________________
૧૨૨
પશુ આ જગતમાં શથ્યા મળે તેમ નથી તો દશ માથાળા માનવી તે સંભવે જ કયાંથી? જેમાં દશ માથાવાળા રાજા રાવણુની અને પર્વતકાય કુંભકર્ણની કાલ્પનિક વાતે ભરી છે તેવી રામાયણને હકીકત રૂપે બનેલી બીનાની નોંધ કરતા ઇતિહાસ તરીકે સ્વીકારી કૅવિચારી કેમ શકાય ?”
પ્રબુદ્ધ અન
આ જ ખાખતને વિશેષ ચર્ચતાં વિનેાખાજીએ જણાવેલું કે “આખા હિંદુસ્તાનમાં રામાયણનુ નીતિ અને સદાચારના ભંડાર રૂપે અહુમાન કરવામાં આવે છે અને કેવળ ભકિતભાવથી પ્રેરાઇને તેનુ પઠન પાઠન કરવામાં આવે છે અને તે પાછળ બીજો કાઈ હેતુ હાતા નથી. હું તમને ખાત્રી આપું છું કે રામાયણ ઉત્તરના દક્ષિણ ઉપરના હુમલાના ઐતિહાસિક અહેવાલ રજુ કરે છે એવા ખ્યાલથી કાઈ પણ ઉત્તરવાસી હિંદી રામાયણનુ અધ્યયન કરતા નથી.”
પાછળના ભાગમાં રામાયણ સંબંધે વિનેાખાજીએ જે કાંઇ જણાવ્યું છે તે ખરેાબર છે, પણ આગળના ભાગમાં રામાયણ ઐતિહાસિક ગ્રંથ નથી એમ જણાવીને રામાયણમાં આપણે ગમે તેવા ફેરફાર કરી શકીએ છીએ એ મુજબનુ તેમણે કરેલું વિવેચન કાંઇક આશ્રય પેદા કરે છે.
રામાયણને કાઈ આધારભૂત ઐતિહાસિક ગ્રંથ તરીકે લેખતું જ નથી, સંભવ છે કે રામાયણમાં જે કથા આવે છે તેને મળતી કાઇ નાની સરખી રાજીય ઘટના બની હોય અને તે માળખા ઉપર વાલ્મીકીએ રામાયણ નામના મહાકાવ્યની રચના કરી હોય. આ કાવ્યની રચનાના ઐતિહાસિક કાળ વિષે ચોક્ક્સપણે કાંઇ કહી શકાતું નથી. પણ ૨૫૦૦ થી ૩૦૦૦ વર્ષ જેટલી પુરાણી રચના હાવાની માન્યતા સામાન્યતઃ પ્રચલિત છે. વચ્ચેના ગાળામાં એ મહાકાવ્યના દેહમાં કાઈ નાના મેટા ફેરફારો થયા હેાયયા ન પણ થયા હોય, પણ આજે આપણી આગળ એક સુશ્લિષ્ટ આકારમાં અને આર્ભથી અન્ત સુધી સુબંવાદી સ્વરૂપમાં વાલ્મીકી રામાયણ મેાજુદ છે. તુલસી રામાયણ જેની લેક પ્રિયતા સાથે જોડમાં ઉભા રહી શકે એવા ઉત્તર ભારતમાં અન્ય કાઈ ગ્રંથ જાણવામાં નથી તે પણ વાલ્મીકી રામાયણ ઉપર આધારિત છે. આજે દ્રાવીડ કાઝગામ આન્દોલનના પુરસ્કર્તાને જે પ્રકારનું રામાયણુ છે તે નથી ગમતુ એ ખાતર, તેમાં આપણે ઇચ્છીએ એવા ફેરફાર કરી શકીએ છીએ એમ કહેવુ, તે રામાયણના ઐતિહાસિક મહત્વ ( રામાયણ ઇતિહાસ નથી, પણ તેનું ઐતિહાસિક મહત્ત્વ અસાધારણુ છે. ) ની એટલું જ નહિ પણ, તેના સાંસ્કૃતિક, સાહિત્યવિષયક અખિલ ભારતીય ગૌરવની ભારે અવગણના કરવા બરાબર છે. જગતના મહાકાબ્યામાં રામાયણુ અગ્રસ્થાને છે. તેનું સાહિત્યિક મહત્વ ઉપરાંત રામની કથા ભારતીય પ્રજાના માનસમાં વાણા તાણા માક ગુંથાયલી છે. રામ કલ્પિત હા કે ઐતિહાસિક હા, પણ તે ભારતીય જનતાના એક આદર્શ આરાધ્ય મહામાનવ છે. અને તેથી રામાયણ તેમ જ રામના વ્યકિતત્વનું ધાર્મિક મહત્ત્વ નાનુ સુતુ નથી.
"જ્યારે રામાયણ રચાયું ત્યારે રામ અકસ્માતે ઉત્તરપ્રદેશવાસી કલ્પાયા હતા અને રાવણુ એવી જ રીતે અકસ્માત દક્ષિણપ્રદેશવાસી કપાયા હતા. પણ તે પાછળ ઉત્તરના ઉત્કર્ષ કે દક્ષિણના અપકર્ષ અતાવવાના સ્વપ્ને પણ કાઈ હેતુ હતો જ નહિ, હાઈ શકે પણ નહિ, કારણ કે એ વખતે ઉત્તર દક્ષિણના કોઈ પ્રશ્ન જ નહેાતા. આવી જ રીતે પ્રજાસમુદાય મહાભારત સામે વાંધા ઉઠાવશે, તે તે વિધ શમાવવા માટે મહાભારત પણ કેાઈ ઐતિહાસિક ગ્રંથ નથી એમ કહીને, તેમાં આપણને ફાવે તેવા ફેરાકારા કરી શકીએ છીએ એમ આપણે કહી શકીશું ખરા ?
તા. ૧૫-૧૦-૫૬
આવા સૂચિત ફેરફારા માત્ર ઉપરછલ્લા નથી, પણ રામાયણના હાર્દને નિર્મૂળ કરનારા છે.
અને આ ઘેલી હીલચાલ રામની છબી બાળીને, રામાયણુ ગ્રંથને સળગાવીને તેમ જ રામની મૂર્તિનુ જાહેર અપમાન કરીને આખા ભારત માટે કેવા કલેશનાં ખીજો વાવી રહેલ છે તે પણ કલ્પનાપૂર્વક વિચારવુ ધટે છે. આવાં અપકૃત્યો ચાલુ રહે તેા ભારતભરમાં લેકલાગણી બહેળા પ્રમાણમાં ઉશ્કેરાયા વિના ન રહે અને ઉત્તર દક્ષિણ વચ્ચે જ માત્ર નહિ, પણ દક્ષિણની અંદરઅંદર પણ બહુ મોટાં સંઘર્ષો અને અથડામણા પેદા થવાની સભાવના ઉભી થાય; કારણ કે દક્ષિણમાં પણ રામને મહિમા કાંઈ ઓછો નથી. શ્વેતબિન્દુ રામેશ્વર એ તે ભગવાન રામચંદ્રજીથી અધિષ્ઠિત એવું દક્ષિણનુ માટેમાં માટું તીર્થધામ છે.
અને દ્રાવીડ કાઝગામવાળા રામાયણમાં કાઈ મામુલી ફેરફારથી રાજી થાય તેમ નથી એ પણ ભુલવું ધટતું નથી. તેમને રામચરિત્રની કાઈ ત્રુટિઓ દૂર કરવી નથી, પણ રામની ગુણવિશેષતા નાખુદ કરવી છે અને પેાતાનું ચાલે તે। રામના સ્થાને રાવણની પ્રતિષ્ટા કરવી છે. અને રામનાં મદિશ તાડી રાવણુનાં મંદિરે ઉભાં કરવાં છે.
આ રીતે દ્રાવીડ કાઝનામ' આન્દોલન માત્ર ખેવકુડ્ડીભરેલું અને અજ્ઞાનપ્રેરિત આન્દોલન છે એમ નથી, પણ તે પાછળ લોકોના લિમાં ઝેર પેદા કરનારૂં અને વિસ્તારનારૂ એક દુષ્ટ માનસ કામ કરી રહેલ છે અને તેમાંથી અનેક અનિષ્ટ અનર્થા નિર્માણ થવાને સંભવ છે. આવું માનસ ધરાવતા સમુદાય સાથે તેમને પ ́પાળવાની રીતે હળવી ભાષામાં વાત કરવાને બદલે વિનોબાજીએ આ આખા દેશને ખતરનાક નીવડે એવા વિચિત્ર આન્દોલન વિષે સ્પષ્ટ અને સખ્ત ભાષામાં કહેવા યોગ્ય કહેવું જોઇતું હતું અને આવી દેશની સુલેહશાન્તિ માટે ભયસ્થાન ઔંસની હીલચાલને તાબડતોબ બંધ કરવા અનુરોધ કરવા જોઇતા હતા. તેમનો આ વિશિષ્ટ અધિકાર હતા. અને આજે વિનેબાજી તેમને કે આપણને કડવું પણ હિતકારી એવું સત્ય નહિ સંભળાવે તે ખીજુ કાણુ સંભળાવશે ? પાનદ
બાધિસત્ત્વનું રૂપક રેડીઓ ઉપરથી સાંભળો. આગામી નવેમ્બર માસની ૧૩ મી તારીખે રાત્રે ૯-૧૫ વાગ્યે એલ ઇન્ડી રેડીએમુંબઇ સ્ટેશન ઉપરથી મુંબઈ જૈન યુવક સ`ઘ તરફથી પ્રગટ કરવામાં આવેલ એધિસત્ત્વ’ નાટકનું રૂપક રજુ કરવામાં આવશે.
સધના સભ્યોને પ્રાર્થના
મુંબઈ જૈન યુવક સંધના જે સભ્યાનુ ચાલુ વર્ષનું લવાજમ હજી સુધી વસુલ થયું નથી તેમને આ અંક સાથે ચેાડેલી કાપલીદ્વારા ખબર આપવામાં આવે છે, અને તેમનુ લવાજમ રૂા. ૫] સંધના કાર્યાલયમાં જેમ બને તેમ જલ્દિીથી પહેોંચાડવા પ્રાર્થના કરવામાં આવે છે. તેમનું લવાજમ વર્ષ દરમિયાન મળી જશે એ શ્રદ્ધાએ પ્રભુધ્ધ જીવન તેમની ઉપર મેકલવામાં આવે છે અને સધની ઇત્તર પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે. જેમને હવે પછી સભ્ય તરીકે ચાલુ ન રહેવુ હાય તેમને તે મુખ લખી મેકલવા વિનતિ છે, પણ ચાલુ વર્ષનું લવાજમ તે તેમણે મેાકલી આપવું જ જોઇએ એ બાબત તરફ તેમનું ખાસ ધ્યાન ખેંચવામાં આવે છે. આ બાબતમાં સંધના સભ્યો અમને ચિન્તામુકત કરશે એવી અમે આશા સેવીએ છીએ. ૪૫૪૭, ધનજી સ્ટ્રીટ, મંત્રીઓ, મુ’અર્ધ જન યુવક સંઘ મુંબઇ ૩.
વિષય સૂચિ
સળગતા પ્રશ્ન
પૃષ્ઠ નવલભાઈ શાહ ૧૧૭ પ્રકીર્ણ નોંધ : એક કમનસીબ ગેરસમજુતીનું, પરમાન ૧૨૦ નિવારણ, કાંગ્રેસી નેતાઓના પ્રવચનમાં સંયમ અને સુરૂચિની થઇ રહેલી ઉપેક્ષા, દ્રાવીડ કાઝગામ આન્દોલન અને વિનેાખાજી
આપણા વિદ્યાર્થી કયા માર્ગે ? પ્રગટ ચિન્તન
ભારતીય કળામાં જૈન સપૂર્તિ કેટલાંક મુકતા
૧૨૩
પરમાનંદ શંકરરાવ દેવ ૧૨૫ રવિશંકર રાવળ ૧૨૬ વિવિસ ૧૨૮
j_j_RAJUR K