________________
St
પ્રબુદ્ધ જીવન
લાકસભાના ગુજરાતી સભ્યાના અનુરાધ
( દિલ્હીની લોકસભાએ મુંબઇનું મહાદ્રિભાષી રાજ્ય રચવાના નિષ્ણુય લીધા તેના પ્રત્યાધાત રૂપે અમદાવાદમાં જે હિંસક તાકાનો શરૂ થયાં તેથી સંતાપ અનુભવીને લોકસભાના ગુજરાતી સભ્યોએ પ્રસ્તુત નિર્ણય કેવા સમેગામાં લેવાય તે બાબતના સ્પષ્ટતા કરતુ અને પ્રક્ષુબ્ધ વાતાવરણનું પ્રશમન કરીને પુનઃ શાન્તિ સ્થાપવા માટે હાર્દિક અનુરોધ કરતુ એક નિવેદન બહાર પાડયું છે. આ નિવેદન ઉપર સહી કરનારનાં નામ નીચે પ્રમાણે છે: શ્રી. કાનજીભાઈ દેસાઇ, શ્રી. ખંડુભાઈ દેસાઈ, શ્રીમતી મણિબેન પટેલ, શ્રી. બળવતરાય, શ્રી. ચીમનલાલ ચકુભાઇ શાહ, શ્રી. નરેંદ્ર નથવાણી, શ્રી. ચંદુભાઈ પરીખ, શ્રી. માણેકલાલ ગાંધી, શ્રી. ફૂલસિંહજીભાઈ ડાભી, શ્રી. ચંદ્રશ ંકર ભટ્ટ, શ્રી. ગુલાબશકર ધોળકિયા, ડે. ડી. એચ. વિરયાણા, શ્રી. મૂળદાસભાઇ વૃષ્ય, શ્રીમતી સુશીલાબેન માવળ કર, શ્રી. બહાદુરભાઈ પટેલ, શ્રી. જેઠાલાલ જોષી, શ્રી. ગુલઝારીલાલ નંદા, શ્રી. જયસુખલાલ હાથી, શ્રી. મણિભાઈ શાહ, શ્રી. મનુભાઈ શાહ, શ્રી. અકબરભાઈ ચાવડા.
આ નિવેદનમાં કરવામાં આવેલી અપીલને ગંભીરપણે ધ્યાનમાં લેવાની અને સર્વત્ર શાન્તિ ફેલાવવાની ગુજરાતી ભાઈ બહેનાને આગ્રહ પૂર્વ વિનંતિ છે. તંત્રી )
૩. અમદાવાદમાં પરિસ્થિતિએ જે પલટા લીધા છે એથી અમને ઊંડું દુઃખ થયું છે. મુંબઈના દ્વિભાષી રાજ્યની રચનાને લગતા છેલ્લા નિર્ણયને લીધે ગુજરાતના લેૉકાના કેટલાક વિભાગેને થયેલી નિરાશાનો લાભ સમાજિવરાધી તત્ત્વાએ લીધો હોય એમ લાગે છે. ગુજરાતમાં ઘણા લાંકાને છેલ્લા નિર્ણયથી નિરાશા થઈ હશે એ અમે સમજી શકીએ છીએ. એમને અલગ ગુજરાતી રાજ્યની ખાતરી મળી હતી. એમને એમ પણ હતું કે એમનું રાજ્ય થતાં એમની કેટલીક લાંબા સમયની ઈચ્છાએ અને આકાંક્ષાઓ પૂરી થશે.
મુંબઈના ભાવિ વિશેના વિવાદ દરમિયાન જે કેટલાક કમનશીબ બનાવા બન્યા એથી મુંબઈના મહંદભાષી રાજ્યની જાહેરાત સુખદ નથી બની. સ્વાભાવિક રીતે જ એને લીધે નિરાશા અને નિષ્ફળતાની લાગણી જન્મી છે. મુંબઇના દ્વિભાષી રાજ્ય વિશે પાર્લામેન્ટના લગભગ બધા સભ્યોના નિણૅય ગુજરાત, મહારાષ્ટ્ર અને સુબઈના ત્રણ અલગ એકમા વિશેના સરકારના નિર્ણયને સ્વીકારવાની અનિચ્છામાંથી પેદા થયા છે એ બાબતને જેએ દિલ્હીમાં નહાતા તે સમજી શકે તેમ નથી. દ્વિભાષી રાજ્યના વિચાર
ધિક્કારની હદે પહોંચેલી કડવાશની લાગણીઓનું અને અલગતાની વ્યાપેલી વૃત્તિનું નિવારણ કરવા માટે મુંબઈના મૂંઝવતા પ્રશ્નના ઉકેલ કરવાની તીવ્ર અને અદમ્ય ઈચ્છા દેશના ઘણા ભાગના લકામાં જાગૃત થઇ હતી.
સર્વસંમત ઉકેલ શોધવાના દરેક શકય પ્રયાસોનુ કંઈ પરિણામ ન આવ્યું. રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ભાવના ખતરામાં મુકાઇ. પાર્લામેન્ટમાંના રાષ્ટ્રના પ્રતિનિધિએ આથી મૂંઝાઈ ગયા અને ચિંતાગ્રસ્ત બની ગયા. બધા પક્ષોને સ્વીકાર્ય બને અને એકતા તેમજ અખંડિતતાની સાંકળને મજબૂત બનાવવાની આવશ્યકતાની પૂર્તિ કરે એવા ઉકેલ સાધવા માટે તે ઈચ્છતા હતા, એટલું જ નહિ પણ એવા ઉકેલ શોધવાની એમની ઝંખના હતી. દેશમાં બગડી રહેલી પરિસ્થિતિ ઉદ્દામ ઉકેલ માગતી હતી. આવા સંજોગામાં જ વિવિધ પક્ષાના પાર્લામેન્ટના સભ્યાએ બધા ગુજરાતી ભાષી અને મરાઠીભાષી પ્રદેશાને સમાવેશ કરીને મુંબઇના મહાદ્રિભાષી રાજ્યની સ્થાપનાના વિચાર કર્યાં.
રાષ્ટ્રીય નેતાઓની અપીલ
રાષ્ટ્રના વરાયેલા નેતાઓએ સાર્વભૌમ પાર્લામેન્ટની ઘણી મેાટી બહુમતીએ કરેલી આ અવગણી ન શકાય એવી અપીલ પર વિચારણા ચલાવી. એમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના નેતાઓ સાથે ચર્ચા--વિચારણા કરી. કૉંગ્રેસ કારાબારી સમિતિની પણ એમણે સલાહ લીધી. દેશના ઘટનાને નવા યાગ્ય વળાંક આપવાની ઇચ્છા સાથે બધા જવાબદાર વર્તુળા સ ંમત હતા એ એમણે જોયું. મહારાષ્ટ્ર અને ગુજરાત તેના પ્રતિનિધિઓને એમણે દ્વિભાષી રાજ્યના સ્વીકારની વિરોધ ન થઇ શકે એવા જોરથી ભલામણ કરી. આવા સંયોગોમાં તેમ જ આવી સહૃદયતાથી કરવામાં આવેલી અપીલની ઇચ્છિત અસર થઈ.
તા. ૧૫-૮-૫૬
રાષ્ટ્રીય ઉકેલ
આ મુંઝવતા પ્રશ્નનું રાષ્ટ્રીય નિરાકરણૢ સધાય એ રાષ્ટ્રના હિતમાં હતું. પાર્લામેન્ટમાંના રાષ્ટ્રના પ્રતિનિધિઓ અને રાષ્ટ્રના વરાયેલા નેતાઓની તીવ્ર ઈચ્છાની સિદ્ધિની આડે કાઈ ઉભું રહી શકે નહિ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને ગુજરાત, સૌરાષ્ટ્ર તેમ જ
કચ્છના કાર્ય કારાનુ સંમેલન આ નિર્ણય પર વિચારણા કરે એ પૂર્વે જ કેટલાક સમાજવરોધી તત્ત્વાએ આ બાબત ઉપાડી લીધી છે અને તે અમદાવાદ શહેરમાં અવ્યવસ્થા અને અંધાધુંધી ઉભી કરવાના પ્રયાસો કરી રહ્યા હોય એમ લાગે છે. જેમને હૈયે રાષ્ટ્રનું હિત નથી એવા લોકોએ આ નિર્ણયને લીધે જન્મેલા અસ ંતાપના લાભ લીધો છે.
ગુજરાતે દાદાભાઇ નવરા∞, ક્રિોઝશાહ મહેતા, ગાંધીજી અને સરદાર પટેલ જેવી વ્યક્તિઓને જન્મ આપ્યા છે, ગુજરાતના જાહેર જીવનને રાષ્ટ્રપિતાએ પ્રોધેલા ઉમદા આદર્શોની પ્રેરણા મળી છે. સત્ય અને અહિંસા, ત્યાગ અને તપશ્ચર્યાં જેવા સિદ્ધાન્તોના આધારે ગુજરાતના જાહેર વનનુ ઘડતર થયું છે, દેશની એવી ધારણા હતી કે ગાંધીજીએ એમના સાર્બરમતી આશ્રમમાં ક્રાવેલા ધ્વજને ગૂજરાત તે ક્રૂરતા રાખશે જ,
આદ્યશનિષ્ઠા
પ્રજાના વરાયેલા પ્રતિનિધિઓએ જ રાષ્ટ્રીય નિર્ણયો લેવાના હાય છે અને કાઇ એક પ્રશ્નના ચોક્કસ ઉકેલ કરવાનું પાર્લામેન્ટના સભ્યો નક્કી કરે એ પછી એ નિણૅય ગમે તેટલા અસ્વીકાય હાય તે પણ એનો સ્વીકાર કરવા જ રહ્યો. ગુજરાત–કેંગ્રેસનું જીવન કૉંગ્રેસના આદર્શો પ્રતિની એની શિસ્ત અને વફાદારી માટે સારી રીતે જાણીતુ છે, એટલે ગુજરાત આ નિર્ણયને માનપૂર્વક અને આનદથી માથે ચડાવશે અને સ્વસ્થ નીરોગી રાષ્ટ્રીય જીવનની રચનામાં પોતાના કાળા આપશે એવી અપેક્ષા રાખવામાં આવતી હતી.
આઘાત ને દુ:ખ
એટલે અમદાવાદમાં પરિસ્થિતિએ જે પલટો લીધેા છે એથી અમને આધાત લાગ્યા છે અને ઉડું દુ:ખ થયું છે. ગુજરાતીએ એમની વ્યવહારદક્ષતા માટે જાણીતા છે. દેશભરમાં બધા લોકો સાથે એમને મીઠા સબંધો છે. ઘણા રાજ્યોમાં જઇને તે વસ્યા છે અને એમના ખંત અને ઉદારતાથી એ વિસ્તારોના લોકાને તેમ જ એમને પેાતાને એમ બનેને લાભ થયો છે. ગુજરાત એની સહિષ્ણુતા અને ઉદાત્તતા માટે પણ જાણીતુ છે. આપણા પૂર્વજો પાસેથી આપણને આ મૂલ્યવાન વારસા મળ્યા છે અને આવતી પેઢી દરમિયાન આપણાં બળકને આપણે એ વારસા વિશુદ્ધ સ્વરૂપે જ સોંપવા જોઇએ.
એટલે અમે સંપૂર્ણ નિષ્ઠાપૂર્ણાંક ગુજરાતના અને ખાસ કરીને અમદાવાદના લાંકાને પ્રસંગને અનુરૂપ બનીને અને આપણા મહાન નેતાઓએ આપણને સોંપેલ ઐતિહાસિક કામગીરીને યાદ રાખીને અમદાવાદ કે ગુજરાતને શાબા નથી આપતી એવી ઘટનાઓના અંત લાવવાની અપીલ કરીએ છીએ.
અમદાવાદના લોકો સાબરમતીના સતના ઉપદેશને નહિ વિસરે એવી અમે પ્રાથૅના કરીએ છીએ; એટલુ જ નહિ, તે શહેરમાં શાંતિ સ્થાપવાના કામમાં લાગી જશે કે જેથી કરીને રાષ્ટ્રીય પ્રશ્નોની શાંતિથી વિચારણા થઈ શકે અને એમાં રહેલી બધી મુશ્કેલીઓના નિરાકરણની યોગ્ય વિચારણા એમના નેતા અને સાથીઓ સાથે થઇ શકે, અમદાવાદમાં પૂર્વવત્ શાંત સ્થિતિની તત્કાળ સ્થાપના થશે એવી અમે આશા રાખીએ છીએ. અમે એવી પણ આશા રાખીએ છીએ કે ગુજરાતના ગૌરવવત વારસા અસ ંદિગ્ધ શબ્દોમાં વ્યક્ત થશે કે જેથી કરીને ગુજરાતનું શુભ નામ આપણા માટે તેમ જ આવતી પેઢીઓ માટે પણ જળવાઈ રહે.