SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ રારા ગામના કોમ ૧૪૬ પ્રબુદ્ધ જીવન સામુદાયિક વિરોધમાં જ્યારે પણ સમાજમાં કે રાજ્યવહીવટમાં કોઇ અનિષ્ટ ઘટના મની રહી છે એમ લાગે ત્યારે તે સામે વિરોધ કરવાના અને બનતી ત્વરાએ તે અટકાવવા માટે પ્રયત્ન કરવાના દરેક વ્યક્તિને હક્ક છે અને આ હક જેમ એક વ્યકિતને છે તેમ કાઈ પણ સામુદાયિક દળને પશુ છે, જ્યારે કાઇ પણ બાબત અંગે રાજ્યસત્તાને ઉદ્દેશીને કરવામાં આવતી વિનવણી, જાહેર સભા ખેલાવીને કરવામાં આવતા ઠરાવા અને છાપા દ્વારા પ્રગટ કરવામાં આવતાં લખાણા નિષ્ફળ જાય છે એમ માલુમ પડે ત્યારે એથી પણ વધારે અસરકારક ઉપાયો હાથ ધરવાના પ્રજાને હક્ક છે અને આમ ન કરવામાં આવે તે તે અનિષ્ટ ઘટનાનાં માઠાં પરિણામે સમાજ અને દેશને સહન કરવા પડે અને અન્યાયની પર ંપરા અખાધિતપણે ચાલ્યા કરે. આવા સ ંચાગામાં સામુદાયિક વિરાધ દાખવવાના ઉપાયા એ પ્રકારના હાય છે: એક સૌમ્ય અને અહિંસક; બીજા અસભ્ય અને હિંસક, સામુદાયિક વિરાધ દર્શાવવાના સૌમ્ય અને અહિંસક ઉપાયે કયા હાઈ શકે તેની આપણને ગાંધીજીએ પોતાની હયાતી દરમિયાન પ્રયોગે।પૂર્વક પૂરી તાલીમ આપી છે. આ ઉપાયે શાન્ત સરઘસ, સૌમ્ય હડતાળ, અસહકાર, સત્યાગ્રહ, સામુદાયિક ઉપવાસ આદિ નામેથી જાણીતા છે. આ કે અન્ય પ્રકારના ઉપાયોને હેતુ રાજ્ય કરતી સંસ્થા ઉપર એક એવું ખાણુ ઉભું કરવાના હોય છે કે જે ખાણને તેણે વશ થવુ જ પડે અને રા કરવામાં આવતી માંગણીને ઘણા ખરા અંશે કબુલવી જ પડે. વિરાધ દર્શાવવાની સૌમ્ય અને અહિંસક પધ્ધતિ વિષે ગાંધીજી મારત આપણને પુરી તાલીમ મળવા છતાં અને સત્યાગ્રહ અને અસહકાર ઘર ઘરના શબ્દો બની બેઠેલા હેાવા છતાં આજે આમ જનતા અથવા તેા તેમાંના અમુદ એક વર્ગને ન ગમે તેવી કાઇ રાજકીય ઘટના બને છે ત્યારે તે વી રીતે વર્તે છે ?, પ્રાદેશિક પુનર્રચના અંગે છેલ્લા બાર મહીનામાં આપણે દેશના જુદા જુદા ભગેામાં અને આપણી નજીક મહારામાં, મુંબઈમાં અને ગુજરાતમાં જે બનતુ જોયું તે એમ બતાવે છે કે સામુદાયિક વિરોધ દાખવવાની ગાંધીજીએ સૂચવેલી અને શિખવેલી ટેક્નીક પદ્ધતિ--આપણે સાવ વિસરી ગયા છીએ, એટલુ જ નહિ પણ તેમના આગમન પહેલાં આપણે જેવા હતા તે કરતાં પણ ઘણા વધારે અસહિષ્ણુ, અસભ્ય અને હિંસક બન્યા છીએ. જ્યારે કોઇ અણુગમતા કાયદો આબ્યા, ભાષાના પ્રદેશરચનાના પ્રશ્ન આવ્યા, ત્યારે પ્રજામાનસ એકાએક ઉછળી પડે છે અને આજે રાજ્ય સત્તા કૉંગ્રેસપક્ષના હાથમાં છે તેથી તેની સામે, જવાહર સામે, ગાંધીજી સામે લોકો કેવળ જંગલી દેખાવા કરે છે, ‘ક’ઇક ઝીન્દાબાદ' અને કષ્ટક મુર્દાબાદ'ના ચોતરફ પોકારા શરૂ થાય છે, ખાદીની ધોળી ટોપીઓ ઉતરાવવાનુ કે ઝુંટવી લેવાનુ શરૂ થાય છે, કોંગ્રેસીઓના ધરબાર ઉપર હુમલા કરવામાં આવે છે, પથ્થરબાજી અને ધાકધમકી વડે હડતાળ પડાવવામાં આવે છે, સરકારી માલ મીલ્કતને પાર વિનાનું નુકસાન પહોંચાડવામાં આવે છે, ટ્રામ અને ખસાના વ્યવહાર રાકી દેવામાં આવે છે એટલું જ નહિ પણ તે બાળી નાખવાની હદ સુધી પણ જ્યાં ત્યાં લેકા પહોંચી જાય છે, રેલ્વેન્દ્રના રાકવામાં આવે છે, પ્રતિપક્ષી વર્ગની દુકાને અને ધરબાર લૂંટવામાં આવે છે અને વિરોધી લકાને અનેક રીતે રંજાડવામાં આવે છે. આથી આગળ વધીને આપણે મુંબઈ અને અમદાવાદમાં જોયું તેમ દેશના લાડીલા નેતાએ જેની હજી ગઈ કાલે એક અધિદેવતા માફક પૂજા કરવામાં આવી હેાય છે તેની આજે ‘હાય ફલાણા’ હાય કલાણા' એમ શેરી અને ગલીએ ગજાવતાં ઠાઠડી કાઢવામાં આવે છે અને ભદ્ર સમાજની સ્ત્રીએ ચેક અને ચૌટા વચ્ચે છાયા લેતી નજરે પડે છે. આ બધુ શું બની રહ્યું છે એ સમજાતું નથી. પ્રજામાનસ કઇ અધોગતિ તરફ ધસી રહ્યું છે તે કલ્પનામાં આવતુ નથી. સરકારનું કે કાઇ સંસ્થાનું ગમે તેવું કરપીણ કૃત્ય હોય ત પણ તે સામે વિરાધ દાખવવાની આ રીત છે ? તા. ૧૫–૧૦-૫૬ વધતું જતું જંગલી પશુ આપણને કાઇ ગમે તેટલી ઈજા કરે, નુક્સાન કરે, અને આપણે ગમે તેટલા ક્રોધાવિષ્ટ થઇએ તા પણ જો આપણા ઉછેર ખરાખર હોય તે આપણા મોઢામાંથી કદિ પણ અપશબ્દ નીકળતા નથી. આ જેમ વ્યકિતગત સભ્યતાના પ્રકાર છે તેમ સામુદાયિક સભ્યતાનું પણ અમુક ધારણ હોવુ જોઇએ અને ગમે તેવા સયેગમાં અમુક ધારણ નીચે અમુક સમાજ કર્દિ નહિં જાય એવી તેની પ્રતિષ્ઠા હાવી જોઇએ. ગાંધીજીએ સામુદાયિક વિરાધ દાખવવા માટે સૌમ્ય અને અહિંસક ધારણ આપણી સામે પ્રસ્થાપિત કર્યું અને પ્રજાને ઉંચા નૈતિક સ્તર પર લઈ જવાના પ્રયત્ન કર્યાં, પણ એ તપ અને પ્રયત્ન આજે સાવ નિષ્ફળ બની રહ્યા હોય અને દ્વિગુણીત જંગલીપણા તરફ આપણે ગતિ કરી રહ્યા હાઈએ એવુ આપણે ચોતરફ્ પ્રદર્શન કરી રહ્યા છીએ. આમાંથી શું આપણે પાછા નહિ કરીએ ? આજે વિરોધ દાખવવાની અનેક રીતેામાં એક રીત ધેાળી ટોપી ઉતરાવવાની યા તે ઝુંટવી લેવાની પ્રચલિત થઇ છે. આ ખાખત નાની છે એમ છતાં એ પાછળ અસભ્યતાની પરાકાષ્ટા છે, એ આપણા લેકા કેમ સમજતા નહિ હોય ? જેમ કાઈ બ્રાહ્મણુની જનાઈ ખેચી લેવામાં આવે, કાઈ હિંદુની ચાટલી કાપી લેવામાં આવે, જે વાત તે સાવ નાની અને નજીવી છે એમ છતાં જે કાઈ આવા આક્રમણને ભાગ અને છે તે આથી કેટલી યાતના અને અપમાન અનુભવે છે ? જે કાઈ ચોક્કસ ભાવનાથી ધાળી ટાપી પહેરે છે તેની સાથેનું આવુ વર્તન એટલુ જ જંગલી લેખાવુ જોઇએ. ધાળી ટોપી ઉપર આક્રમણુ કરીને ગાંધીજીનુ, અહિંસાનું, કૉંગ્રેસનુ એ ત્રણેનું આપણે અક્ષમ્ય અપમાન કરીએ છીએ-આ સીધી સાદી વાત ઝનુને ચઢેલા આપણા વિદ્યાર્થીઓ અને અન્ય લેાકેા કેમ સમજતા નથી ? ઉપર જણાવ્યું તેમ કાઇ પણ રાજકારણી અનિષ્ટ કે અન્યાય સામે વિરોધ અને પૂરતા વિરોધ દાખવવાને આપણુ સર્વને સાએ સા ટકા અધિકાર છે એ સ્વીકારીને પણ અત્યન્ત ભારપૂર્વક કહેવાનુ પ્રાપ્ત થાય છે કે આપણા જાહેર જીવનમાં જે અસહિષ્ણુતા વધતી ચાલી છે, સંસ્કારિતા તે બાજુએ રહી પણ સભ્યતાને કારે મુકીને યથેચ્છ વર્તવાની વૃત્તિ ફેલાતી જાય છે અને ઉગ્ર વિરાધ કરવા એટલે અને તેટલા જંગલી બનવુ આવી સમજણ ચોતરફ કેળવાતી જાય છે તે આપણા સામુદાયિક જીવન માટે મેટામાં મેટું ભયસ્થાન છે. આ બાબતની ઉત્કટતા આપણે ખરેાબર સમજી લઇએ અને પ્રજાને આવી રીતભાત અને પદ્ધતિથી પાછી વાળવા માટે આપણી સર્વ શકિત ખરચીએ. આપણા પરાપૂર્વના ઈતિહાસ અને સંસ્કારવારસો જોતાં આપણને અભિમાન હોવુ જોઇએ અથવા તો આપણા એ મનારથ હાવા જોઇએ કે જેવી રીતે ખીજી પ્રજાએએ આઝાદી હિંસાથી હાંસલ કરી તો આપણે અહિંસાથી આઝાદી હાંસલ કરી છે એવા આપણે દાવા કરી શકીએ છીએ તેવી જ રીતે આપણે ત્યાં લોકશાહી આવી છે તેને આપણે આપણી સંસ્કૃતિને અનુરૂપ રંગ આપીશું' અને આપણે ત્યાં સામુદાયિક વિરોધની પણ રીતરસમ ગાંધીચીંધ્યા માર્ગે અને ખી જ હાવાની, તેમાં નહિ હોય કાઈ ઉપર આક્રમણ કે નહિ હાય કાઇ પ્રત્યે અસભ્યતાભર્યો વર્તાવ. એ હશે સદા સૌમ્ય અને અહિંસક. એ પાતા ઉપર દુ:ખ નેતરીને અન્ય ઉપર થતા અન્યાયોને મીટાવશે, એ સાચા અર્થમાં સત્યાગ્રહ રજુ કરીને પ્રજા સમસ્તનુ' ઉીંકરણ કરશે. એ રીતના વિરોધ ગમે તેટલો વ્યાપક અને વિસ્તૃત હશે તેા પણ તે ચાલતા હશે તે દરમિયાન સૌ કાઇના જાનમાલ અને સ્વત્વ સુરક્ષિત હશે. સામુદાયિક વિરાધની આવી ઉદ્દાત્ત પ્રથાની દેશભરમાં સ્થાપના પ્રતિષ્ટા કરીને આપણે ગાંધીજીના વારસાને શેશભાવીએ, ભારતની ઉ૮વળ છતાં કાળજરિત સભ્યતાને નવી ચેતના' નવું રૂપ, નવાં મૂલ્યેા વડે ઉજવળતર બનાવીએ. પાનદ
SR No.525941
Book TitlePrabuddha Jivan 1956 Year 17 Ank 17 to 24 and Year 18 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1956
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy