________________
(૧)
ર
આ કન્યાશાળા પાસે પોસ્ટઓફ્િસનુ પાટિયું વાંચ્યું. આ પેસ્ટઓફિસ એટલે ૬ ફૂટ લાંબી ને ૪ ફૂટ પહેાળી નાની ઓરડી. તેમાં એ ટેબલ ને એક ભાંગેલ ખુરશી પર ત્રિપુંડ તાણેલ ને ફાટેલ ખેસ ઓઢેલ માસ્તર કામ કરતા હતા ને કહેતા હતા : “ આ સધન ક્ષેત્ર યોજનાવાળા ભાઇએ ફરિયાદ કરવા લાગ્યા એટલે મારું કામ વધ્યું; પણ પગાર તો મહિને ૨૦ રૂપિયા જ મળે છે.” એ ઓરડીની બહાર એ બાઈ લાજ કાઢીને ઉઘાડી છાતી પર બાળકાને ધરાવતી બેઠી હતી. તેમના મની ર બહારગામથી આવેલ. આ મનીઓર્ડર આવે ત્યારે ચાર આઠ આના વખતે વખતે મળે છે, એટલે ગુજારે ચાલે છે.” માસ્તરે કહ્યું,
ગામમાં પૂછપરછ કરી જાણ્યું કે ભણેલા માણસે। પાસેથી, વેપારી પાસેથી માસ્તર કાંઈ દક્ષિણા પામતા નથી. ગરીબ રાંડીરાંડ ખાઈ ને ધરડા કિસાના પાસેથી પેસ્ટ માસ્તર ધોળે દહાડે બક્ષિસ કઢાવે છે; ગરીબ પોસ્ટ માસ્તરની ફરિયાદ આગળ પહાંચાડવી કે કૅમ તેના વિચાર વમળમાં પડી ગયો છું.
સાયપ્રાર્થના બાદ મારું મનેામંથન સાથી પાસે ઠાલવતા હતા ત્યારે સહસા ગ્રામપ ંચાયતના સરપંચ અને દૂધઉત્પાદન સંધના કાર્ય - કર્યાં હાજર હતા. સ્વરાજની ઉષ્મા ગામડાંઓમાં કેટલા પ્રમાણમાં આવી છે તે પૂછતા હતા ત્યારે ય આવુ જ બીજી સાંભળવા મળ્યું.
“ અલ્લાહબાદમાં શહેરીજનોને ચોખ્ખુ દ મળે તે ગામડાંએમાં દૂધના નિયમિત ગ્રાહકો મળે તે માટે અલ્લાહબાદમાં એક મોટા દુધઉત્પાદન સ ંધ થોડા સમયથી ચાલે છે. તેમાં અમારાં ગામડાંના ગાવાળા “મૂડી ભાગ” (શેર) લઇને બન્યા છે. “ અમારાં ગામડાંમાંથી આ સધવાળા રૂપિયાનુ ૪ શેર (૮૦ તેાલાનો શેર ) દૂધ લે છે ને અલ્લાહબાદમાં આ જ દૂધમાં પાણી શાસ્ત્રીય રીતે ભેળવી ‘ટાન્ડ મિલ્ક’ તે નામે વેચે છે. દૂધ ભરતી વખતે ૯ છટાંકના શેર ગણવામાં આવે ઇં; વેયતી વખતે નિયમ પ્રમાણે ૮ ટાંકો શેર થાય છે. આ કમાણીમાંથી મેટર ખરીદવામાં આવી છે. મેટર દૂધ'ભરવા અમારા ગામમાં આવે છે. દૂધ ભરનારાને મોટા પગાર આપવામાં આવે છે.
પ્રબુદ્ધ જીવન
“ અમને હવે દૂધના ગ્રાહક બીજા મળે છે. ૪ શેરને બદલે ૩ શેરને ભાવે દૂધ લેનારા અલ્લાહબાદના શહેરી તૈયાર થયા છે” પણ અમે સોસાયટીમાં એક વાર ભળ્યા એટલે નીકળાય જ નહીં. અમે દૂધ ન આપીએ તે અમારા માલની જપ્તી-હરરાજી થશે એવી બીક અતાવવામાં આવે છે.
“ સહકારી મડળીમાંથી મંત્રી હશે; વચલા માણુસ જે લાભ લઈ આખું કાળું કરી જાય છે. અમારું - રહેવા પામ્યું” છે.
ને વ્યવસ્થાપકાને લાભ થયા જતે તે આ ભણેલા માણસે ળદર તેા એવુ ને એવુ જ
“ આ સિંદરી કારખાનાનુ ખાતર એમોનિયમ સલફેટ વેચવા માટે મેાટા ડેલા બનાવવામાં આવેલ છે. ત્રીજે વરસે અમે આ ખાતરના ખેતીમાં ઉપયોગ ઠીક પ્રમાણમાં કર્યો હતા; પાક પણ સારા આવ્યો. પણુ ગયે વરસે આ ખાતર વાપરતાં પાક અરવા કે નહાતા આવ્યા ને ચાલુ સાલ આ સિંદરી:ખાતરના કોથળા ગાામમાં ખડકાયલાજ રહ્યા છે.”
*
ત્યાં શ્રોતાજનામાંથી એક કાર્ય કર્યાં ટાપસી પૂરવા લાગ્યા કે, અમારા પ્રદેશમાં તે। તગાવીનાં નાણાં ચૂકવતી વખતે તહસીલદાર પરાણે સિંદરી ખાતરના કાથા કિસાનને પહેરાવે છે.
“ આ ગરમ ખાતર માટે જે પ્રમાણમાં પાણી જોઈએ, લીલુ ખાતર બાદમાં વાપરવુ જોઇએ, તે મળતુ નથી, એટલે સિંદરીની ગુણગાથા ખેડૂતના હૃદયને પુલક્તિ કરી શકતી નથી.”
સાબરમતી આશ્રમના ગેસેવક મુકુન્દભાઈ ત્રિવેદીએ પણ આ ખાતર પર ઓવારણાં ન ઉતારવાં જોઇએ એવા શાસ્ત્રીય મત જાહેર રીતે પ્રગટ કર્યો.
તા. ૧૫-૮-૧૬
પાણીની વાત નીકળતાં ગ્રામપંચાયતના સરપચ કહે કે, " ખેડૂતોને પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે અમારી આસપાસ પાતાળિયા કૂવાએ કરવામાં આવ્યા છે. આ કૂવા ઊંડા કરવાના ને આજુબાજુ પાણીની નહરા કરવાના મેટા ઓર્ડર જર્મન કંપનીને મળ્યા છે. એપ્રિલ માસ બેસી જાય ને ગ્રાન્ટ લેપ્સ–રદ થઈ જાય એ ખીકથી અમારા ખેતરમાં થયેલ ઘઉંને વીસ આની પાક જરા પણુ વિચાર કર્યા સિવાય આડેધડ કાપી નાંખે છે, અમારી જમીન જાય છે, પાક નેસ્તનાબૂદ થઇ જાય છે, એને બદલે સરકાર પાસે માગવા જતાં સંભળાવવામાં આવે છે કે દેશની ઉન્નતિ માટે, પંચવર્ષીય યોજના સફળ બનાવવા માટે, સમાહિત માટે વ્યકિતએ સહન કરવા તૈયાર રહેવુ જોઇએ. અમે આ રૂપેરી ખેાધવચને સાંભળી ધરાઇને પાછા આવીએ છીએ.
“આ પાતાળિયા કૂવા એંજિનથી ચલાવવા જતાં બહુ ખર્ચાળ થઈ પડે છે, તેથી પાણી માધુ પડે છે. ૩૫ થી ૪૦ હજાર રૂપિયા ખર્ચીને તૈયાર થયેલ કૂવા, તથા કૂવાનાં એન્જિના સાચવવા માટેનાં નવાં મકાને જોઈ બહારના મુસારો રાજી થતા હશે. પણ અમરે મન તે આ પાતાળિયા કૂવાએ અમારાં મેઢામાં આવેલ રોટલા પાકને ખેદાનમેદાન કરી કઢાવી લીધા છે. એક મહિને, ઘઉંના પાક ખળામાં આવી જાય તેટલા વખત, આ કંટ્રાકટરોને કઇ રીતે આપણી સ્વરાજ સરકાર પણ રોકી શકે નહીં ?”
પણ હું તે! અંબર ચરખાનુ પરિશ્રમાલય જોવા સહસા ગયેલ હોવાથી આ કામ જોઇએ તેવું કેમ ખીલ્યું નથી એ જાણવા માગતા હતા એટલે આ કથનીને ટુંકાવી દીધી.
અખર ચરખાનું કામ શીખવા માટે ૫૦૦ નૌજીવાનાએ અરજી કરી હતી. આ ઉમેવારામાં ૧૦૦ થી વધારે જીવાનો મેટ્રિક પાસ થયેલ હતા. આ ૧૦૦ માંથી ૨૦ ભાઇઓની વરણી અંબર ચરખા સમિતિએ કરી. પણ જે ૧૦ અંબર ચરખા જોઇએ તે અકબરપુરથી સમયસર આવી ન શકયા તે જે ૧૦ ચરખા છેવટે આવ્યા તેમાંથી છ અંબર ચરખા સ્પ્રિંગ—* જોઇએ તેવાં ન મળવાથી સરખા ન ચાલ્યા ને એક મહિના પછી ન છૂટકે આ પરિશ્રમાલય બંધ કરવું પડયુ તે ૨૦ રૂપિયા કાશન—મની તરીકે ઉમેાર પાસેથી અંબર ચરખા સમિતિએ લીધેલ તે રૂપિયા ભેજનખર્ચમાં વપરાઈ ગયા; ને એકાર શિક્ષિત મૂંઝાતા, દિલનાં દુઃખ ને દર્દ લઈ પાછા ગયા.
સધન ક્ષેત્ર યોજનાના સંચાલકાની મદદથી સુલતાનપુર ગામમાં પાંચેક હરિજનનાં ધરા શ્રમદાનથી નવાં બંધાયાં છે. ગામમાં તળાવ પણ ખેાદાયુ છે. કાચા રસ્તા અન્યા છે.
એપ્રિલ માસમાં આ ગામમાં અખિલ ભારતના સધન ક્ષેત્ર યોજનાના બધા કાર્યકર્તાઓની કાન્ફરન્સનું ઉદ્ઘાટન કરવા શ્રી પંડિત
જવાહરલાલ આવવાના છે.
અહીં ખેડૂતોના કાચા માલ સધરવા માટે વેરહાઉસ બંધાય છે. તેમને આછે વ્યાજે નાણાં ધીરવાની, ફસલની સારી કિંમત ઉપજાવી આપવાની યાજના મૂર્તિમાન રૂપ પકડવા લાગી છે.
છતાં...આ ગામડાંઓ જોઈ મારામાં જે વિષાદની લાગણી થઇ આવી હતી તે શબ્દમાં ઉતારી હળવા થયો છુ. છગનલાલ જોષી પૃષ્ઠ
વિષય સૂચિ સર્વોદયની દૃષ્ટિએ સરકારી અને મીનસરકારી અનુ. શાન્તિલાલ નન્દુ ૭૩ હિંસાના ઈલાજ
જૈન ધર્મનું મૂલ્યાંકન
'
લોકસભાના ગુજરાતી સભ્યોનો અનુરાધ દ્વિભાષી મુંબઈ અને સૌરાષ્ટ્ર ગુજરાતનાં કાને પરમાનદ ચાલો આપણે ઉડીએ ! સ્વરાજ આવ્યું છતાં
સૂરજચંદ્ર ડાંગી ૫૪
७६ 9 ७८
પરમાનદ છગનલાલ જોષી ૨૧
મુંબઈ જૈન યુવક સધ માટે મુદ્રક, પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫ ૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩. મુદ્રણસ્થાન : કચ્છી વીશા ઓશવાલ પ્રિન્ટીંગ પ્રેસ, મસ્જીદ બંદર રોડ. મુંબઈ ૯. 2. ન. ૩૪૬૨૯