________________
પ્રબુદ્ધ જીવન
૧૩૬
નદીએ વિલીન થાય છે અને પેાતાનુ વ્યકિતત્વ અને અલગપણુ વિસર્જિત કરે છે. બૌધ્ધ ધર્મ પ્રદેશ અને કાળની અસરાથી મુક્ત રહી શકયા છે અને તેથી તે આજ સુધી ટકી રહ્યો છે અને તેથી જ દુનિયાના કાઇ પણ દેશમાં તેના પ્રચારને પૂરો અવકાશ રહ્યો છે.”
હિંદની આધુનિક અનેક વિભૂતિમાં ડૉ. ખેડકર એક વિચિત્ર વિભૂતિ છે. તે ભારે શક્તિશાળી છે અને આખું જીવન પાતાના અસ્પૃશ્ય લેખાતા સમુદાયને ભોગવવા પડતા અન્યાય અને અત્યાચારો સામે ઝુઝવામાં તેમણે ગાળ્યુ' છે, પણ તેમના કિાણુ હંમેશા વિચિત્ર અને વક્ર રહ્યો છે. આજના યુગમાં અસ્પૃસ્યાના ઉદ્ધારક તરીકે ગાંધીજીનુ સ્થાન અને કાર્યં અજોડ અને અનન્ય લેખાયેલ છે. આમ છતાં આ આંબેડકરે ગાંધીજીને કદિ પણ અસ્પૃસ્યાના મિત્ર અને ઉદ્ધારક તરીકે સ્વીકાર્યો નથી. ઉલટુ તેમને અસ્પૃશ્યાના શત્રુ તરીકે તેમણે વર્ણવ્યા અને આલેખ્યા છે. આ ખાળતમાં હિંદની અન્ય આગેવાન વ્યકિત કાયદે આઝમ ઝીણા અને અખેડકરમાં ભારે સામ્ય હતું.
આવી જ રીતે હિંદુ ધર્મને તેમણે હંમેશા વક્ર દૃષ્ટિકાથી જ નિહાળ્યા છે. અલબત્ત હિંદુધર્મ અક્ષ્યતા અને જાતપાતના ભેદથી દૂષિત છે, એમ છતાં પણ એ ત્રુટિઓથી મુક્ત થઇ શકે એવું હિંદુ ધર્મનું ઉદ્દાત્ત તત્ત્વજ્ઞાન છે. હિંદુ ધર્મ વિષે તેમણે અનુભવેલી નિરાશા કેટલી પાયા વિનાની છે એ તે છેલ્લાં દશ વર્ષમાં આપણે અસ્પૃશ્યતા નાબુદીમાં કેટલી મોટી સફળતા મેળવી છે તે ઉપરથી કોઇને પણુ ખ્યાલ આવી શકે તેમ છે,
યા
ખીજું જેને ડૉ. આંબેડકર હિંદુ ધર્મ તરીકે ઓળખે છે ઓળખાવે છે તે તા વૈદિક અથવા તા બ્રાહ્મણધર્મ છે, ખીચ્છ ખે મહત્વની શાખાએ જૈન ધમ તથા બૌદ્ધ ધર્મ છે. આ ઉપરાંત હિંદુ ધર્મની ખીજી પણ કેટલીક શાખા પ્રશાખાઓ છે જે અસ્પૃશ્યતાને અને નાતજાતના ભેદ્દાને ખીલકુલ સ્વીકારતી નથી. પ્રસ્તુત ધર્મ પરિવર્તન દ્વારા તેમણે હિંદુ ધર્મના નહિ પણ વૈદિક ધર્મનો ત્યાગ કર્યો છે.
આ બધું છતાં પણ તેમણે કરેલા બૌદ્ધ ધર્મના સ્વીકારને આપણે જરૂર આવકારીએ. અત્યાર સુધી તે વસ્તુતઃ ધવિમુખ હતા; હિંદુ ધર્મોના દ્વેષ અને તિરસ્કાર એ જ તેમની સર્વ પ્રવૃત્તિઓના પ્રેરક હેતુ હતા. એક વાર તે મુસલમાન ધર્મ સ્વીકારવાની તૈયારીમાં હતાં. આમ તેઓ ધર્મની બાબતમાં આમથી તેમ અથડાતા હતા, પદ્માતા હતા. આજે તેમણે એક ચોક્કસ ધર્મને અને વસ્તુતઃ હિંદુ ધર્મ રૂપ વટવૃક્ષની એક વડવાઇના સ્વીકાર કર્યાં છે. અને એ ધર્મને ચુસ્તપણે અનુસરવાની પ્રતિજ્ઞા લીધી છે. આનુ પરિણામ તેમના માનસિક પરિવર્તનમાં અને જીવનના કિરણમાં આવે તે એથી આપણને જરૂર જરૂર આનંદ થાય.
તા. ૧-૧૧-૨૬
કાઇને હક્ક નથી. પણ એ એક કરૂણાજનક કમનસીબી છે કે નવા ધર્મ સ્વીકાર કરવાના આ મંગળ અવસર પણ તેમના દિલમાં ભરેલી કટુતાને હળવી કરવામાં અસમર્થ નીવડયો છે અને આવા ધર્મપરિવર્તનના ગંભીર પ્રસ ંગના હિંદુ ધર્મ ઉપર અણુધટતા પ્રહાર કરવા માટે ઉપયોગ કરતાં તેઓ અચકાયા નથી.
“ મુધ્ધધર્મમાં નાતજાતના ભેદભાવ નથી અને હિંદુ ધર્મ અસ્પૃશ્યતાનું કલંક તદ્દન નાબુદ કરવાની દિશાએ હજુ ઘણું કરવાનુ રહે છે એ તદ્દન સાચુ છે, તે પણ હિંદુ ધર્મને ન્યાય આપવાની ખાતર પણ ડા. ખેડકરે એટલુ કબુલ કરવું જોઇતુ હતુ કે આ સુધારા કરવાની અને જ્ઞાતિવ્યવસ્થાનાં વિકૃત તત્ત્વાને નાખુદ કરવાની પ્રેરણા અને હીલચાલ છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન હિંદુમાંથી જ રવતઃ ઉભી થઈ છે. વસ્તુત: અસ્પૃશ્યતા આજે ગેરકાયદેસર બની ચુકી છે અને જે ભાવનાથી એ અસ્પૃશ્યતા પ્રતિબંધક કાયદો કરવામાં આવ્યા છે તે જ ભાવના અને ધગશપૂર્વક તેને સર્વત્ર અમલ કરાવવે– એટલુ જ કાર્ય હવે અવશેષ રહ્યુ છે.
“ બૌધ્ધધર્મ પોતે પણ હિંદુ સમાજમાંથી જ ઉભી થયેલી એક સુધારક હીલચાલ હતી. આમ છતાં બૌધ્ધ ધર્મ અને હિંદુ ધર્મ એકમેકના વિરોધી હોય એમ સામાસામા મૂકીને ડૉ. એડકર બેમાંથી એક પણ ધર્મના હિતને મદદરૂપ બન્યા નથી, ડૉ. એમ. ખી, નિયેાગી જેમણે પણ એ જ સમારભ દરમિયાન બૌધ્ધ ધર્મના અગીકાર કર્યાં હતા તેમણે તરત જ ધ્યાન ખેંચ્યું હતુ. તે મુજબ હિંદુ ધર્મના તિરસ્કારને મૂળ બૌધ્ધ ક્રિયાકાંડમાં કાઈ સ્થાન છે જ નહિ. ’
પણ આ પરિવર્તન અને આ ઉર્વીકરણ જ્યાં સુધી તેમના દિલમાંથી હિંદુધર્મ પ્રત્યેની શત્રુવટના કાંટા ઉખડે નિહ અને હિંદુ પ્રત્યેના તિરસ્કારની માત્રા નાબુદ થાય નહિ ત્યાં સુધી શકય નથી. તેમની ખાખતમાં આવી સમસ્થિતિ દુઃસાધ્ય છે, કારણ કે તેમની પ્રકૃતિનું પ્રેરક બળ હ ંમેશા ઊઁષ અને મત્સર રહ્યું છે. માત્ર યુદ્ધ ધર્મના અંચળા પહેર્યું અથવા ત્રિકટિશરણને જાપ કરવાથી સાચા મુહુધમી થવાતું નથી. આપણી આ આશંકા ખોટી પડે અને પોતે પોતાને દ્વિજ થયેલા જાહેર કરે છે તે મુજબ ડા. આંબેડકરમાં આપણે સાચા જિવના આવિષ્કાર થયેલે નિહાળવા ભાગ્યશાળી થઈએ એમ આપણે અન્તરથી ઇચ્છીએ તેમ જ પ્રાર્થીએ !
ઉપરની લાયનાને, એ જ વિષય ઉપર તા. ૧૬—૧૦—૫૬ ના ટાઇમ્સ ઓફ ઇન્ડીઆમાં પ્રગટ થયેલી તંત્રીનોંધમાં સવિશેષ સમર્થન મળે છે. તે તેધમાં જણાવવામાં આવ્યું છે કે
ડૉ. બી. આર્. અભેડકર અને તેમના અનુયાયીઓને નવા ધર્મના સ્વીકારથી નવું બળ અને આશ્વાસન મળતુ હાય તા તે સામે કાઇને પણ વાંધા હાઇ ન શકે. આ તેમની અંગત પસંદગીના વિષય છે અને જે વિચાર. શ્રેણીથી તે તે તરફ્ ખેંચાયા હૈાય તેને શંકાની નજરથી જોવાન
“ડૉ. આંબેડકરના ધ્યાનમાં એ પણ હાવું જ જોઇએ કે નાતજાતના ભેદ્યને હિંદુ સમાજમાં ધાર્મિક પૂર્વગ્રહના કારણે બળ અને સ્વીકૃતિ મળેલ હશે, એમ છતાં પણ આ પ્રથા ટકી રહી છે તેનુ ખરૂં કારણ શીડયુલ્ડ કાસ્ટ્સ-પછાત વર્ગો-ના આર્થિક તેમ જ સામાજિક પછાતપણામાં રહેલુ છે. હરિજનને વ્યવહારૂ જીવનમાં આગળ આવવાની પુરી તક મળે એવા સામાજિક અને આર્થિક પગલાં જ આખરે તેમની સ્થિતિ સુધારી શકશે અને અસ્પૃશ્યતાને નાખુદ કરી શકશે અને નહિ · આ પ્રકારનાં સામુદાયિક ધર્મ પરિવર્તને.” ડો. આંબેડકર જૈન ધર્મ તરફ કેમ ન આકર્ષાયા ?
આજે જ્યારે ડૉ. એડકરે અને તેમના ૭૫૦૦૦ અનુયાયીઓએ બૌદ્ધ ધર્મનો સામુદાયિક અંગીકાર કર્યાંના સમાચાર છાપામાં વાંચીએ છીએ ત્યારે સહજપણે એક પ્રશ્ન થાય છે કે જેમાં અસ્પૃશ્યતાના ઇનકાર હાય, વર્ણવ્યવસ્થાના અસ્વીકાર હાય, અવતારવાદ વિષે અાન્યતા હોય, દેવદેવીઓની પૂજા વિષે અનાદર હોય એવા ધર્મની ડૉ. આંબેડકરને અપેક્ષા હતી, તે બધી અપેક્ષા હિંદુસ્તાનમાં સુપ્રચલિત જૈન ધર્મ પૂરી પાડે. તેમ હતું. એમ છતાં ડ, અખેડકર બુદ્ધ ધર્મ તરફ શા માટે આકર્ષાયા અને જૈન ધર્મ, જેના અનુયાયીએ તેને એક મહાન વિશ્વધર્મ તરીકે બિરદાવે છે તે સામે તેમણે નજર સરખી પણ કેમ ન કરી ? સાથે એ પ્રશ્ન પણ થાય છે કે એવા કાઈ જૈન આચાર્ય ક્રમ નીકળી ન આવ્યા કે જેમણે ડૉ. આંબેડકરને હાર્દિક નિમંત્રણ આપ્યું હોય અને જણાવ્યુ હાય કે “મહાનુભાવ, તમે જે શેાધે છે, જે માંગા છે તે અમારા જૈન ધમ માં છે; તમારી બધી ધાર્મિક અપેક્ષાએ અમારા જૈન ધર્મ પૂરી પાડે છે અને તમારી આધ્યાત્મિક તૃષા પણ અમારા જૈન ધમ છીપાવે તેમ છે. આવા અને ભગવાન મહાવીર પ્રરૂપિત જૈન ધર્મના અગીકાર કરો. અમે તમને બધી રીતે અપનાવીશું અને અમારે ધર્મ અને સમાજ તમારી બધી ભુખ ભાંગશે ?”’
આનું કારણ એ છે કે તાત્ત્વિક રીતે ઉપર જણુાવેલ બધી અપેક્ષા જૈન ધર્મ પુરી પાડે તેમ છે, એમ છતાં પણ આજના જૈન ધર્મનું અને સમાજનું વાસ્તવિક સ્વરૂપ તેથી લગભગ તદ્દન વિપરીત પ્રકારનું બની બેઠું છે. 'અસ્પૃશ્યતા અમને અમાન્ય છે, નાત જાતમાં અમે માનતા નથી, ઉંચ નીચના ભેદ અમે સ્વીકારતા નથી,