________________
પર
શરીર મજબૂત બનાવવું એટલે પહેલવાન બનવું તેમ માનવાનું નથી, છતાં પહેલવાન થઈ શકાય તા ખોટુ નથી. પણ એ પહેલવાન બન્યા પછી અન્યને ઉપદ્રવી નહિ બનતાં ઉપયોગી અનાય તે તે રીતે પહેલવાન બનવું ખાટું નથી. શરીરશ્રમથી શરીર તંદુરસ્ત અને છે અને જેનું શરીર તંદુરસ્ત હાય તેનું મન પણ તંદુરસ્ત બને છે.
આપણે આપણું શરીર સુડાળ અને ખીજાએ આપણા આદર કરવા પ્રેરાય તેવું બનાવવુ જોઇએ. એવું શરીર બનાવવું એ આપણા જ હાથની વાત છે. એ માટે આપણે શરીરને કસવા ખાતર પણ રાજનું આપણું કાર્ય જાતે જ કરી લેવુ જોઇએ. આ રીતના પરિશ્રમથી શરીરસ્વાસ્થ્ય જળવાવા સાથે યાદશકિત પણ સતેજ બનશે. આ સંસ્થાની મને પૂરી માહિતી નથી પણ જો તમે તમારા કામ માટે નાકરો ન રાખેા તો સારું એમ હું જરૂર ઈચ્છું. એક વખત એવા દિવસ આવશે જ્યારે નાકરા નહિ મળે ત્યારે નાકરા વગર ચલાવવું જ પડશે; તે તે સમય આવ્યા પહેલાં આપણે સમજીને સ્વાશ્રયી બનીએ તે વધુ સારું છે. જ્યારે આપણને એક વસ્તુ ન મળે અને તેના વગર ચલાવવુ પડે તેના કરતાં વસ્તુ મળતી હૈાય ત્યારે જ તેના વગર ચલાવવુ તે વધુ સારું છે.
અહીં શ્રી મોરારજીભાઈએે પોતાના જીવનના દાખલેો આપી કહ્યું હતું કે હું પોતે ખેડૂતના ધરમાં ઉછર્યાં છું. એ વખતે પેાતાને ઘરમાં કરવા પડતાં કાર્યોના ખ્યાલ આપી જણાવ્યું કે હુંછ હમણાં સુધી હું મારાં કપડાં જાતે જ ધોતા હતા.
વિદ્યાથી અવસ્થાનાં સંસ્મરણા
પ્રબુદ્ધ જીવન
પ્રશ્ન ૬ : આપની વિદ્યાર્થી અવસ્થાનાં કાંઈ સમરા કહેશે। જવાબ : યાદ નથી. બાકી આ બધું કહેવાય છે. તે એ સ'સ્મરણામાંથી જ છેને !
અત્યારની શિક્ષણપદ્ધતિ
પ્રશ્ન ૭: અત્યારની શિક્ષણપદ્ધતિ સામે રાષ્ટ્રપતિથી માંડીને સૌ નેતા અને કેળવણીકારો ખેલે છે છતાં તેમાં ફેરફાર થતા નથી. તે અંગે આપને શા મત છે?
જવાબ : એક વસ્તુમાં દોષ છે, દોષ છે તેમ કહેવાથી કાંઈ નહિ વળે. એ જ શિક્ષણપદ્ધતિમાં સૌ તૈયાર થયા છે. આમ છતાં માને કે તેમાં ફેરફાર કરવાના છે તેા તેને વિચાર તમારે વિધાર્થીઓએ કરવાનેા ન હેાય, તે તા જેને ફેરફાર કરવા હશે તે જ વિચારશે. આજે તા યેનકેન વિદ્યાર્થીઓની શીખવાની વૃત્તિ ઓછી થઈ હાય તેમ જણાય છે. સૌની આવી વૃત્તિ પાછળ પોતામાં રહેલી ઊણપો કામ કરતી હાય છે અને વાલી તરફથી પૂરતા પૈસા અપાવાને પરિણામે વિકસેલી છેલબટાઉ થઇને કરવાની વૃત્તિ આ બધા માટે જવાબદાર જણાય છે. અત્રે તેમણે પેતે જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારના પ્રસંગ ટાંકીને જણાવ્યું કે અમારી સાથે પણ બાળા ભણતી હતી, સખ્યા પ્રમાણમાં ઓછી હતી છતાં અમે તેમની સાથેના વર્તાવ ખૂબ જ સભ્યતાભર્યો રાખતા. જ્યારે આજે તા કઇ રીતે કાગળના ડૂચા કે અન્ય વસ્તુ ફેકવી, અડપલાં કરવાં એ વૃત્તિ વધુ જણાય છે, જે જરાયે સારી નથી.
તા. ૧૫-૯-૫૬
તેની સામે મને વાંધો નથી, પણ તેમણે મર્યાદા રાખવી જોઇએ, મર્યાદા એ ભારતની સંસ્કૃતિનુ મહત્ત્વનું અંગ છે. આપણે આપણી સંસ્કૃતિ ભૂલી જઇશું તે દેશને મહાન નુકસાન થશે. લલિત કલાઓ
સહશિક્ષણ
પ્રશ્ન ૮ : આપે હમણાં એક જગ્યાએ સહશિક્ષણ સામે કઇંક વિરાધના સૂર કાઢયા હતા, તે એ મઅેનાં કારણેા સમજાવશે ?
જવા» : સહશિક્ષણ મને પેાતાને અંગત રીતે જરાયે પસંદ નથી. પણ અત્યારના યુગમાં એ અનિવાર્યું છે એટલે એમાં રહેલ અનિષ્ટા અને ભયસ્થાના દૂર કરી વ્યવહારૂ હાય તે કરવા માગું છું. સહશિક્ષણ સામેના મારા વિરેધનું કારણ એ છે કે અમુક ઉમરે યુવકયુવતીઓમાં વિહ્વળતા પ્રવેશે છે, દસ વર્ષની વય સુધી અને ૨૨-૨૫ વર્ષની વય પછી સહશિક્ષણમાં ઓછાં ભયસ્થાન હાવાની મારી માન્યતા છે; પરંતુ વચ્ચેના સમયમાં નહિ. એ વચગાળાના સમયમાં જ ભૂલા થવાનો સંભવ રહે છે. યુવક-યુવતીઓ સાથે કરે
પ્રશ્ન ૯ : નાટય, નૃત્ય, સંગીત વગેરે કલા પ્રવૃત્તિઓ આજે જે રીતે વિકસે છે તે યોગ્ય છે?
જવાબ: એ પ્રવૃત્તિ વિકસે તે સારું છે; પરંતુ તેની અત્યારની વિકાસ માટેની રીત ખોટી છે. એ બધી વસ્તુ કલા તરીકે સુંદર છે, પણ તેના સુંદર રીતે ઉપયોગ થઈ શકે . દૂધના પણ દુરુપયોગ થઈ શકે છે અને ઝેરનેયે સદુપયોગ કરી શકાય છે. એ વસ્તુ કાના હાથમાં જાય છે અને કેમ વપરાય છે તેના પર તેના આધાર છે. આજે જે રીતે નાની બાળાઓ પાસે સ્ટેજ પર નૃત્ય વગેરે કરાવાય છે તેથી તા તેને વિકાસ અટકે છે અને અવળી અસર પડે છે. રાજવહીવટમાં હિંસાનું સ્થાન
પ્રશ્ન ૧૦ : રાજ્ય ચલાવવામાં હિંસાના આશ્રય લેવા પડે તે અહિંસાની કમજોરી નથી ?
જવાબ : રાજ્ય ચલાવવામાં હિંસાને આશ્રય લેવા પડે એમાં અહિંસાની કમજોરી નથી; કમજોર તા આપણે છીએ. અહિંસા ખૂબ જ સૂક્ષ્મ છે. રાજ્ય કદિ અહિંસાથી ચાલે નહિ. રાજ્ય ચલાવવું એ જ હિંસા છે. કાઈને દબાવવા કે દુભવવા એ પણ હિંસા જ છે. પરંતુ આપણે એટલુ ધ્યાનમાં રાખીએ કે હિંસા-અહિંસાના માં અહિંસા હમેશાં જીતે છે. આપણે અહિંસા તરફ જવુ જોઇએ. હિંસામાં અનાયાસે અસત્ય પ્રવેશી જાય છે; જ્યારે સત્યની ઉપાસના કરનારને અહિંસાનુ સાધન ઉપયોગી બને છે. સત્યમાં સ્થિર થવા માટે અહિંસા જરૂરી છે. અહિંસાથી બધુ જ થઈ શકે એવી દુનિયા હા બની નથી. જેટલા અહિંસક થવુ જોઇએ તેટલા પ્રમાણમાં હું પણ હજુ અન્યો નથી. જ્યારે હું પૂરેપૂરા અહિંસક બની જઈશ ત્યારે હું મુખ્ય પ્રધાનપદે, પ્રધાનમંડળમાં કે સરકારમાં નહિ હાઉ; કારણ ક રાજ્ય એ પણ હિંસા છે. પરંતુ મેં તેની પર પણ વિચાર કર્યો છે. રાજ્યને પણુ અહિંસક બનાવવાની મારી કલ્પના છે. મનુષ્ય જો કંટાળીને જંગલમાં જતા રહે અને કહે કે હું અહિંસક અને સત્યરૂપ બની ગયા છુ તા તેના કાંઈ અર્થ નથી. તેના અર્થ તો ત્યારે જ છે જ્યારે તે સસારમાં રહી . આ આદેશના સ્વીકાર કરે અને તેને માટે યત્ન કરે. ' મારામાં હિંસા નથી એવા કાઈ મારું દાવા નથી; પરંતુ ગ ંદકી દૂર કરવા માટે જેમ યત્ન કરવા પડે છે, તેમ રાજ્યવહીવટમાં પણ બને તેટલી હિંસાને દૂર કરી ઓછામાં ઓછી હિંસાથી રાજ્ય ચલાવવાના એ યત્ન છે. આ હિંસા—અહિંસા વિષેની મારી દૃષ્ટિ છે. સ ંભવ છે કે તેમાં કÛ ભૂલ પણ ડાય. પરંતુ મારુ ધ્યેય ચાક્કસ છે-કાઈનું પણ બૂરૂ ન થાઓ. આભારદર્શન
આ રીતે વાર્તાલાપ પૂરો થતાં સંસ્થાના પ્રમુખશ્રીએ આભારદર્શન કરતાં જણાવ્યું હતું કે, જે પ્રશ્નો પૂછ્યા હતા, તેમના વિગતવાર અને ખૂબ સ્પષ્ટતાથી શ્રી મોરારજીભાઇએ જવાખા આપ્યા છે. સવાલજવાબ પાછળ એમની પોતાની વિશિષ્ટ જીવનદૃષ્ટિ પણ આપણી સમક્ષ મૂકી છે. આજે તે રાજ્યકારભારની જવાબદારી એમના પર છે પણ એમણે એકવાર મને કહેલુ કે જો તે સ્વતંત્ર હોય તે શિક્ષક થવાનુ પસંદ કરે. રાજકર્તા લિાસાફર હાવા જોઇએ. જે જવાબદારી માથે આવી પડે તેને સ્પષ્ટ દર્શન વગર તે અદા ન કરી શકે. તેમણે જે સમજાવ્યુ તેના પર ચિંતન મનન કરશો તો તે સાથે થશે.
છેલ્લે શ્રી એચ. આર. શેઠે શ્રી મારારજીભાઈના, સંસ્થાની કાર્ય - વાહક સમિતિના સભ્યો અને આમત્રિતોના આભાર માન્યા હતા; ત્યાર બાદ બંગાળી જાદુગરના પ્રયાગા થયા હતા. પ્રયોગ પછી શ્રી મારારજીભાઈ ‘ગૃહ’ના એકેએક આરેડે જઈ વિદ્યાર્થીઓને મળ્યા હતા. અને વિવિધ પ્રશ્નો પૂછી તેમની પ્રવૃત્તિમાં રસ લીધો હતો. છેવટે સમૂહ ભોજન બાદ પેરે દોઢ વાગે સૌ વિખરાયા હતા.
Các c