SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ પ્રબુદ્ધ જીવન તા. ૧૫-૯-૫૬ ' ફેલાતી જતી પયુષણ વ્યાખ્યાનમાળાની પ્રવૃત્તિ , પર્યુષણ વ્યાખ્યાનમાળાઓ યોજવાની શરૂઆત આજથી લગભગ ૨૫ વર્ષો પહેલાં અમદાવાદમાં કરવામાં આવી અને ત્યાર બાદ એક બે વર્ષ પછી મુબઈ જૈન યુવક સંધ તરફથી મુંબઈ ખાતે આ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી. ત્યાર બાદ કલકત્તામાં પણ આ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવેલી, પણ સાત આઠ વર્ષ બાદ મુખ્ય કાર્યકરોને સ્થળાન્તર યા સ્થાનાન્તરના કારણે તે પ્રવૃત્તિ ત્યાં બંધ થઈ ગઈ. અમદાવાદ અને મુંબઈના જૈન યુવક સંઘે આ પરંપરાને આજ સુધી અતૂટ ચાલુ રાખી છે. અમદાવાદમાં આ વર્ષે જાયેલી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં . મૂ. સંપ્રદાયના મુનિશ્રી પુણ્યવિજયજી અને વે. સ્થા. સંપ્રદાયના મુનિ બી નીનચંદ્રજી પહેલી જ વાર પધાર્યા હતા. મુનિ નાનચંદ્રજી આવાં સંમેલનમાં ચાલુ જાય છે અને વ્યાખ્યાન આપે છે. મુનિશ્રી પુણ્યવિજયજી Aવે. મૂ. સંપ્રદાયના એક વિદ્વાન અને સુપ્રતિષ્ટિત મુનિવર છે, તેમણે આ પ્રકારની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પહેલી જ વાર ભાગ લીધે હતું. આ માટે તેમને ધન્યવાદ ઘટે છે અને ભવિષ્યમાં અન્ય મુનિવરો તેમને અનુસરશે એવી આશા રાખવામાં આવે છે. પૂનામાં યોજાયેલી વ્યાખ્યાનમાળામાં આ વખતે ઘણા ભાઈ બહેનોએ ભાગ લીધો હતે. માટુંગા–શીવ ખાતે કેટલાક મિત્રો મુંબઈ જૈન યુવક સંઘના અનુસંધાનમાં અને એ જ ધારણું ઉપર છેલ્લાં ચારેક વર્ષથી વ્યાખ્યાનમાળા ચલાવે છે અને તેને પણ આસપાસ વસતી જનતા બહોળી સંખ્યામાં લાભ લે છે. આ વખતે એમાંના કેટલાએક તથા અન્ય મિત્રોએ પ્રીન્સેસ સ્ટ્રીટમાં આવેલ કેશવ બાગમાં પહેલીવાર એક વ્યાખ્યાનમાળા યોજી હતી. બીજી વ્યાખ્યાન સભાઓ જ્યારે સવારના ભાગમાં જાય છે ત્યારે આ વ્યાખ્યાયમાળાની સભાઓ પયુંષણના દિવસે દરમિયાને ૮-૪૫ થી ૧૦ સુધી રાત્રીના યોજવામાં આવી હતી. આમાં પણ રસ લેનાર ભાઈબહેનની સંખ્યા નાની નહોતી, પણ જ્યાં અનેક કુટુંબો વસતા હોય એવા ધીચ વસ્તીવાળા મકાનમાં યોજાતી સભામાં શાન્તિ તેમજ વ્યવસ્થા જાળવવામાં ઘણી મુશ્કેલી પડે છે. આવી સભાઓ માટે જ્યાં વાહન વ્યવહારને અવરજવર અને અવાજ ઓછો હોય એવા કોઈ જાહેર સ્થળને પસંદ કરવું જોઈએ. આ ઉપરાંત માટુંગા અને ઘાટકોપરમાં સ્થાનકવાસી સંઘના ઉપાશ્રયમાં પણ સાધુ-ધર્મ અંગીકાર કર્યો ન હોય એવી વિશિષ્ટ વ્યકિતઓનાં વ્યાખ્યાને આ વખતે યોજવામાં આવ્યાં હતાં. એક સ્થળે તે સંપ્રદાયના સાધુની હાજરીમાં આવાં વ્યાખ્યાને અપાયાં હતાં. આમ પર્યુષણ વ્યાખ્યાનમાળાની પ્રવૃત્તિ વ્યાપક સ્વરૂપે ફેલાતી ચાલી છે એ જોઈને આનંદ થાય છે; આમ છતાં પણ આ સંબંધમાં એક બે ચેતવણી આપવી જરૂરી લાગે છે. એક તે આવી વ્યાખ્યાનમાળા જ્યાં ત્યાં અને જેમ તેમ એજાવી ન જોઈએ. તેની પાછળ પાકી પૂર્વ તૈયારી જોઈએ અને વ્યાખ્યાતાઓની પસંદગીનું બેરણ ઘણું ઊંચું રખાવું જોઈએ. આઠ દિવસ માટે આ સારા વ્યાખ્યાતાઓ ને મળે તે જેટલા મળે તેટલાથી સંતોષ માનવો જોઈએ, પણ જેને બેલાવવામાં આવે તે વ્યક્તિ ઉચ્ચ કોટિની હોય એ બાબતની ખૂબ કાળજી રાખવી ઘટે છે. એમ નહિ બને તે આખરે આવી વ્યાખ્યાનમાળાઓ ઉલ્લેધક અને નવું જીવનદર્શન આપવાને બદલે કેવળ લેકરંજની તમાસાઓ બની જશે. પર્યુષણ વ્યાખ્યાનમાળાના સર્વ જો આટલી બાબત પૂરેપૂરી ધ્યાનમાં રાખે એટલી તેમને પ્રાર્થના છે. પરમાનંદ - અમદાવાદ પયુંષણ વ્યાખ્યાનમાળા શ્રી અમદાવાદ જૈન યુવક સંધના ઉપક્રમે યોજાયેલી પર્યુષણ વ્યાખ્યાનમાળાને કાર્યક્રમ નીચે મુજબ હતા:તારીખ * વ્યાખ્યાતા વ્યાખ્યાન વિષય શ્રી સોમચંદ અમથાલાલ શાહ સુખ અને વિચાર શ્રી ઉમાશંકર જોશી વિચારશૂન્યતા આચાર્ય શ્રી એસ. વી. દેસાઈ વિવેક અને સાધના શ્રી સુમંતરાય સી. ભટ્ટ નીતિ અને ન્યાય શ્રી કાંતિલાલ લાલભાઈ ઠકકર રામાયણના બે પ્રસંગે - મુનિશ્રી પુણ્યવિજયજી પર્યુષણ શ્રી કેશવરામ કા. શાસ્ત્રી ભક્તિ આચાર્યશ્રી એસ. આર. ભટ્ટ સહિષ્ણુતા શ્રી ત્રાષભદાસજ રાંકા સંપ્રદાયવાદકી નિઃસારિતા કવિવર્ય મહારાજશ્રી નાનચંદ્રજી જીવનનું રહસ્ય પ્રધ્યાપક ફિરજ કાવસજી દાવર સ્યાદાદા શ્રી ઋષભદાસજ રાંકા સત્ય ઔર અનેકાન્ત શ્રી સુરજચંદ્રજી ડાંગી જૈન દર્શનની વિશિષ્ટતા ખાનસાહેબ દસ્તમહમદ ભજનો શ્રી સુરજચંદ્રજી ડાંગી શાસ્ત્ર ઔર શસ્ત્ર શ્રી ધૂમકેતુ ક્ષમાપના પૂના પર્યુષણ વ્યાખ્યાનમાળા શ્રી જૈન મિત્ર મંડળ (પૂના શહેર) ના ઉપક્રમે યોજાયેલી પર્યુષણ વ્યાખ્યાનમાળાને કાય ક્રમ નીચે મુજબ હતો :તારીખ વ્યાખ્યાન વ્યાખ્યાન વિષય ૨ શ્રી યશોભદ્રવિજયજી મહારાજ પર્યુષણ સંદેશ શ્રી સુરજચંદ્રજી ડાંગી વીતરાગદર્શન સૌ. પારસરાણી મહેતા વિચારદર્શન શ્રી દલસુખ માલવણિયા જૈન ધર્મ ૬ છે. વિનોદ જૈન તત્ત્વજ્ઞાન અને વિશ્વશાંતિ ૭ પ્રાધ્યાપક શ્રી પટકર અનેકાન્ત. મુંબઈ “સી વર્ડ? | વ્યાખ્યાનમાળા મુંબઇના સી વોર્ડના કેટલાએક ઉત્સાહી કાર્યકર તરફથી આ વખતે પહેલી જ વાર જાયેલી વ્યાખ્યાનમાળા (સ્થળઃ પ્રીસેસ સ્ટ્રીટમાં આવેલ કેશવબાગ) નો કાર્યક્રમ નીચે મુજબ હ : વ્યાખ્યાતા વ્યાખ્યાન વિષય શ્રી કરસનદાસ માણેક માનવ્યની સાધના શ્રી ઉષાબહેન મહેતા ગાંધીજી અને અહિંસા શ્રી સુરેશ હ. જોશી ધર્મ અને અર્વાચીન મૂલ્ય શ્રી નલીન ભટ્ટ ગીતાને સંદેશ શ્રી પુરૂષોતમ કાનજી (કાકુભાઈ) ઇશ્વરની શરણાગતિ - શ્રી દલસુખ માલવણિયા: જૈન ધર્મ ૭ શ્રી અપ્પાસાહેબ પટવર્ધન વર્ગનિરાકરણ શ્રી સુશીલાબહેન કુસુમગર જૈન ધર્મની દૃષ્ટિએ માનવધર્મ માટુંગા–શીવ પર્યુષણ વ્યાખ્યાનમાળા માટુંગા-શીવ ખાતે યોજાયેલી પર્યુષણ વ્યાખ્યાનમાળાનો કાર્યક્રમ નીચે પ્રમાણે હતે. તારીખ વ્યાખ્યાતા વ્યાખ્યાન વિષય . શ્રી રામભાઈ બક્ષી વિકાસશીલ આત્મભાવના , નલીન ભટ્ટ આજને ધર્મ , કરસનદાસ માણેક માનવ્યની સાધના , સુરેશ હ. જોશી જીવનને આનંદ , અપ્પાસાહેબ પટવર્ધન વર્ગ-નિરાકરણ સ્વામી સબુધ્ધાનંદજી દૈનિક જીવનમેં ધર્મક સ્થાન , દલસુખ માલવણિયા જૈન ધર્મ , ઉષાબહેન મહેતા . યશોધરા. મેરારજી દેસાઈ ૪૫ * વિષય સૂચિ શ્રી મોરારજીભાઈનું ઉબેધક પ્રવચન. પ્રકીર્ણ નોંધ:-ફુલ ચડાવ્યાં દિભાષી મુંબઈને અને ધ્યાને ધયું મહાગુરાતનું, અમદાવાદમાં બનેલી ઘટનાઓએ આ સ્વરૂપ ધારણ કર્યું ન હોત ,અમદાવાદના ગોળીબાર. પર્યુષણ વ્યાખ્યાનમાળા વિષે બે નેધ અને વ્યાખ્યાનમાળાની યાદીએ. રાષ્ટ્રીયતાનું ભયસ્થાન. વિત રજુઆતને અજોડ નમુનો ગાંધી દગાબાજ ? દુનિયામાં વધતી જતી જનસંખ્યા પરમાનંદ ૮૭ ૩ ૧૦૩ સ્વામી સત્યભક્ત ૧૦૪ પરમાનંદ ૧૫
SR No.525941
Book TitlePrabuddha Jivan 1956 Year 17 Ank 17 to 24 and Year 18 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1956
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy