SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૯-૫૬ પ્રબુદ્ધ જીવન પ્રકીર્ણ નોંધ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિને ધન્યવાદ દ્વિભાષી મુંબઈ પ્રદેશ સામે સૌરાષ્ટ્રમાં અને વિશેષે કરીને ગુજરાતમાં આટલા બધા વાવટાળ ઉડવા છતાં તા. ૧૯-૮-૧૬ ના રાજ મળેલી ગુજરાત પ્રદેશ કેંગ્રેસ સમિતિની સભાએ, ભારતની લોકસભાએ બહુ મોટી બહુમતીથી લીધેલા બૃહત દ્વિભાષી મુંઇ પ્રદેશ રચવાના નિર્ણયને ૧૦ વિદ્ધ ૧૧૦ ની જંગી બહુમતીથી બહાલી આપી એ માટે એ સમિતિના સભ્યાને, તેમણે બતાવેલી જાહેર હીંમત માટે, ધન્યવાદ ધટે છે, જે શ સભ્યો વિરૂદ્ધ હતા તેમાંના ઘણા ખરા અમદાવાદના હતા. જે નિર્ણયમાં પેાતાનું અને સમગ્ર ભારતનું હિત અન્ય સભ્યો જોઇ શકયા તે નિર્ણયને તે પ્રકારે અમદાવાદના સભ્યા જોઈ ન શકયા એ જરા દુઃખદ છે. અમદાવાદ તળમાં આ વિષે કેવા ઉગ્ર અભિપ્રાય પ્રવર્તે છે તેને આ ઉપરથી આપણને કાંઈક ખ્યાલ આવે છે. શ્રી મોરારજીભાઇની તપશ્ચર્યા શ્રી મેોરારજીભાઇ ઓગસ્ટ માસની ૧૮ મી તારીખે સવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની બેઠકમાં ભાગ લેવા માટે અમદાવાદ જઈ પહેોંચ્યા. એ બેઠકનું કામકાજ પુરૂં થવા વાદ અમદાવાદના લેક તેમને શાન્તિથી સાંભળવા તૈયાર ન થાય ત્યાં સુધી અનિયમિત મુદ્દત માટે તેમણે ઉપવાસ જાહેર કર્યાં. આ ઉપવાસ અંગે નિવેદન કરતાં તેમણે જણાવ્યું હતું. કેઃ ‘’બધા જ ગુજરાતીભાષી અને મરાઠીભાષી વિસ્તારોના બનેલા મુંબઇના મોટા દ્વિભાષી રાજ્યની રચના સામે વિરોધ કરનાર વ્યકિત અથવા તા સમૂહોએ અમદાવાદ શહેરમાં હિંસા અને ધાકધમકીનું જે વાતાવરણ ઉભું કર્યું છે તે જોઇને મને અત્યંત દુ:ખ અને વેદના થઈ છે. “આજે હું અહિં ગુજરાત પ્રદેશ કાન્ગ્રેસ સમિતિની બેઠકમાં હાજરી આપવા આવ્યો અને આ તકનો લાભ લઇ સાંજના અમદાવાદના શહેરીઓની સભા સમક્ષ ખેલવાનો મારા ઈરાદા હતા. પણ મને માનવાને કારણ છે કે મેટાબાગના લોકએ જેઓએ અન્યથા મારું ભાષણ સાંભળવાની ઇચ્છા કરી હતી, તેમને ધાકધમકી આપવામાં આવી હતી. અને સભામાં હાજર રહેતા અટકાવવામાં આવ્યા હતા. “આ બધાનો અર્થ લેાકશાહીના સિદ્ધાંતના ઈનકાર કરવા બરાબર છે. કાઇ પણ વાકશાહી સરકાર આવી પરિસ્થિતિ સહેજે પણ ચાલુ રહે તે સાંખી શકે નહિ. પરિસ્થિતિને થાળે પાડવા માટે સરકારે બળને ઉપયાગ કરવા જ રહ્યો. અને આના પરિણામે જાનની વધુ હાનિ પણ થાય. આ વિચારથી મને દુ:ખ થયુ' છે. અને મને લાગે છે કે ગુજરાતની સંસ્કારીતા અને લેાકશાહી પ્રાણલિકાનું જતન કરવુ હાય । જ્યાં સુધી હું જાહેર સભા સમક્ષ એલી ન શકું અને લોકા મને શાંતિપૂર્વક સાંભળી ન શકે ત્યાં સુધી મારે ઉપવાસ કરવા જોઇએ. “સાધારણ રીતે આવા ઉપવાસમાં હું માનતો નથી. વળી આ ઉપવાસ કાઈ વ્યકિતઓની સામે પણ નથી, પણ મને લાગે છે કે જ્યાં સુધી અમદાવાદના શપુરી તેમના નિત્યના જીવનવ્યવહાર કાઈ પણ પ્રકારના અંતરાય વિના ચલાવી ન શકે ત્યાં સુધી મારે તે આદરવા જોઇએ. મારી નજર સમક્ષ જ ગુજરાત તેની ઉજ્જવળ પ્રણાલિકા સાથે નાશ પામે તે કરતાં બહેતર છે કે મારે પોતાએ મટી જવુ જોઇએ, કે જેથી ગુજરાત જીવતુ રહે અને સમસ્ત રાષ્ટ્રને બળ આપતુ રહે.” આ નિવેદનમાં તેમના ક્લિની પાર વિનાની વ્યથા ભરી છે એ જોઈ શકાય તેમ છે. અમદાવાદ અને અન્યત્ર જે હિંસક વાતાવરણે ઘેરો ઘાલ્યા હતા તેનુ સરકારી પ્રતિહિંસા વડે નિવારણ કરવાનું કામ અશકય બન્યું હતું. આ માટે અન્ય પ્રકારના ક્રાઇ જલદ ઉપાયની જ જરૂર હતી. આ ઉપાય સદ્ભાગ્યે ઇશ્વરે મારારજીભાઇને સુઝાડયો અને તે અનિયત ઉપવાસ ઉપર આરૂઢ થયા. પેાતાના નિવેદનમાં મેોરારજી ભાઇએ એ પ્રકારનું સૂચન કર્યું છે કે અમદાવાદ શહેરના મોટા ભાગના લોકા તેમને સાંભળવા ચ્છેિ છે, પણ તેમને બળાત્કારે રોકી રાખવામાં આવ્યા છે. આ તેમનું નિદાન અમદાવાદની એ દિવસોની વાસ્તવિક પરિસ્થિતિ વિચારતાં ખરાબર નથી લાગતું. આઠમી તારીખથી શરૂ થયેલી ધટનાઓએ ત્યાંના ઘણા મેટા ભાગના લાકેાને કાંગ્રેસ અને મેરારજીભાઇથી વિમુખ બનાવી દીધા હતા, જે વર્ષો સુધી કાંગ્રેસપરાયણ બનીને રહ્યા હતા તેમનાં દિલ પણ ખાસ કરીને આઠમી તારીખે થયેલા વિદ્યાર્થીઓ ઉપરના ગોળીબારથી અને એ પ્રસંગે સ્થાનિક કોંગ્રેસ કાર્યકરોએ દાખવેલી callousness–ઉદાસીનતા થી આપણી કલ્પનામાં ન આવે એ રીતે વિશ્વરી એઠાં હતાં. અને તેથી અમદાવાદના ઘણા ખરા પ્રજાસમુદાય મારારજીભાઇ વિષે એક પ્રકારની પરાંગમુખતા-sullenness–અનુભવતા હતા. અલબત્ત મારાભાઇના ભાષણ માટે યોજાયલી જાહેર સભામાં આવવા ઇચ્છતા અનેક ભાઇબહુના આ જાતના સામાજિક દબાણના કારણે ઘર બહાર નીકળવાની હીંમત કરી નહિ શકયા હોય, પણ સમગ્રપણે સામુદાયિક માનસ ઉપર જણાવ્યું તેવી દશામાંથી પસાર થતું હતું. આને લીધે જ તે દિવસે જાહેર કરવામાં આવેલા જનતા કરફ્યુ ' આટલા બધા સફળ નીવડયો હતા. પૂનામાં પણ ચેડા દિવસ પહેલાં પડિત જવાહરલાલ નેહરૂ ગયેલા ત્યારે તેમની વિરૂદ્ધ વાતાવરણ સારા પ્રમાણમાં જામેલું હતું. એમ છતાં ત્યાંના પ્રજામાનસમાં તેમના વિષે દ્વિધા હાવાના કારણે સંખ્યાબંધ માણસા તેમના વ્યાખ્યાનની જાહેર સભામાં સામાજિક દબાણ પ્રતિકુળ હાવા છતાં જઇ શકયા હતાં. અને એક રીતે એ જાહેર સભા ભરવામાં ન આવી એ સારૂ જ થયું, કારણ કે સાત દિવસના ઉપવાસ પછી પણ તા. ૨૬-૮-૫ રવિવારના રાજ યેજાયલી જાહેર સભામાં જો પથ્થરો ઉઠ્યા અને ત્યાર બાદ ટીયરગેસ વાપરવા પડયા અને ગોળીબાર કરવા પડયા તા, જો ૧૯ મી તારીખે સભા ભરાઈ હોત તો પણ ભયંકર તાન થયા વિના ન રહેત. પણ મારારજીભાઇના ઉપવાસ માત્ર આ કે તે એવા કોઈ એક કારણથી નહિ, પણ છેલ્લા દશ સેિ। દરમિયાન ગુજરાતમાં જે અરાજકતા પ્રવર્તી રહી અને લેાકેાના હાથ ગાંધીાપી ઉછાળવા સુધી પહોંચી ગયા હતા એ કારણે ઉત્તરાત્તર ધનીભૂત થઈ રહેલ વ્યથા અને વેદનામાંથી ઉભા થયા હતા-એમ માનવુ વધારે યેાગ્ય છે. જે પ્રજાએ તેમને હજારાવાર નવાજ્યા છે અને ગાંધીજીના એક ઉત્તમ ક્રેટિના વારસ તરીકે તેમનાં આદરમાન કર્યા છે તે પ્રજા ગાંધીજીની સાવ નીતિ રીતીને ફેંકી દે અને તેમને સાંભળવાની પણ ના કહે– આ પોતાની સામે નીપજી રહેલી વસ્તુસ્થિતિ તેમના માટે અસહ્ય બની જાય એમાં કાંઈ નવા જેવુ નથી. આ સામે શું કરૂ એ અન્તરની ખોજમાંથી તેમને સુઝયુ કે પાતાની જાતને હોડમાં મૂક્યા સિવાય, અને લાકા જો ઠેકાણું ન જ આવે તે પછી ખપી જવા સિવાય તેમના માટે બીજો કાષ્ઠ ઉપાય રહેતો નથી. આનુ પરિણામ એ ક્વિસથી ઉપવાસ શરૂ કરવામાં આવ્યું. અને એ શુભ જ થયું. ગુજરાતમાં જે હિંસા અને બળજબરીની આંધી આવી હતી તે તે ઉપવાસના પ્રતાપે શમી ગઇ. અમદાવાદ પણ શાન્ત અને સ્તબ્ધ બની ગયું. પેાતાને જ્યારે પ્રતીતિ થઇ કે હવે લાંકે તેમને શાન્તિથી સાંભળો ત્યારે, અને જ્યારે અમદાવાદના આગેવાન શહેરીઓએ શાન્તિના માર્ગે ચાલવાની અને તેમને શાન્તિથી સાંભળવાની ખાત્રી આપી ત્યારે, તેમણે લેાકાને કહેવાયોગ્ય કહીને પારણું કરવાના નિર્ણય જાહેર કર્યો અને તે મુજબ તા. ૨૬-૦૮-૫૬ રવિવાર સાંજના સમયે લાલ દરવાજા આગળના મેદાનમાં અમદાવાદની જનતા સમક્ષ તેઓ ઉપસ્થિત થયા, અને અડધા કલાકથી વધારે સમય સુધી તેમણે પોતાની વેદના લાંકા સમક્ષ દર્દભર્યા શબ્દોમાં ઠાલવી. પણ કમનસીબે અમદાવાદને જે તફાની તત્ત્વા ધેરા ધાલીને ખેઠાં હતાં તેમને મેરારજીભાની તપકાર્યાની કશી જ અસર ન થઈ અને સભામાં જ્યારે મોરારજી $!# we #jok
SR No.525941
Book TitlePrabuddha Jivan 1956 Year 17 Ank 17 to 24 and Year 18 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1956
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy