SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ૦ ભાઈનું વ્યાખ્યાન ચાલતુ હતુ તે દરમિયાન તેમણે પથ્થરબાજી ચાલુ રાખી. આ રીતે ગુજરાતની શરમના કાઈ છેડા રહ્યો નહિ. આમ પથ્થરબાજી ચાલુ રહેવા છતાં મારારજીભાઇએ અણુનમ ચોદ્ધા માફક પોતાનું ખાલવુ ચાલુ રાખ્યું, અને સાત સાત દિવસના ઉપવાસ પછી પણ સૌ કાઈ તેમને સ્પષ્ટપણે' સાંભળી અને સમજી શકે તેવી રીતે ગુજરાત અને અમદાવાદ આજે જે વિનાશના માર્ગે જઈ રહ્યું છે તે અંગે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી. આમ સાધા રણ માણસને મૂતિ બનાવી દે એવી ચકાસણીમાંથી તેઓ સફળતાપૂર્વક પાર ઉતર્યાં છે. અનેક ત્રુટિઓ હાવા છતાં આજે સત્યનિષ્ઠા અને મક્કમતામાં મારારજીભાઇની જોડી ગુજરાતમાં મળવી મુશ્કેલ છે. છેલ્લા દશ મહીના દરમિયાન તેમની પાર વિનાની કસાટી થઇ રહી છે. બધાં તાક્ાના વચ્ચે તે અડાલપણે ઉભા છે અને જીવનની છેલ્લી ક્ષણ સુધી તેઓ એજ રીતે ઉભા રહેવાના છે. આ માનવવીરને આપણાં અનેક વન્દન હો ! • મહાદ્રિભાષી મુંબઇ પ્રદેશ ' શ્રી, મુંબઇ જૈન યુવક સંધના આશ્રય નીચે તા. ૨૩-૮-૫૬ ગુરૂવારના રાજ સી, પી, ટેંક પાસે આવેલા હીરાબાગ હાલમાં ‘મહાદ્વિભાષી મુંબઇ પ્રદેશ' એ વિષય ઉપર લેાકસભાના સભ્ય શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહનું જાહેર વ્યાખ્યાન ગોઠવવામાં આવ્યું હતું. મુંબઇ પ્રદેશના મજુર પ્રધાન શ્રી. શાન્તિલાલ હર્શ્ર્વન શાહ પ્રમુખ– સ્યાને ખીરાજ્યા હતા. વ્યાખ્યાનસભા શ્રોતાઓથી ચીકાર ભરાઇ ગઇ હતી. શ્રી ચીમનભાઈ લાકસભાના સભ્ય હૈાવા ઉપરાંત મુખઈના મહારાષ્ટ્ર ગુજરાતના પ્રશ્ન સાથે, પ્રદેશ પુનરરચના પંચ નીમાયું તે પહેલાંથી, સાંકળાયલા હતા. મુબઇ શહેર સમિતિના તે અગ્રગણ્ય સભ્ય હતા. ગુજરાત પ્રદેશ ક્રાંગ્રેસ સમિતિ તરથી પુનરરચના પંચ તરફ મોકલવામાં આવેલ નિવેદન ઘડવામાં તેમ જ પંચ સમક્ષ જુબાની આપવામાં તેમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. લોકસભામાં પુનરરચનાનેા પ્રશ્ન બે વખત વિગતથી ચર્ચવામાં આવ્યે તે અને એકા દરમિયાન મુંબઈ મહારાષ્ટ્ર તથા ગુજરાત સબંધે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું દૃષ્ટિબિન્દુ રજી કરતાં આખા પ્રશ્નને તેમણે બહુ વિસ્તારથી ચર્ચા હતા અને ગુજરાતના દૃષ્ટિબિન્દુના વિરોધ કરતા મહારાષ્ટ્રી સભ્યોને બધા મુદ્દાઓ ઉપર સચોટ જવાબ આપ્યો હતો. આજે દ્વિભાષી મુંબઈના પ્રશ્ન ચેતરક અત્યન્ત ચર્ચાસ્પદ બનેલે હેાઈને એકભાષી મહાગુજરાતને બદલે દ્વિભાષી મુંબઈ પ્રદેશની યોજના લાકસભાએ બહુ મેટી બહુમતીથી લગભગ સર્વાનુમતીથી—મ ંજુર કરી તેની પાછળ કઈ વિચારભૂમિકા હતી તે વિષે પુષ્કળ ગેરસમજુતી અને તર્કવિતર્કો પ્રવર્તતા હતા. આ સંબંધમાં લોકાને આધારભૂત માહીતી મળે તે હેતુથી આ વ્યાખ્યાન યેાજવામાં આવ્યુ હતુ. શ્રી ચીમનભાઇએ આ વિષય ઉપર લગભગ એક ક્લાક વ્યાખ્યાન આપ્યું તે દરમિયાન પ્રાદેશિક પુનરરચનાના પ્રશ્ન અંગે પ્રાર ંભથી તે આજ સુધીના પ્રતિ. હાસ તેમણે રજી કર્યાં હતા અને ગુજરાત પ્રદેશ કાંગ્રેસ સમિતિએ , પ્રાર ંભથી તે આજ સુધી દ્વિભાષી મુંબઈ રાજ્ય ચાલુ રાખવા તરફ જ પોતાના ઝોક દાખવ્યો હતા અને વિકલ્પે જ એકભાષી ગુજરાતની માંગણી કરી હતી તે ક્રમબધ્ધ વિગત આપીને સમજાવ્યું હતું. છેવટે લોકસભામાં એકભાષી ગુજરાત, મહારાષ્ટ્ર તથા, કેન્દ્રશાસિત મુખઈની યેાજનાને પડતી મૂકીને વિદર્ભ સહિતના દ્વિભાષી મુંબઇ પ્રદેશને સ્વીકાર કરવા અંગે કેવા અણુધાર્યા સંયોગો ઉભા થયા, અને મહારાષ્ટ્રી તથા ગુજરાતી પ્રતિનિધિઓએ આ વિષે અલગ તેમ જ પંડિત જવાહરલાલ સાથે વિગતવાર ચર્ચા કરીને મહાદ્વિભાષી મુંબઇને કેવી રીતે સ ંમતિ આપી તેનુ કધ્ધિ ચિત્ર તેમણે રા કર્યું. હતું. ચર્ચા દરમિયાન મહાગુજરાતને આગ્રહ ધરાવતા કેટલાક ભાઈઓએ પ્રશ્ન પૂછીને અને ઉગ્રતા દાખવીને સભાના વાતાવરણને જરા ગરમ બનાવ્યું હતું. શ્રી શાન્તિલાલ શાહે ટુંકમાં ઉપસહાર કર્યો હતો અને પ્રમુખશ્રી તથા વકતાના આભાર માનીને સભા વિસર્જન કરવામાં આવી હતી. અલગ પાનદ તા. ૧૯-૫૬ વર્ષાને અંજલિ ( આ વર્ષે આપણે વર્ષાને તેના પૂર્ણ સ્વરૂપમાં એટલે કે ગંભીર તેમજ ઉન્મ-ત, ભદ્ર તેમજ રૂદ્ર સ્વરૂપમાં નિહાળી, અનુભવી. હજી પણ વર્ષાઋતુ સમાપ્ત થઇ નથી. ગઇ કાલ સુધી સતત ધારાએ કલાકા સુધી પડેલા વરસાદના ભણકારા આપણા કાનમાં હજુ પણ વાગ્યા કરે છે. મેઘધનુષ્ય માર્ક જેની વર્ણલીલા અપાર છે, અજોડ છે એવી વર્ષાને કાકાસાહેબે ‘વર્ષાં આગમની’ એ મથાળા નીચે મંગળ પ્રભાત'ના જુલાઇ માસમાં પ્રગટ થયેલ લેખમાં ભારે અદ્ભુત 'જલિ આપી છે. તે વાંચતાં વર્ષાતુ આપણી આંખ સામે નવલ સ્વરૂપમાં રજુ થાય છે, આપણું દિલ ન, તેમજ કલ્પનાની લહરિએ વડે ડોલાયમાન થાય છે. એ લેખના અનુવાદ નીચે પ્રગટ કરવામાં આવે છે. પરમાનદ ) કાલીદાસના એક શ્લાક મને અત્યંત પ્રિય છે. ઉર્વશી અતનિ થવાને કારણે વિયેાગ–વિહ્વળ રાજા પુરૂરવા વર્ષા ઋતુના પ્રારંભમાં આકાશ પ્રત્યે મીટ માંડે છે અને તેને ભ્રમ થાય છે કે જાણે કે એક રાક્ષસ ઉર્વશીનું અપહરણ કરે છે. કવિએ આ ભ્રમનુ વર્ણન કર્યું નથી; પરંતુ આ ભ્રમ માત્ર ભ્રમ જ છે એ હકીકત સમજ્યા બાદ, એ ભ્રમની છાયામાં અસલ સ્થિતિ શું હતી તેનુ વર્ણન કર્યું છે. પુરૂરવા કહે છે: “આકાશમાં જે ભીમકાય શ્યામવણુ આકાર દેખાય છે તે કાઇ ઉન્મત્ત રાક્ષસ નથી, પરંતુ વર્ષાના પાણીથી છલોછલ ભરેલ એક વાદળ જ છે. અને આ સામે જે દેખાય છે તે રાક્ષસનુ ં ધનુષ્ય નથી, પરંતુ પ્રકૃતિનું ઈંદ્રધનુ જ છે. આ જે વાયુની ઝડી છે, તે આણાની વર્ષા નથી, પરંતુ જલની ધારાઓ છે. અને મધ્યમાં જે પોતાના તેજથી ચમકતી દૃશ્યમાન છે તે મારી પ્રિયા વંશી નહિઁ કિંતુ કસોટીના પથ્થર પર સુવર્ણની રેખા જેવી વીજળી છે.” કલ્પનામાં ઉડ્ડયન કરવાની સાથે આકાશમાં ઉડ્ડયન કરવાને તે કવિઓના સ્વભાવ અને ખાસિયત છે જ. કિંતુ આકાશમાં સ્વચ્છન્દ વિહાર કર્યા બાદ, પંખી જ્યારે નીચે પોતાના માળામાં આવીને આરામથી એસે છે ત્યારે તેની એવી અનુભૂતિની મધુરતા કઈ ઓર જ હાય છે. જગતમાંના અનેકાનેક પ્રદેશમાં પર્યટન કરીને સ્વદેશ પાછા આવતાં મનને જે અનેક પ્રકારના સતાષ પ્રાપ્ત થાય છે, ધૈર્યના જે લાભ મળે છે અને નિશ્ચિંતતા છૂટકારા-ને જે આનંદ અનુભવાય છે તે તે! એક ચિરપ્રવાસી જ દર્શાવી શકે. મને આ વાતને ખરેખર સતાષ છે કે કલ્પનાના ઉડ્ડયન પશ્ચાત્ જલધારાની માફક નીચે ઉતરવાના સષ વ્યકત કરવા માટે કાલીદાસે વર્ષાઋતુની જ પસંદગી કરી. + * + થી. + , જ્યારે યાત્રા માટે આધુનિક સાધનાની હસ્તિ ન હતી અને પ્રકૃતિને પરાસ્ત કરીને તેના પર વિજય પામવાને આનંદ પણ મનુષ્ય મનાવતા ન હતા, ત્યારે લોકો શીતઋતુના અંત ભાગમાં યાત્રા— પર્યટને નીકળી પડતા હતા અને દેશ-દેશાન્તરની સંસ્કૃતિઓનુ નિરીક્ષણ કરીને અને સર્વે પ્રકારના પુરૂષાર્થની સાધના કરીને વર્ષાઋતુના આગમન પહેલાં જ પોતાને ઘેર પાછા આવી જતા હતા. તે યુગમાં, સ ંસ્કૃતિ સમન્વયનું મીશન ( જીવનકાર્ય ) પોતાના હૃદય પર વહન કરતા માર્ગો અનેક ખડાનુ એક ખીજા સાથે મિલન કરાવતા હતા. જીવન–પ્રવાહને પરાસ્ત કરતા પુલોની સંખ્યા ઘણી જ ઓછી હતી. જે હતા તે માત્ર સેતુ જ હતા. તે સેતુનું કામ હતું માત્ર જીવન–પ્રવાહને રોકી લેવાનું અને માનવા માટે માર્ગ સ્પષ્ટ કરી આપવાનું. પરંતુ જ્યારે જીવનને આ બધન અસહ્વ લાગતુ હતુ ત્યારે સેતુઓને તેાડી નાખવાનુ અને પાણીના વહેણ માટે રસ્તા મુક્ત કરવાનું કામ પ્રવાહનું રહેતું હતું. આ હતેા પ્રાચીન ક્રમ. નદી-નાળાંઓનુ વધારાનું પાણી રસ્તાઓ અને સેતુઓને તેડી નાખે તે પહેલાં જ યાત્રિકા પોત-પોતાને ઘેર પાછા આવી જતા હતા તેનુ આ જ કારણ હતું. માટે જ વર્ષાઋતુને વરસની “મહીમામયી ઋતુ” માનવામાં આવે છે. અસલમાં ‘વરસ' નામ પણ ‘વર્ષો' ઉપરથી પડયું છે. અમે કઈં નહિ તેયે પચાસ વર્ષોં-ઋતુએ જોઈ છે.આ શબ્દોથી આપણા મુઝાઁ પ્રાયઃ પેાતાના અનુભવા કહેતાં વાતના દાર હાથમાં લઈ લે છે.
SR No.525941
Book TitlePrabuddha Jivan 1956 Year 17 Ank 17 to 24 and Year 18 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1956
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy