SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ se પણ નક્કર કામ કર્યું છે. સામાજિક ખખતમાં કાન્ફરન્સે દેશમાં વિકસતા જતા ઉદાર વિચારાને ઝીલ્યા અને યથાશક્તિ પ્રચાર્યા પણ છે. પ્રબુદ્ધ જીવન કાન્ફરન્સની ઉપર સૂચવેલી ભૂમિકામાં સદ્ગત માહનભાઈના શે સબંધ હતા અને તેમણે શે! શે! કાળેા આપ્યા, મુખ્યપણે એ જાણવું તે જ આજના પ્રસંગ સાથે વિશેષ સંગત છે, મુંબઇમાં સદ્દગત' ડો. બાલાભાઈ નાણાવટીના પ્રમુખપણા નીચે અધિવેશન થયું ત્યારે હુ પહેલવહેલા કાન્ફરન્સમાં આવેલા, એમ યાદ છે, ધણું કરી તે જ વખતે માહનભાઈના પ્રથમ પરિચય થયા અને તેમની રુચિ, પ્રવ્રુત્તિ તથા પ્રકૃતિ વિષે કાંઇક જાણવા પામ્યા, તે જ વખતે મારા મન ઉપર એમને વિશે જે સામાન્ય છાપ પડેલી તે જ છેવટ સુધી વધારે ને વધારે પ્રત્યક્ષ પરિચયથી સ્પષ્ટ થતી ગઇ. મેં જોયેલુ` કે તેમની પ્રકૃતિ જેમ હસમુખ તેમ આશાવાદી હતી, મેં એ પણ જોયું કે તે કાંઇક ને કાંઇક સારું' કામ કરવાની ધગશવાળા અને જાતે જ કાંઈક કરી છૂટવાની વૃ-િતવાળા હતા અને એ પણ જોયેલું કે જ્યાંથી જે પ્રાપ્ત થાય અને શીખવાનું મળે ત્યાંથી મુક્તમને તે મેળવવુ અને તેના યોગ્ય વિનિમય કરવા. મુંબઈના પ્રથમ મિલન પછી તે તેમનાં છેલ્લા દિવસેા સુધીમાં હુ અને તે એટલી બધી વાર મળ્યા છીએ કે તેને આંક સ્મૃતિમાં પણ નથી. માત્ર મળ્યા જ છીએ એટલું જ નહિ, પણ સાથે કલાકા લગી અને કેટલીક વાર તો દિવસેા લગી રહ્યા છીએ, સાથે પ્રવાસ પણ કર્યો છે. આ બધા પ્રસંગે મેં એ જોયુ કે તેઓ રાજકારણ કાંગ્રેસ કે ગાંધીજી વગેરેની કાપણ ચર્ચા ઉપરથી છેવટે કાન્ફરન્સની પ્રવૃત્તિને લગતી કાઈ ને કાઇ બાબત ઉપર આવે, જાણે કે એમના મનમાં એક પ્રશ્ન વેળાતા ન હોય તે રીતે વાત કરે. મને લાગેલું કે એમના પ્રશ્ન એ છે કે કેાન્સ શિક્ષણ, સાહિત્ય અને સામાજિક સુધારાની બાબતમાં શું શું કરી શકે અને તે કામ કેવી રીતે પાર પાડવું ? એક તા જૈન સમાજ વ્યાપારપ્રધાન, આર્થિક દૃષ્ટિએ તદ્દન સ્વાધીન હોય એવા લોકો ગણ્યાંગાંઠયાં, મધ્યમવર્ગીય બધા જૈને કાન્ફરન્સમાં સમ્મિલિત કરવાની દૃષ્ટિ, સાધુએના અન્દરઅન્દરના પક્ષભેદ અને તેને લીધે શ્રાવકવર્ગમાં પડતી ફ્રૂટના કાન્ફરન્સ ઉપર પડતા પ્રત્યાધાતા; આ બધુ કાન્ફરન્સની દૃષ્ટિ, શક્તિ અને પ્રવૃત્તિને મર્યાદિત કરનારૂ પહેલેથી જ હતુ અને હજીયે છે. એક બાજુથી અધી દિશામાં વિચારસ્વાતંત્ર્યના પવન ફૂંકાતા હાય, અનેક ઉપયોગી પ્રવૃત્તિઓ દેશમાં વિકસતી જતી હોય અને બીજી બાજુથી કાન્ફરન્સ એ સાથે તાલ મેળવી ન શકતી હાય તે સાચા ધગશવાળા કાર્યકર્તાને - મૂંઝવણુ થાય. એવી મૂંઝવણુ મેં શ્રી. મેાહનભાઈમાં અનેકવાર નિખાલસપણે પ્રગટ થતી જોઈ છે. અત્રે એક બાબત ધ્યાનમાં રાખવી ઘટે કે મેાહનભાઈ વકીલ હતા, પણ તેમની વકીલાત એવી ન હતી કે તેમને તેમની ઇચ્છા પ્રમાણે કામ કરવાના અવકાશ આપે. આવક બહુ મર્યાદિત, કૌટુમ્બિક આદિ પ્રશ્નો ઘણા છતાં એમનુ ખમીર આશાવાદી, પ્રવૃત્તિશીલ અને કઠું હતું. વળી એમની તબિયત પણ એટલી જ સારી, થાક તે જાણે લાગે જ નહીં. કોઇકવાર જમ્યા પછી પણ જમવાના પ્રસંગ આવે તે તેઓ પાછા ન પડે. અને એમની નિષ્ઠા પણ એટલી પાકી, કાઇ કામ લીધું એટલે એ પૂરૂ કર્યે જ છૂટકો. એમાં પછી ઊઁધ કે આરામ જોવાના જ નહીં, તેથી જ તે કાન્ફરન્સની બધી પ્રવૃત્તિમાં પ્રત્યક્ષ ભાગ લેતા અને પોતે રુચિ તેમ જ શક્તિ પ્રમાણે અમુક કામ હાથમાં લઈ તેને પૂરા ખતથી અને મહેનતથી પાર પાડતા. જો કાઇ ખીન્ન કાર્યકર્તા તેમને ભેટી જાય અને તેની પાસેથી કામ લેવાનુ શક્ય હાય તો તેઓ તેને કાન્સ સાથે સાંકળી એક યા બીજી રીતે તેની પાસેથી પણ કામ લેવાના માર્ગ માકળા કરે. સદ્ભાગ્યે એમને સાથીઓ અને મિત્ર પણ સારા મળેલા. સદ્ગત માતીચંદભાઈ, મકનજીભાઇ અને માહનલાલ ઝવેરી વગેરે એમના તા. ૧-૮-૧૬ સાથીઓ. જ્યાં એમની મડળી મળી કે ત્યાં કાંઈક સર્જક વિચાર થાય જ અને કાઇ એકબીજાને પાછા ન પાડતાં ઉત્સાહિત જ કરે. આ વસ્તુ મેં મહાવીર જૈન વિદ્યાલયની મીટીંગામાં તથા કેન્સ એસિમાંના મિલન પ્રસગે અનેકવાર જોઈ છે. મેાહનભાઇની અંગત પ્રવૃત્તિ મુખ્યપણે સાહિત્યિક હતી. અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, પ્રાકૃત, અપભ્રંશ અને સ ંસ્કૃત આદિ ભાષામાં જ્યાં જ્યાં તેમને જૈન સાહિત્ય, તત્ત્વજ્ઞાન કે આચાર વિશે જાણવાનું મળે તે બધાંમાંથી તેઓ એકલે હાથે સગ્રહ કરે. વાંચનાર પેતે, ભાષાન્તર કરનાર પોતે, પ્રશ્ન જોનાર પોતે. એમ પોતાની બધી કૃતિઓમાં અને માં લખાણામાં જે કાંઈ કરવું પડયું છે તે બધું લગભગ તેમણે પેાતાને હાથે જ કર્યું છે. કરન્સ હેરલ્ડ' અને ‘જૈનયુગ,' જે તે વખતે કેન્ફરન્સનાં મુખપત્રો હતાં, તેની ફાઈલા જોશો તે જણાશે કે એમાં મુખ્ય આત્મા એમને જ રમે છે. તે મને ઘણી વાર વાતવાતમાં કહેતા કે ‘લોકો લખાણેાને જૂના ચોપડા ઉખેળનાર અને ઉકેલનાર તરીકે ગણી ટીકા કરે છે, તમે હેરલ્ડ અને જૈનયુગમાં આ બધું નકામું શું ભરી રહ્યા છે ?” પણ હવે અત્યારે તા સૌને સમજાય તેવુ છે કે મેાહનભાઇનુ પ્રવૃત્તિક્ષેત્ર અને કામ વિદ્વાનેાને કેટલું ઉપયોગી છે અને તેનુ મૂલ્ય કેટલું સ્થાયી છે ! પોતાના સાહિત્યિક કામને માટે શ્રી મેહનભાઈને અનેક પ્રાચીન હસ્તલિખિત પ્રતા મેળવવી અને તપાસવી પડતી અને એ માટે કા માં રજા પડે કે તરત જ તેઓ એ કામમાં લાગી જતા; અને જરૂર લાગતાં અમદાવાદ કે પાટણના જ્ઞાનભંડારા જોવા માટે પ્રવાસ પણ ખેડતા. રજાઓના ઉપયોગ આરામ માટે કરવાને તે વિચાર જ શાના આવે? ત્યારે તેા ઊલટું અમણા ઉત્સાહથી બમણું કામ કરે અને એમાં એમને કદી પણ થાક કે કંટાળા આવે જ નહીં અને એ કામમાં કઇંક પણ ઉત્તમ કૃતિ મળી આવે તે જોઇ ત્યા આનંદ. અહીં આવા એક પ્રસંગ મને યાદ આવે છે. હું અને આચાર્ય જિનવિજયજી અમદાવાદમાં રહેતા હતા ત્યારે એક વાર શ્રી મેાહનભાઇ જ્ઞાનભંડારા શોધવા માટે અમદાવાદ આવેલા. એક દિવસ તે ડેલાના ઉપાશ્રયના ભંડાર જોવા ગયા. અપારના ગયેલા તે રાતના અગિયાર સુધી પાછા ન આવ્યા. અમે માન્યું કે હવે તે નહીં આવે અને શહેરમાં જ કયાંક સૂ રહેશે. અમે તા બધા સૂઈ ગયા. ત્યાં તા લગભગ અડધી રાતે શ્રી માહનભાઇએ બારણાં ખખડાવ્યાં, અને અમને જગાડયા. અમે જોયુ કે આટલા પરિશ્રમ પછી પણ એમનામાં થાક કે કંટાળાનું નામ નહાતુતું. ઊલટું. આજે તે એ એવા ખુશ હતા કે ન પૂછો વાત ! ખિલખિલાટ હસીને એ કહે “પ’ડિતજી ! આજે તે તમને પ્રિયમાં પ્રિય એક કૃતિ મળ્યાના સમાચાર આપું તે મને શું જમાડશેા ? શું ઇનામ આપશો ? કહા તે ખરા કે આપને અતિપ્રિય એવી કઇ કૃતિ મળી હશે ?” મેં કહ્યું : “મેહનભાઈ ! એના ઇનામમાં તમને તમારા નામનું જ મિષ્ટાન્ન જમાડીશુ !” તે દિવસે મેાહનથાળ બનાબ્યા હતા. પછી હું આ કૃતિ શું હાઇ શકે એના વિચારમાં પડ્યો. ચાર-પાંચ મિનિટ વિચાર કરીને પછી મેં પણ સટાડિયાની જેમ તુક્કો લગાવ્યા, અને કહ્યું કે “એ કૃતિ તે મહેાપાધ્યાય શ્રી યશોવિજયજીનું જીવન જેમાં થાડુ ધણું પણુ સંગ્રહાયેલુ છે તે ‘સુજસવેલી ભાસ' હાવી જોઇએ.” આ કૃતિના થોડાક ભાગ પાટણમાંથી મળેલા, બાકીનો ભાગ મેળવવા અમે ખૂબ ઉત્સુક હતા, અને મેાહનભાઈએ એ જ કૃતિ શોધી કાઢી હતી. અમારા આનંદના પાર ન રહ્યો. આવા તે બીજા પ્રસંગો પણ આપી શકાય, પણ અહીં અને માટે એટલા વખત નથી. લોયમેન, વેમ્બર, યાકાળી આદિ જર્મન વિદ્વાનાએ જૈન પરમ્પરા તે તેના સાહિત્યને લગતા ઇતિહાસ લખવાની પહેલ કરી. ફ્રેંચ અને અંગ્રેજી ભાષામાં પણ જૈન પરમ્પરાને લગતા અધ્યયનના પ્રારંભ થયા, પણ ભારતીય ભાષાઓમાં આધુનિક દૃષ્ટિએ અને સશેાધક વિદ્યાનાને
SR No.525941
Book TitlePrabuddha Jivan 1956 Year 17 Ank 17 to 24 and Year 18 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1956
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy