________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૫-૫૬
છે અને મેળવવાની બાબતમાં જૈન ભાઈ વેપારી છે એટલે ખૂબ કુશળ હાય છે. વળી તમારા પ્રમુખ તે મારી પાસેથી કાંઈક મેળવવા વ્યવસ્થિત પ્રશ્નો રજુ કરે છે, તેએ એક સેલિસિટર છે. એટલે તે એ રીતે બન્ને બાજુથી લેવા માગે છે; પરંતુ મેં પણ મેજિસ્ટ્રેટના ધંધા કર્યાં છે એટલે વકીલોને ક્રમ સર્કજામાં લેવા તે હું સારી રીતે જાણું છું. “ ઠીક, જ્યારે મારી પાસે પ્રશ્નો રજૂ થયા છે ત્યારે તેના જવાબ આપતાં પહેલાં કરીને કહું છું કે તમારા અભિપ્રાય મારા મ ંતવ્ય કરતાં જુદા હોય તે પૂછતા અચકાશે નહિ. સૌને પેાતાના અભિપ્રાયની કિંમત હાવી જોઈએ; અન્યની બુદ્ધિથી ચાલવુ જોઇએ નહિ. તમારી બુદ્ધિમાં ઊતરે તેટલું જ સ્વીકારશે અને તેના પર જ નિણૅય બાંધશે.” વિકેન્દ્રીકર્ણ
પ્રશ્ન ૧ : વિકેન્દ્રીકરણ આર્થિક ક્ષેત્રમાં જ થાય એ યોગ્ય છેક રાજવહીવટમાં પણ થાય એ જરૂરી છે?
જવાબ : રાજકીય ક્ષેત્રે વિકેન્દ્રીકરણના પાયા અત્યંત જરૂરી છે; અને એ દિશામાં આપણે પ્રયાણુ પણ કર્યું છે. આપણું એક રાજ્ય અન્યુ' છે, પણ આપણું રાજ્ય એક હાવા છતાં તેમાંયે અનેક રાજ્યા છે; જેવાં કે મધ્યસ્થ અને પ્રાદેશિક. ધણા એક જ રાજ્ય રચવાનુ કહે છે, અને કહે છે કે એથી આ ભાષા વગેરેના ઝઘડાની ભાંગજડ થશે નહિ. એક રીતે એ સહેલુ દેખાય છે, પરંતુ હંમેશા જે સહેલું દેખાય તેનાથી તે ચેતતા રહેવું જોઇએ. સહેલું છે માટે લેવુ તે વૃત્તિ આપણે સૌએ છેડી દેવી જોઇએ. મુસીબતાને પાર કરવામાં જ માણસની શક્તિ વધે છે; તેથી બુદ્ધિ ખીલે છે. જો એકકેન્દ્રી રાજ્ય હાય તા ૩૬ કરોડ લોકેા વસે છે ત્યાં લોકશાહી અને બધાને સપર્ક કેમ શકય બને ? માટે પ્રાદેશિક રાજ્યો, લોકલ ખેર્ડી, સુધરાઈ, પંચાયત એ બધા દ્વારા જ તેમને વિવિધ સત્તાઓ સાંપીને બધા કારભાર કરવાના છે. અને એ રીતે રાજ્યવહીવટમાં સત્તાનું વિકેન્દ્રીકરણ થતુ જાય છે. આમ આપણા આદર્શ વિકેન્દ્રીકરણનો જ છે.
આ રીતે આર્થિક ક્ષેત્રમાં પણ વિકેન્દ્રીકરણ કરવાતુ છે. ઉદ્યોગેાની વાત લઈએ. મેટા ઉદ્યોગાનું વિકેન્દ્રીકરણ નહિ થઇ શકે; પરંતુ નાના ઉદ્યોગનું વિકેન્દ્રીકરણ કરી જીવનજરૂરિયાતની વસ્તુ સસ્તી મળે, ઉદ્યોગ સારી રીતે ચાલે અને વધુ ને વધુ લોકાને રાજી મળે તે કરવાની આપણી પૃચ્છા છે. રાજી નહિ મળે તે ગડબડ ઉભી થશે. પરંતુ આ સાથે એ પણ ખ્યાલમાં રાખવાનું છે કે આપણું જીવન સાદું હાવુ જોઇએ. સાદુ જીવન એટલે મનમાં પેચ ન રાખવા. માણસ એ પ્રકારના છે–સાદા અને પ્રપંચી. પ્રપંચી જીવન નુકસાનકર્તા છે. દરેક વ્યકિતનુ સુખ સાધી શકાય તે રીતે વર્તવું એ આપણુ સૌનું કવ્યું છે. માણુસતું સુખ એ મુખ્ય સિદ્ધાંત છે. એ સિદ્ધાંતને અમલમાં કઇ રીતે મૂકવા એ સૌએ વિચારવાનુ છે. મારી દૃષ્ટિએ કેન્દ્રીકરણ પણું બહુ યોગ્ય નથી. રાજ્ય જે કાંઇ નિયમેા કરે છે તે વ્યક્તિના સુખ માટે હાય છે, પણ એ નિયમા માણુસની વિરૂદ્ધ ન હાવા જોઈએ. વિરૂદ્ધ હાય તા બદલવા જોઇએ. નિયમો બદલાઈ શકે છે; માણસ નહિ.
ચૂંટણીની પદ્ધતિ
પ્રશ્ન ૨ : શ્રી જવાહરલાલજીએ હમણાં જ કહ્યું છે કે, ચૂંટણીની સીધી પદ્ધતિ છે તેને બદલે આડકતરી ચૂંટણી થવી જોઇએ; આ સબંધમાં આપને શે। અભિપ્રાય છે ?
જવાબ : બાપુએ સૌ પહેલાં કહેલુ છે કે સીધી ચૂંટણીમાં ઘણાં અનિષ્ટ છે અને તે ખૂબ ખર્ચાળ છે. આ માટે સૌ પહેલાં ગ્રામપંચાયતેાની ચૂંટણી થવી જોઈએ; તેમાંથી આડકતરી રીતે જિલ્લાની, અને તેમાંથી ધારાસભા અને કેન્દ્રની, એટલે જ સૌ પ્રથમ આડકતરી ચૂંટણી માટે ગામડાંને તૈયાર કરવા જોઇશે અને લોકશાહીની ભાવના જાગૃત કરવી જોઇશે.
દરેક શહેરીએ લોકશાહીમાં જાગૃતિ લાવવા પ્રયત્ન કરવા જોઇએ. આખા દેશમાં ગ્રામપંચાયતા ચાલુ થઈ જાય તો જ વહીવટ સરળ ખતે અને તે થવાનુ જ છે; એ માટે યત્નો પણ થઈ રહ્યા છે.
૫૫
ભૂદાન
પ્રશ્ન ૩: જમીનના મૂંઝવતા પ્રશ્ન ભૂદાનથી ઉકલી શકશે કે તેમાં કાયદાની મદદની જરૂર રહેશે ?
જવાબ : જમીનના પ્રશ્ન ભૂદાનથી ઉકેલાવાના જ નથી પણ ભૂદાનતે કાયદાની મહ્દ મળશે. ભૂદાનના વિશિષ્ટ ગુણ એ છે કે તે માણસને માણસ બનાવે છે. ભૂદાન ત્યાગની ભાવના શીખવે છે. લાલચ કે લાગવગથી ત્યાગ સંભવી શકે નહિ. ત્યાગથી આનંદ થાય તા જ એ ત્યાગ કહેવાય. ત્યાગ પાછળ નામ હાય તે! તે પણ એક જાતનો વેપાર છે. ત્યાગ ઐચ્છિક જોઇએ. ત્યાગમાં ખલાની ભાવના ન જોઇએ. આજે ભૂદાનના પ્રવાહ હઠાગ્રહ-સત્યાગ્રહ તરફ જતા જાય છે, એ અનિચ્છનીય છે. શ્રી વિનાબાજી ભાવેનુ પણ એ તરફ્ મે ધ્યાન દોર્યું છે. ભૂદાન એ તે। સાધન છે; એથી ભૂદાનનુ હાર્દ સમજીને મદદ કરીએ તે બાપુના આદર્શ પ્રમાણેના દેશના સર્જન માટે તે મોટામાં મોટુ સાધન છે તેમાં શક નથી. પરંતુ તેના અ એવા નથી કે ફાયદા વગર ચાલી શકશે. જ્યાં સુધી રાજ્ય ચાલશે, ત્યાં સુધી કાયદાની જરૂર રહેશે; રાજ્ય નહિ હૈાય તે। કાયદાની પણ જરૂર નહિ રહે. એટલે જમીનના પ્રશ્નના ઉકેલ કાયદા સિવાય નહિ થાય; અને છતાંય તે પ્રશ્ન પૂરેપૂરા નહિ ઉકલે. અંબર ચરખા
પ્રશ્ન ૪: અબર ચરખાની ભાવિ શકયતા વિષે આપનુ શુ મંતવ્ય છે ?
જવાળ : અંબર ચરખા જેટલા કાર્યક્ષમ એટલી સૌની પ્રગતિ. મારી દૃષ્ટિએ તે અંબર ચરખાનું ભાવિ સારું છે; છતાં આખરે આપણી તેના પ્રત્યેની શ્રદ્ધાનું પ્રતિબિંબ તેના પર પડવાનુ છે. દેશનુ ભાવિ સારુ છે તેથી અંબર ચરખાનું ભાવિ પણુ સારું જ છે. આપણને તેમાં શ્રદ્ધા હોવી જોઇએ.
વિદ્યાર્થીઓની અન્ય પ્રવૃત્તિ
પ્રશ્ન ૫: વિદ્યાર્થીઓ અભ્યાસ ઉપરાંત કેવા પ્રકારની પ્રવૃત્તિ કરે 'એવુ આપ ઇચ્છે છે ?
જવાબ : વિદ્યાર્થીઅવસ્થામાં કે તે પછી પણ માણસ પોતાની જાતના જ દોષ કાઢ્યા કરે અને તે દૂર કરવાના સજાગ પ્રયાસ કરે તે ઈષ્ટ છે, જેટલા પ્રમાણમાં સાચા સૈનિક થશે તેટલા રાષ્ટ્રને લાભ
થશે.
માણસે સાચા સૈનિક અનવા માટે સૌ પ્રથમ તા પોતાના પડોશીને વધુમાં વધુ ઉપયેાગી બનવા પ્રયાસ કરવા જોઇએ. જે ઉપયોગી ન થઇ શકાય તે! કાંઇ નહિ, પણ તેને માટે ઉપદ્રવી તે ન જ થઇ પડીએ તેની પૂરી કાળજી રાખવી જોઇએ. ઉપદ્રવી ન થવું તે પણ ઉપયોગી થઇ પડવા જેટલું જ મહત્ત્વનું છે. તેથી આપણને અને પડોશીને અન્તતે લાભ થાય છે. આપણે અન્યને ઉપદ્રવી ન બનીએ તે આપણું અનિષ્ટ કાર્ય કરે જ નહિ. આમ છતાં આપણને ક્રાઇ નુકસાન કરે તોયે તેને નુકસાન ન કરવાની ભાવના કેળવવી જોઇએ. વિદ્યાર્થી અવસ્થા જીવનભાથાની અવસ્થા છે, અને તેના અથ છે પરાવલખી ન થવું. આપણે આપણાં કાર્યો આપણી જાતે જ કરી લેવાં જોઇએ અને એ રીતે સ્વકાર્યો પાછળ લીધેલા પરિશ્રમથી આપણી શક્તિ વધે છે. એક વિધાર્થી કેવળ વાંચવાંચ કરતા હાય અને પાતાનાં કાર્યો માટે ખીજા પર અવલંબતા હાય તા તે વિદ્યાર્થી આઠે કલાકના વાંચનથી જેટલુ મેળવે છે તેના જેટલું જ પરિશ્રમ કરતા રહી વાચનાર વિદ્યાર્થી માત્ર ચાર જ કલાકના વાચનને અંતે મેળવે છે. આમ શરીરમાં શકિત હશે તે ચિત્તની એકાગ્રના કેળવાશે અને એકાગ્ર ચિતે થોડા સમયમાં પૂરતા બન્ને મળી રહેશે. કેવળ ચેાપડીઓના ભણતરથી કે બુદ્ધિવાદથી જગતને ફાયદો થતા નથી. આજે જરૂર છે અનુભવયુક્ત વાચનની.
વાંચવા અને વિચારવા માટે અનિવાર્ય છે ચિત્તની એકાગ્રતા, એ એકાગ્રતા લાવવા માટે શરીર અને મન મજબૂત બનાવવાં જોઇએ