________________
તા. ૧૫-૧૫૬
સફળતાપૂર્ણાંક પાર પાડે અને વૈશાલીને જૈન સંસ્કૃતિનું માત્ર ઐતિહાસિક નહિ પણ જીવન્ત કેન્દ્ર બનાવે એવી આપણી તેમના વિષે શુભેચ્છા હા !
પ્રબુદ્ધ જીવન
૧૯૬ ક
ડાંગ સ્વરાજ આશ્રમને મદદની જરૂર શ્રી. રવિશંકર મહારાજ તથા શ્રી. જુગતરામ દવેની અપીલ આ આશ્રમને મદદ કરવા માટે પૂજ્ય રવિશંકર મહારાજ અને શ્રી. જુગતરામ દવેએ એક અપીલ બહાર પાડી છે. તેમાં તે જણાવે છે કેઃ—
ડાંગના પછાત ભાગમાં ડાંગ સ્વરાજ આશ્રમ, આહવા તરથી સાત વર્ષોંથી સર્વોદયની દૃષ્ટિએ વિવિધ પ્રકારનાં નઈ તાલીમનાં અને ખીજા રચનાત્મક કામો ચાલી રહ્યાં છે. ડાંગના આખા પ્રદેશને આવરી લેતી આ પ્રવૃત્તિમાં સ્વાભાવિક રીતે જ ખુબ ખર્ચ થાય છે અને સરકારી નિયમ પ્રમાણેની મદદ મળતી હેાવા છતાં નાણાંની મોટી ખાટ રહે છે. ડાંગની પ્રજામાંથી તે માટે કઈ આશા રાખી ન શકાય એ દેખીતું છે. તેથી આશ્રમ અને ડાંગમાં આદિવાસીઓની સેવા પ્રત્યે પ્રેમ ધરાવનારા સજ્જતા અને સન્નારીઓ ઉપર જ આધાર રાખવા રહ્યો. ડાંગના લકાની કાયાપલટ કરવા માટેના આ કામ માટે ડાંગ સ્વરાજ આશ્રમ તરફથી મુંબઈ ગુજરાતની જનતા પ્રત્યે માગણી રજી કરવામાં આવી છે તે પૂરી કરવાની અંતઃકરણથી ભલામણ કરીએ છીએ.”
તેઓ વધુમાં જણાવે છે કે, “ડાંગના ૩૧૦ ગામાની ૯૦૦૦ ઝુંપડીઓમાં વસતા ૪૮૦૦૦ ગરીબ, અજ્ઞાન અને અર્ધનગ્ન માણુસેાની કાયાપલટ કરવાનું કામ ડાંગ સ્વરાજ આશ્રમ પોતાનાં છ ગ્રામસેવા કેન્દ્ર અને બાવીસ પ્રવૃત્તિારા ૫૦ જેટલાં નાનાં કેન્દ્રો મારફત કરે છે. આ સંસ્થા સરકારી, બીનસરકારી, અર્ધ સરકારી અને સહંકારી પ્રવૃત્તિારા ડાંગી લાંકાના જીવનને સ્પર્શતા તમામ પ્રશ્નો ઉકેલવા પરિશ્રમ કરે છે, આશ્રમની શિક્ષણ પ્રવૃત્તિમાં બાલવાડી, નયી તાલીમ શાળા, કુમાર છાત્રાલયા, કન્યા છાત્રાલયો, સમાજ શિક્ષણ વર્ગો, હિંદી શિક્ષણ વગેરે પ્રવૃત્તિઓ કરે છે, લેકાના આર્થિક અને સામાજિક મુશ્કેલીના પ્રશ્નો પણ ઉકેલી આપે છે. સરકાર અને ગાંધીનિધિમાંથી આ સંસ્થાને જે મદદ મળતી રહે છે, તેથી વધારે ખર્ચ થાય છે અને તેથી બહારની આર્થિક પુરવણીની હંમેશા જરૂર રહે છે તે મુંબઇ અને મહાગુજરાતના ઉદાર નરનારીઓને આ સંસ્થાને મદ કરવાની વિનંતિ છે.” આ સંસ્થાના ટ્રસ્ટીએ નીચે મુજબ છે.
અહિં જણાવવું અસ્થાને નહિ ગણાય કે બિહારમાં વૈદિક સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાના ઉચ્ચ શિક્ષણ માટે એક સંસ્થા દરભંગામાં વર્ષોથી કામ કરી રહી છે. તદુપરાન્ત આજથી પાંચેક વર્ષ પહેલાં ઔધ્ધ ધર્મ અને પાલી ભાષાના અધ્યયન માટે નાલંદામાં એક વિદ્યાપીઠની સ્થાપના થઇ ચુકી છે. અને ત્યાર માદ જૈન સ ંસ્કૃતિ અને પ્રાકૃત ભાષાના અધ્યયન માટે ઉપર જણાવ્યા પ્રમાણે થોડા સમય પહેલાં વૈશાલીમાં એક વિધાપીઠ સ્થાપવામાં આવેલ છે. આ ત્રણે સંસ્થા બિહાર સરકારના આશ્રય નીચે એકબીજાના પૂરા સહકારમાં કામ કરે અને ત્રણે સંસ્કૃતિને સમન્વય અને ઉત્કર્ષ સાધે એમ આપણે અન્તરથી પ્રાર્થીએ. ફેન્સી ડ્રેસના કાર્યક્રમમાં સ્થાનકવાસી સાધુની રજુઆત
રાજકાટ ખાતે ધર્મેન્દ્રસિંહજી કાલેજમાં તા. ૧૮-૧૨-૧૫ ના રોજ ફેન્સી ડ્રેસના એક કાર્યક્રમ યાજવામાં આવ્યા હતા. આમાં એક વિધાર્થીએ સ્થાનકવાસી સાધુનો વેશ ધારણ કરીને રજી થયા હતા. આથી સ્થાનકવાસી સમાજમાં ભારે રોષ પ્રગટી ઉથયા હતા અને સૌરાષ્ટ્રમાં સ્થળે સ્થળે આ અંગે વિરાધના ઠરાવો થઈ રહ્યા હતા.
આ વિધિની લાગણીની જાણ થતાં કાલેજના પ્રીન્સીપાલે કાલેજના ઉત્સવ દરમિયાન લેખિત દિલગીરી પ્રદર્શિત કરી હતી અને તેમના કે અન્ય કાષ્ઠ વિધાર્થીઓના કાઈ પણુ કામની સાંપ્રદાયિક લાગણી દુભાવવાને લેશ પાત્ર આશય નહાતા એમ જણાવ્યું હતું.
૧
અહારની દુનિયામાં જે ચિત્રવિચિત્ર વેશભૂષા અને શરીરભૂષા જોવામાં આવે છે તેની રંગભૂમિ ઉપર નકલ કરીને લાને આનંદ આપવા—ગમત સાથે જ્ઞાન આપવું–એ આવા ફેન્સી ડ્રેસના કાર્યક્રમના આશય હાય છે. તેની પાછળ કર્દિ કદિ કાષ્ઠને ઉતારી પાડવાના, હલકાં ઓળખાવવાના કે હાસ્યાસ્પદ દેખાડવાને પણ આશય હોય છે. ઉપર જણાવેલા ફ્રેન્સી ડ્રેસના કાર્યક્રમમાં જૈન સાધુ કેવા પોશાક પહેરે છે અને તેના ખાલવા ચાલવાની રીતભાત કેવી હાય છે એટલે જૈન સાધુને રા કરવા પાછળ હોય તે તેમાં કશું પણ વાંધાપડતું લેખાવું ન જોઇએ. આને બદલે જૈન સાધુને હાસ્યાસ્પદ રીતે દેખાડડવાના હેતુથી રજુ કરવામાં આવેલ હાય તેા તેથી જૈતાની સાંપ્રદાયિક લાગણી દુભાય એ સ્વાભાવિક છે. આ સામે જરૂર વાંધો ઉઠાવવા જોઇએ અને આવું બનતું અટકાવવુ જોઇએ.
હેતુ
ખીજી બાજુએ જૈનાએ પણ આવી બાબતને ગંભીર રૂપ ન આપતાં હળવા દિલથી જોતાં શિખવુ જોઇએ. જૈનામાં આવી ખાબતને પોતાના ધર્મ ઉપર આક્રમણની નજરે જોતા રહેવાની ટેવ એક પ્રકારની લાધવગ્રંથિમાંથી કેળવાયલી છે. રંગભૂમિ ઉપર જૈન સાધુઓને રજુ કરવા સામે જૈનાના ચાલુ વિધિ પણ આ જ વૃત્તિ દ્વારા પોષાતા રહ્યો છે. સદ્ભાગ્યે જૈન સમાજના આ વિરોધ ઢીલા પડતા જાય છે એ આનની વાત છે. એ વર્ષ પહેલાં શ્રી ખીમચંદ વેારાએ લખેલ સતી સુભદ્રાનું નાટક સ્થાનકવાસી જૈન યુવક મડળે ભજવેલું અને તેમાં સ્થાનકવાસી વેશમાં વારવા આવતા જૈન સાધુને આબાદ રીતે રજુ કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે જૈન મહિલા સમાજે ભજવેલ ‘તર’ગવતી’ નાટકમાં જૈન સાધ્વીને પણ રજુ કરવામાં આવી હતી. આ બાબતને સાચ અને વિરોધ અને જૈન સમાજમાંથી જવા જોઇએ. જૈનેાની આ સાંકડી મનોદશા અનેક સુન્દર હૃદયંગમ જૈન કથાઓને રંગભૂમિ ઉપર રજુ કરવામાં આડે આવે છે અને તેથી સામાન્ય જનતાના જૈન ધર્મ વિષેના અજ્ઞાન અને ખાટા ખ્યાલેામાં આજના પ્રસિધ્ધિયુગમાં પણ કશે મહત્વના કરક પડતો નથી. જે ધર્મ પ્રચારલક્ષી છે તેણે પોતાનાં દ્વાર રંગભૂમિ તથા ચિત્રપટા માટે ખુલ્લાં મૂકવા જોઇએ અને પેાતાના ધર્મમાં રહેલાં આદર્શ ચરિત્રોની દુનિયાને એ રીતે બને તેટલી જાણ કરવા માટે સદા તત્પર રહેવું જોઇએ.
પર્માન દ
(૧) શ્રી. જુગતરામભાઇ દવે, સ્વરાજ્ય આશ્રમ વેડછી (૨) શ્રી. બહાદુરભાઈ કે. પટેલ. એમ. પી. વાંસદા (૩) શ્રીમતી મણિબહેન નાણાવટી, વિલેપારલે (૪) શ્રી. દિલખુશભાઇ બ. દિવાનજી, ગાંધી કુટિર, કરાડી (૫) શ્રી છેટુભાઇ ગુલાબભાઇ નાયક, ડાંગ સ્વરાજ આશ્રમ, આહવા,
મદ માટેના ચેક, ડાંગ સ્વરાજ આશ્રમ, આહવા, ખીલીમેરા થઇને એ સરનામે લખી મોકલવા અથવા શ્રીમતી મણિબહેન સી. નાણાવટી, અરૂણાય, લજપતરાય રાડ, વિલેપારલે (પશ્ચિમ) મુંબઇ, ૨૪ 2. નં. ૮૬૦૯૦ માં પૂછ્યુ અથવા લખી મોકલવું,
પટવારી ખીલને મળી રહેલુ સમર્થન થાણાના કચ્છી કાઠિયાવાડી ગુજરાતી જૈન સંધે પ્રસ્તુત હેતુ માટે ખેલાવવામાં આવેલી સભામાં સર્વાનુમતે નીચે મુજબ ઠરાવ કર્યાં છેઃ
“આથી ઠરાવવામાં આવે છે કે આપણા જૈન સમાજમાં લાંબા સમયથી કુમળી વયનાં બાળક બાળકીઓને ખાલદીક્ષા આપવામાં આવે છે, એવા કુમળી વયનાં બાળક–બાળકીઓને ધર્મના નામે અપાતી બાળદીક્ષાને આ સભા સખ્ત શબ્દોમાં વિરોધ કરે છે અને સમાજમાં ચાલતા આ અનિષ્ટને નાબુદ કરવા માટે શ્રી પ્રભુદાસ બાલુભાઈ પટવારીએ રજુ કરેલ ખાલદીક્ષા પ્રતિબંધક ખરડાને સર્વાનુમતે આવકારે છે.”
ધી મેમ્બે ગ્રેન ડીલર્સ ફીડરેશન તરફથી શ્રી પટવારી ખીલને ટકા આપતું એક નિવેદન મુંબઈ સરકાર ઉપર મોકલી આપવામાં આવ્યું છે. આ ફીડરેશનમાં મુંબઈના ૪૦૦૦ થી વધારે રીટેઈલ દાણાના વ્યાપારી સભ્યો છે અને આ વ્યાપારીઓમાંથી ૯૦ ટકા જૈતા છે.