SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ન પ્રબુદ્ધ જીવન આ તે તટસ્થતા કે પક્ષગ્રસ્તતા ? (પ્રભુધ્ધ જીવનના ગતાંકમાં આ મથાળાની એક નાંધ પ્રગટ થઈ હતી. અને એ અરસામાં એ જ નોંધ તા ૧૩-૬-૫૬ ના જન્મભૂમિમાં પ્રગટ થઇ હતી. તેના ડૉ. શ્રીમતી કાશીબાઇ અવસરેએ તથા શ્રી વિમલાખાઈ કુન્ટેએ તા. ૨૧-૬-૫૬ ના જન્મભૂમિમાં ઉત્તર આપ્યા હતા. તે ઉત્તર અને તેને મારા તરફ પ્રત્યુત્તર નીચે પ્રગટ કરવામાં આવે છે. પરમાન) બે બહેનાના ઉત્તર ગયા જાન્યુઆરીમાં મુંબઇ શહેરમાં જે તેાકાના થયા હતાં તેમાં ગુજરાતી સ્ત્રીઓ પર અત્યાચારો થયા હતા એવા આક્ષેપોની અમે જાતે તપાસ કરીને જે અહેવાલ અમે પ્રગટ કર્યો છે તેના વિષે શ્રી. પરમાનંદકુવરજી કાપડિયાએ તા. ૧૩-૬-પ૬ ના ‘જન્મભૂમિ’માં એક લાંબુ ચર્ચાપત્ર લખ્યું છે. આ ચર્ચાપત્રમાં પ્રશ્નના ગુણદોષની મર્યાદામાં રહેવાને બદલે શ્રી. કાપડિયાએ અમારા હેતુ ઉપર આક્ષેપ કર્યાં છે તે વાંચીને અમને દુ:ખદ આશ્રર્ય થયું છે. શ્રી. કાપડિયાના લખાણના સાર એ છે કે અમે તટસ્થતાની ‘દાઝયા પર ડામ” દીધા છે પ્રસ્તુત કિસ્સાઓ વિષે પ્રતીતિ પાસેથી સામુદાયિક પ્રાયશ્રિત એથે રહીને પક્ષગ્રસ્તતા આચરી છે, અને માન્યવર મારારજીભાઈ પાસે જઇને મેળવીને અમારે સયુક્ત મહારાષ્ટ્રવાદી કરાવવુ. જોષ્ઠએ. સાચી વાત એ છે કે અમારામાંથી ડા. કાશીબાઈ અવસરેએ આ કહેવાતા અત્યાચારો વિષે માહિતી મેળવવા માટે શ્રી. મારારજીભાઇ પાસે માગણી કરી જ હતી. પરંતુ તેમના મત્રીષ્મે લખી જણાવ્યુ છે કે એ વ્યક્તિઓની નામેાશી થતી અટકાવવા મુખ્ય પ્રધાન આ વિગતે આપી શકે તેમ નથી. તા. ૧–૯–૫૬ જો આ આક્ષેપો સાચા સાબિત થાય તે તેમને વખાડી કાઢવામાં અમે પ્રથમ હઈશું, અને અમને ખાતરી છે કે દરેક સમજી વ્યકિત-પછી તે મહારાષ્ટ્રી હેાય કે કાઈ પણ પ્રાંતની હાય – તેને અંતઃકરણ પૂર્વક વખોડી કાઢશે. પરંતુ અમને એમ લાગે છે – અને ન્યાયના સિદ્ધાંતામાં સમજનાર દરેક વ્યકિતને એમ લાગશે-કે એક આક્ષેપ કરવામાં આવે પણ તેના સત્યાસત્ય વિષે પ્રજાને કે અદાલતને વિશ્વાસમાં લેવામાં ન આવે તે તેથી શંકા અને અવિશ્વાસ ઉત્પન્ન થાય છે. દેશમાં જ્યારે પણ કાઈ સ્ત્રી પર બળાત્કારના બનાવ બને છે અને પોલીસના દફ્તરે નાંધાય છે ત્યારે બંધબારણે અદાલતમાં કેસ ચાલે છે અને ઈનસાફ આપવામાં આવે છે. એક આક્ષેપ પેલીસના દફ્તર ઉપર જ હેાય ત્યાં સુધી તેની કશી કિંમત નથી, વર્તમાન પ્રકરણમાં તે તેથી ઘણું નુકસાન થયું છે, કારણ કે તેથી શ ંકા, અવિશ્વાસ, કડવાશ અને ધિક્કારની લાગણી ફેલાઇ છે, તેથી અકવાઓને ઉત્તેજન મળ્યું છે, અને પ્રજાની એક સૌથી મેટી શત્રુ અક્વા છે, આ અવા અને આક્ષેપોમાં શું સત્ય છે તેની જાતે ખાતરી કરવા અને સય જાહેર કરી એ કામ વચ્ચેની કડવાશ દૂર કરવાના શુભ હેતુથી જ અમે આ તપાસ હાથ ધરી હતી. ગુજરાતી સ્ત્રી પર સયુક્ત મહારાષ્ટ્રવાદીએ અત્યાચાર ગુજાર્યાની અવાએમાં અમને સત્ય મળ્યું નથી. જો એમાં સત્ય હોય તે તે સાબિત કરવામાં આવે અને પ્રજાને વિશ્વાસમાં લેવામાં આવે એ જ અમારે અાગ્રહ છે. કાઇની નામેાશી ન થાય એ રીતે ન્યાયી તપાસ ચલાવ વાના માર્ગ યોજી શકાય. એક પલ્લામાં ચેાડીક વ્યકિતની નામે શીને ભય છે ( જે નિવારી શકાય ), અને ખીજા પલ્લામાં એ મહાન કામા વચ્ચેના સંબંધ છે જે રાષ્ટ્રની એકતા અને પ્રગતિ પર ઘેરી અસર કરે છે. જો અત્યાચારના અનાવ ખરેખર બન્યા હાય તે ગુનેગારા છટકી જાય છે. જો ન બન્યા હોય તા ખાટા આક્ષેપ એ કામ વચ્ચે કડવાશ અને અવિશ્વાસ વધારે છે. અમારા અહેવાલમાં અમે કાનાના બચાવ નથી કર્યો, પણ આ તાક્ાન કરનાર કાણુ હતા તેને જ નિર્દેશ કર્યાં છે. સૌ કાઇ જાણે છે કે મદ્યનિષેધના શુભ પ્રયાસના પરિણામે ગેરકાયદે દારૂ ગાળનારાઓની ટાળીએ જામી છે અને આ સમાજશત્રુ એવા ઝનૂની અને ભયજનક છે કે મુંબઇમાં બનતા મોટા ભાગના ગુના તેમના ફાળે જાય છે. તેઓ કોઇ એક ધર્મ, જાત કે પ્રાંતના નથી. એ અમારી ‘શોધ' નથી, સર્વમાન્ય હકીકત છે. એ હકીકત રજૂ કરવા માટે અમને દીવાના અને સાંભળનારને પણ દીવાના કહેવા— એમાં સુરૂચિ અને સ્વસ્થતા નથી ળવાતી. આ ગુંડાઓના હાથે ચેોડીક મહારાષ્ટ્રી દુકાનો પણ લૂટાઇ છે અને આ તાકાનાના પરિણામે જે ગુંડાઓ અને ગુનેગારો પકડાય છે તેમાં કેટલાક બિનમહારાષ્ટ્રી પણ હાય છે. લોકોને છેતરવા માટે દુર્ઘટનાઓ પર પડદા કરવા અને ‘ ગુજરાતી કેવા દુષ્ટ અને હલકા છે કે અન્ય કામને ઉતારી પાડવા પોતાની બહેનદીકરીઓની ઈજ્જત લૂંટાયાની કાલ્પનિક વાતા વહેતી કરતા અચકાતા નથી' એમ બતાવવા માટે અમે આ અહેવાલ પ્રકટ કર્યો છે એવા જે આક્ષેપે શ્રી. કાપડિયાએ કર્યાં છે તે એમના ક્રોધ અને પૂર્વગ્રહાનું પરિણામ છે. ક્રોધ મનની સ્વસ્થતા નહિ પણ દલીલની નબળાઈ બતાવે છે. શ્રી. કાપડિયા એક વિદ્વાન જૈન છે, અને અમને ખાતરી છે કે આ આક્ષેપ તે સ્વચ્છ અને શાંત ચિ-તે કરીથી વાંચશે ત્યારે એક વિદ્વાન તરીકે અને એક જૈન તરીકે, આવા આક્ષેપ કરવા તેમને યોગ્ય નહિ લાગે. તેમનુ ચર્ચાપત્ર એ કામે વચ્ચે વધુ અવિશ્વાસ અને કડવાશની લાગણી પ્રેરે છે. તેમને કદાચ ખબર નહિ હોય કે અમો પૈકીડા, કાશીબાઈને તે મહારાષ્ટ્રી કરતાં પણ ગુજરાતી કામ સાથે વધુ વ્યાપક સારા સંબંધ છે. અમે ભારપૂર્વક કહીએ છીએ કે તાકાના, હિંસા, ગુંડાગીરી અને ધિક્કારને અમે ભારપૂર્વક વખાડી કાઢીએ છીએ. અમારી એકમાત્ર હેતુ એ કામ વચ્ચેની અવિશ્વાસ અને કડવાશવાળી લાગણી ભૂંસી નાખવાના અને અફવાઓને ડામી દેવાના છે. અમને શ્રદ્ધા છે કે આ દુ:ખદ બનાવા ભૂતકાળનુ દુ:સ્વપ્ત બની જશે અને એક રાષ્ટ્રના દેહના એ મહત્ત્વના અંગસમી ગુજરાતી અને મહારાષ્ટ્રી કામ વચ્ચેની દીવાલો નિર્મૂળ થશે. કાશીબાઈ અવસરે વિમલામાઈ શકું તે મુંબઈ એ બહેનાને પ્રત્યુત્તર ગયા જાન્યુઆરી માસમાં બનેલા તાના અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતી બહેના ઉપર થયેલા અત્યાચારા સંબંધે તપાસ કરીને શ્રા વિમલાબાઈ કુટે અને ડૉ. શ્રીમતી કાશીબાઈ અવસરે એ ‘Two Women' એ મથાળાથી પ્રગટ કરેલ રીપોર્ટની સમીક્ષા કરતુ આ તે તટસ્થતા કે પક્ષગ્રસ્તતા ?' એ મથાળા નીચે મારૂં એક. ચર્ચાપત્ર તા. ૧૩-૬-૫૬ ના જન્મભૂમિમાં પ્રગટ થયેલું. તેના એ બન્ને બહેનેાએ તા. ૨૧-૦૬-૫૬ ના જન્મભૂમિમાં પેાતાની સહીથી જવાબ આપવા પ્રયત્ન કર્યો છે, એ જવાબની વિગતામાં ઉતર તે પહેલાં એક બે બાબતોના પ્રારંભમાં ખુલાસા કરી લઉં. જ્યારે કાઈ પણ વ્યક્તિ કલ્પનામાં પણ ન સમાય એવી વાત કરે અને સાંભળનારા ‘હાં હાં' એમ કરીને સાંભળ્યા કરે ત્યારે તટસ્થ વ્યકિત આ કહેનાર—સાંભળનારનું કેવળ ન સમજી શકાય એવું વર્તન નિહાળીને ખેલી ઉઠે છે કે એ ખાત કહેતા ભી દિવાના આર સુનતા ભી દિવાના—આવી અમેા ગુજરાતીઓમાં મેલવાની એક સામાન્ય રીત છે. આ પ્રકારના સ્વાભાવિક ઉદ્ગાર કાઢનારને સામેની વ્યકિતનુ અપમાન કરવાની કે તેને ખરેખર દિવાના લેખવાની કલ્પના સરખી પણ હાતી નથી. પ્રસ્તુત વિષયમાં ઉપર જણાવેલ ભગિનીયુગલે જાન્યુઆરી માસ દરમિયાન બનેલાં તાકાના વિષે તપાસ કરીને બધી (અનુ. પાના ૧૧–પર )
SR No.525941
Book TitlePrabuddha Jivan 1956 Year 17 Ank 17 to 24 and Year 18 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1956
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy