SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ ખ જુનાગઢથી વયેવૃધ્ધ ડા. એ. જી. શાહુ તથા સૂરતથી ડા. અમીચ’ઢ છગનલાલ શાહ તરથી પટવારી ખીલનું સચોટ સમર્થન કરતા નિવેદના સંધના કાર્યાલયને મળ્યા છે. અહમદનગરના શ્રી વર્ધમાન શ્રાવક સંઘની કાર્યવાહક સમિતિની તા. ૮-૧-૫૬ ના રાજ મળેલી સભાએ ખાલદીક્ષા પ્રતિઅધક ખીલનું સર્વાનુમતે અનુમેદન કર્યું છે. અહમદનગરથી મુંબઇની વિધાન સભાના ભૂતપૂર્વ સ્પીકર શ્રી કુન્દનમલ એસ. ફ઼િઢિયાએ પટવારી ખીલને ટેકા અપાતા એક નિવેદનની નકલ સંધના કાર્યાલય ઉપર મોકલી છે. પ્રબુદ્ધ જીવન પટવારી બીલને ટકા આપતી હીનાં સખ્યાબંધ પત્રકા મુંબઈ સરકારને પહાંચાડવામાં આવ્યા છે. મંત્રીઓ, મુંબઇ જૈન ચુવક સઘ મુંબઈના ઇતિહાસમાં પહેલી જ વાર જીહુ તટે સર્વોદય મેળે મુંબઇને આંગણે આજ સુધી તા અનેક કાર્યક્રમો થઇ ગયા, પણ સર્વોદય મેળાએ મુંબઇ શહેરી માટે તદ્દન નવા અનુભવ છે. પૂ. ગાંધીજીએ આપણી સામે સર્વોદય સમાજનું ધ્યેય મૂક્યું છે; તુટક તુટક તે ધણું વાંચીએ અને સાંભળીએ પણ છીએ. પરંતુ સર્વોદય સમાજ કેવા હોય એનું સમગ્ર ચિત્ર તે સર્વોય મેળામાંથી જ જોવા મળે છે. આવા એક ભવ્ય મેળા ગાંધીજીના શ્રાદ્ધ દિને મુંબઇમાં યોજાઇ રહ્યો છે. આજના જમાનામાં ધાર્મિક, સામાજિક અને આર્થિક મેળા ભરાતાં ઠેર ઠેર જોઈએ છીએ, પણ એ બધામાં નવી ભાત પાડે અને નવી દૃષ્ટિ આપે એવા તો આ સર્વોદય મેળે જ હશે, કાઈ પણ એક જ હેતુ કે પ્રવૃતિ નહિ, તેમજ કેાઇ એક જ વર્ગ કે જાતના નહિ પણ સૌના હિતના વિચાર એ આ મેળા પાછળના ખ્યાલ હશે, એટલે કે સમાર્જના સર્વાંગી વિકાસના ખ્યાલ પર આની રચના થશે. ગાંધીજીના વિચાર પ્રચારનું આ સર્વશ્રેષ્ઠ સાધન છે. ગુજરાતમાં આવા મેળા ઠેર ઠેર ભરવાના રિવાજ પડતા જાય છે. મુંબઈના શહેરી જીવનમાંથી સર્વોદયનુ સુંદર ચિત્ર ખડુ કરવાનો આ પ્રથમ પ્રયાસ છે. આ મેળામાંથી સમાજમાં સર્વોય અંગે થઈ રહેલી પ્રવૃતિઓના પરિચય થાય, અનુભવી અને વિચારશીલ વ્યકિતનું માન મળે અને સૌને વિચાર વિનિમયની પૂરતી તક મળે એવી વ્યવસ્થા રાખવામાં આવી છે. ૧૧–૧૨ મી ફેબ્રુઆરીએ ચેાતા આ સર્વોદય મેળામાં પધ્યાત્રા, શ્રમશિબિર, પ્રદેશન, રમત ગમત હરિફ્રા, સાંસ્કૃતિક કાર્યક્રમ, વિવિધ ચિત્રા, ‘બાપુ કુટિર’ વગેરે કાર્યક્રમ દ્વારા સમગ્ર ચિત્ર ઉભું કરાશે, આવા ભવ્ય પ્રસંગમાં સાથ આપવા વેપારીઓ, કલાકારો, સમાજસેવા