SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૯-૫૬ ઉન્નત કરવામાં કેવા ભાગ ભજવ્યો છે તેને તાદૃશ (ચતાર આપણી સામે લેખકે ખડો કર્યો છે. લેખકની આ શૈલી આ પ્રકારના જીવનચરિત્ર માટે યથાયેાગ્ય જ છે એમ કહ્યા વિના ચાલતુ નથી. ભગવાન મહાવીરનું જીવન પ્રશમરસથી ભરપૂર છે, પણ એ પ્રશમરસની જમાવટ કરવી સરલ નથી. લેખ શ્રૃંગારરસથી નીતરતી કૃતિ ‘ જયદેવ ’ લખી છે. પણ તેમની આ કૃતિ પ્રશમરસના નિરરૂપે સિદ્ધ થઈ છે. એમાં શક નથી. પ્રારંભમાં ભગવાન મહાવીરનું બાલજીવન કુમારસુલભ ભાષામાં લખાયુ છે. અરે જેમ જેમ આગળ વધીએ છીએ તેમ મહાવીરના જીવનનો વિકાસ ક્રમે ક્રમે વધતા જાય છે અને એ જ ક્રમે ભાષા પણ પ્રૌઢ અને ગંભીર બનતી જાય છે. પ્રકરણા અને શાસ્ત્રોમાંથી સુવાકયો આપવામાં આવ્યા છે. તેના અનુવાદ પણ ચોટીલા થયા છે. ગ્રન્થની ભાષા સાદી છતા ગંભીર છે. જયભિખ્ખુનું ઉપમાકૌશલ કાલિદાસના ઉપમાકૌશલની યાદ આપી જાય છે. નાનાં નાનાં વાકયેા પ્રસન્નગભીર શૈલીને નમૂને બની રહે છે. આ બધા ગુણો છતાં એક વાત કહેવાની જરૂર છે જ. સમગ્ર ગ્રન્થમાં ‘ જયભિખ્ખુ છવાયાં નથી. તેમની મનન શક્તિ, તેમની ભાષા શકિત અને રજીત કરવાની કુશળતાએ બધાના લાભ સરખીરીતે આખી કૃતિને નથી મળ્યા. તેથી કેટલાક પ્રકરણાને ઉઠાવ શિથિલ છે. અને કેટલાક ગાશાળક જેવા મહાપુરુષોના જીવનના ઉઠાવ જેવા પ્રારભમાં થયા છે. તેના અંત સુધી નિર્વાહ નથી થયા. જેએ શ્રી જયભિખ્ખુના પરિચયમાં છે તેએ જાણે છે કે તેમને મુખ્ય વ્યવસાય લેખન છતાં તેમની બહુવિધ પ્રવૃત્તિ તેમને એ વ્યવસાયમાં પૂરા એકાગ્ર થવા દે તેવી સ્થિતિ નથી. ખરી વાત એ છે કે તેમને નિરાકુળ કરીને આવા ભગવાન મહાવીર ચરિત્ર જેવા કાર્યમાં જો એકાગ્ર કરવામાં આવે તે એક અપૂર્વકૃતિ આપણને મળે એવી પૂરી શકતા છે જ. દલસુખ માલવીયા • દીઠાં મેં નવાં માનવી ( લેખક શ્રી રવિશંકર મહાશંકર રાવળ, પ્રકાશક : ચેતન પ્રકાશન ગૃહ લિમિટેડ, ૧૩૩, જવાહર નગર, ગોરેગાંવ, ( મુંબઇ ) કિંમત રૂ. ૪-૪-૦ ). ગુજરાતના પ્રમુખ ચિત્રકાર અને અનેક ચિત્રકારોના કળગુરૂ તેમજ કુમારના પ્રસ્થાપક અને આદ્ય સપાદક શ્રી રવિશંકર મહાશંકર રાવળને ગુજરાત સૌરાષ્ટ્રમાં ાણુ નથી ઓળખતુ ? ૧૯૫૨ ની આખરમાં વિયેનામાં સામ્યવાદી રશીઆએ આપેલી એક શાન્તિ પરિષદ મળી હતી અને તે પરિષદમાં ૮૫ જુદી જુદી પ્રત્નઓના ૨૦૦૦ જેટલા પ્રતિનિધિઓએ ભાગ લીધે હતો. આ પરિષદમાં ભારત તરથી ૩૦ જેટલા પ્રતિનિધિઓ સામેલ થયા હતા. આ પ્રતિનિધિમંડળમાં શ્રી રવિશંકર રાવળ, સ્વ. રમણુલાલ વસન્તલાલ દેસાઇ, શ્રી શ્વિરલાલ મ. પટેલ તથા શ્રી વીનુભાઈ શાહ–આ ચાર ગુજરાતી ગૃહસ્થો હતા. આ વિયેના પરિષદમાં ભાગ લેવા માટે શ્રી રવિશંકર રાવળ જે અમારા મિત્રમંડળમાં ‘રવિભાઇ' ના નામથી સુપરિચિત છે તે ડા. મુશ્કરાજ આનંદ, શ્રીમતી માલતીબાઈ એડેકર તથા શ્રી રમણલાલ દેસાઈ સાથે ડીસેમ્બરની નવમી તારીખે (૧૯૫૨) સુખથી ઉપડયા. વિયેનાની શાન્તિ પરિષદ ડીસેમ્બર તા. ૧૨ થી ૨૦ સુધી ચાલી. ત્યાર બાદ સેવીયેટ સરકારના મહેમાન બનીને આખું પ્રતિનિધિમંડળ રશીઓના પ્રવાસે ઉપડયુ અને તે પ્રવાસ પૂરી કરીને રવિભાઇ ૧૧૫૩ ના જાન્યુઆરી માસની ૨૬મી તારીખે પાછા મુંબઈ આવી પહોંચ્યા. પ્રસ્તુત પુસ્તકમાં આ દાઢ માસના પ્રવાસ દરમિયાન વિયેના અને ત્યાર બાદ રશીઆમાં તેમણે જે કાંઈ જોયું તેના વિગતવાર ખ્યાલ આપવામાં આવ્યું છે. આ કેવળ ઉડતા પ્રવાસ હતા. ૧૯૧૮ ની ક્રાન્તિ બાદ છેલ્લા ૩૪ વર્ષના ગાળામાં સ્ટેલીનની સરમુખત્યારી નીચે રશીઆની પ્રજાએ કયા કયા ક્ષેત્રમાં કેટલી સિદ્ધિ હસ્તગત કરી છે તેનુ આછું ચિત્ર આ પુસ્તકમાં સરળ અને પ્રવાહાત્મક શલિમાં રજુ કરવામાં આવ્યું છે. મહત્વાકાંક્ષી ભારતની ઉગતી પ્રજા આ આલેખનમાંથી પ્રેરણા અનુભવે એવી અનેક બાબતે આ પુસ્તકમાંથી 2 મળે તેમ છે. શીઆની અપૂર્વ સાધનાથી લેખક ભારે મુગ્ધ થયેલ છે અને એ મુગ્ધતા વાંચ પશુ આ પુસ્તકારા લેખક સાથે પ્રવાસ કરતા અનુભવે છે. એ સાધનાની તુલનાત્મક આલોચના આ પુસ્તકમાંથી આપણને મળતી નથી. લેખક પુસ્તકના પ્રારંભમાં જ જણાવે છે કે “ હું રાજપ્રકરણમાં કશું જાણતા નથી.” તેથી આવી આલેચનાની લેખક પાસેથી અપેક્ષા રાખવાનો આપણને અધિકાર નથી. આ પુસ્તક લેખકે આલેખેલાં અનેક વિશિષ્ટ વ્યક્તિઓના તેમ જ સ્થળેનાં રેખાંકનો તથા છમ્મીએથી સવિશેષ આકર્ષક બન્યું છે. પાનદ સ્વરાજ્યને પ્રાણ: લાકસંમતિ ( દ્વિભાષી મુંબઈ પ્રદેશ અને સૌરાષ્ટ્ર ગુજરાતનાં તાકાના સબંધમાં એક લેખ તા. ૧૫–૮–૫૬ ના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયા હતા. એ જ નવરચના અને દુઃખદ ઘટનાની ભિન્ન દૃષ્ટિક્રાણુથી પ્રેરાયલી ચર્ચા ‘સ્વરાજ્યના પ્રાણ: લોકસમતિ’ એ મથાળા નીચે તા. ૧૫-૮-૫ ના ભૂમિપુત્રના તંત્રીલેખમાં રજુ કરવામાં આવી છે. એ ચર્ચા પ્રસ્તુત જટિલ સમસ્યાની વિશેષ વિચારણામાં મદદરૂપ નીવડશે એમ સમજીને નીચે ઉધ્ધત કરવામાં આવે છે. આ ચર્ચામાંનાં એક એ વિધાના જરા વિશેષ વિચારણાની અપેક્ષા રાખે છે. પ્રસ્તુત લેખના આઠમા પારીગ્રાફમાં જણાવવામાં આવ્યું છે કે “ રસ્તામાં થતાં તાકાનો એ લોકોની હિંસા છે, તે લોકસભામાં smp decision–ચિંતા અણચિન્તવ્યા અને ઉતાવળા નિણૅય—લેવા એ લોકપ્રતિનિધિઓની સૂક્ષ્મ હિંસા છે.” આવી રીતે લેવાયો નિણૅય વ્યાજબી હા, ગેરવ્યાજખી હો, કહિતમાં પરિણમે યા હિતમાં પરિણમો, પણ આવા નિર્ણયને સૂક્ષ્મ હિંસા તરીકે વર્ણવવા એમાં અત્યુકિત થતી લાગે છે. રાજ્યવહીવટમાં અને આવી લાકસભામાં ધણી વખત એકાએક નિણૅય લેવા જેવી પરિસ્થિતિ ઉભી થાય છે. આવા પ્રસંગે પ્રજાના પ્રતિનિધિએ અમુક નિર્ણય ઉપર આવવામાં પ્રજાજને ઉપર હિંસા આચરે છે એમ કહેવું તે ખીલકુલ વ્યાજબી નથી. આવી જ રીતે બારમા પારીગ્રામાં જણાવવામાં આવ્યું છે કે “ગુજરાત અને મહારાષ્ટ્ર અને આટલું નક્કી કરે કે અમે સામા પર અમારી કાર્યચ્છિા નહીં લાદીએ તે બંનેના મનનું ધાર્યું થાય. તે વિના ત્રીજાના જ મનનું ધાર્યું" માથે લદાય છે એ તે। હવે. અન્નેએ અનુભવે જોયુ.” પ્રસ્તુત પ્રશ્નની ચર્ચાના અનુસંધાનમાં આ વિધાન એમ સૂચવે છે કે દ્વિભાષી મુંબઈ પ્રદેશને નિણૅય ત્રીજા એટલે કે ગુજરાત તથા મહારાષ્ટ્રના નહિ એવા સંસ સભ્યાએ આ બન્ને પ્રદેશના પ્રતિનિધિ ઉપર લાદ્યો છે. આ સૂચન હકીકતથી વિદ્ધ છે. લોકસભાના પ્રસ્તુત નિણૅયના પક્ષમાં એન. વી. ગાડગીલ સિવાય મહારાષ્ટ્રના અન્ય સર્વ સભ્ય અને કચ્છ, સૌરાષ્ટ્ર ગુજરાતના સર્વ સભ્યોએ પોતાના મત પુરી રાજી ખુશીથી આપ્યા છે. સૌરાષ્ટ્ર કે ગુજરાતના અમુક જનસમુદાયને આ નિર્ણંય સંમત ન હોય એ જુદી જ વાત છે. પાનદ ) ગૂજરાત આજે ધવાયું છે. વડા પ્રધાનથી માંડીની બેકાર મજૂર સુધીના સૌનુ દિલ ડહાળાઇ ગયું છે. એક અણચિંતવ્યા ધરતીક પે જાહેર જીવનની જમીન પર જબરી ફાટ પાડી છે. એક તરફ માનનીય મહાપુરુષો છે, બીજી તરફ વંદનીય જનતા જનાર્દન છે. સયાગાએ અનેને સામસામાં મૂકયાં છે. કબ્યા કર્યું ટકા છે. કર્મચક્ર થબતું નથી. પણ અંતે દુ:ખી દુ:ખી છે. સૌને માટેની ઊંડી મહાનુભૂતિથી અમારુ દિલ વલોવાઈ ગયું છે. અમારું ચિત્ત આ છે. જે મર્યા છે, જેમના મર્યા છે, જેમને હાથે મર્યો છે, જે જે આજે વ્યાકુળ છે, તે સઘળાંને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપા, સમતા આપે, ધૈય અને સંયમ અભ્ભા, એ જ અમારી પ્રાથના છે. હુલ્લડો અને ગાળીબારના ધૂળ-ધૂમાડાના ગોટા એ-પાંચ-પંદર દિવસે વિખેરાઈ જશે. આપણને થશે કે આ બધું શું હતું ? શા માટે હતું ? ગાંધીના ગુજરાતને માથે આ આપત્તિ ઇશ્વરે કાં ફેંકી ? કયે પાપે ? શા હશે એને ઉદ્દેશ ?
SR No.525941
Book TitlePrabuddha Jivan 1956 Year 17 Ank 17 to 24 and Year 18 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1956
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy