________________
પ્રમુદ્ધ જીવન
ગ્રંથાવલાકન
આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રન્થ’
ઈ. ૧૯૩૬ માં શ્રીયુત મેાહનલાલ દેસાઈ દ્વારા સપાદિત કરાવી શ્રી જૈનાચાર્ય આત્માનંદ જન્મ શતાબ્દિ સ્મારક સમિતિ, મુંબઈ તરફથી જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મ શતાબ્દી સ્મારક ગ્રન્થનું પ્રકાશન થયું હતું. ત્યાર પછી બરાબર ૨૦ વર્ષે ઈ. ૧૯૫૬ માં શ્રી મહાવીર જૈન વિધાલય તરફથી ઉક્ત આચાર્ય શ્રીના શિવ આચાર્ય વિજયવલ્લભસૂરિના સ્મારક ગ્રન્થનું પ્રકાશન થયુ છે. આ બન્ને ગ્રન્થાનુ દળ લગભગ સરખું છે. પણ એ બન્ને ગ્રન્થાની સરખામણી કરવાનું મને સહેજે મન થઈ આવ્યું.
બન્ને ગ્રન્થો સચિત્ર છે. પણ સ્વરાજ પહેલાના અને પછીના માનસને જે એક મેટા ભેદ આપણી પ્રજામાં પડી ગયો છે તેનુ આ બન્ને સ્મારક ગ્રન્થા આબેહુબ પ્રતિબિમ્બ પાડે છે. એ પણ એક આકસ્મિક ઘટના નથી, ૧૯૫૬ માં સ્ટેલિનના વ્યક્તિવાદને વિરોધ થઇ રહ્યો છે. અને એને સ્થાને સામૂહિક વાદ અથવા તા વ્યક્તિને અટ્લે સામ્યવાદના સિધ્ધાન્તો ઉપર ભાર આપવાનુ આંદોલન રશિયામાં ચાલી રહ્યું છે. પ્રથમના સ્મારક ગ્રન્થમાં જે ચિત્રા આપવામાં આવ્યા છે. તેમાં વ્યક્તિપૂજાને એટલું વધુ મહત્ત્વ આપ્યું છે કે લેખકો, શેડો અને સાધુઓનાં ચિત્રા આર્ડ જૈન કલાને વ્યકત કરતા ચિત્રા ઢંકાઇ ગયા છે ત્યારે આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રન્થમાં એથી ઉલટું છે. જેમનુ સ્મારક એ ગ્રન્થ છે તેમનાં પણ ચિત્રા જે અનિવાર્ય હતાં તે જ અપાયાં છે. અને જૈન કલાના બધા ક્ષેત્રાને આવરી લેતાં ચિત્રાની ખાસ કરીને પસંદગી આમાં છાપવામાં આવ્યા છે. ખીંછ દૃષ્ટિએ આ ગ્રન્થની જે મહત્તા છે તે બાજુએ રાખીએ તો પણ જૈન કલાને સમજવા માગનાર માટે પણ આ ગ્રન્થ એક બહુમૂલ્ય સોંપત્તિ સિધ્ધ થાય એવા છે. છેલ્લા વીશ વર્ષોંમાં જૈન ક્લાના અભ્યાસમાં જે પ્રગતિ થષ્ઠ છે તેનું પ્રતિબિમ્બ
આ ગ્રન્થમાં સ્પષ્ટ છે એ કહ્યા વિના ચાલતુ નથી. પ્રથમના ગ્રન્થમાં જૈન કલા વિષેના માત્ર ચાર જ લેખો છે, જ્યારે પ્રસ્તુત સ્મારક ગ્રન્થમાં અનેક લેખા છે એટલુ જે નહિ. પણ કલાના વિવિધ ક્ષેત્રને સ્પર્શતા જૂના નવા લેખાના લેખા એ ક્ષેત્રે જે કાર્ય થઈ રહ્યું છે એના ઉપર પ્રકાશ પાડે છે, એવુ શ્રેય અધિકાંશે ડૉ. ઉમાકાંત શાહ અને મુનિરાજ શ્રી પુણ્યવિજયજીના ફાળે જાય છે, જૈન સ્થાપત્યકળાનાં મદિર, શિખર, સ્ત ંભ, ગુા આદિના વિવિધ નમૂનાઓ ઉપરાંત જૈન તીર્થંકરાની વિરલ અને કલાત્મક, ધાતુ અને પાષાણુની મૂર્તિના નમૂના આપવામાં આવ્યા છે અને ધણાને પરિચય પણ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં જૈતેને પણ અજ્ઞાત એવી તીર્થંકર મલ્લીનાથની નારીરૂપની મૂર્તિ પરિચય શ્રી ઉમાકાંત શાહે આમાં સર્વોપ્રથમ આપ્યો છે. એ એમની તીક્ષ્ણ દૃષ્ટિનું પરિણામ છે. આ ઉપરાંત સાધુ, સાધ્વી, સ્વપ્ના, નાટારંભ, નકી આદિના શિલ્પાની ચિત્રાકૃતિ આપવામાં આવી છે. પ્રતાના ચિત્રો રંગીન ચિત્રા એ તે
આ ગ્રન્થની ખાસ વિશેષતા જેવાં જ છે. વળી લાખ, વસ્ત્ર અને કાશિલ્પના નમૂના પણ સંગ્રહાયા છે. કેટલાંક જૈનેતર શિલ્પે પણ આપવામાં આવ્યા છે. આ દૃષ્ટિએ એમ કહી શકાય કે ભારતીય કલાના અભ્યાસીઓ માટે આ ગ્રન્થ અનિવાર્ય જેવા થઇ પડયા છે.
મુદ્રણુકળામાં પણ ત્રીસ વર્ષમાં જે પ્રગતિ થઈ છે, ખાસ કરી સુરુચિપૂર્ણ છપાઈની દૃષ્ટિએ-એ પણ આ બન્ને ગ્રન્થાની તુલના કરનારને સહેજે જણાઇ આવે છે. પ્રથમના ગ્રન્થમાં લેખાના હેડીંગના Àાકા પાછળ જે મહેનત લેવાઈ છે તેની સામે આ ગ્રન્થના સાદા ટાપામાં જ મુકાયલા હેડીંગા શાભામાં વધારા જ કરે છે, ઘટાડા નથી કરતા.
લેખસામગ્રીની દૃષ્ટિએ વિચારીએ તે પ્રથમમાં એક જ વ્યકિત ઉપર હતા. જ્યારે આમાં વિભાગવાર હે જેથી સંપાદનનો કાર્યભાર વહેંચાઇ ગયા છે અને
સપાદનના ભાર અનેક સપાદકા એનું પરિણામ
તા. ૧-૯-૫૬
શુભ આવ્યું છે. શ્રી મેાહનલાલ દેસાઇને જ ગ્રન્થને દળદાર બનાવવા માટે એકલા ગુજરાતી વિભાગમાં અગિયાર લેખો લખવા પડયા છે એ એ તપસ્વીનું સામર્થ્ય બતાવવા સાથે જ જૈન વિષયને લગતા ગુજરાતી લેખકાની સંખ્યા કેટલી ઓછી આજથી વીશ વર્ષ પહેલાં હતી તે સૂચવે છે. પણ અંગ્રેજી વિભાગ કલાની દૃષ્ટિએ પ્રસ્તુત અંકમાં સમૃદ્ધ છતાં ધૃતર વિષયામાં અંગ્રેજીમાં લખાયેલ લેખાની દૃષ્ટિએ અગાઉના ગ્રન્થ ચડીયાતા છે. એ સમયના સમર્થ પ્રાચ્યવિદ્યા વિશારદોએ શ્રી મા. દ. દેસાઇને સહકાર આપ્યા હતા એ સ્વીકારવું જોઇએ, જ્યારે આમા એમ નથી બન્યું. જૈન વિદ્યાની અનેક ક્ષેત્રમાં ઘણી પ્રગતિ · થઇ છે, પણ એને લાભ પ્રસ્તુત ગ્રન્થને નથી મળ્યા તે સખેદ દર્શાવવુ પડે છે. હિન્દી વિભાગ જોઇએ તેા પ્રથમના ગ્રન્થમાં આચાર્ય શ્રી આત્માનજી વિષેના લેખાથી જ તે ભર્યો છે. એમ કહી શકાય. આ ટીકા લગભગ એ આખા ગ્રન્થને પણ લાગુ પડે છે. બીજા લેખા જાજ છે, જ્યારે પ્રસ્તુત અંકમાં હિન્દી વિભાગમાં ધણા મહત્ત્વના લેખા છે અને જૈન ધર્મ અને દર્શન વિષેના ચિત્રને ઠીક ઠીક ઉઠાવ મળ્યા છે એમ કહી શકાય. લા વિષેના લેખો બાદ કરીએ તે ગુજરાતી વિભાગ અને ગ્રન્થમાં સમૃદ્ધ છે. કલા વિષયક ગુજરાતી લેખે એ આ ગ્રન્થની વિશેષતા છે. જ એમ સ્વીકારવુ જોઇએ.
એક ંદર જોતા કહેવુ જોઈએ કે આ ન્થ બહુમૂલ્ય થયા છે, અને ક્લાની દૃષ્ટિએ ઘણા વખત સુધી રેફરન્સ પુસ્તક તરીકે સ્થાન ટકાવી શકશે એમ કહેતા આનદ થાય છે. આ માટે તેના સપાદકા ધન્યવાદા છે જ. ઉપરાંત શ્ર પરમાન ંદભાઇએ લખ્યું છે તેમ શ્રી કાંતિલાલ કારાની સૂની સેવા પણ અનેક અભિનમા માગી લે છે. દલસુખ માલવણિયા 'निन्थ भगवान महावीर '
તાજેતરમાં શ્રી જયભિખ્ખુનું નિર્મંન્ધ ભગવાન મહાવીર ’ ગૂર્જર ગ્રન્થરત્ન કાર્યાલય અમદાવાદ તરફથી પ્રકાશિત થયું છે. ભગવાન મહાવીરના ચરિત્રની માંગ ધણા વખતથી ચાલી આવે છે. ' ભગવાન મહાવીરનું ચરિત્ર બે પ્રકારનું લખાવુ જોઇએ, એક શાસ્ત્રીય એટલે કે તેમના જીવનની જે કાંઈ સામગ્રી મળે છે તે બધી સામગ્રીના ઉપચેોગ કરી તેની ચકાસણી કરીને લખાયુ હૈાય એવું–અર્થાત્ સંશાધનમાં રસ લેનાર વિદ્વાન સમક્ષ ઉપસ્થિત કરી શકાય તેવું અને ખીજુ લોકભોગ્ય અર્થાત્ ભ. મહાવીરની જીવનકથા સરલ રીતે કા સમજી શકે અને તેમના જીવનમાંથી પ્રેરણા લઇ પેાતાના જીવનને ઉન્નત બનાવી શકે એવું, આવા બન્ને પ્રકારના જીવન લખવાના પ્રયત્ન થયા છે, પણ હજી એવુ એક પણ જીવન નથી લખાયું જે વિદ્વાનોને કે લેાકાંને સાષી શકે.
ભગવાન બુદ્ધના જીવનની જે સામગ્રી મળે છે તેના આધારે ઓલ્ડન, આર્નોલ્ડ આદિ વિદ્વાનોએ અને કવિઓએ બુદ્ધના જીવન વિશેના વિદ્ભાગ્ય અને લેાકભાગ્ય પુસ્તક લખ્યાં છે. પણ ભગવાન મહાવીર વિષે હજી આ બાબતમાં નહિંવત્ કાર્ય થયુ છે. એવે સમયે શ્રી ‘ જયભિખ્ખુ ' એ‘નિન્ય ભગવાન મહાવીર ' જેવુ લોકભાગ્ય પુસ્તક લખીને ખરેખર એક માર્ગ ચિંધ્યા છે એમાં શક નથી.
પુસ્તકનું લેખન શાસ્ત્રીયદૃષ્ટિએ નહિં પણ ઉપન્યાસના ઢગે થયું છે. પણ એના અર્થ એ નથી કે તેમણે શાસ્ત્રમાં આવતી ભગવાન મહાવીરના જીવનની ઘટનાઓમાં વિપર્યાસ કર્યો છે. ઘટનાએ એની એ જ છે, પણ તેના ઉઠાવ એવા રોચક કરવામાં આવ્યા છે કે વાયકના મન ઉપર એની અસર થઇ જાય છે. ભગવાન મહાવીરના ઉપદેશા આચારાંગ–ઉત્તરાધ્યયન જેવા આગમામાં સગ્રહાયા છે, એ ઉપદેશાને મહાવીરના જીવનના પણ અંગભૂત લેખે લેખક કુશળતાથી વણી લીધા છે. પરિણામે ભગવાન મહાવીરના માઢેથી તેઓ જ્યારે કેવળી થાય ત્યાં સુધી તેમના ઉપદેશ માટે રાકાઈ રહેવાની જરૂર નથી. પણ એના એ જ ઉપદેશાએ તેમના પોતાના જીવનમાં તેમના પેાતાના જીવનને જ–