સાહિત્યકારો, વિદ્યાર્થીઓ તેમજ સર્વોદ્યમાં શ્રધ્ધા ધરાવનાર તમામ પ્રજાજનને અમે આમત્રણ આપીએ છીએ. સૂત્રકૂટની રચનામાં શકય હોય તે સા કાઇ એક સુતાંજલી અપણુ કરે. મંત્રીએ, સુખઈ-ઉપનગર ભૂતાન સમિતિ પંડિત સુખલાલજી સન્માન નિધિ જણાવતા આનંદ થાય છે કે કલકત્તા ખાતે આ ફાળાની શરૂઆત થઈ ગઈ છે અને આજ સુધીમાં રૂ।. ૧૫૦૦૦૩ ભરાયા છે, જેમાં મળેલા મુખ્ય વચના નીચે મુજબ છે. ૫૦૦૧ શ્રી. સેહનલાલ દુગ્ડ ૩૧૦૦ શાન્તિપ્રસાદ જૈન ૧૦૦૦, ભાગીરથ કાનેડિયા 22 ૧૦૦૦ કે હેમચંદભાઈ ( જીવણુલાલ કંપનીવાળા ) આ ફાળામાં પંડિતજીના પ્રસંશકા અને મિત્રોને,આ સંબંધે રૂપિયા એક લાખનું લક્ષ્યાંક વિચારેલ હોઈને,--બને તેટલી સારી રકમા મુંબઈ જૈન યુવક સંધના કાર્યાલય ( ૪૫ ૪૭, ધનજી સ્ટ્રીટ ) ઉપર સત્વર માકલી આપવા વિન ંતિ છે. મત્રીએં પંડિત સુખલાલજી સન્માન સમિતિ, મુંબઇ, તા. ૧૫-૧-૫૬ મનના શરીરસ્વાસ્થ્ય સાથેના સંબંધ [ ગતાંકથી ચાલુ ] (૨) પ્રેમમીમાંસા સ્ત્રીપુરૂષના સબંધને સ્વાભાવિક પ્રકાશમાં જોવાને બદલે એની કુરતી આપણે રંગની ઇંદ્રજાળ બાંધી દીધી છે. પ્રભુતામાં પગલાં માંડી દરેક સ્ત્રી આ અધુરાં સ્વપ્નાના રંગે રંગાયેલી હાય છે. થાડા મહિના કે વર્ષ એ વર્ષ પછી એ કલ્પનાની કરામત અળગી થાય છે. પ્રેમનું--- સ્ત્રીપુરૂષ સંબંધનું.--સ્વાભાવિક અને વાસ્તવિક સ્વરૂપ છતું થાય છે. અલૌકિક, સ્વપ્ના અને કલ્પના ખેાટી પડે છે. સ્ત્રીના જીવનના આ એક સધકાળ બને છે. તેના દૈનિક વ્યવહારમાં ફેર નથી પડતા પણુ ધીરે ધીરે એના સ્વાસ્થ્યમાં પલટા આવવા લાગે છે, સ્વભાવ ચીડિયો થઈ જાય છે. નમ્ર હેતાળ સ્વભાવની કેટલીક પ્રેમિકા પત્ની થતાં જ કર્ક શા બની ગઇ હશે. મન શકાશીલ બને છે. પોતાને સતષ ન થતાં પતિ પ્રત્યે વહેમ શરૂ થાય છે. વહેમમાંથી એ મારા જ સર્વસ્વ હાવા જોઇએ એવી માલિકીની વૃત્તિ (Possessive instinct) જાગે છે. પતિ મારા છે અને મને જ વફાદાર રહેવા જોઇએ-આમ પતિ સાથેની તકરાર શરૂ થાય છે. જાતીય સબંધમાં ઓટ આવી જાય છે. ઉદા સીનતા Frigidity પેદા થાય છે. અને આ પશ્ચાત્ ભૂમિકામાં પેલા મનોદૈહિક વ્યાધિ પેદા થાય છે. માથું દુ:ખવુ, કયાત, હિસ્ટીરિયા એવા અનેક પ્રકારના રાગ શરૂ થાય છે. પ્રેમ જેવી લાગણી છે જ નહિ એ સત્યનું ભાન થતાં અને જાતીય આવેગ કાયમ એક સરખા ટકવાના નથી એ શીખતાં પતિનું ધ્યાન પાતા પ્રત્યે કૅમ કેંદ્રિત રાખવુ એ પ્રશ્ન દરેક પત્નીને માટે થઈ પડે છે. કંઇક રાગ, હિસ્ટીરિયા, મને છાતીમાં ગભરામણ થાય છે વિગેરે કરિયાદો પતિનું ધ્યાન પોતા પર કેંદ્રિત કરવા માટે જન્મે છે. “હું આટ આટલી રોગથી પીડાઉ' અને તમે મારા પ્રત્યે ધ્યાન પણ ન આપે।.” ાના બાટલા, ડૉક્ટરોનાં ખીલ, હવાફેરના ધખારા સૌ શરૂ થાય છે. પ્રેમના નામથી પેલી આકાશી ઇમારત તૂટું તૂટું થઇ રહી હૈાય છે—એને ટકાવવાને પૉલા લાકડાના થાંભલા ઉભા કરવામાં આવે છે. પતિ પત્નીના દૈનિક જીવનમાં ફેર પડતા નથી. પણ મનનું સધણુ ધીરે ધીરે મનને અને શરીરસ્વાસ્થ્યને કારી ખાય છે. એક જ વ્યકિત પ્રત્યે જીવનભર અટલ પ્રેમ રહે તે વસ્તુ સુદર પણ કલ્પનાતીત જ લાગે છે. સ્ત્રી પુરૂષ પરસ્પર સપર્કમાં આવતાં-જાતીય આકર્ષણુ ઉપજે છે. પરંતુ તેની પાછળ કંઇ પણ ચિરંજીવ તત્વ કામ કરી રહ્યુ હાય એમ માનવાને આપણી પાસે કાઈ કારણ નથી. આ જાતીય આકર્ષણ સાથે માનસિક ચેતનાને સાંકળીને આપણે કાલ્પનિક રીતે જાતીય વૃત્તિને “દૈવી સ્વરૂપ” અથવા “પ્રેમ” કહીએ છીએ. સ્ત્રીનુ સૌદર્ય, છટા અને અલભ્યતા પુરૂષને ઉશ્કરી મૂકે છે અને પોતાના અહં−ego−libido-તે સ ંતોષવા તે સ્ત્રીને પેાતાની બનાવવા તલસે છે. મનુષ્ય એ જાતીય આવેગારા ખેચાતુ એક યંત્ર બની જાય છે, લગ્ન પછીના થોડાક મહિના બાદ પ્રેમ ક્ષીણ થવા માંડે છે, અને થોડાંક વર્ષો પછી તેના અવશેષ પણ જોવા મળતા નથી. પ્રેમને સ્થાને ઉપેક્ષા અને તિરસ્કારની લાગણી પ્રવર્તતી જાય છે. પરસ્પરને અસતેષ નિરંતર વૃધ્ધિ પામીને બન્નેના જીવનને અસહ્ય બનાવી મૂકે છે. નવાણું ટકા પરિણિત કુટુખે આ રીતે નરકવાસ ભોગવી રહ્યા છે-અને આપણા સમાજની ચાલુ પ્રણાલિકા પ્રમાણે એ અનિવાર્ય જણાય છે. પરંતુ શરૂઆતથી જ જાતીય આવેશ જેવી તીવ્ર શકિત કુદરતી છે એમ માનીને સંતોષ આપીને અથવા તે લાગણીથી અને સમજાવટથી તેનું રૂપાંતર કરીને ઉર્ધ્વીકરણ કરવામાં આવ્યું હાય તે સારાએ સમાજમાંથી ઘણી વ્યકિતઓને વધુ શકિતશાળી અને ઉચ્ચ ચારિત્ર્યવાન મહાપુરૂષો બનાવી શકાય. કલ્પનાના પાયા પર રચેલી આપણી પ્રેમની ઇમારત હોય તેવાં ૪૦ થી વધુ ટકા સખ્યામાં દંપતી દુઃખી થાય છે. 10
SR No.525941
Book TitlePrabuddha Jivan 1956 Year 17 Ank 17 to 24 and Year 18 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1956
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy