુપરિચિત વિષયો ઉપર પણ, લખવાનું કામ ન કરી શકું? મારા અન્તમુખે મને જવાબ આપ્યો કે તુ જરૂર કરી શકે છે, અને તારે કરવું પણ જોઇએ. આ જવાબ સંકલ્પમાં પરિણમ્યા; પણ પછી સવાલ થયા કે એને કયારે અને કેવી રીતે અમલમાં મૂકવા ? મારા દૃઢ સંકલ્પ ખીજા કાઈ તેા જાણતા ન હતા. પણ એ મને ચુપ એસી રહેવા દે એમ પણુ ન હતુ. એક વેળા અચાનક એક ભણેલાગણેલા ગુજરાતી મિત્ર આવી ચઢયા. મને કહ્યું કે આ પચીસ પ્રાકૃત ગાથાઓના અનુવાદ જોઇએ. હું બેસી ગયા અને લગભગ સવા કલાકમાં લખી નાખ્યુ. બીજો પ્રસંગ ઘણે ભાગે વડાદરામાં આવ્યો. યાદ નથી કે એ અનુવાદ મે ગુજરાતીમાં લખાવ્યો કે હિન્દીમાં, પણ ત્યારથી સંકલ્પનું એ બીજ ઊગવા લાગ્યું અને મનમાં પાકા વિશ્વાસ પેદા થયા કે ભણાવવા ઉપરાંત હું લખવાનું કામ પણ .કરી શકીશ.
૪s
મારા કેટલાક મિત્રો અને સહાય આગરાના રહેવાસી હતા. તેથી હું સને ૧૯૧૬ ની અંતમાં આગરા ચાલ્યા ગયા. ત્યાં તા હિન્દી ભાષામાં જ લખવુ પડતુ હતું, પણ જ્યારે મે જોયુ કે, કાશીમાં દસ વર્ષ વિતાવ્યા પછી પણ, હું હિન્દીને શુદ્ધરૂપે જાણતા નથી, અને લખવુ તે છે એ જ ભાષામાં, ત્યારે હું તરત કાશી ચાલ્યા ગયા. એ સમય હતો ચંપારણ્યમાં ગાંધીના સત્યાગ્રહ કરવાતા. ગંગાકિનારાનુ એકાન્ત સ્થાન તે સાધનાની ગુફા જેવુ હતુ, પણ મારા કામમાં કેટલીયે મુશ્કેલીઓ હતીઃ ન તે હું શુદ્ધ વાંચવાવાળા હતા, ન તા મને હિન્દી સાહિત્યના વિશાળ પરિચય હતા, અને ન તા` મારા માટે જરૂરી ખીજા સાધના સુલભ હતાં. તેા પણ છેવટે
તા, છે
હિન્દી ભાષાનું નવેસરથી અધ્યયન શરૂ કર્યું અધ્યયન કરતી વખતે
મને ઘણી ગ્લાનિના અનુભવ થયા. ગ્લાનિ એટલા માટે કે હું દસ વર્ષ લગી સંસ્કૃત અને એની જેમ અનેક વિષયાને હિન્દી ભાષામાંજ ભણતા રહ્યો; તેપણ મારી હિન્દી ભાષા, પોતપોતાના વિષયમાં અસાધારણ પણ હિન્દીની દૃષ્ટિએ દરિદ્ર અને જૂની ઢબની હિન્દી ખેાલવાવાળા મારા અનેક પૂજ્ય અધ્યાપકાથી જરાય આગળ વધી શકી ન હતી ! પણ આ ગ્લાનિએ વિશેષ બળ પ્રેર્યું
પછી તો મે કામતાપ્રસાદ ગુરુ, રામલાલ વગેરેનાં હિન્દીનાં કેટલાંય વ્યાકરણ જોયાં. હિન્દી સાહિત્યના વિખ્યાત લેખકાનાં ગ્રંથ, લેખા, પત્ર-પત્રિકાઓ વગેરે હું ભાષાની દૃષ્ટિએ જોવા લાગ્યો. આચાય મહાવીરપ્રસાદ દ્વિવેદીના રધુવંશ, માધ વગેરેના અનુવાદો, અંગ્રેજીના સ્વાધીનતા, શિક્ષા વગેરેના અનુવાદો તા સાંભળ્યા જ; ઉપરાંત એ વખતનાં ‘સરસ્વતી,’ ‘મર્યાદા,' ‘અભ્યુદય’ વગેરે અનેક સામયિકાને પણુ હું અનેક દૃષ્ટિથી સાંભળવા લાગ્યો, પણ એમાં મુખ્ય દ્રષ્ટિ તા ભાષાની જ હતી.
દરરાજ ધ્રુવળ સારા સાહિત્યને સાંભળી લેવાથી લખવાને યોગ્ય જરૂરી સંસ્કાર પડી નથી શકતા–એ પ્રતીતિ તો હતી જ. તેની સાથે સાથે હિન્દીમાં લખાવવાનો પ્રયોગ પણ કરતા રહ્યો. મને યાદ છે કે સૌથી પહેલાં મેં ‘જ્ઞાનસાર' ને પસંદ કર્યો, જે સુપ્રસિદ્ધ તાર્કિક અને દાર્શનિક બહુશ્રુત વિદ્વાન ઉપાધ્યાય શ્રી યશોવિજયજીની પધાદ્ મનેારમ કૃતિ છે. હું એ કૃતિનાં અષ્ટકાના ભાવાનુવાદ કરતા. અને પછી વિવેચન પણ. પરંતુ હું વિશેષ એકાગ્રતા અને પરિશ્રમપૂર્વક અનુવાદ વગેરે લખાવીને જ્યારે મારા મિત્ર વ્રજલાલને ખતાવતા. ત્યારે તેઓ ઘણીવાર મને એમાં કંઈ ને કંઈ ત્રુટિ બતાવતા. તે એકદમ સ્પષ્ટ હિન્દીભાષા ખેલનારા હતા, અને લખતા પણુ સારું. એમણે બતાવેલી ત્રુટિઓ મેટે ભાગે ભાષા, શૈલી વગેરે સબંધી રહેતી. એમણે બતાવેલી ત્રુટિઓને સાંબળીને હું કયારેય હતોત્સાહ થયા હાઉં, એવુ સાંભરતુ નથી. ફરી પ્રયત્ન, ક્રૂરી લખવુ, ક્રૂરી એકાગ્રતા—આ ક્રમે અચ્છરાજ ધાટ--ઉપરની ગુફા જેવી એ કાટડીમાં કડકડતી ટાઢ અને અળબળતી ગરમીમાં લગભગ આઠ મહિના વીત્યા. છેવટે થોડાક સતાપ થયા. પછી તો મૂળ ધારેલા કામમાં જ પડયા. એ કામ હતુ. કમ વિષયક જૈન ગ્રંથાના હિન્દીમાં અનુવાદ કરવા તથા વિવેચન કરવું. એ વર્ષે અષાડ મહિનામાં હું પૂના ગયો. નક્કી કરેલુ કામ તો સાથે ચાલેએ પણ મને મારા લેખનકાર્યમાં ઉત્સાહિત કર્યો. તિલકનુ ગીતાહતું જ, પણ પૂનાની રાજકીય, સામાજિક અને વિધાવિષયક હિલરહસ્ય, કેલકરના નિબંધો, રાજવાડેનું ગીતાવિવેચન વગેરેને જોઇને મનમાં થયું કે હું જે કમ ગ્રંથાનાં અનુવાદ–વિવેચન કરું છું. એમની પ્રસ્તાવના મારે તુલનાત્મક તેમજ ઐતિહાસિક દૃષ્ટિએ લખવી જોઇએ. પછી મને લાગ્યું કે, હવે તે આગરા જ યોગ્ય સ્થાન છે. ત્યાં પહોંચીને યોગ્ય સાથીઓની તજવીજ કરવામાં પડયા, અને છેવટે થોડી સફળતા પણ મળી. મનગમતી પ્રસ્તાવના માટે બની શકે એટલી વિશાળ દૃષ્ટિએ, જરૂરી એવું દાર્શનિક સંસ્કૃત-પ્રાકૃત-પાલિ વગેરે સાહિત્ય તે સાંભળતા જ હતા, પણ સાથે જ ધૂન હતી હિન્દી ભાષાના વિશેષ પરિશીલનની.