________________
રજીસ્ટર્ડ નં. B ૪૨૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪
प्रजद्ध भवन
પ્ર. જૈન વર્ષ ૧૪–૫. જીવન વ ૪ અંક ૯
મુંબઈ, સપ્ટેમ્બર ૧, ૧૯૫૬, શનીવાર આફ્રિકા માટે શીલિંગ ૮
sus-sons-E-૯-૯ અ ર -
તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છુટક નકલ : ત્રણ આના
વિનેાખાની વાણી
( ભિન્ન ભિન્ન પ્રવચનામાંથી સ ંકલિત)
સ’સ્કૃતિ, પ્રકૃતિ, વિકૃતિ
તિરુપત્તિ એ એક અખિલ ભારતીય સંસ્કારકેન્દ્ર છે. આવા સ્થળે ભારતની સ ંસ્કૃતિનું દર્શન થાય છે. ભારતમાં આવાં સ્થળા થાડાં છે. કાશી, જગન્નાથપુરી, દ્વારિકા, આ સ્થળો આપણી સંસ્કૃતિનું દર્શન કરાવે છે.
સંસ્કૃતિમાં શું શું આવે છે એ એક અગત્યની સમજવા જેવી ચીજ છે. આપણા સમાજમાં પ્રાચીનકાળથી તે આજ સુધી કેટલાક સારા વિચાર અને કેટલાક ખોટા વિચારા ચાલતા આવ્યા છે. પ્રાચીનકાળથી જે વિચારો સતત ચાલ્યા આવે છે તે હંમેશાં સંસ્કૃતિનું દશન કરાવે છે એમ માની લેવાની જરાય જરૂર નથી. મનુષ્યની એક પ્રકૃતિ હાય છે, એક સંસ્કૃતિ હાય છે, અને એક વિકૃતિ હાય છે. ભૂખ લાગતાં માનવી ખાય છે તે તેની પ્રકૃતિ છે, ભૂખ ન હોય છતાં ખાય છે તે તેની વિકૃતિ છે અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલે ભગવતસ્મરણને માટે ઉપવાસ કરે છે એ એની સંસ્કૃતિ છે. હું મહેનત કરીશ અને મહેનતનુ અન્ન ખાઇશ તે પ્રકૃતિ છે. તું મહેનત કર્યા વગર ખીજાની મહેનતનુ ખાઇશ તે તે વિકૃતિ છે. આજે આ વૃત્તિ લોકોમાં ધણા પ્રમાણમાં જોવા મળે છે. પણ તેને પ્રકૃતિ માની લેવાની કાઇ ભૂલ ન કરે, પછી ભલે પ્રાચીન કાળથી ચાલી આવતી કેમ ન હોય ! પણ તે વિકૃતિ છે. પોતાના શ્રમથી પેદા કરેલી ચીજ પણ બીજાને આપ્યા વિના જે ન ખાતા હાય તા તે માનવીની સસ્કૃતિ છે. આ યાડા દાખલા મે એટલા માટે અહીં આપ્યા કે જ્યાં ભારતીય સ ંસ્કૃતિ છે, જે કેન્દ્ર ભારતીય સંસ્કૃતિના નામથી, પ્રાચીન કાળથી આજ સુધી ચાલી રહ્યું છે, ત્યાં બધી જ ભારતીય સંસ્કૃતિ છે એમ માનવું ન જોઇએ. એટલા માટે આપણે પૃથક્કરણુ કરવું જરૂરી છે કે ભારતીય સંસ્કૃતિ શું છે, ભારતની પ્રકૃતિ શું છે અને ભારતની વિકૃતિ શું છે ?
આ તિરુપત્તિ ભારતીય સંસ્કૃતિનાં દર્શન કરાવતા કેન્દ્રોમાંનું એક મહત્ત્વનું કેન્દ્ર છે. આપણે આપણી સંસ્કૃતિનું સારસર્વસ્વ જે કાઈ એક ચીજમાં રાખ્યું હોય તો તે ભગવાનની મૂર્તિ છે. ભારતના લેકાએ પોતાની બધી ક્લાતિ, સાહિત્યશક્તિ, ચિંતનશક્તિ પરમેશ્વરનુ ગૌરવ વધારવામાં જ ખર્ચી છે. હિંદુસ્તાનના લેક બગીચો બનાવશે, ખૂબ કાળજીથી ફૂલછોડની માવજત કરશે, ફૂલાની ખુબ કદર કરશે, પરંતુ તાડીને માથામાં નાખવાની ઇચ્છા ન કરતાં પરમેશ્વરની પૂજામાં તેને ઉપયોગ કરવાનું તે વધુ પસંદ કરશે. સુદરમાં સુંદર ફૂલ તોડીને માથામાં નાખવા તે પ્રકૃતિ છે, ફૂલોને પગથી કચડવા તે વિકૃતિ છે અને ફૂલને માથામાં ન નાખતા પરમેશ્વરની મૂર્તિને સજાવવામાં વાપરે છે તે માનવીની સંસ્કૃતિ છે. પોતાને માટે સુંદર મકાન બનાવીને રહેવુ તે પ્રકૃતિ છે. આ મકાનને એ રીતે શણગારવું કે નજીકની ઝૂંપડીની પણ પરવા ન કરવી તે વિકૃતિ છે. મેં હમણાં સભાસ્થળ ઉપર આવતા અને આ શહેરમાં પ્રવેશ કરતા આ વિકૃત્તિનાં દર્શન કર્યાં. રસ્તે અાલિશાન મકના પણુ જોયાં અને તેની તદ્દન નજીકમાં ભાંગીતૂટી ઝૂંપડી પણુ જોઇ. મને તે એને જોઇને એ મરધીને પૂરવાની નાની
蘇榮添添業業務※※米業無無業
ટાપલી ન હોય એવી લાગી ! ભાંગીતૂટી ઝૂંપડી અને તેમાં ખૂબ નીચા વળીને જવાને નાનકડા દરવાજો. આટલું ભયંકર દારિદ્રય નજર સામે જોઇને પણ પોતાના મકાનને સજાવવું તે માનવીની પ્રકૃતિ નથી, એ માનવતા પણ નથી અને ભારતીયતા તો નથી જ નથી. વૈભવ વધારવા હાય ા મદિરને સજાવવામાં વધારો અને મકાનને સાફ રાખો. આ સંસ્કૃતિ છે. તમે સહુ જોઈ શકશે કે આ તિરુપત્તિમાં કેવી સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ છે.
રજોગુણની ગાડી અને સત્ત્વગુણના પાટા
રજોગુણ વિના કર્મ પ્રેરણા નથી થતી એમ આપણે સાંભળ્યું. પણ સત્વગુણુ શબ્દ મે' બીજા અર્થમાં વાપર્યાં હતા. મેં નૈતિક અર્થમાં એના ઉપયોગ કર્યાં હતા. તાત્ત્વિક દૃષ્ટિએ તા સત્વ, રજસ અને તમસ ત્રણેય ગુણો છે, દોષ નથી. તમેગુણ ન હોય તેા ઉંધ જ ન આવે. ઉધરૂપી તમેગુણ આપણા માટે અત્યન્ત જરૂરી છે. આ ત્રણેય ગુણા સામ્યાવસ્થામાં હાવા જોઇએ. અમુક માત્રામાં તમેગુણુ પણ જરૂરી હોય છે. તે વિના જ્ઞાન કે કમ કશું ન સભવે, તે જ રીતે રજોગુણમાં પણ દોષ નથી. આ અર્થમાં રજોગુણ સામે મારા વિરોધ નથી. હું તો ખૂબ જોરદાર કામ ચાલે એમ ઈચ્છું છું. એન્જિનમાં ભરપુર શક્તિ હાય અને ટ્રેન ધસમસતી ચાલે એવી મારી ઈચ્છા છે. પણ સાથે સાથે એવી ઈચ્છા પણ છે કે સત્ત્વગુણના પાટા હેાય. રજોગુણ ખૂબ જોરથી દોડે તેાયે સત્વગુણુના પાટા ઉપરથી એ ઉતરી ન જાય. આંદ્રેાલનની આગેવાની રજોગુણ કરશે તે પૂર વેગે ગાડી દોડાવશે, પણ પાટા આપણા નાંખેલા સત્વગુણુના હશે. સત્વગુણુથી દિશા બંધાશે. રોગુણ પણ માર છે. એના વિના તો ગાડી સ્ટેશન પર જ પડી રહે. અને કાલમર્યાદા પણ જરૂરી છે, કારણ કે આપણામાં રજોગુણની પણ જોઇએ તેટલી માત્રા નથી હાતી. આવાં આંદોલન જમાનાની માંગણીથી ઊપડે છે એ ન ભૂલીએ. સત્વગુણુના પાટા હોય એ એન્જિનને બાધક નથી, સાધક છે, ભાગવતના શબ્દોમાં સત્વગુણની એવી સીધી અને સાક્ સડક રચાય છે કે દેડયે જ જાય, કયાંયે પડવા આખડવાનુ જોખમ જ નહિ. આમ સત્વગુણના પાટા નાંખેલા હશે તેા પછી લોકાને રાકવાની જરૂર નહિ પડે. નહિ તે કામ ખોટી દિશાએ ચઢી જાય ત્યારે બ્રેક મારીને રોકવાના કપરો પ્રશ્ન આવી પડશે.
કાન્તિમાં ગરીબેના શું ફાળા હાઈ શકે ?
ગરીને માત્ર લેવાનું છે અને આપવાનું તે શ્રીમન્તાએ જ છે એ આપણા ચિત્રમાં કંઇ કાળથી જામેલી અને ખાટાં ભ્રમાં પેદા કરતી એક માનસિક ગ્રંથિ છે. સમ્યક્ દૃષ્ટિ મેળવવા માટે આ ગ્રંથિ આપણે તેાડવી જ જોઇએ. આપણે સમજી લેવુ જોઇએ કે જેણે આપવાતુ જ નથી એવું કમભાગી કોઈ જન્મ્યું જ નથી, ભૂમિ, સંપત્તિ, શ્રમ, પ્રેમ કઇ ને કઈ દરેક પાસે છે. માટે આપણે બધાની પાસે લેવાનુ છે. એક આપનાર અને ખીજો લેનાર એવા બે પક્ષ દેખાય છે. પણ એકદરે બધાં આપનારાં છે. બે હાથે તાળી વાગે છે. એમાં કયા હાથ કયા હાથને તાળી આપે છે? એય બન્નેને આપે છે. એકની પાસે એક
'',