SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ * સ* *" પ્રબુદ્ધ જીવન તા. ૧૫-૧-૫૬ અંકુશ મુકાય છે. અને તેથી પટવારી ખીલ આવશ્યક છે, આવકારદાયક છે, એટલું જ નહિં પણ તેને હિંદવ્યાપી સ્વરૂપ મળે એ અત્યન્ત દૃચ્છવાયોગ્ય છે. ખાલદીક્ષાનુ અલ્પ પ્રમાણ છતાં કાયદાની જરૂરિયાત એમ પણ સૂચવવામાં આવે છે કે આજે જીજાજ ખાલદીક્ષા અપાય છે, તે માટે આવા કાયદાની જરૂર નથી. આજે અપાતી દીક્ષાઓમાં ૩૦ ટકા લગભગ ખાલદીક્ષાઓ હાવાનું સાધારણ રીતે અંદાજવામાં આવે છે. આ પ્રમાણ નાનુંઝુનું ન ગણાય. પણ ધારા કે એથી ઓછા પ્રમાણમાં દીક્ષા અપાતી હોય તેા પણ જે ચાલુ અનિષ્ટ છે તેની કાયદાથી અટકાયત થવી જ જોઇએ. દા. ત. હિંદુ સમાજમાં એકથી વધારે પત્ની ધરાવતા પતિનું પ્રમાણ કેટલું નજીવું હતું ? એમ છતાં પણ દ્વિપત્ની પ્રતિબંધક કાયદે આખા હિંદુ સમાજને લાગુ પાડવાનુ' સરકારે ઉચિત ધાયુ છે. ખાલદીક્ષા અટકાવવા માટે આજના કાયદાની અપૂર્ણ જોગવાઇ હવે એક મુદ્દો ચર્ચા અવશિષ્ટ રહે છે અને તે ખાદીક્ષા અટકાવવામાં આજના કાયદાના અપૂરતાપણાને લગતો છે. બાલરક્ષણુના કાયદાની અદ્યતન પરિસ્થિતિ એવી છે કે જ્યાં બાળકને ભગાડીને માબાપથી છુપી રીતે દીક્ષા અપાતી હોય ત્યાં એવી દીક્ષા અટકાવવા ઇચ્છનારને આજના કાયદા મદદરૂપ થઈ શકે છે, પણ જ્યાં માબાપ સંમત હોય અથવા તો ચેન કેન પ્રકારેણુ તેમની સંમતિ મેળવવામાં આવી હોય ત્યાં આજના કાયદાથી બાળકને દીક્ષા અપાતી અટકાવી શકાતી નથી. આ ખીલ લાવનાર શ્રી પ્રભુદાસ બાલુભાઈ પટવારી અમદાવાદના અગ્રગણ્ય ધારાશાસ્ત્ર છે. જો અત્યારના કાયદા પ્રસ્તુત હેતુ માટે પૂરતા હાત તેા તેઓ આવુ ખીલ લાવવાની તકલીકુમાં તેઓ ઉતર્યા જ ન હોત. ૧૯૪ અને તેથી જ્યારે એ પ્રથા કે રૂઢિમાંથી અનિષ્ટ પરિણામ નીપજતાં માલુમ પડે ત્યારે એ પ્રથા કે રૂઢિ ઉપર કાયદાના અંકુશ મૂકવા એ રાજ્યની જ છે. આ જ ધેારણે સતીની અટકાયત, બાળલગ્નને પ્રતિબંધ, અસ્પૃશ્યતાનું નિવારણ કાયદાની મદદ લઈને કરવામાં આવેલ છે અને એ જ નિયમ ખાલદીક્ષાને લાગુ પાડવા ધટે છે. ધાર્મિક ટ્રસ્ટો અને ચેરીટી ઉપર અંકુશ મૂકવા પાછળ આ જ આશય રહેલો છે. સાધુસંસ્થા આખરે એક સામાજિક સંસ્થા છે, કોઇ પણ વ્યકિત સંસારત્યાગ કરે એ પણ એક મહત્વના સામાજિક બનાવ છે. સાધુસંસ્થા કોઇ પણ સામાજિક અનનુ નિમિત્તે અને તા તે અટકાવવા માટે કલ્યાણરાજ્ય સ્થાપવાની મુરાદ સેવતી સરકારે વચ્ચે પડવું જ જોઇએ. યેાગ્ય વ્યકિતને દીક્ષા અપાતી હોય તે—દા. ત. ધાવણા બાળકને છોડીને કાઈ માતા દીક્ષા લેવા નીકળે, જેની કમાણી ઉપર સ્ત્રી તેમ જ બાળકો નિર્ભર હોય તેવા પુરૂષ પોતાના પનારે પડેલાંના નિર્વાહની કશી વ્યવસ્થા વિચાર્યા સિવાય દીક્ષા લેવા ઉડ્યુકત થય, અનેક કાળાધાળાં કરીને અથવા મેટાં દેવાં કરીને કાઈ ઉપાશ્રયવાસી બનવા ઇચ્છે તે રાજ્ય જરૂર વચ્ચે પડી શકે છે. આવી જ રીતે અપરિપકવ ઉમ્મરના બાળકને કા/ દીક્ષા આપવા નીકળે તે ખાળસંરક્ષણની દૃષ્ટિએ સરકારે વચ્ચે પડવુ જ જોઇએ–એ ખ્યાલની ભૂમિકા ઉપર પટવારી ખીલ રજુ કરવામાં આવ્યું છે—અને તેની સામે ધાર્મિક દખલગીરીને જે હાઉ ઉભા કરવામાં આવે છે તે પાછળ કાં તે સાચી સમજણુ નથી, અથવા તે ધર્મના નામે લોકલાગણી ઉશ્કેરવાના હેતુ રહેલો છે. આ ધાર્મિક દખલગીરીની બુમરાણ મચાવી મૂકનાર જૈન ભાઇને હું પૂછું છું કે આજે દેવીઓની સમક્ષ સખ્યાબંધ પશુઓનાં બલિદાન આપવામાં આવે છે. આ બલિદાનપ્રથાની અટકાયત કરવા માટે કાઈ ધારાસભ્ય પોતાના પ્રદેશને લગતી ધારાસભામાં ધારો કે ખીલ લાવે. જે બલિદાનમાં ધર્મ માને છે તેમના મતે આ ખીલ ધર્મમાં દખલગીરી કરતું લેખાવાનું. જૈના પણ આ જ ધેારણુ સ્વીકારીને આવા ખીલના વિરેધ કરશે કે માનવતા અને અહિંસાને આગળ ધરીને આ ખીત્રને ટકા આપશે ? કાનુની જોગવાઈ યારે જરૂરી ખને છે ? આજની નવી સમાજરચનામાં સમાજપ્રગતિને બાધક, ન્યાય— નીતિને પ્રતિકુળ, સભ્યતાને રાધક, અથવા તે માનવતાવિરોધી જે કાંઇ રીત રીવાજ રૂઢિ કે પ્રથા ચાલતી હશે તે પછી તે ભલે તે ધર્મના નામે ચાલતી ડાય—તેનું કાનુની નિયમન થતું જ રહેવાનું. અને એમ બને તે જ કાળજુની પ્રગતિવિધી રૂઢિઓના ભાર નીચે સ્થગિત અનેાલો સમાજ ઊંચે આવી શકે અને આગેકુચ સાધી શકે. વ્યકિતગત ધાર્મિક ઉપાસનામાં જરૂર રાજ્યે વચ્ચે પડવુ ન જોઇએ અલખત આમાં એક અપવાદ જરૂર રહેવાના અને તે એ કે કાઇ પણ વ્યકિતની વ્યક્તિગત ધાર્મિક ઉપાસનાની બાબતમાં રાજ્યે આડે આવવું ન જોઇએ, આત્મસાધનાની દૃષ્ટિએ વ્રત, જપ, તપ, આરાધના ઉપાસના, જેને જે કાંઈ ઠીક લાગે તે કરવાની પૂરી સ્વતંત્રતા રહેવી જોઇએ. ખાલદીક્ષાની અટકાયત આવી કાષ્ઠ દખલગીરી નથી એ ઉપરની ચર્ચા ઉપરથી સ્પષ્ટ થયું હોવુ જોઇએ. સાધુઓની કાળજીની નમળાઈ: શિષ્યપરિગ્રહ આવા કાયદાની સવિશેષ જરૂર એટલા માટે છે કે શિષ્યપરિગ્રહ બને તેટલા વધારા એ સમગ્ર સાધુસંસ્થાની એક કાળજીની નબળાઈ છે અને આ સંસ્થા ઉપર ગૃહસ્થ સમાજનું નિય ંત્રણ ઉભું કરવુ અને ટકાવી રાખવુ એ હંમેશાં અતિ મુશ્કેલ અને છેતરનારૂં બન્યું છે. આ જ શિષ્યન્નાભે ભૂતકાળમાં સાધુ પાસે અનેક અનર્થા કરાવ્યા છે અને જો તેઓ નિરકુશ રહે તે આવા જ અનર્થી ભભિષ્યમાં તેમના હાથે થતાં રહેવાના છે. બાળદીક્ષાના મૂળમાં પણ આ જ શિષ્યલેાભ રહેલો છે. પટવારી ખીલથી આવી ખાલદીક્ષા અટકાવવાનું કાર્ય સહેલું બને છે અને સધુ ઉપર જરૂરી એવા રાજ્યસતાના એક શ્રીવિરોધીઓને પ્રાના પ્રસ્તુત ખીલ સાથે સંબંધ ધરાવતા અનેક મુદ્દાઓની અહિં મે ચર્ચા કરી છે અને પ્રારંભમાં જણાવ્યું તેમ ખાલદીક્ષા એ સામાજિક અનિષ્ટ છે અને તેની શકય હાય તે કાયદાથી અટકાયત થવી જોઇએ એ પ્રતીતિ પાછળ રહેલી અંગત વિચારણા વિસ્તારથી મેં રજુ કરી છે. મારાથી જુદો પડતા સમુદાય પોતાના મન્તવ્યમાં એટલા જ પ્રમાણિક છે એ હું સ્વીકારૂ છુ, પણ એ મન્તવ્ય પાછળ મને ધાર્મિક ઝનુન, અને બદલાયલા દેશકાળ અને ચિન્તનપ્રવાહા વિષેનું અજ્ઞાન ભાસે છે, આજે સાંપ્રદાયિકતાના જીવાળ આવ્યો છે અને ચાલુ પ્રણાલિ છેડતાં ધર્મસંસ્થાને તેમ જ સાધુસંસ્થાને હાનિ તે નહિ પહાંચેને એની દહેશતભરી મનેાદશા સ્વતંત્ર વિચારણાને આવરી રહી છે. જે મારાથી જુદા પડે છે તેમને પ્રાર્થના કે તેઓ આ લાંખી સમીક્ષા શાન્તિથી વાંચે, વિચારે અને તેના પરિણામે મારી વાત સાચી લાગે તેા પટવારી ખીલ સામેના પોતાના વિરોધ પાહે ખેંચી લે એટલુ જ નહિ પણુ, ખીલનુ સમર્થન કરતા પત્ર સત્વર મુંબઇ વિધાન પરિષદના મંત્રી (કાઉન્સીલ હાલ, કાટ, મુંબઇ) અને મુંબઇ જૈન યુવક સંધ (૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ મુંબઈ ૩) ઉપર લખી મોકલે. પર્ણાનંદ વિષય સૂચિ . સમન્વય આશ્રમ વિષે વિનાબાજીનુ દર્શન આલદીક્ષાની કાનુની અટકાયત શા માટે ? પ્રકીર્ણ નોંધ : મહારાષ્ટ્રીય આગેવાનાનાં ભાષણામાં વ્યકત થતી પાકીસ્તાની મનેાદશા, આ તે 'કવી કલ્પનામૂઢતા ? ઈશુ ખ્રીસ્ત, ખીસ્તી સાધુ સ ંસ્થા અને ખાલદીક્ષા, ભૂલ કબુલ પણ–, એક વધુ એકરાર, વૈશાલી વિધાપીઠના ડાયરેક્ટર તરીકે ડૉ. હીરાલાલ જૈનની નીમણૂંક, ફેશન ડ્રેસના કાર્યક્રમમાં સ્થાનકવ સી સાધુની રજુઆત. ડાંગ સ્વરાજ આશ્રમને મદદની જરૂર પટવારી ખીલને મળી રહેલું સમર્થન જુહુ તટે સર્વોદય મેળા મનના શરીર સ્વાસ્થ્ય સાથેના સંબંધ પૃષ્ટ વિતાબાજી ૧૬૮ પરમાનંદ ૧૭૧ પરમાનંદ ૧૭૫ ૧૭૬ ૩ ૧૭૬ ૩ ૧૭૬ ખ એમ. ડી. આડતિયા ૧૭ મ C
SR No.525941
Book TitlePrabuddha Jivan 1956 Year 17 Ank 17 to 24 and Year 18 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1956
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy