________________
રજીસ્ટર્ડ ન. B ૪ર૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪
प्रजद्ध भवन પ્રબુદ્ધ
પૂ. જૈન વર્ષ ૧૪–૪. જીવન વર્ષ ૪ * હ
મુંબઈ, ઓગષ્ટ ૧, ૧૯૫૬, બુધવાર આફ્રિકા માટે શીલિંગ ૮.
શ્રી
sease the se-test-sessoms 1eys set pedh :]]<p style મારા પ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
મારારજીભાઈ : દશ વર્ષ પહેલાના અને આજના
વૃક્ષ ફળભારથી લચીને અત્યંત સુંદર અને ઋજુ બની જાય છે, એ અનુભવીઓની ઉકિતનું દર્શન તા. ૮-૭-૫૬ ના રોજ મુંબઈ રાજ્યના પંતપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઇદ્રારા થયું. જ્યારે સંપ્રદાયોની એલબાલા હતી ત્યારે કંઇ પણ ભેદભાવ વગર જૈનાના કાઇ પણ ફ્રિકાના વિદ્યાર્થી માટે પ્રવેશદ્વાર ખુલ્લા રાખનાર અને હજી જ્યારે સાંપ્રદાયિક મનોવૃત્તિ અવારનવાર ડોકિયાં કરી રહી છે ત્યારે જૈનેતર વિદ્યાર્થીઓને માટે પણ પેાતાનાં દ્વાર ખુલ્લા મૂકવાની પહેલ કરનાર શ્રી સંયુકત જૈન વિદ્યાર્થી ગૃહની મુલાકાતે ઉપર જણાવેલ દિવસે તે આવ્યા હતા. બરાબર સવારના સાડાદસથી બપોરના દોઢ સુધી એટલે કે ત્રણ કલાક સુધી તે વિદ્યાર્થીઓ વચ્ચે રહ્યા; વિદ્યાર્થી વચ્ચે છૂટથી હળ્યા મળ્યા : પંતપ્રધાનની જવાખદારીભરી પોટલી જાણે કે એક બાજુ નિશ્ચિંત મને મૂકી દીધી, મુકતપણે હસ્યા; સૌને હસાવ્યા. શ્રી મારારજીભાઇનુ અંત:સ્તલ જોવાની ત્યારે તક મળી,
છુટક નકલ : ત્રણ આના
( તા. ૮-૭--૫૬ ના રાજ વાર્તાલાપ અને સહુભાજનના હેતુપૂર્વક માનનીય શ્રી મોરારજીભાઇ સયુક્ત જૈન વિદ્યાર્થી ગૃહમાં પધાર્યા અને વિદ્યાર્થીઓ સાથે તેમ જ સ ંસ્થા સાથે સબંધ ધરાવતી અનેક વ્યક્તિઓના સમુદાય વચ્ચે ત્રણ કલા તેમણે ગાળ્યા અને અનેક પ્રશ્નોની મુક્ત મને અને પ્રવ્રુધ્ધ ભાવે ચર્ચા કરી અને એક કુટુંબીજન માક સામુદાયિક બાજનમાં ભાગ લીધે–તેની સૌ કોઇના દિલ ઉપર બહુ મીઠી છાપ પડેલી અને આવા મારારજીભાઇને આપણે આગળ કદિ જોયા કે જાણ્યા નહાતા' આવા ઉદ્ગાર અનેકના મેઢામાંથી સહજપણે નીકળી ગયા. આ મીઠા સ્મરણથી પ્રેરિત બનીને શ્રી ધીરુભાઇએ નીચેની નોંધ લખી માકલી છે. તંત્રી )
શ્રી મોરારજીભાઇ પ્રધાન અને પતપ્રધાન થયા તે પહેલાં તેમનું કાય ક્ષેત્ર હતુ. અમદાવાદ. ત્યારથી તેમના સારે। પરિચય; પણ આજના મેરારજીભાઇ એ વલસાડના નહાતા; અમદાવાદના નહાતા, મુંબઇના પણ નહાતા; ગાંધીજીના સત્ય અને અહિંસાના પૂજારી રાષ્ટ્રપિતા ગાંધીજીના મોરારજીભાઇ હતા.
જેઓએ વર્ષો પહેલાં મારારજીભાઈને જોયાં હશે; તેમના પરિચયમાં આવ્યા હશે તે કહી શકશે કે, જેટલી તેમની ઊંચાઈ તેટલા જ તે દૂર લાગે. કાર્ય કરવાની તેમની રીત આકર્ષક અને દૃઢ; ચીવટપૂર્ણ અને ખતીલી, આપણા હૃદયમાં ધીમે ધીમે સ્થાન મેળવી લે; પરંતુ તેમની સાથે કાર્ય કરનાર હમેશાં થડ–હમેશાં ભયભીત રહે. તેમની પાસે જવાનું, તેમની સાથે કાર્ય કરવાનું સૌને મન થાય, પણ કયારે ‘ક્રૂ કાડા’ મારશે તેની કલ્પના કરાવ્યા કરે. પેતાના વિચારમાં શરૂઆતથી પ્રામાણિક અને મક્કમ; એટલે અત્યંત નિર્ભય, કહેવાનુ હાય તે સ્પષ્ટતાથી કહે પરંતુ સાથે
કાર્ય કરનારને અથવા સાંભળનારને એમ લાગે કે પોતાની ચ્છિા મુજબ જ થવું જોઇએ
એવા દઢાગ્રહી અને તેથી જાણે
કે અભિમાનની છાંયવાળા હશે.
કથન સરળ, પણ વાણીની દશ વર્ષ પહેલાના મેારાજ્જીભાઇ
કઠોરતા સાથે. ક્યારેક કટુતા પણ એટલી જ સ્પષ્ટ જણાય. પંચમહાલના એક કાર્ય કર્યાં તે જે કાઇ કાર્ય કર્તા મારારજીભાઇને મળવા જાય તેને પહેલેથી જ આ સ્વભાવનુ દોષદશ ન કરાવી ગભરાવી મૂકતા. મને પણ મોરારજીભાઈના આ સ્વભાવને આપાતળા પરિચય હતા જ~ તેમને મળવા જતા ત્યારે ભય રહેતા જ; એ જ મેારારજીભાઇમાં અજબ—આશ્ચર્ય પમાડે તેવું પરિવર્તન જોયું. ક્ષણભર હું મુગ્ધ બન્યો.
આજના માાર્થભાઈ હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રમાં કહ્યું છે કે; અપ્રિય એવું સત્ય પણ ન ખેલવું. આ સૂત્રને મેરારજીભાઇએ જાણે કે સુધાર્યું હતું; ‘અપ્રિય એવું સત્ય કહેવું ખરું, પણ આત્મીય ભાવે.' ત્રણુ ક્લાકના સમય દરમિયાન રાજવહીવટ, ચૂંટણી, શિક્ષણ-પદ્ધતિ, હિંસા—અહિંસા વગેરે પ્રશ્નો ખુલ્લા મને વિશદતાથી ચર્ચા. વિધાર્થીઓને ધણુ કહ્યુ. તેમની ખામીઓ દર્શાવી છેલબટાઉ પણ કહી લીધા. પોતાના ઉપર પણ કટાક્ષ કરવાની તક જતી ન કરી. પરંતુ એ સર્વમાં તેમની સચ્ચાઈના આપણને રણંકા લાગે. કડવુ કહેવાની તક એક પણ જવા ન દીધી, પણ તે સમાનભાવે—આત્મીયભાવે દસ વર્ષ પહેલાનાં મારારજીભાઈ મારે મન સરમુખત્યાર હતા, આજે જણાયા જનતાના સેવક--નેતા.
‘સ્થિતપ્રજ્ઞ’ શબ્દ તે યોગી માટે વાપરી શકાય; પરંતુ મારાજીભાઈ હરેક પળે જાગૃત હોય તેમ લાગ્યા જ કર્યું. પોતાના મંતવ્યમાં ચર્ચા દ્વારા સુધારા કરાવવાની સૌને છૂટ હતી. એમની જીવનદૃષ્ટિ પ્રશ્નોના ઉત્તરમાં તરવયે જતી હતી, પ્રશ્નો સાદા સરળ હતા; ઉત્તર કયારેક દાર્શનિકને પણ શાભાવે તેવા હતા.
વિદ્યાર્થી ઓએ વિદ્યાભ્યાસ ઉપરાંત શ્રી પ્રવૃત્તિ કરવી જોઇએ તેના ઉત્તરમાં રમૂજી રીતે તેમણે કહ્યું કે, ટૂંકમાં આટલુ જ; કાષ્ટની નિંદા ન કરે.' એની છણાવટ કરતા ઉમેર્યું : “વિધાર્થી જાગૃત રહે, પોતાના દોષ જુએ અને તેને દૂર કરે, પડોશીને વધુ ઉપયોગી બને.’ અને એક દૃષ્ટાંત આપી શાસ્ત્રીય દૃષ્ટિ દાખવીઃ પારકાના દોષ દૂર કરવા તે જોઇએ જ. એ કઈ રીતે ? કાષ્ઠને કાંટા વાગ્યા હોય અને તેને દૂર કરતા હોઇએ તે રીતે.' આમ શૈલી સરળ, રમતિયાળ અને નિર્દેશ. મને તરત જ ‘નિંદ્રક બાબા ગુરુ હમારા' નાનકની એ પતિ