SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ કરવા પાછળ આપણા સર્વનું મન કામ કરતું રહ્યુ. મહેમદાવાદના ઠરાવનું હાર્દ પણ આ જ હતું. આ મહાગુજરાતની થનાર રચના પાછળ અનેક કલ્પનાના કીલ્લાઓ રચાતા ગયા અને અનેકની મહત્ત્વાકાંક્ષાએ બળવત્તર થતી ચાલી. આમાં પણ અમદાવાદના લેાકાએ અને ઉદ્યોગપતિઓએ ભાત ભાતની આશા અને કલ્પનાના મીનારાઓ ઉભા કરવા માંડયા અને સટ્ટાને વરેલુ ગુજરાતી માનસ અમદાવાદ પાટનગર થવાનુ હોવાના કારણે અનેક પ્રકારના માર્થિક લાભોની કામનાના ભેગ થઇ પડયું. આવી વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચે ભારતની લોકસભામાંના ગુજરાતી સભ્યોએ દ્વિભાષી મુંબઈ પ્રદેશના કાઇ હળવા મનથી સ્વીકાર કર્યો છે અથવા તે આ તે આપણે માંગતા હતા એ જ મળી રહ્યું છે એવા ક્રાઇ આનંદ અને સ ંતોષપૂર્વક સ્વીકાર કર્યો છે એમ કાઈ ન માને. એ વખતના વિશિષ્ટ યોગોએ તેમને દ્વિભાષી મુંબઈ સ્વીકારવાની ફરજ પાડી હતી એમ કહીએ તે તેમાં લેશમાત્ર અત્યુક્તિ નથી. આ સંયોગા કયા હતા ? (૧) લેાકસભાના ૨૩૦ થી વધારે સભ્યોની દ્વિભાષી મુંબઈ માટેની માંગણી. (૨) ગૃહપ્રધાન ગોવીંદ વલ્લભ પન્ત અને મહા અમાત્ય પંડિત નહેરૂનુ પણ આ ઉકેલને પુરૂં અનુમાદન. (૩) દ્વિભાષીને આ રીતે આગળ કરનાર સભ્યાના આ દબાણ નીચે ઉભી થયેલી આપણી કફાડી સ્થિતિ અને (૪) એ સૌથી વધારે બળવાન સચાગ મહારાષ્ટ્રના ખેાળામાં હાથવેંતમાં સરી જતું દેખાતું મુંબઈ. આ ચાર સગાએ તેમને દ્વિભાષી મુંબઈ સ્વીકારવાની ક્જ પાડી. આ સામે ગુજરાતભરમાં અને ખાસ કરીને અમદાવાદમાં સારા એવા વિરાધ થશે એ તેમની નજર સામે નહેતુ એમ નથી. જેમણે દ્વિભાષીની હા પાડી તેમાંના ધણા ખરા મહાગુજરાતની રચનાને વિશેષ આવકારતા હતા એ પણ હકીકત છે. આમ છતાં પણ વિરોધ સમયાન્તરે શમી જશે, અતિ જટિલ બનેલી સમસ્યાને આમ ઉકેલ આવતા હાય તે તેને અવરોધ ન કરીએ, અખિલ ભારના પ્રતિનિધિઓના આવા સામુદાયિક આગ્રહને અવગણી કેમ શકાય, મુંબઈ ઉપર આખરે આપણું સહભાગી સ્વામિત્વ તે રહે જ છે અને તેની આવકના લાભ જેમ મહારાષ્ટ્રને તેમ જ મહાગુજરાત મળતાં મહાગુજરાતની આર્થિક વિષમતા અમુક અંશે હળવી અની જાય છે—આવા કેટલાક ખ્યાલો અને ગણતરીને અધીન બનીને ગુજરાતી સસદ સભ્યાએ દ્વિભાષી મુંબઇના સ્વીકાર કર્યાં. આવી જ રીતે દ્વિભાષી મુંબઇને મહારાષ્ટ્ર સ્વીકાર કરશે કે કેમ એ સવાલ મહારાષ્ટ્રના સંસ સભ્યો સમક્ષ પણ હતા જ. કારણ કે મુંબઈમાં તેમને કાઈની ભાગીદારી ખપતી જ નહોતી. એમ છતાં મુંબઈ કેન્દ્રશાસિત અને એ કરતાં જેમાં પાતાને બહુમતી મળે છે એવું દ્વિભાષી મુંબઈ વધારે પસંદ કરવાયોગ્ય છે, મુખઈ મહારાષ્ટ્રને આપી દેવાની અનુકુળતા દાખવતુ નહેરૂનુ મન, એક વખત મુંબઈ કેન્દ્રશાસિત બન્યા બાદ, કેવી રીતે કામ કરશે એ કાણુ કહી શકે તેમ છે, આપણે હા કહીશુ પણ ગુજરાતીએ આ સ્વીકારવાના જ નથી—આવા કેટલાક ખ્યાલેને અધીન બનીને મહારાષ્ટ્રના પ્રતિનિધિએ પણ મહારાષ્ટ્રી પ્રજાના સંભવિત વાનુ જોખમ ખેડીને, દ્વિભાષી મુંબઇના સ્વીકાર કર્યાં. પ્રભુ જીવન આમ શાણા સસદ્ સભ્યાએ, તેમનામાંના કેટલાકને દ્વિભાષી મુંબઈ કાઇ પણ સામાન્ય સયાગામાં સ્વીકાર્યું ન હોવા છતાં, લેાકસભાના સભ્યાના આગ્રહભર્યાં મન્તને સ્વીકારી લીધા. કેટલાકને મને આ બાબત કડવા ઘુંટડા ગળે ઉતારવા ખરેખર હતુ. એમ છતાં તેમની રાજકારણી સમજણે અને શાણપણે અથવા તા એ દિવસેામાં તેમની આસપાસ ઘટ્ટ બનેલા ચોક્કસ પ્રકારના વાતાવરણે આ કપરો સ્વીકાર શકય બનાવ્યો. તા. ૧૫-૯-૫૬ મુંબઇના સ્વીકાર સામેના ગુજરાત બાજુના પ્રચંડ વિરોધના મૂળમાં આ વસ્તુસ્થિતિ રહી હતી. ધીમે ધીમે ગુજરાતની પ્રજાનુ` વળણ દ્વિભાષી મુંબઇ સામે એકભાષી મહાગુજરાતના ગુણદોષની શાન્ત સમીક્ષા તરફ વળતું જાય છે, ઢળતું જાય છે અને દ્વિભાષી મુંબઇ સામેના વિરોધ અંશે અંશે ઘટતો જાય છે. આમ છતાં પણ આ વિરોધ અમુક અંશે ચાલુ રહેવાના જ છે. કારણ કે આખરે ગુજરાતી પ્રજાના હિતાહિતના અનુસ ધાનમાં મુંબઇને ક્રાણુ કેટલું મહત્ત્વ આપે છે તે ઉપર જ લેાકસભાના નિર્ણયના સ્વીકાર અસ્વીકારનો આધાર રહેવાના છે, જે મુંબઈ ઉપરના સહભાગી સ્વામિત્વના મહત્ત્વને પ્રાધાન્ય આપશે તે ભિાષી મુંબઇ પ્રદેશને જરૂર આવકારશે. જે આ ખાખતને ગૌણ ગણશે અને મુંબઈ મહારાષ્ટ્રને સાંપીને પણ મહાગુજરાત ઉભું કરવું જ જોઈએ એવા આગ્રહ ધરાવતા હશે તેમને કાઇ પણ દલીલ દ્વિભાષી મુંબઇને આવકારવા તરકે વાળી શકે તેમ છે જ નહિ. દ્વિભાષી મુંબઇના વિરોધ કરનારા એક બાબત બરાબર સમજી લે કે એક વખત લોકસભાના નિર્ણય મુજબના મુખઈ પ્રદેશ નિર્માણુ થયો, ત્યાર પછી પહેલાંનાં ત્રણ એકમની રચનાને પુનર્જીવિત કરવાનું એકકે સંયોગમાં શકય નથી, સિવાય કે મહારાષ્ટ્રીના વર્તાવ નવી રચના બાદ ન્યાયી અને વ્યાજખી અને ગુજરાતી સાથે અનુકુળ બનીને ચાલવાના નહિ હાય, પણ એ અસાધારણ કટોકટીની કલ્પના બાદ કરતાં આજે જે રચના કરવામાં આવનાર છે તે કાયમ જ રહેવાની છે. બીજી બાજુએ ગુજરાતી પ્રા મહાગુજરાતનું આન્દોલન અત્યન્ત ઉગ્ર બનાવે તેા સ ંભવ છે કે રાજ્યસત્તાને કદાચ આ બાબતને ફરીથી વિચાર કરવાની કરજ પડે. પણ એ સાગમાં ફેરફાર થાય તે એટલે જ થાય કે મહાગુજરાતને મુખ પ્રદેશમાંથી અલગ કરવામાં આવે, પણ મુંબઈ તે મહારાષ્ટ્રમાં જ સમાવિષ્ટ રહે. મહાગુજરાતનુ આન્દોલન ચલાવનારા આ પરિસ્થિતિના સર્વાંગી વિચાર કરે, પોતાના ખળાખળતુ તાલન કરે, અને અમુક રીતે થાળે પડેલી વસ્તુસ્થિતિને સુંથવાથી સરવાળે ગુજરાતને કાયદો થશે કે કેમ એના પણ પૂરા વિચાર કરે અને પછી આગળ વધે એટલી તેમને નમ્ર પ્રાર્થના ! અમદાવાદમાં બનેલી ઘટનાએએ આ સ્વરૂપ ધારણ કર્યું ન હાત જો— અમદાવાદ ખાતે ઓગસ્ટ માસ દરમિયાન જે અરાજકતાની આંધી આવી અને કરૂણ ઘટનાઓ બની તે કદાચ નાની હાત અથવા તેા પ્રમાણમાં ધણી હળવી બની હોત જો— (૧) દ્વિભાષી મુંબઈ પ્રદેશના નિર્ણયને અનુમેદન આપીને મુંબઇના મુખ્ય પ્રધાન શ્રી મેરારજી દેસાઈ છઠ્ઠી તારીખે મુંબઇ આવ્યા ત્યાર બાદ અમદાબાદમાં પરિસ્થિતિ વણુસવા માંડી, દ્વિભાષી મુઈ સામેના વિરાધે ઉગ્ર સ્વરૂપ પકડવા માંડયુ એ જ અરસામાં મેારારજીભાઈ અમદાવાદ પહોંચી ગયા હાત અને લાતે પ્રિભાષી મુંબઈના પ્રશ્ન સમજાવવા અને હિંસક પ્રવૃત્તિથી ખાળવા પ્રયત્ન કર્યો હેત અને એમાં સફળતા મળતી નથી એ જોતાં જે પગલું એ જ માસની ૧૯મી તારીખે તેમણે ભર્યું" એવી કાર્ટિનું કાઇ પગલું ત્યાંના તાનના પ્રાર ંભકાળમાં તેમણે ભર્યું હાત. આ કેમ ન બન્યું તે વિષે તેમણે હજી સુધી કાઇ જાહેર નિવેદન કર્યું નથી. અમદાવાદમાં ઓગસ્ટની ૨૬ મી તારીખે સાંજે તેમણે પારણું કર્યું તે પહેલાં ભરાયલી જાહેર સભામાં આ ખામતના ઉલ્લેખ કરીને તે ખેાલવા જતા હતા તે દરમિયાન લોકોની પથ્થરબાજી અને અશાન્તિએ વિક્ષેપ નાંખ્યો અને ખેલવાનુ એક બે મીનીટ તેમને બંધ કરવું પડયું. ત્યાર બાદ આગળ ચાલતાં તેઓ જે કાંઈ ખેલ્યા તેમાં આ મુદ્દાનું અનુસંધાન તુટી ગયુ. પણ મહાગુજરાતની કલ્પનાને કઈં સમયથી વરેલી ગુજરાતની પ્રજાને અને પાટનગર બનાવાના મનેરથ સેવી રહેલ અમદાવાદની પ્રજાને માટે આ ફ્રુટડા ગળે ઉતારવાનુ અને આખા પ્રશ્નને તદ્દન ખીજી રીતે વિચારવાનું એટલું સહજ કે શક્ય હતું જ નહિ, દ્વિભાષી (૨) કૉંગ્રેસ હાઉસ આગળ ટીયર ગેસ સ્કેવેડ વખતસર લાવવાનું અને તાને ચડેલા વિદ્યાર્થીઓના ટાળાને દૂર કરવા માટે ગોળીબારને બદલે ટીયર ગેસ, લાઠીચાર્જ વગેરે હળવાં સાધનાના ઉપયાગ કરવાનું શકય બન્યુ હોત.
SR No.525941
Book TitlePrabuddha Jivan 1956 Year 17 Ank 17 to 24 and Year 18 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1956
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy