SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૧૧-૫૬ નાશ નેતરશે. હાલમાં જેના હાથમાં વહીવટ છે. તેમની સાથે યુવાને સંમત ભલે ન થાય, પરંતુ તેમના મેટેરાંઓ પોતાના નિણૅય વિરુદ્ધ ચાલે એમ વિદ્યાર્થી ન ચ્છિી શકે. યુવકાને ગંભીર રીતે જેની સામે મતભેદ હૈાય તેવાના હાથમાંથી નેતૃત્વ ઝૂંટવી લે તેમાં કશુ ખાટુ નથી. પરંતુ નેતાગીરીને તેમણે લીધેલા રાહની વિરુદ્ધ વર્તવાની ફરજ પાડવી એ સદંતર ખાટુ છે. પ્રબુદ્ધ જીવન ૧૪મ પ્રશ્નોની છણાવટમાં કરવા એ વ્યાજબી અને ડહાપણભર્યો માર્ગ છે. ચાલે, આપણે માની લઇએ કે તમારામાંના કેટલાક ભવિષ્યના રાજકારણમાં જોડાશે, પરંતુ મોટા ભાગના તા રાજકારણમાં જશે નહિ અને જઈ શકે પણ નહિ. તમારામાંના મોટા ભાગના તમારી રૂચિને અને પ્રસગાને અનુકૂળ ધંધામાં જોડારો. તેા પછી તમે તમારી શૈક્ષણિક સસ્થાઓમાં ગાળવાનો સમય આવી ચળવળમાં ગાળા તા તમે સફ્ળ કારકિર્દી ધ્રુવી રીતે પ્રાપ્ત કરી શકશે ? આ પૃથક્કરણથી, વિદ્યાર્થીઓનું વર્તન તાજેતરમાં જે રીતે પ્રગટ થયું છે તે રાષ્ટ્રના તંદુરસ્ત ધડતર માટે સાનુકૂળ નથી એમ માનવા હું ઘેરા યુવાને અને તેમના સહાયકોને આ પ્રશ્ન ઉપર વિચારણા કરવા હું વિન ંતિ કરું છું અને જ્યાં કાંઈ પણ ભૂલ હોય ત્યાં સુધારી લેવાની વિન ંતિ કરું છું. રાજ્ય—પુનર્રચનાના પ્રશ્ન અંગે યુવાનામાં જે અજ પે વ્યાપેલે છે તેનુ મૂળ કારણુ જોતાં યુવકેાની ચળવળ માટે આ કારણ વાજબી છે કે કેમ તેની તપાસ કરીએ. યુવાનમાનસ પ્રગતિશીલ વસ્તુની પ્રાપ્તિ માટે અજંપા અનુભવે છે તે તેજસ્વી ભાવિની નિશાની છે. પણ જ્યારે પીછેમ કરાવનારી વસ્તુ માટે યુવા અજ ંપા અનુભવે છે, ત્યારે તે હું ભય અનુભવું છું કે તે અશુભ ચિહ્ન છે. હું તમને શુ પ્રગતિશીલ છે અને શું પીછેકદમ કરાવનાર છે. તેના પર વિચાર કરવા વિસ્તૃત કરૂં છું. ન્યાત, જાત, ભાષા અને ધર્મના નામે ઊભી થતી બધી રૂકાવટાથી પર એવા ભારતને રાષ્ટ્રની દૃષ્ટિએ નિહાળતા બધા જ વિચારો અને આદર્શો પ્રગતિશીલ છે. બીજી બાજુએ સૈકા સુધી હિંદને વહેંચાયેલું રાખનારા અને ભૂતકાળમાં તેનુ પતન કરાવ નારી પરિસ્થિતિને પોષનાર વિચારો અને આદર્શ પીછેકદમ કરાવનારા છે. આવા પીછેકદમ કરાવનારા વિચારો અને આદર્શો પર યુવાન માનસ આજે અજંપે અનુભવે છે તે દુઃખની વાત છે. યુવા વિધાતક પ્રવૃત્તિઓને બન્ને એકતા સ્થાપવાના મુદ્દા પર ચળવળ ચલાવે તે તે સુખદ ચિહ્ન છે. આ અસ્વસ્થતા પ્રગતિશીલ વિચારા અને આદર્શોં માટે કહેવાય. કમનસીબે આજે ઊલટુ' થઇ રહ્યું છે અને સમયસર આ ન સુધરે તેા તે ખરાબ ભાવિની આગાહી આપે છે. આવા અજંપાથી અમદાવાદ અને ખીજી જગ્યાના વિધાર્થીઓને ધણુ સહન કરવું પડે છે. હાલ જે હું સુખદ સ્થિતિમાં છું ત્યાંથી મને તમને બદનામ કરવાના હક્ક નથી, બલ્કે મને તમારા પ્રત્યે સહાનુભૂતિ છે. જો કે તમને અવળે માર્ગે ચડાવવામાં આવ્યા છે એવું મને લાગે છે, છતાં તમારા માટે મારી પ્રસંશા જ છે. જેમણે આ ચળ વળમાં જિંદગી ગુમાવી છે તેમને હું મારી અંજલિ અર્પણ કરું છું અને તેમના વાલીઓ અને માબાપ પ્રત્યે મારી સહૃદયી હમદર્દી છે. કઢંગી પરિસ્થિતિ કે જેમાં કેટલાક યુવાનોએ કીમતી જિંદગી ગુમાવી છે તેનાથી કોઈ સુખી નથી. મને તેનું ધણું દુ:ખ છે. તે કાઇ પ્રગતિશીલ આદર્શોની પ્રાપ્તિ માટે આ ભાગ અને દુઃખ સહન કરવામાં આવ્યાં હોત તો કેવુ સારુ હેત ? હું જાણું છું કે તમારામાંના મોટા ભાગના હાલના માનસને લીધે પ્રશ્નની આ બાજુ પર તમે શાંત ચિ-તે વિચાર નહિ કરી શકા. તમને તમારી લાગણી ધવાઈ હોય એમ લાગે છે. મુધ્ધિથી લાગણીનું નિયમન કરવું જોઇએ, નહિં તો જિંદગી સુકાની વગરના વહાણ જેવી બની જશે, તમે મારી સાથે સહમત નહિ થાઓ, પરંતુ હું તમને શાંતિપૂર્વક આ પ્રશ્નની વિચારણા કરવા વિનતિ કરૂં છું. તમારી પોતાની અંગત દૃષ્ટિએ તમારી પોતાની વર્તણૂકના ખીજા પ્રશ્નને વિચાર કરવા હું એકવાર ફરીથી તમને જણાવીશ. મને ખાતરી છે કે તમે જિંદગીભર વિદ્યાર્થી રહેવાના નથી એ તમા સમજો છે. શૈક્ષણિક સંસ્થાઓમાં તમારી કારકિર્દી પૂરી કર્યા બાદ વાસ્તવિક જીવનમાં તમારે આવવાનું છે, હું તમને એ સમજવાના અનુરોધ કરુ' છુ કે તમારામાંના દરેક જણ કઇંક ને કઈંક કામ માટે નિયત થયેલ જ છે. તમે બધા ગાડીના પ્રવાસીઓ જેવા છે. જીવનગાડી ચાલતાં જ્યાં તમારૂં સ્થળ આવશે ત્યાં દરેક જણ ઊતરી પડવાના છે. હું તમને પૂછું છું કે થાડા સમય માટે ગાડીના પ્રવાસીઆની જેમ સાથે છે. તેને ઉપયાગ દીર્ધકાળના મહત્વવાળા રાષ્ટ્રીય al જેમ ચાલુ ગાડીમાં બેઠેલા બધા ઉતારૂઓ રેલ્વેની નીતિ અંગે ફેરફાર કરી શકે નહિ તેમ વિધાર્થીએએ દેખાવાથી રાષ્ટ્રની નીતિમાં ફેરફાર કરવાની શકયતના વિચાર ન કરવા જોઇએ. ઉલટુ આથી તેમને પોતાને અને રાષ્ટ્રના પ્રશ્નને તે નુકશાન પહોંચાડશે. જે લાંકા જીવનમાં સ્થિર થયા છે. તે બહાદૂરીપૂર્વક સરકારની નીતિનો વિરાધ કરી ચળવળ કરી તેમાં તેમને ખેાટું લાગે તે સુધારે કરાવી શકે છે. યુવાનાને અનુરૂપ એવા ઉત્સાહથી પ્રેરાઇને વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય નીતિ વિરુદ્ધ કે તરફેણુમાં મતા પ્રદર્શિત કરે, પરંતુ જીવનમાં સ્થિર થયેલા માણસો પાછળ રહી વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય નીતિની તરફે કે વિરુદ્ધમાં નિશ્ચયી ચળવળ ચલાવવા પ્રેત્સાહન આપે એ ભારે નુકશાનકારક છે. આ વસ્તુ ગંભીર વિચારણા એકલા વિદ્યાર્થીઓની નહિ પણ તેમના વાલીઓ અને ખીજાની પણ માગી લે છે કે જેમને પ્રજાની કાળજી છે. હું વિનંતીપૂર્વક સિક્ષકાને કહીશ કે પરિસ્થિતિના તે ખૂબ કાળજીપૂર્વક અભ્યાસ કરે અને આજે યુવાનની વણુક હિંદમાં જે રીતે પ્રગટ થઈ રહી છે. તે જુએ. હું આ બધું કહેવાની હિંમત કરૂ છું. કારણ આજના યુવાનેા અમારા કરતાં વધુ સફળતા પ્રાપ્ત કરે અને હાલના નેતાઓ કરતાં વધુ લાયક નેતાએ થાય એમ હું અન્તરથી ઇચ્છુ છું. દુન્યવી સફળતા પ્રાપ્ત કરવા માટે એક પ્રાચીન રૂઢિએ આપેલી સલાહ રજુ કરી હું મારું પ્રવચન પુરુ કરીશ. अवस्थानुगता चैष्टा, समयानुगता क्रिया । तस्मादवस्थां समयं वीक्ष्य कर्म समाचरेत् ॥ ભાવાર્થ :–ચેષ્ટા માત્ર અવસ્થા અનુસાર થાય છે; ક્રિયા માત્ર સમય અનુસાર થાય છે. માટે વિવેકી પુરૂષ અવસ્થા અને સમયને ખરાખર જોઈ તપાસીને કમ કરે—પ્રવૃત્તિ કરે. તમારા પ્રયત્ના પ્રસગાને અનુકૂળ હોવા જોઇએ અને તમારાં કાર્યો સમયને સાનુકૂળ હાવાં જોઇએ. સમય અને પ્રસંગાને જોઈ વર્તો. આ સલાહ મુજબ વર્તો અને તમે જીવનમાં સફળ નીવડશે, તમે બધા ભાવિ જીવનમાં સફળતા પ્રાપ્ત કરો અને ભારતના ગૌરવશીલ નાગરિક અનેા એવી મારી પ્રાર્થના છે. મૂળ અંગ્રેજી: ડા. હરેકૃષ્ણ મહેતામ આગળના નિવેદ્દન અંગે શ્રી મોરારજીભાઇએ કરેલી વિશેષ સ્પષ્ટતા તા. ૧૫-૧૦-૫ ના પ્રબુધ્ધ જીવનમાં એક કમનસીબ ગેરસમજુતીનુ નિવારણુ’ એ મથાળા નીચે અમુક સવાલના જવાબમાં શ્રી મેોરારજીભાઇએ એક અગત્યનુ નિવેદન કર્યું હતું. યાર બાદ મુંબઈ પ્રદેશના પક્ષનેતાની ચૂટણી બાદ અને મુંબઇના મુખ્ય સચિવપદેથી નિવૃત્ત થવા પહેલાં જન્મભૂમિના તંત્રી શ્રી સોપાને શ્રી મેરારજીભાઈ સાથેની એક મુલાકાત દરમિયાન પ્રશ્ન કરેલા કે “મુંબઇનુ રાજ્ય જો સળ નહિ થાય તે તેમાં અમુક પ્રકારે પરિવર્તન થવાનુ સૂચન આપના નામે પ્રગટ થયું છે તે સંબંધમાં આપ વિશેષ સ્પષ્ટતા કરો ખરા ?” તેના ઉત્તર આપતાં શ્રી મારારજીભાઇએ જણાવ્યું હતું, કે એવી સ્પષ્ટતા જરૂરી છે. મુંબઈનું નવુ રાજ્ય જો મહારાષ્ટ્ર બાજુના દોષથી નિષ્ફળ જાય તો મુંબઈ, ગુજરાત અને મહારાી ત્રણ એકમની યોજના અમલી અનાવવી અને ગુજરાતના વાંકે નિષ્ફળ જાય તે મુબઈ શહેરને મહારાષ્ટ્રમાં સામેલ કરવું એવું સૂચન મે દીલ્હી કર્યું હતુ અને તેની નોંધ પણ લેવાઇ છે. પરંતુ આ કાંઈ સરત નથી કે કરાર નથી. જે નેતાઓ સમક્ષ આ વિચારો મેં જાહેર કર્યાં તેમણે કાઈ કબુલાત આપી છે એવા અર્થ એમાંથી ન નીકળવે જોઈએ. મારા મત પ્રમાણે નવા રાજ્યમાં સૌને સાથે જોડી રાખવા માટે આવા ખ્યાલ ઉપયોગી છે ને મારા મન ઉપર એવી છાપ છે કે ખીજા દેશનેતાઓને પણ આ સૂચન ગમ્યું છે. આથી વિશેષ અર્થ આ તેધને ન થવા જોઇએ. નવા રચાનારા દરેક ધટકને એમ લાગવું જોઇએ કે તે યોગ્ય રીતે નહિ વર્તે તે તેને જ તેથી નુકસાન થશે. ખીજી બાજુ મેગ્ય રીતે વર્તનારને કશા ડર ન રહેવા જોઈએ.”
SR No.525941
Book TitlePrabuddha Jivan 1956 Year 17 Ank 17 to 24 and Year 18 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1956
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy