SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ હેર તેથી તેના ભરણ-પોષણ અને સંરક્ષણ કરવાનું કર્તવ્ય-કરજ પુરૂષની છે. પરંતુ તેમની આ દલીલ ન તા ન્યાયસંગત હતી; ન ા વાસ્તવિક સમાજ–વિજ્ઞાનને અનુકૂળ હતી. તેથી સુધારકાએ સ્ત્રી પુરૂષની ખરાખરીના અધિકાર પ્રાપ્ત કરે તે માટે ખીડુ ઝડપ્યું. આ સુધારાને સ્ત્રીસ્વાતંત્ર્યવાદી કહેવામાં આવતા હતા. પુરૂષને પરંપરાથી પ્રાપ્ત છે એવા અધિકારો સ્ત્રીને સ્ત્રી એક સ્વતંત્ર વ્યક્તિ અને નાગરિક છે માટે--મળવા જોઇએ એવી તેમની માંગણી હતી. સુધારકોની ઝુંબેશથી અને સમાજને સદ્ભાગ્યે સ્ત્રીઓને તેમના ન્યાયાચિત અધિકાર પ્રાપ્ત થયા અને આ અધિકારપ્રાપ્તિ સમાજ સ્વાસ્થ્ય અને સામાજિક ઉન્નતિની દૃષ્ટિએ આવશ્યક તેમજ ઉચિત હતી. પરંતુ તેથી સ્ત્રીના જીવનની સમસ્યા ઉકલી નહિ. સ્ત્રીને એવુ જીવવાની ટેવ પડી ગઇ હતી કે જેમાં સુરક્ષિતતાની કીંમત સ્વતંત્રતાથી ચુકવવી પડતી હતી. સ્ત્રીને પોતાની સંભાળ લેવાય એ ગમતુ હતુ અને કોઇ પણ જાતની જવાબદારીથી ખસી જવું એ તેના જાણે એક મોટા ગુણુ માનવામાં આવતો. પાઠશાળા, વિદ્યાલય, મહાવિદ્યાલય અને વિશ્વવિદ્યાલયામાં બાલિકા, કરા સાથે અને તેમની બરેશ્વરીનું શિક્ષણ મેળવવા લાગી. પરંતુ સ્ત્રીની સંભાળ રાખવાની જવાબદારી તત્વતઃ હવે જાણે કે પુરૂષને શિરે રહી નહિ. આથી બાલિકાઓ પ્રતિ છે.કરાઓના વ્યવહાર વનમાં કૃપાશીલતા અને વિનયયુકત મર્યાદા ઓછી થતાં થતાં લુપ્ત થઈ ગઇ. આ તરફ્ બાલિકાઓના મનમાં સંરક્ષણ અને વૈભવની આકાંક્ષા ઓછી ન થઇ અને સુકુમારતા તથા આરામપ્રિયતા ઓછી થવાને બદલે વધતી વધતી જ ગઇ. પરિણામે જૂની ( આગલી ) પેઢીની સ્ત્રીઓમાં જે શારીરિક શકિત અને માનસિક સાહસ હતાં તે આધુનિક શિક્ષિત સુકુમાર લલનાઓમાં લગભગ નહિવત્ થયા. યુવક્રા પણ નિઃ સત્વ, વિલાસી અને પુરૂષાર્થના કાયર થતા રહ્યા. ઉભયની ભાગ– વિલાસી વૃત્તિએ સમાજમાં વિષયીપણાનુ ં વિષમય વાતાવરણ ઉપસ્થિત કર્યું. આજકાલ યુવાની ઉ॰ ખલતા અને ઉદ્દડતાને યુવતીને સતાપ થાય છે. તે એટલે સુધી કે થાડા વિસા પહેલાં મધ્યપ્રદેશના રાયપુર શહેરમાં યુવતીએ એક સરધસ કાઢીને ગુંડાગીરીથી પોતાના સંરક્ષણની માંગણી કરી હતી. આ ઘટનાથી જેમને મા, બહેન અને અથવા પુત્રી છે—અને મા વિનાના કાણુ હોઇ શકે ?--એવા માતૃવત્સલ પુરૂષના હૃદય પર ગંભીર આધાત થશે. આપણુ અત્યારનુ લગભગ બધું સાહિત્ય, સાંસ્કૃતિક કાર્યક્રમા તથા સામાજિક મેળાવડાઓ શારીરિક પ્રદર્શન અને વિષય વૃત્તિને ઉ-તેજીત કરે છે. આ પરિસ્થિતિમાં આ સમસ્યાને ગંભીરતાથી વિચાર કરવાનું શું આપણું કર્તવ્ય નથી ? આખરે આ બાબતની બુનિયાદ કયાં છે ? કુટુબમાં આપણે જે જે ભાવના અને સંસ્કારોનું ખીજારાપણુ તથા સંવર્ધન કરીએ છીએ, તે ભાવનાઓને અને સ'સ્કારોને આજની આપણી શિક્ષણ— સંસ્થામાં આજે કઈ સ્થાન જ નથી. શિક્ષણ-સંસ્થાઓમાં શિક્ષક અને વિદ્યાર્થીનું હિત એક બીજાથી વિરૂધ્ધ છે એમ માની લેવામાં આવ્યું છે. કારખાનાઓમાં માલિક અને મજદુર વચ્ચે જે સંબંધ છે તેવા સબંધ જાણે કે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે છે એમ કલ્પી લેવામાં આવ્યુ છે. શિક્ષક શીખવવાના પ્રયત્ન કરે છે અને વિદ્યાર્થી શિક્ષણથી—શીખવાથી દૂર ભાગવાની કોશિષ કરે છે. વિદ્યા ઠાંસી ઠાંસીને ભરવામાં શિક્ષકના સ્વાર્થ સમાયેલા છે અને કાઈને કાષ્ઠ પ્રકારે વિદ્યાને નવગજના નમસ્કાર કરવામાં વિધાર્થીના સ્વાર્થ સમાયેલે છે; અને એટલે જ વિદ્યાલયમાં ઉદાર માનવીય રૂપ વિકસિત કરવાની કોઈ તક રહેતી. જ નથી. પ્રબુદ્ધ જીવન તા. ૧-૯-૫૬ નહિ, અરે માનવીય વ્યક્તિ નહિ, કિંતુ વિષયનું સાધન, પ્રતીક ગણે છે, માને છે. પરિણામે ઉભયના હિતેામાં એક સ્થાયી સંધર્ષ સતત ઉપસ્થિત થાય છે. વિધાર્થીઓ ન કાઇને ભાઈ ગણે છે, માને છે, ન કાઇને બહેન ગણે છે, માને છે. બધા એક બીજાના હરીફા (પ્રતિસ્પર્ધી ) છે અને અજારમાં જેમ એક ખીજા વચ્ચે હરીફાઈ ચાલતી હાય છે તે રીતે આપણા આ વિદ્યાધામામાં, વિદ્યાતીર્થોમાં હરીક઼ાઈ ચાલે છે. સગાં ભાઈબહેન વિદ્યાલયમાં શિક્ષણ લેતા હાય તે પણ તેમાંના ભાઈ (.યુવક), પાતાની બહેન સિવાય બાકીની બધી યુવતીને બહેન ચિન્તનીય પરંપર આ ઉપરાંત આમાં બીજી પણ એક વિસ્મયજનક અને ખેદકારક વિશેષતા છે. યુવાન અને વૃધ્ધ શિક્ષક તક જોઈને પોતાની વિદ્યાર્થિની સાથે લગ્ન કરી લે છે. પ્રૌઢ શિક્ષિકા પોતાના યુવાન વિદ્યાર્થી સાથે લગ્ન કરી લે છે. વિધાલયની બહાર ૬૦-૬૦, ૭૦-૭૦ દિવાળી જેમણે જોઈ છે એવા વયોવૃધ્ધ નેતા પોતાની મત્રિણી (સેક્રેટરી) નુ પાણિગ્રહણ કરી લે છે ! લતઃ સમાજમાં એક એવુ કલુષિત વાતાવરણ સ્થિર થઈ ગયું છે કે ભલે પુરૂષ ગમે તે વયના વૃધ્ધ-વયેવૃધ્ધ કેમ ન હોય, તક મળતાં જ તે લગ્નના ઉમેદવાર થઈ શકે છે ! સાધારણ સામાન્ય માન્યતા એ છે કે પુરૂષ નિરંતર વરરાજા છે લગ્ન લગ્ને કુંવારા લાલ છે ! આજ સુધી સાધારણ રીતે એમ માનવામાં આવતું કે પ્રૌઢ વય પછી સ્ત્રી લગ્નોત્સુક કે લગ્નની ઈચ્છાવાળી રહેતી નથી, અને એમ તે કાઈ નથી જ માનતું કે પોતાની પ્રૌઢ મા યા ઘરડી દાદીનાં લગ્ન થઈ શકે છે શકય છે. છતાં પ્રૌઢ પિતા યા ઘરડા દાદાજીને તેમના પોતાનાં લગ્નના અધિકારથી કાણુ વંચિત કરી શકે –રાખી શકે છે ? આથી જે પુરૂષ પોતાની કન્યાઓને શિક્ષણ માટે મહાવિદ્યાલય (કૉલેજમાં) માકલે છે અથવા તેમની પાસે નાકરી તથા અન્ય વ્યવસાય કરાવે છે, તે પુરૂષ પણ શિક્ષિત તથા નાકરી કરતી અથવા સામાજિક જીવનમાં ભાગ લેતી સ્ત્રીએની કુલીનતા અને પવિ ત્રતા અંગે સંદેહ દાખવવામાં પોતાની પ્રતિષ્ટા માને છે; અને આ રીતે વિષમય વાતાવરણમાં ઝેરનાં મુદ્દે ઉમેરતા જ જાય છે. ગુંડાગીરીથી પણ વિશેષ શુ આપણે એ ભ્રમમાં છીએ કે સરકારી પોલીસ અને નાગ રિક-સંરક્ષણ—દળ આ બિમારીને હટાવી શકશે? આખરે તા પોલીસ દળના તથા સંરક્ષણ દળના અધિકારીએ તેા જે આજે શાળા મહાશાળામાં શિક્ષણ લે છે તેમાંથી જ આવવાના છે ને ? અને આ યુવક-યુવતીઓ પણ આપણાં જ સતાન છે ને ? ગુંડાઓ ( મુઠ્ઠીભર સંખ્યામાં) આંગળીને વેઢે ગણી શકાય તે સખ્યામાં હ્રાય ત્યાં સુધી તેઓ ગુડાચ્યા કહેવાય છે, નાગરિકામાં જ્યારે ગુંડાગીરી પ્રવેશ પામીને ફેલાઈ જાય છે ત્યારે ધંધાકીય અને નામચીન ગુડાની માન-મર્યાદા આ નવા ગુડામાં નથી રહેતી. ખરી રીતે તે તે ગુંડાઓ નથી, પણ વિક્ષિપ્ત માનવતાનાં ઔરસ સતાન છે. જૂના જમાનામાં જે લેાકેાને ગુંડા તરીકે માનવામાં આવતા હતા—ગણવામાં આવતા હતા તેમને વ્યવહાર પર પરાગત સંસ્કારોથી મર્યાદિત રહેતા હતા. કેટલીએક સ્ત્રીએ તેમની રક્ષિત બહેના યા ધર્મની બહેનેા હતી; અને તેમને માટે તે ( કહેવાતા ગુંડાઓ.) પેાતાના પ્રાણ આપવાને પણ તૈયાર રહેતા. કૌટુંબિક વ્યવહારનું તત્ત્વ જે જે વ્યવહાર માટે લાગુ પડતુ હતુ. ત્યાં ત્યાં સ્ત્રી પુરૂષના પારસ્પરિક સબંધ પણુ કૌટુંબિક સંબંધથી મળતા જ કલ્પવામાં આવતા હતા. પ્રત્યેક કુટુંબમાં સ્ત્રી-પુરૂષ વચ્ચે એક વિશિષ્ટ બ્રહ્મચર્યના સ્થાયી સંકલ્પ હાય છે. તેથી જ મા—દીકરા, બાપ–દીકરી અને ભાઈ બહેન કાઈ પણ કાયદા કાનુનની મદદ વિના અને કૃત્રિમ નિય ંત્રણા વિના, એક ખીજા સાથે પવિત્રતાથી, હળીમળીને રહી શકે છે. આ કૌટુંખ઼િક બ્રહ્મચર્યની ભાવના હવે સામાજિક મૂલ્યમાં પરિણત થઈ જવી જોઈએ, સમાજમાં સ્ત્રી-પુરૂષના નાગરિક સબંધ અને શિક્ષણસંસ્થાઓમાં વિદ્યાર્થીવિદ્યાર્થીનીઓના સબંધ તથા શિક્ષક-વિદ્યાર્થી અને યુવક–યુવતીઓના સબંધ કૌટુંબિક સંબંધની બુનિયાદના આધારે નવા રૂપમાં પ્રસ્થાપિત થવા જોઇએ. શિક્ષણની યોજના, સાંસ્કૃતિક સંચાજન તથા ઔદ્યોગિક આયેાજન, આ બધાના આધાર સામાજિક બ્રહ્મચર્યના આ શાશ્વત કલ્યાણકારી સંસ્કાર પર છે એમ મનાવુ જોઈએ. ‘ભૂદાન યજ્ઞમાંથી સાભાર ઉષ્કૃત તથા અનુવાદિત મૂળ હીંદી : દાદા ધર્માધિકારી અનુવાદક ; શાન્તિલાલ નન્દુ
SR No.525941
Book TitlePrabuddha Jivan 1956 Year 17 Ank 17 to 24 and Year 18 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1956
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy