SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૧-૫૬ દેવદેવીઓની અમે પૂજા કરતા નથી–આમ છાતી કાઢીને કહેવાની સ્થિતિમાં નથી. આજનો જૈન ધર્મ કે નથી આજના જૈન સમાજ. આવી નિસ્તેજ છે આજના જૈન ધર્મની વાસ્તવિક પરિસ્થિતિ, અને એ જ પ્રમાણે અભાવ છે કાઈ પણ ધર્મ બુલેલાને ખેલાવે, અપનાવે, જૈન ધર્મ તરફ વાળે એવા પ્રતિભાસંપન્ન તેજસ્વી, સમયન રધર ધર્માચાય ની. ઘર આંગણાના જૈન ધર્મનું શરણુ છેાડીને પરદેશમાં પ્રતિષ્ટિત થયેલા યુદ્ધ ધર્મનું ડૉ. આંબેડકરને શરણુ શોધવું પડે એ આજના જૈન ધર્મના ગુરૂઓને અને જૈન સમાજના સૂત્રધારોને શરમાવે તેવી ઊંડા વિચાર કરતા કરી મૂકે એવી-દુ:સ્થિતિ છે, એમાં કોઇ શક નથી. વર્ષા અને વની વિદાય વેળાએ જે અનુભવ મનમાં ધેાળાયા કરતા હોય અને પ્રબુદ્ધ જીવનના વાંચકાને અનુલક્ષીને શબ્દમૂર્ત થવા મથતો હોય તે જ અનુભવનું લગભગ યથાર્થ આલેખન એકાએક કાઈ અન્યના લખાણમાં જોવા મળે ત્યારે તે વિષે સ્વતઃ લખવાની વૃત્તિ શમી જાય છે અથવા તે આળસ આવે છે અને અન્યનું એ લખાણ ઉષ્કૃત કરવાની લાલચ થઈ આવે છે. આવી જ કાઈ આળસ અને લાલચથી પ્રેરાઇને તા. ૨૧-૧૦-૫૬ ના ‘ જન્મભૂમિપ્રવાસી'માં પ્રગટ થયેલ અગ્રલેખ અહિં ધૃત કરતાં હું આનંદ અનુભવું છું. આ વખતની ભવ્ય તથા ભીષણ તેમ જ નિયત કાળમર્યાદાને વટાવી ગયેલી વર્ષાના હજી ગઈ કાલે જ અસ્ત થયા છે, શરઋતુ આવી ન આવી એ જાણી નહિ અને દીવાળી આવીને ઉભી રહી છે અને વિક્રમ સંવત ૨૦૧૨ નું વર્ષ વર્ષા સાથે વિદાય માંગી રહેલ છે. આ શુભ વિદાય નીચેના લેખમાં સુન્દર રીતે વ્યક્ત કરવામાં આવી છે. આપણી સાંભરણુમાં સૌથી વધુ કાંટાબાજ વર્ષાઋતુના અંત આવ્યો છે ત્યારે મધવા માટે વિદાયના બે શબ્દો કહીએ તે યાગ્ય છે. મહાસાગર ઉપરથી વાયુની પાંખે એસીને ભરત ખણ્ડ ઉપર મેધરાજાએ કરેલી ચડાઈમાં તેની સેનાએ સર્જન કરતાં વિનાશ વધુ કર્યાં છે. તેણે કરોડો રૂપિયાની કિંમતના પાકના નાશ કર્યાં છે, લાખા વીધાં જમીન ધોઈ નાંખી છે, હજાર ચેારસ માઈલ જમીન પર વિનાશક પૂરનાં પાણી ફરી વળ્યાં છે. હજારો મકાને તૂટી પડ્યાં છે, દિલ્હી અને કલકત્તા જેવાં શહેરાની અંદર પૂરનાં પાણી ઘૂસી ગયાં છે અને અજ્ઞાત સખ્યામાં માણસા અને પશુઓ તણાઈ ગયાં છે. વાયવ્યની વર્ષાઋતુના સત્તાવાર અંત આવ્યો છે, છતાં ચડાઈ કરીને. વિજય મેળવીને પાછી કરેલી સેનાની પાછળ રહેલી છૂટીછવાઈ ટુકડીએ લૂંટફાટ કર્યાં કરે તેમ હજી કાઈ કાઈ ઠેકાણે ગાજવીજ સાથે ઇંદ્રના સૈનિકા હુમલા કરે છે. સુએઝ, રાજ્યપુનર્રચના, પાકિસ્તાન, લેસ, ઇડન, ક્રુશ્ચેવ વગેરે વિષયા અને વ્યક્તિઓએ આપણને એવા તગ કરી મૂકયા છે કે, આપણા પગ નીચે કેટલું પાણી આવ્યું એ પણ આપણે ભૂલી જઇએ છીએ ! પ્રકૃતિએ આ વર્ષે કેવી વિચિત્રતા ધારણ કરી અને કેવા રૌદ્રસ્વરૂપે તાંડવ કર્યું. એ યાદ કરીએ તે તેની કાંટાબાજી પ્રત્યે આપણે આશ્ચર્ય ચકિત થઈ જંજીએ. ચેમાસુ કન્યાકુમારીથી શરૂ થઈ હિમાલય તરફ ફેલાવું જોઇએ તેને ખલે આ વર્ષે હિમાલયમાં તેની શરૂઆત થઇ, મલબારથી મુંબઇ ને ગુજરાતમાં જવું જોઇએ તેને બદલે ગુજરાત અને મુંબઇમાં તેણે પહેલા દેખાવ દીધા અને તે પણ મુંબઇમાં જૂનની અધવચને બદલે મે માસની અધવચમાં! જૂન ખેડે ત્યારે સાંતાક્રૂઝમાં ૪.૩૦ ઈંચ પાણી તો પડી જ ચૂકયું હતું. નાળિયેરી પૂર્ણિમા સાધારણ રીતે વર્ષાઋતુના અંત સૂચવે છે. જ્યારે દેશી વહાણા સમુદ્રપૂજન કરી, તેને નાળિયેર ચડાવીને હંકારી નીકળે છે. પરંતુ આ વર્ષે તેણે વિજયા દસમીની મીઠાઈ ખાઈને જ વિજય પ્રસ્થાન કર્યું. વર્ષાઋતુને હવે સત્તાવાર અત આવ્યે હાવા છતાં તેની છૂટીછવાઇ ટુકડીઓ હજી દિવાળીના ફટાકડા ફોડીને—ગાજવીજ કરીને જશે ! આ વર્ષે મુંબઈમાં કાલાખા ખાતે ૧૦૦ ઇંચ વરસાદ પડયે જે સરેરાશ કરતાં ૩૦ ઇંચ વધુ છે અને સાન્તાક્રુઝ ખાતે ૧૧૬ ઇંચ વરસાદ પડયો, જે ૪૭ ઇંચ વધુ છે. ક્ષેત્રફળ લાક સખ્યા (ચોરસ માઇલમાં) (લાખની સંખ્યામાં) ૧૧૦,૨૫૦ ૩૨૨ ८० પ્રદેશ આન્ધ્ર પ્રદેશ આસામ બિહાર ૮૪,૯૨૪ ૬૭,૮૩૦ પ્રબુદ્ધ જીવન મુંબઇ ૧૮૮,૨૪૦ જમ્મુ અને કાશ્મીર ૯૨,૭૮૦ કલ ૧૪,૯૮૦ ૩૮૯,૩ ४७८ ૪૪ ૧૩૬ પ્રદેશ મધ્ય પ્રદેશ મદ્રાસ માસાર ઓરીસ્સા પંજાબ રાજસ્થાન ૧૩૭ મહાગુજરાતના આંકડા પશુ મેઘરાજાની કાંટાબાજી પર પ્રકાશ ફેંકે છે. આબુમાં ૯૪ ઈંચ (૩૪ ઇંચ વધુ), અમદાવાદમાં ૪૭ ઈંચ (૧૯ ઇંચ વધુ), વડાદરામાં ૪૯ ઇંચ (૧૪ ઇંચ વધુ), રાજકોટમાં ૪૯ ઇંચ (૨૬ ઇંચ વધુ) અને ભૂજમાં ૧૯ ઈંચ (છ ઈંચ વધુ ), અને છેલ્લે જતાં જતાં પણ ઓકટોબરમાં ભાવનગરમાં પાણા આઠ ઇંચ વરસાદ પડે એ આ વષઁની વર્ષાંઋતુની વધુ વિચિત્રતા છે. અન્યત્ર ભારતમાં વરસાદની ઊણપ ભાગ્યે જ કયાંય છે. સર્વત્ર અતિવૃષ્ટિ જ છે. ઉત્તર ભારત અને આસામમાં પૂરના સમાચાર એામાસામાં ચમકે છે તેને બદલે આ વર્ષે ઉનાળામાં કાશી અને બ્રહ્મપુત્રાનાં પ્રલયપૂર સમાચારોનાં મથાળાં કબજે કરી રહ્યાં હતાં, ચોમાસામાં ગામતી, ગંડકી અને બીજી હજાર નાનીમોટી નદીએ મસ્ત બનીને ધૂંધવતી રહી હતી, અને છેલ્લે જાણે ગંગા-યમુના રહી ગઇ હાય તેમ તેઓ શરદ ઋતુમાં કલકત્તા અને દિલ્હીને ગળી જવાની ચેષ્ટા કરવા લાગી ! ભારતના પાટનગર પર યમુનાએ કરેલી ચડાઈ અર્વાચીન ઇતિહાસમાં અજોડ છે. જે ભયજનક સપાટ્ટીને તે એળંગી ગઇ એ સપાટીને તે તેણે નિર્ભય સપાટી ગણાવી દીધી ! વર્ષાઋતુએ દરેક મેરચા ઉપર પોતાની વિચિત્રતા બતાવી છે. કાશ્મીરમાં ડિસેમ્બરમાં હિમવર્ષા થાય તેને બદલે સપ્ટેમ્બરમાં બરક્ પડયા ! એકટાબર મહિના સુધી તો બદરીનાથની યાત્રાની ઋતુ છે. તેને બદલે કટાબરમાં હિમવર્ષામાં શ્રી જયપ્રકાશ નારાયણ સહિત અનેક યાત્રી સાઈ પડયા, અને જે હિમપ્રપાત ડિસેમ્બરથી માર્ચની વચ્ચે પડે છે તે એકટાબરમાં પડયા અને કેટલાય ભાટિયા લૉકા માર્યા ગયા ! શરદના વાયુ પર સવાર થઈને યૂરોપ અને ઉત્તર એશિયાથી આવતાં શિયાળુ પંખીડાં આ વખતે આપણા દેશમાં આવ્યાં ત્યારે મેધરાજ હજી અહીં તાણ્ડવ નૃત્ય કરતા હતા ! આપણે અનેક કાયડા ઉકેલવાના છે તેમાં આ વર્ષે એક વધુ મુશ્કેલ કોયડાનો ઉમેરો થયા છે. પરંતુ પડિત નહેરુએ કહ્યુ છે તેમ કાયડા જીવંત માણસા માટે જ છે, મરેલા માણુસ માટે નથી. આપણે જીવતી, ઝંખતી, ઝઝૂમતી અનેક મુશ્કેલીને જીતી લેવા તેમની સાથે બાથ ભીડતી બહાદુર પ્રજા છીએ. એટલે આપણે આવા કાષ્ટ કાયડાથી, કોઈ આફતથી ડરતા નથી. અતિવૃષ્ટિ અને પૂર નિર્ભેળ શાપ નથી. તેમાં આશીર્વાદ પણ છુપાયેલા હાય છે. ખરું કહીએ તો સિંધુથી માંડીને ગંગા, યમુના અને બ્રહ્મપુત્રાના નઃપ્રદેશની સમૃદ્ધિ વિનાશક પૂર ઉપર જ નિર્ભર છે. પ્રલયપુર જેવાં લાગતાં પાણી હજારા ચોરસ માઇલના વિસ્તારામાં કરી વળે છે અને પુનર્જીવન આપે એવા ફળદ્રુપ કાંપ લાવીને પાથરી દે છે. એમ જણાય છે કે છેલ્લાં પાંચ સાત વર્ષથી વધુ ને વધુ પૂર આવતાં રહ્યાં છે. ભારતમાં નાની મેોટી બધી તાકાની નદીઓ નથાઇ જાય એ આપણું સ્વપ્ન છે. એ સિદ્ધ થતાં દાયકાઓ લાગશે. જ્યારે એ સ્વપ્ન સિદ્ધ થશે ત્યારે નદી વિનાશ નહિ કરી શકે, નવસર્જન જ કરી શકશે. જ્યારે “આંસુની સરિતા” તરીકે ઓળખાતી કાશી જેવી મહાવિનાશક અને તફાની નદીઓને વિનમ્ર બનાવી માનવીની સેવામાં નાથી લેવામાં આવશે ત્યારે શાકનાં આંસુ હર્ષમાં ફેરવાઇ જશે. પરંતુ એ દિવસ દૂર છે, એને નજીક લાવવા અને સિદ્ધ કરવા આપણે કમર કસીને કામ કરવાનુ છે. ચેમાસાં આવે છે અને જાય છે, પૂર ફેલાય છે અને આસરે છે, મેધરાજાની સવારી આવે છે તે જાય છે. આપણે પ્રકૃતિના સૌંદર્યથી આનંદ અનુભવીએ છીએ તેમ તેના રૌદ્ર, સૌદર્યથી પણ આશ્ચર્ય મુગ્ધ બનીને આપણી પંચવર્ષીય યાજનાઓની મજલ કાપતા જઈશું. વિદાય લેતા મેધરાજાને આપણા વિદ્યાયસ દેશ એ જ છે કે મુસીખતા જીવંત માણસેા માટે છે, અને અમે જીવ ંત, ધ્યેયલક્ષી અને મહત્ત્વકાંક્ષી પ્રજા છીએ. આપણે આતના સામને પણ કરી શકીએ છીએ અને ઉત્સવનો આનંદ પણ માણી શકીએ છીએ. આવી ખેલદિલી અને ખુશદિલીથી આપણે વર્ષોના અને વર્ષના અંતના ઉત્વ ઊજવીએ છીએ. પાનદ ( ૧૩૮ પાનાથી ચાલુ ) ક્ષેત્રફળ લેાક સખ્યા (ચોરસ માઇલમાં) (લાખની સંખ્યામાં) ૧૭૧,૨૦૦ ૨૬૧ ૩૦૦ ૫૦,૧૭૦ ૧૨,૭૩૦ ૧૯૦ '૬૦,૧૪૦ ૧૪૬ ૪૬,૬૧૬ ૧૬૦ ૧૩૨,૩૦૦ : ૩ ૧૬૦ ક્ષેત્રફળ લેક સખ્યા (ચારસ માઇલમાં) (લાખની સખ્યામાં) ૧૧૩,૪૧૦ ૬૩૨ ૩૩,૨૭૮ ૨૬૧,૬ ભારતની આ નવરચનાના નકશા પાછળ આપ્યા છે અને તેની અંદર કયા પ્રદેશમાંશેના ઉત્પાદનની વિશેષ શકયતા હશે એ દર્શાવવામાં આવેલ છે. પ્રદેશ ઉત્તર પ્રદેશ પૂર્વ બંગાળા
SR No.525941
Book TitlePrabuddha Jivan 1956 Year 17 Ank 17 to 24 and Year 18 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1956
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy