SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૯-૫૬ પ્રભુજી વન નઈ તાલીમ (ગત પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન તા. ૫-૯-૫૬ ના રોજ ગુજરાતના સુપ્રસિદ્ધ રચનાત્મક કાર્યકર શ્રી જુગતરામ જ્વેએ આપેલા વ્યાખ્યાનની સંક્ષિપ્ત નોંધ ) આપની પાસે આજે મારે નઇ તાલીમ વિષે ઍલવુ છે. આપ સૌ શિક્ષકો નહિ હા, એટલે હું આ નવી શિક્ષણપદ્ધતિની ખૂંખી અને ટેકનિકલ બાબતામાં ન ઊતરૂં. તમે માતા પિતા તરીકે પોતાનાં બાળકાની ઉત્તમ કેળવણી થાય એમ ઈચ્છનારાં છે, અને નાગરિકા તરીકે રાષ્ટ્રના ઉત્તમ વિકાસ થાય, આપણું રાષ્ટ્ર જગતના વિકાસમાં પોતાના કાળા ઉત્તમ પ્રકારે આપી શકે એમ ઈચ્છનારાં છે. આ લક્ષમાં રાખીને હું આજે નઇ તાલીમની સામાજિક બાજુએ વિષે જ વિવેચન કરીશ. તમારામાંના મોટા ભાગના જૈને છે અને પર્યુષણુના પવિત્ર દિવસોમાં જ્ઞાનચર્ચા કરવા ભેગા મળેલા છે. આપણાં બાળકાના જીવનમાં તેમજ આપણા સમાજમાં અડિંસાને વિકાસ થાય એ તમારી ઝંખના હાય એ સ્વાભાવિક છે, કારણ કે જૈન ધર્મોમાં જે અનેક ખૂબીઓ રહેલી છે તેમાંની મોટામાં મેટી એ છે કે તેણે અહિંસાના વિચાર તેમજ વર્તનને અત્યંત ઝીણવટમાં ઊતરીને, વૈજ્ઞાનિક ચોકસાઇ સાથે વિકાસ કર્યો છે. જૂતી કેળવણી વિષે સૌને ધણા જ અસતોષ છે. આપને પણ હોય એ દેખીતુ છે. હાલના શિક્ષણથી આપણાં બાળકોનાં ચારિત્ર્ય ઉત્તમ રીતે ધડાતા નથી એ મેટામાં મેટી ફિરયાદ છે. નઇ તાલીમ વધારેમાં વધારે ભાર કાઇ બાબત ઉપર મૂકતી હોય તેા ચારિત્ર્ય ઘડવા ઉપર મૂકે છે. નઇ તાલીમ તેના આ ઉદ્દેશમાં સફળ થશે કે નહિ તેના આધાર ધણા ધણા સમેગા ઉપર રહે છે. મોટામાં મોટા આધાર આપ માતા પિતા અને નાગરિકા તેને કેટલો સહકાર અને આશીર્વાદ આપશે। તેના ઉપર રહે છે. કાઈ પણ શિક્ષણના આધાર—જૂના શિક્ષણનો પણ –નાગરિકાના-માતા પિતાના સહકાર ઉપર છે. શાળા કોલેજોમાં શિક્ષણ મળે છે તે પ્રમાણમાં ધણુ ઓછુ છે. મેટા ભાગનું શિક્ષણુ તા ઘરમાં અને સમાજમાં મળે છે, મળવુ જોઈએ. ગણિતની ભાષામાં કહેવું હાય તા શાળામાં એક ભાગનું મળતું હશે તે ધર અને સમાજમાં ત્રણ ભાગ મળતા હશે. જૂના શિક્ષણવાળા પણ બૂમો પાડે છે કે શાળામાં તે જે કંઈ ભણાવે છે અને લેસા આપે છે તે પાકા કરવાનું પૂરતું .ઉ-તેજન આજ કાલ માબાપ છેકરાઓને આપતાં નથી. માબાપે શિક્ષા સામે ખૂમેા પાડે છે, તેઓ છેકરાંઓ ઉપર દાબ રાખતા નથી. છોકરા રખડૂ થાય છે, ન કરવાનાં વ્યસને કરતા થાય છે, ન કરવાની ચળવળામાં જોડાય છે. પણ બન્નેની આ બૂમા ઉપર ઉપરની છે. શું બગડી રહ્યુ છે તે અંદર ઉતરીને જોવાની જરૂર છે. એમ અંદર ઊતરીને જોનારાઓને જે જડયું છે તે નઇ તાલીમ છે. આપણે ઊંડા ઉતરતા નથી તેથી એવી આશા રાખવામાં આવે છે કે આપણે તેા જેવા છીએ તેવા જ રહેવાનું છે, માત્ર શિક્ષણ સુધારવાથી બધું સુધરી જશે. આપણાં ધરા અને કુટુ જે રીતે ચાલી રહ્યાં છે તેમજ ચાલતાં રહેવાં જોઇએ, આપણા વેપારધંધા જેવા ચાલે છે તેવા જ ચાલતા રહેવા જોઇએ. આપણી સામાજિક અને રાજદ્વારી સંસ્થાઓ ચાલે છે તેવી જ ચાલવી જોઇએ પરંતુ આપણી શાળાઓ અને મહાશાળા સુધરી જવી જોઇએ, આપણા અધ્યાપકો અને પ્રાધ્યાપક સુધરી જવા જોઇએ. આપણે અપેક્ષા રાખીએ છીએ કે આપણાં ધ્યેયા અને આપણા જીવનસિદ્ધાન્તો છે. તેવા ચાલુ રહેવા જોઇએ, પણ શિક્ષણમાં છેકરા કરીઓને વધારે સારા ઉપદેશા મળવા જોઇએ. ૧૦૯ હવે આપણાં બાળકોના શિક્ષણ સંબંધમાં આપણને કઈ કઈ આબતેના અસતેષ છે તેના વિચાર કરીએ. હાલનું શિક્ષણ ઘણું જ ખર્ચાળ છે, સામાન્ય માબાપે તેમના ભણતરના ખાજો ઉપાડી શકતાં નથી. તમે મુંબઈવાળાએ બહુ તણાઇ તણાઇને કદાચ ઉપાડી શકતાં હશે. પણ મુખમાં પણ હજારો માબાપ એવાં છે કે જે પેાતાનાં ખાળકોને પ્રાથમિક ભણતર માંડ પૂરૂં કરાવી શકે છે. ગામડામાં તે મારી રાજની માહીતીની વાત છે કે મોટા ભાગનાં માબાપે પ્રાથમિક શિક્ષણ પણ ખાળાને અપાવી શકતાં નથી. બાળકો ૭-૮ વર્ષનાં થાય ત્યારથી તેમને કંઈકને કંઈક ધંધે લગાડવાં પડે છે. પારકી મજુરીએ ન મેકલતાં હેાય તે પણ પેાતાનાં બાળકોને ઢોર ચારવા મોકલે છે અથવા નાનાં ભાંડુને સાચવવાનુ કામ સાંપે છે. તે કામામાંથી માબાપ મુક્ત થાય ત્યારે જ તે કંઇ પણ ઉત્પાદક મહેનત મજૂરી કરવા જઈ શકે છે. આપણા આગેવાન અને આપણી સરકારો ફરજિયાત શિક્ષણ દેશમાં દાખલ કરવાને પ્રયત્ન ઉત્સાહની સાથે કરે છે, ગામડાંના લેકે તેમના આગ્રહના જવાબ તેટલા જ ઉત્સાહથી આપી શકતા નથી. કાયદા કરનારાઓ એથી અકળાય છે. પણ અકળાવાથી શું વળે ? જે લાંક દેશની વસ્તુસ્થિતિ સમજે છે તે તેને પહોંચી વળે એવા કંઇક મૌલિક રસ્તા-વિચારે છે. ગાંધીજીએ રસ્તા સૂચવ્યો કે વધારે નહિ તેા છે।કરાંઓ ભણતા ભણતાં પેાતાનાં કપડાં બનાવી લે એ રીતે ખાદીવિદ્યા તેમને શીખવા, એકાદ ટંકને એમના નારા નીકળે એ રીતે ખેતીવાડી એમને શીખવા, જેથી માબાપના લાચાર સંસારમાં શાળા મદદ રૂપ થાય, જેથી એમને શાળાના કામમાં રસ પેદા થાય, બાળકાને ત્યાં માકલવાનો ઉત્સાહ થાય. પણ આપણે તે। જ્યાં ખાદીનુ કામ કરીએ છીએ ત્યાં પણ એવી રીતે કરીએ છીએ કે આાળાના શરીર ઉપર ખાદી આવે જ નહિ, રાજાજી જેવા સૂચવે છે કે એ ત્રણ કલાક ભણાવીને સાષ માને!, બાકીના વખત બાળકને માબાપના ધંધામાં મદદ કરવા દો, એ પણ શિક્ષણ જ છે ને. વિનેબાજી, એક બે ક્લાકની કેળવણી મળી જાય અને ખાળા બીજો બધા વખત ઉદ્યોગ કરતાં રહે એટલે સુધી જવા તૈયાર છે. આ તે બુનિયાદી કક્ષાનાં નાનાં બાળકાની વાત થઈ. તેનાથી આગળ માટે આપણી જાની દુનિયા એવુ માનવાને ટેવાઇ ગઇ છે કે ૧૦૦ ટકા બાળકોમાંથી માધ્યમિક શિક્ષણ ૧૦-૧પ ટકા મેળવી શકે તે સતાય રાખવા, અને ઉચ્ચ શિક્ષણ તે તેમાંથી કે એ પાંચ ટકા મેળવે તા બહુ થઈ ગયું, પણ નઇ તાલીમ તેવું માનતી નથી. તે તે એકે એક બાળક અને એક એક બાળા માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ પણ પૂરૂં પામે—પૂર્ણ વિકસિત મનુષ્ય બને એવી અભિલાષા રાખે છે, અને તેની કાર્યપદ્ધતિ એવી છે કે જે કાઇ બાળક કે ખાળાને શિક્ષણ લેવાની ઇચ્છા થાય તે પોતાના બાહુબળથી તે પ્રાપ્ત કરી શકે છે. શિક્ષણ ખર્ચાળ હોવાની ફરિયાદના નઇ તાલીમમાં સવાલ જ ઉભા થતા નથી. માતાપિતા અને સમાજના જૂના શિક્ષણ માટે બીજો મેટા અસતાષ એ છે કે બાળકો તેમાં પસાર થવાથી માજોાખ કરનારા થાય છે, અને મહેનતથી દૂર નાસે છે. હવે ખરી રીતે તે તેઓ એવા ન થાય તે જ નવાઈ પામવી જોઇએ. કારણ એ શિક્ષણની આખી યોજના જ એ માટેની છે. કારકુના, અમલદારો, વેપારીઓ કે અધ્યાપકા થવા માટેની જ તૈયારી મન વચન અને કાયાથી ત્યાં કરાવવામાં આવે છે. ખેતી, ઇજનેરી, વૈદક જેવા વિષયાનુ શિક્ષણું, જેમાં જાતમહેનત અને ખડતલપણુ જરૂરનુ છે, તે પણ આપણા દેશમાં તે ઉદ્દેશ રાખીને આપવામાં આવતું નથી. નજર સામે ધ્યેય તા એક જ રહે છે કે છેવટે તે તે વિષયાની અમલદારી જ કરવાની છે. ': ''
SR No.525941
Book TitlePrabuddha Jivan 1956 Year 17 Ank 17 to 24 and Year 18 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1956
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy