________________
_ 12
પ્રભુ* જીવન
૬૨
ઇંદ્રિયાને જડ બનાવી દે છે, અને દેહદમન `એજ સાધ્ય હોય એ પ્રમાણે વર્તે છે, અને પોતાની જાતને અભિમાનથી મોટા મહાત્મા અગર તપસ્વી કહેવડાવે છે. બીજાએ ખાનપાનમાં મસ્ત રહી ઇંદ્રિયાના વિલાસમાં મગ્ન રહે છે. તે સંસારનાં સુખ ભાગવતા છતાં મેહરૂપી મદિરામાં ચકચૂર રહે છે. આ બંને માર્ગ સાચા જ્ઞાનને અભાવ સૂચવે છે. આ બંનેમાંથી એકે ય માર્ગે ખરી શાન્તિ, ખરું સુખ મળી શકતુ નથી, શરીરથી અને ઈંદ્રિયોથી અશકત બનેલો સાધક દેહને કષ્ટ આપે તેથી તેનુ મન નિળ બને છે. બીજા સંસારી લોકો કામેાપભાગમાં સુખ માની બેસે છે. પણ તે વસ્તુ સુખકારક નથી, દુઃખકારક છે. સંસારી સુખને અંતે વ્યાધિ, ધડપણ અને મૃત્યુનાં દુઃખ રહેલાં છે. આ બંને માર્ગો સુખ પ્રાપ્ત કરવા માટે, શાંતિ મેળવવા માટે ચેાગ્ય નથી. દેહદમન એ એક છેડા છે અને ઇંદ્રિયાના વિષયાના ઉપભાગ એ બીજો છેડો છે, જેમને શાશ્વત સુખ મેળવવુ છે, શાંતિ મેળવવી છે, તેમણે આ અને છેડાના વચલો માર્ગ શોધી કાઢવા જોઇએ. તથાગત એ માર્ગમધ્યમ માર્ગ શોધી કાઢયા છે. હું બ્રાહ્મણા.! જન્મ, જરા, વ્યાધિ, મરણ, અણગમતી વસ્તુઓના સમાગમ અને પ્રિય વસ્તુના વિયાગ, આટલી બાબતેથી માણસ આ લોકમાં દુઃખી થાય છે. રાયથી રક સુધી સૌ કાઈ આ દુઃખમાં ડૂબેલે છે. જગતમાં આવુ દુ:ખ છે તે ધને હુ' પહેલું આય સત્ય કહું છું.
'
આ સર્વ દુ:ખા તૃષ્ણામાંથી નીપજે છે. ઐહિક સુખની તૃષ્ણા, સ્વર્ગલોક મેળવવાની તૃષ્ણા, મરજી મુજબ સુખ ભાગવવાની તૃષ્ણા, આ ત્રણ તૃષ્ણાયી માણુસ અનેક પ્રકારના ખાટાં કામ કરે છે અને દુ:ખી થાય છે. તેથી તૃષ્ણા એ દુ:ખનું મૂળ છે. આ બીજા સિદ્ધાંતને હું ‘દુ:ખસમુદાય' નામનું ખીજું આર્યસત્ય કહું છું.
તૃષ્ણાના વિરાધ કરવાથી નિર્વાણનો લાભ મળશે. દેહદમનથી કે કામાપભોગથી મોક્ષપ્રાપ્તિ થનાર નથી એ ત્રીજો સિધ્ધાંત છે. આને હું દુઃખનિરોધ' નામનું ત્રીજું આર્યસત્ય કહું છું.
સમ્યક્ દૃષ્ટિ, સમ્યક્ સંકલ્પ, સમ્યક્ વાચા, સમ્યક્ કુર્માન્ત (કર્મ), સમ્યક્ આજીવ, સમ્યક્ વ્યાયામ, સમ્યક્ સ્મૃતિ, અને સમ્યક્ સમાધિ–આ મેં નવીન શોધી કાઢેલો મધ્યમ માર્ગ છે, આ માર્ગે જ દુ;ખનો નિરોધ થઈ શકશે. (વ્રત, ઉપવાસ અને દેહદમનથી ચ્છિા નાશ પામતી નથી.) આ ચેાથેા સિદ્ધાંત છે.
આ ચાર આર્યસત્યાનું જ્ઞાન થવાથી હું સમ્યક સમુદ્ધ પદને પહેોંચ્યા છું. આ ચાર આર્યસત્યો મે કાઈ ગુરૂ પાસેથી સાંભળેલાં નથી કે શસ્ત્રોમાંથી વાંચ્યાં નથી, પણ તેને મને અનુભવ થયા છે, તેનુ મને દર્શન થયું છે.’
ભગવાન મુદ્દતુ આ પ્રવચન સાંભળીને કૌડિન્યનાં જ્ઞાનચક્ષુ ખુલી ગયાં. મુદ્દના મહાન સત્યનું તેને દર્શન થયું. તેના સશયા નાશ પામ્યા અને તે ભગવાન બુદ્ધના પ્રથમ શિષ્ય બન્યા. કૌડિન્યને મુદ્દના શિષ્ય થયેલો જોતાં બીજા ચાર તપસ્વીએ પણ આ સત્યો ઉપર વિચાર કરવા લાગ્યા અને થાડા વખતમાં જ તે પણ ખુદ્ધના શિષ્ય થયા આ પાંચે શિષ્યા મહાપ્રતાપી નીવડયા.
પોતાના પ્રથમ પાંચે શિષ્યાને દીક્ષા આપતાં તથાગત મેલ્યા : ભિક્ષુએ, આ મધ્યમ માર્ગા અંગીકાર કરો અને બ્રહ્મચર્યનું પાલન કરી ભવદુઃખનો અંત આણા.' યુધ્ધે ઉચ્ચારેલા આ શબ્દો જ તે પાંચે તપસ્વીઓને દીક્ષામંત્ર બન્યા.
ભગવાન મુલ્યે પોતાના પ્રથમ પાંચ શિષ્યાને આપેલું પ્રવચન ‘ધર્મચક્ર—પ્રવર્તન'ના નામે શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. ઉપર આપેલા એ વ્યાખ્યાનના સાર ચાર આર્ય સત્ય તરીકે જગતનાં સર્વ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. ઈશુનુ ગિરિપ્રવચન જેમ અદ્વિતીય અને જગતના કલ્યાણ માટે અકસીર ઉપાય બતાવનારું છે, તેવી જ રીતે આ ધર્મચક્ર—પ્રવર્તન' સંસારના સર્વ દુઃખ નિવારવા માટે અમેાધ ઔષધ છે.
1
તા. ૧૫-૭-૫૬
કકરબાપા
થાડા સમય પહેલાં, તબિયત ખરેાખર સ્વસ્થ રહેતી નહાતી એ કારણે, ધરમાં વધારે રહેવાનું બનતાં વાંચન માટે ઠીક અવકાશ મળતા હતો. એ દરમિયાન ઠક્કરબાપા સ્મારક સમિતિ તરફથી પ્રગટ થયેલ ઠક્કર બાપાનું ચરિત્ર (પ્રાપ્તિસ્થાન; નવજીવન કાર્યાલય અથવા તેની કાઇ પણ શાખા, કીંમત રૂ. ૨-૮-૦) લગભગ એકધારૂ વાચવાનું બન્યું અને જાણે કે કઈ એક તીર્થયાત્રા કરી હોય એવી અથવા તા પતીતપાવની ગ ંગામાં દિલ ભરાય એટલું તરવા મળ્યું. હાય એવી પ્રસન્નતા અને ચિત્તનું ઉર્ધીકરણ અનુભવ્યું. આ ચરિત્રના લેખક સૌરાષ્ટ્રના આગેવાન નેતા શ્રી વજુભાઈ શાહના લઘુખ શ્રી કાન્તિલાલ શાહ છે. ભાઇ કાન્તિલાલને સુન્દર લેખનશૈલિવરી છે અને આ ચરિત્ર તૈયાર કરવામાં તેમણે અથાગ મહેનત લીધી છે. ઠક્કરબાપાની ડાયરીના તેમણે પુષ્કળ ઉપયાગ કર્યો છે અને ઠક્કરબાપાના સ્વજનો અને પરિચિતજના પાસેથી પાર વિનાની માહીતી તેમણે મેળવી છે. ઠક્કરબાપાના જન્મ ૧૮૬૯ ના નવેમ્બર માસની ૧૮મી તારીખે થયે અને ૧૯૫૧ના જાન્યુઆરી માસની ૧૯મી તારીખ અને શુક્રવારે તેમનું અવસાન થયું. ગાંધીજીના જન્મ પણ્ એ જ વર્ષ-૧૮૬૯–ના એકટોબરની બીજી તારીખે થયા હતા અને અવસાન ૧૯૪૮ની જાન્યુઆરીની ૩૦મી તારીખે થયુ હતું. આ રીતે ઠક્કરબાપા ગાંધીજીના માત્ર સમકાલીન નહિ પણ લગભગ સમવયસ્ક જેવા ગણાય. ગાંધીજી દક્ષિણ આફ્રિકા છોડીને હિંદમાં ૧૯૧૪માં આવ્યા અને ઠક્કરબાપા ૧૯૧૪માં ભારત સેવક સમાજમાં જોડાયા અને ત્યારથી તેમની સેવાપ્રવૃત્તિની શરૂઆત થઈ જે તેમના અવસાન સુધી એકસરખી અનવરત ધારાએ લખાઈ. ઠક્કરબાપા વિનીત રાજકારણને વરેલા અને દીનદલિત, પીડિત અછૂતની સેવામાં વ્રતધારી માફક સલગ્ન થયેલા. જ્યારે ગાંધીજીના દિલમાં આ દીનદલિત વર્ગો માટે એટલી જ ધગશ હોવા છતાં તેઓ સક્રિય રાજકારણમાં પડયા હતા અને રાષ્ટ્રના આઝાદી જંગના સૂત્રધાર બન્યા હતા. એમ છતાં પણ ગાંધીજી સાથે તેમને સબંધ ઉત્તરોત્તર વધુ ને વધુ ગાઢ બનતા ગયા અને ઠક્કરબાપાની સેવાપ્રવૃત્તિ ગાંધીજીના વિરાટ કાર્યની સદા પૂરક પ્રવૃત્તિ બનતી રહી. ઠક્કરબાપાના પ્રથમ પરિચય થતાંવેંત ગાંધીજીએ ઠક્કરબાપામાં રહેલુ જવાહીર પરખી લીધું અને હરિજનાના ઉધ્ધારકા માં કે દૂષ્કાળ, જળસ’કટ કે ધરતીકંપના રાહતકાર્યમાં ઠક્કરબાપાને તેમણે સહકાર શોધ્યા તેમ જ સાધ્યા અને વર્ષોના વહેવા સાથે ગાંધીજીની છાયામાં ઠક્કરબાપાનું સેવાકાર્ય એક વટવૃક્ષની વડવાઇ માક ચાતરફ વિસ્તરવા લાગ્યું. છેવટે નોઆખલીના દાવાનળ શાન્ત કરવા ગાંધીજી ઉપડયા તે તેમની પાછળ ઠક્કરબાપા પણ દોડયા અને અનેકનાં હૈયાં તેમણે ઠાર્યો, ભારતના નભામડળમાં ગાંધીજી સુર્યસમાન પ્રખરતિ હતાં; ઠક્કરબાપા ચંદ્રસમાન શીતલધુતિ હતા. ઠક્કરબાપાની અખંડ સેવાથી ભરેલી સૌમ્ય અને સ્વસ્થ જીવનયાત્રા વાંચતાં સામાન્ય કોટિના છતાં નિષ્ઠાયુક્ત અને કરૂણાપ્રત હત્ર્યવાળા આદમી કેટલી વિપુલ સેવા દેશના ચરણે ધરી શકે છે તે વિચારથી આપણું મન ભરાઇ આવે છે. અને તેની સરખામણીમાં આપણે જીવનનાં કેટલાંયે વર્ષોં કેવાં નિરક વેડી નાંખીએ છીએ તેનું ભાન આપણને ઊંડી શરમમાં ડૂબાડી દે છે. ટૂકાપાની જોડનો સમાજસેવક આધુનિક ભારતમાં મળવા મુશ્કેલ છે. દરેક યુવાને ઠક્કરબાપાનું ચિરત્ર વાંચવુ જોઇએ અને તેમાંથી પ્રેરણા મેળવીને પોતાના જીવનને પરમાર્થ પરાયણ બનાવવુ જોઇએ. ગાંધીયુગની અનેક વિશિષ્ટ વ્યક્તિઓની હારમાળામાં ઠક્કરબાપાનું નામ સદા અગ્રસ્થાને રહેશે. નરસિંહ મહેતાગ્યે ગાયુ છે કે “ વૈષ્ણવ જન તે તેને કહીએ, જે પીડ પરાઇ જાણે રે, પરદુઃખે ઉપકાર કરે તેાયે મન અભિમાન ન આણે રે” આ વૈષ્ણવ જનનુ ઠક્કરબાપામાં આપણને પરિપૂર્ણ દર્શન થાય છે. આવી વિભૂતિ જે કુળમાં જન્મે તે કુળ ધન્ય છે અને જે દેશમાં જન્મે તે દેશ પણ ધન્ય છે. આ પુણ્યપુરૂષને આપણાં અનેક વન્દન હૈ ! તેમનું પુણ્યસ્મરણુ આપણને સદા દીન, દુ:ખી અને દલિતની સેવા તરફ વાળા અને ઢાળે. પાનદ
મુંબઈ જૈન યુવક સધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનદ કુંવરજી કાપડિયા, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩. હું મુદ્રણસ્થાન : કચ્છી વીશા ઓશવાલ પ્રિન્ટીંગ પ્રેસ, મસ્જીદ બંદર રોડ, મુંબઈ ય. 2. ન. ૩૪૬૨૯