________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૮-૫૬
ઉપયોગી થાય એ પ્રકારના સાહિત્યિક ઇતિહાસના અતિ અલ્પ પણ મહત્ત્વના પાયા શ્રી મેાહનભાઇએ નાખ્યો. હવે તે દિશામાં માગણી અને જિજ્ઞાસાને અનુરૂપ એવા નવીન પ્રયત્ના શ્વેતામ્બર અને દિગમ્બર બન્ને પરંપરામાં થઈ રહ્યા છે, પણ તેમાંય મોહનભાઈના “જૈન સાહિત્યના ઇતિહાસ” નું સ્થાન છે જ.
એમની મહતી કૃતિ અને, મારી ધારણા સાચી હાય તા, તેમની તબિયત ઉપર જીવલેણ ફટકા મારનાર કૃતિએ તા જૈન ગુર્જર કવિ' છે. એમણે તે ભારત જેવું કામ એકલે હાથે કેવી રીતે સમ્પન્ન કર્યું... એ નવાઇ જેવું લાગે છે, પણ જેણે જેણે તેમને એ કામ કરતા જોયા છે તે જાણે છે કે એ કામમાં તેમણે કેટલી શકિત, કેટલા સમય અને કેટલો અંગત ખર્ચ અર્પિત કર્યાં છે. એક રાતે મેં જોયું કે હું તો સઇ ગયો છુ અને તે બાર વાગ્યા પછી મારી સાથેની ચર્ચા પૂરી કર્યા બાદ જાગતા બેઠા છે. તેમની બીડી અને કલમ બન્ને સમાનગતિએ કામ કરતાં હતાં. એ વાગે તે સુતા. સવારે મને કહ્યું કેઃ મારે જિંદો કાર્યક્રમ આ જ છે. દિવસે વચ્ચે વિક્ષેપ આવે, પણ રાતે નિરાકુળતા. એક વાર તેમની સાથે કાટ માં ગયા, ત્યાંય જોયું કે પ્રશ્ને સાથે હતાં, અને વખત મળે કે જોતા. મેં દાદર, ઘાટકોપર અને મુકુદ એ સ્થામાં તેમને અનેકવાર કામ કરતા જોયા છે. રાત રહે તેા કામ લેતા આવે. મેં પૂછ્યું : આ ભાર શ? તા કહે પરિશિષ્ટોનું કામ ચાલે છે. ન કરું તે કરે ક્રાણુ ? અને રહી જાય.
અહીં સિંધી જૈન સિરીઝમાં પ્રસિદ્ધ થયેલ એમનું અંગ્રેજી પ્રસ્તાવનાવાળું વિશિષ્ટ સંપાદન ‘ભાનુચ– સિદ્ધિચંદ્ર' કાઇ પણ સ્કાલરનું ધ્યાન ખેંચ્યા વિના રહે તેમ નથી એ યાદ રાખવું ઘટે,
G
મંત્રીઓ અને કાર્યકર્તાઓ અહુ ભલા છે. ૫. માલવીયજી જેવાના પ્રભાવમાં તણાઇ અમુક વચન આપી દે છે, પણ કાશીની સ્થિતિ તે નથી જાણતા. માહનબાઈના આગ્રહથી મેં કહ્યું કે ભલે પૈસા મોકલાવી દે, પણ આ શરત સાથે સૂચવેા. એમણે એ શરતો નોંધી અને મુંબઇ જ અનારસ સાથે પત્રવ્યવહાર કર્યાં. શરતા લગભગ સ્વીકારાઇ. હવે જૈન અધ્યાપક નિયત કરવાના પ્રશ્ન હતો. એક ભાઈને ત્યાં માલ્યા, પણ ચેરનું તંત્ર ડામાડોળ થઈ ગયુ. હું પોતે ગૂજરાત વિદ્યાપીઠ છોડી અથવા હેા કે ગુજરાત છેાડી બહાર જવા પ્રથમથી જ તૈયાર ન હતા, પણ ટેટી આવતાં ૧૯૩૩ ના જુલાઈમાં હું કાશી ગયો. કાશી જવા માટે હું તૈયાર થયો તેની પાછળ બળ હતું કાન્સનુ અને કોન્ફરન્સ એટલે મારી દૃષ્ટિએ તે વખતે સવ કાર્યકર્તા એ મેાહનભાઇ: એક દેસાઇ અને ખીન્ન ઝવેરી. એમણે મારા માટે બધી વધારાની સગવડ કરી આપવાનુ આપમેળે ખીડુ ઝડપ્યું, કાશીનું તંત્ર તે તરત ગોઠવાયું, પણુ તેના દૂરગામી સુપરિણામા જે આવ્યાં છે તેનુ ં યથાવત્ મૂલ્યાંકન કરનાર અહીં કોણ છે તે હું નથી જાણતા.
આની લાંખી કથાને અત્યારે સમય નથી, પણુ સંક્ષેપમાં નોંધ લેવી અસ્થાને નથી. છેલ્લા ૨૩ વર્ષમાં કાશીમાં જે અધ્યયન અધ્યાપન, લેખન, સંશોધન અને પ્રકાશનની પ્રત્તિ થઇ છે તે જૈન ચેરને આભારી છે. એને લીધે ભણુનાર તે કેટલાક આવ્યા અને ગયા પણ તેમાંથી કેટલાકની ચેાગ્યતા અને પછી ગણનાપાત્ર છે, કેટલાક જૈન દર્શનના આચાર્ય થયા તેા કેટલાક સાથે સાથે એમ.એ. અને પી.એચ ડી. પણુ, એમાંથી પાંચેક તા પ્રેસરના ઉચ્ચ પદ ઉપર પ્રતિષ્ઠિત છે. કાશી જૈન–ચેરની ભાવનાએ કેટલાક અસામ્પ્રદાયિક માનસ ધરાવનાર પણ જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્યનો ઉત્કર્ષ ઇચ્છનાર પંજાષી ભાઇઓને પ્રેર્યા અને ૧૯૩૭ થી શ્રી પાર્શ્વનાંથ વિધાશ્રમની સ્થાપના થઈ. આગળ જતાં જૈન કલ્ચરલ રિસર્ચ સેાસાયટી સ્થપાઇ. આમ જૈન-ચેર અધ્યાપનનું કામ પુરુ પાડે, પાર્શ્વનાથ વિધાશ્રમ વિદ્યાર્થીઓને રહેવા--ખાવા-પીવા આદિની સગવડ પૂરી પાડે, વિશિષ્ટ પુસ્તકાલયની સગવડ આપે અને કલ્ચરલ રિસર્ચ સોસાયટી સુનિષ્ણાત વિદ્રાનાના ચિન્તન લેખનને મૂર્ત રૂપ આપે. આ રીતે આ ત્રણેય અંગે એવી રીતે સંકલિત થયાં છે કે તે એક બીજાનાં પૂરક અને પોષક બની માત્ર જૈનપરંપરાની જ નહિ, પણ ભારતીય—અભારતીય વિદ્યાનાની નવયુગીન અપેક્ષાને અમુક અંશે સતૈષી રહ્યાં છે.
હું અત્યારે ત્યાંની જે સ ંસ્કૃત, હિન્દી અને અંગ્રેજીમાં પુસ્તક અને પત્રિકા પ્રસિદ્ધ થયાં છે અને જે ઉચ્ચ કક્ષાના વિદ્યાવર્તુલમાં આદરપૂર્વક વંચાઈ રહ્યાં છે તેની યાદી આપવા નથી મેડો. આટલુંય સ્મરણ આપવાના મારા ઉદ્દેશ એટલા જ છે કે શ્રી. મે।હનલાલ દેસાઈની અને ઝવેરીની અનિવાર્ય પ્રેરણા ન હાત અને કાન્ફરન્સે મારી અસાદાયિક વિદ્યાવૃત્તિના ઉપચાય કરવાની ઉદારતા પૂરી રીતે દાખવી ન હોત તેમજ ચેરને અંગેની જરૂરિયાતની માગણીને સર્વાનુમતિએ વધાવી લીધી ન હાત તો હું કાશીમાં ગયા જ ન હાત, ગયા હૈાત તા સ્થિર થયા ન હાત અને ક્રમે ક્રમે ત્યાં જે વિકાસ થયા છે તેની શક્યતા પણ ભાગ્યે જ આવી હાત.
શ્રી મેાહનભાઇની પ્રકૃતિ સારા કામમાં કંક ને કંઈક ભાગ લેવા જ એવી હતી. એમ કરવામાં તે પોતાની મુશ્કેલીના વિચાર ભાગ્યે જ કરે. તેની આવક મર્યાદિત અને કૌટુમ્બિક જવાબદારી વધારે હતી, એના નિર્દેશ મેં પહેલાં કર્યો જ છે. એક વાર એક કામના વિચાર ચાલતા હતા ત્યારે તેઓ આવીને મને કહે “પડિતજી, આમાં હું પાંચસેા રૂપિયા આપીશ.” હું તે સાંભળી જ રહ્યો. મે કહ્યું: “મોહનભાઇ, તમારા માટે તે આ બહુ કહેવાય.” તા કહે કે “મને આ કામ પસદ છે. એટલે મારે એમાં ભાગ લેવા જોઇએ.” આમ શ્રી મેહનભાઇનું જીવન અર્પણનું વન હતું એ જોઇ શકાશે,
ગુજરાત સાહિત્ય પરિષદના અધિવેશન પ્રસંગે તેઓ કાં ને કાંઇ જરૂર લખી મોકલાવે. આચાર્યશ્રી જિનવિજયજીએ જૈન સાહિત્ય સંશાધન શરૂ કર્યું. તા મેાહનભાઈના એમાં સક્રિય સાથ. શ્રી વાડીલાલ મોતીલાલ તેમના પ્રાથમિક મિત્ર, પણ તેમને વિશેષ અને સ્થાયી પરિચય તે ઐતિહાસિક અને તટસ્થ દૃષ્ટિવાળા શ્રી નાથુરામપ્રેમીજી તથા આચાર્યશ્રી જિનવિજયજી સાથે. મહાવીર જૈન વિદ્યાલયના તે પ્રથમથી જ એક કાર્ય કર્યાં, પણ તેમનુ મુખ્ય પ્રવ્રુત્તિક્ષેત્ર પ્રાચીન સાહિત્યને વર્તમાન યુગની દૃષ્ટિએ ઉદ્ધાર અને પરિચય કરાવવા તે. કોન્ફરન્સના એક જાગરૂક કાર્યકર્તા તરીકેનું તેમની સાથે સોંકળાયેલુ મારુ સ્મરણુ એ જેમ મારા માટે મધુર છે તેમ એ વિશે બીજાઓએ જાણવુ એ તેથી ય વધારે રોચક અને ઉપયોગી પણ છે. તેથી એના ઉલ્લેખ જરા વિગતે કરું છું. આની પાછળ દૃષ્ટિ એ છે કે કાન્ફરન્સના અત્યારના નવીન કાર્યકર્તા અને હવે પછી આવનાર પેઢીના કાર્યકર્તા કોન્ફ્રન્સની પ્રવૃત્તિના એક અને મારી દૃષ્ટિએ મહત્ત્વના અંગથી પરિચિત રહે અને તે દિશામાં પ્રાપ્ત થતાં કતૅવ્યાને બરાબર સમજે. વળી કાન્ફરન્સની એ પ્રવૃત્તિનું બીજ ગમે ત્યારે વવાયુ પણ અત્યારે એના જે પરિણામા આવ્યાં છે અને ઉત્તરોત્તર વિકસતાં દેખાય છે તેને બધા સમજદાર સમજી લે. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં જૈન ચેર સ્થાપવાના વિચારનું ખીજ તા ૧૯૧૯ ની કલકત્તા કાંગ્રેસની બેઠક વખતે રોપાયલું, પણ ફણગા ફૂટવાના સમય ૧૯૩૦ પછી આવ્યા, શ્રી મેહનબાઈએ અમદાવાદમાં એક વાર મને પૂછ્યું કે તમે આ બાબત તટસ્થ કેમ છે ? મેં કહ્યુંઃ કોન્ફરન્સના
આ ટૂં પણ આવશ્યક સ્મરણુ એ સૂચવે છે કે કાન્ફરન્સ સાથે અને તે દ્વારા શ્રી માહનભાઇ સાથે મારો શે। અને વા સંબંધ રહ્યો છે. જો આટલું પણ સ્પષ્ટ થયું હોય તે। હવે એ કહેવાની જરૂર નથી રહેતી કે કાન્સ દ્વારા તૈયાર કરાવેલ સદ્ગત મેહનભાઇના તૈલચિત્રને ખૂલ્લુ મૂકવાના ઔપચારિક વિધિમાં મારું શું
સ્થાન છે.
તૈલચિત્રના અનાવરણ પ્રસંગે તૈલચિત્રમાં સમાયેલ ગર્ભિત અથ જણાવવા અને એ દ્વારા કાન્ફરન્સની પ્રવૃત્તિનું દિશાસુચન કરવુ એને હું મારી આવશ્યક ફરજ સમજું છું. એ ક્રૂરજમાંથી ચૂકું તે મારા અહીં આવવાને ખાસ અર્થ મારી દૃષ્ટિએ રહે જ નહિ.
Jes