________________
પ્રબુદ્ધ જીવન
૨૦
પ્રસંગાપાત બહારના વિદ્વાનને પણ આમંત્રણ આપી તેમને લાભ લેવામાં આવશે.
(૬) ચેાગ્ય કાર્યકર્તાઓને તૈયાર કરવા માટે અમુક વિદ્યાર્થીઓની પસંદગી કરી તેમને આવશ્યક શિક્ષણ આપવામાં આવશે. આ વિદ્યા↑ બિહાર વિશ્વવિદ્યાલયની એમ. એ., પી.એચ. ડી.., તથા ડી. લિટ ની પીઓ માટેની પરીક્ષામાં બેસી શકશે,
( ૪ ) વિદ્યાપીઠના સંશોધન કાર્યને વખતે વખત પ્રગટ કરવા માટે વિદ્યાપીઠમાં પ્રકાશન વિભાગ રાખવામાં આવશે.
( ૨ ) વિદ્યાપીઠમાં સુયોગ્ય વિદ્યાર્થીઓ માટે અમુક શિષ્યવૃ-િતએના પણ પ્રબંધ રહેશે.
સંચાલક અને અધ્યાપક
કાર્યાંરભ માટે અત્યારે એક ડાયરેકટર, એ અધ્યાપા, એક ગ્રંથપાળ, બે કલાક અને એક ચપરાસીની નિમણુંક કરવાનો પ્રબંધ કરવામાં આવ્યા છે. તદનુસાર વિદ્યાપીઠના ડાયરેક્ટરની નિમણુક કરી લેવામાં આવી છે અને નાગપુર વિશ્વવિદ્યાલયના ભૂતપૂર્વ સંસ્કૃતપાલી–પ્રાકૃત વિભાગના અધ્યક્ષ, આ વિશ્વવિદ્યાલયની વિદ્યા પરિષદ્ના મંત્રી તથા વિશ્વવિદ્યાલય સંબંધી અધ્યાપન કાર્યના ત્રીસ વરસાના અનુભવી તેમજ અનેક પ્રાકૃત અને જૈન ગ્રંથાના સંપાદક, સશોધક અને અનુવાદક પ્રસિદ્ધ વિદ્વાન ડેા. હીરાલાલ જૈન, એમ. એ., એલ. એલ. ખી., ડી; લિટ, તા. ૧ ડીસેમ્બર ૧૯૫૫,થી ડાયરેકટરનું પદ સંભાળી રહ્યા છે. અત્યાર સુધીનું કા
ડૉ. હીરાલાલ જૈનના સુંદર પ્રયત્નથી વિદ્યાપીઠની કાર્યવાહી ચાલુ કરવાની દિશામાં અનેક પ્રારંભિક આવશ્યક કાર્યો કરવામાં આવ્યા છે. બિહાર વિશ્વવિદ્યાલયમાં પ્રાકૃત તથા જૈન તત્વજ્ઞાન સાધી એમ. એ. ની ઉપાધિ માટેના પાય–ક્રમ શરૂ કરવાને માટે વિશ્વવિદ્યાલયને પ્રેરિત કરવામાં આવી છે. વિદ્યાપીઠ માટે અત્યાર સુધી લગભગ રૂપિયા પચ્ચીસ હજારનાં મૂલ્યનાં ગ્રંથ અને ફર્નીચર ખરીદી લેવામાં આવ્યાં છે. આ પ્રકારે આગામી ગ્રીષ્મકાલીન રજા આંદ નવા સત્રથી વિદ્યાપીઠના કાર્યારંભ મુઝફ્ફરપુરમાં કરવાની બધી તૈયારી થઇ ગઇ છે. વિદ્યાપીઠનું ભાવિ
જૈન ધર્મના ઇતિહાસ અતિ પ્રાચીન છે અને તેના તત્ત્વજ્ઞાન તથા દર્શન અંગેનું સાહિત્ય અતિ વિશાળ અને સમૃદ્ધ છે. કલા અને વિજ્ઞાનસંબધી સામગ્રી પણ જૈન સાહિત્યમાં વિપુલ માત્રામાં વિદ્યમાન છે અહિંસા સિદ્ધાંત અંગે જેટલું ચિંતન અને વિશ્લેષણ તેમાં છે તેટલું અન્યત્ર કાઇ સાહિત્યમાં નથી.
કિંતુ જૈન સાહિત્ય જે મુખ્યત્વે કરી પ્રાકૃત ભાષામાં લખાયેલું છે તે પ્રત્યે જેટલું ધ્યાન આપવાનુ આવશ્યક છે તેટલુ આજપર્યંત અપાયું નથી. આથી ભારતીય સ ંસ્કૃતિને ઇતિહાસ હજી સુધી અધૂરા અને અસ્પષ્ટ દશામાં પડી રહ્યો છે. બિહાર સરકારે આજ વાતને ધ્યાનમાં લઈને આ વિદ્યાપીઠની સ્થિાપના કરી છે. બિહારના રાજ્યપાલ, મુખ્ય સુચિવ, શિક્ષણ સચિત્ર, શિક્ષણ ખાતાના મંત્રી તથા અન્ય અધિકારી અને કમ ચારીઓ રાષ્ટ્રના સાંસ્કૃતિક અભ્યુત્થાનની આ એક સીડીના નિર્માણમાં ધણી રૂચિ-દિલચસ્પી દર્શાવી રહ્યા છે. સ્થાનિક જનતાએ કરેલ ભૂમિદાન આદિ કાર્યો દ્વારા તેમનું યોગદાન સ્પષ્ટ છે જ. શ્રી શાંતિપ્રસાદજી તથા તેમની સાથે સમસ્ત જૈન સમાજની સહાયતા અને સહુકાર પણુ પ્રાપ્ત થયાં છે; અને વૈશાલી સંધ તા વર્ષોથી તૈયારી કરી રહ્યુ છે કે વૈશાલી પેાતાનુ લુપ્ત ગૌરવ ફરીથી પ્રાપ્ત કરે; અને આ સર્વેથી પણ અધિક, આ રાજ્યની એક ઉત્કૃષ્ટ વિભૂતિ તથા ભારતના શિરણિ રાષ્ટ્રપતિ . રાજેન્દ્રપ્રસાદજીના વરદહસ્તે આ વિદ્યાપીઠની સ્થાપના વિધિ થઇ રહી છે. ભગવાન મહાવીરની સ્મૃતિનો પ્રભાવ આ વિદ્યાપીઠની સદૈવ રક્ષા અને ઉન્નતિ કરે એ હેતુથી મહાવીર જન્મોત્સવના પુણ્યવિસના પ્રસંગે આ વિધાપીઠના સાધ્યિમાં શ્રી મહાવીર સ્મારકની પણ સ્થાપના થઇ રહી છે. આ રીતે વિદ્યાપીઠને માટે વર્તમાન સમય–સ ંજોગ સર્વ પ્રકારે અનુકૂળ છે અને તે આધારે આપણે આશા રાખીએ કે વૈશાલી પ્રાકૃત વિદ્યાપીઠનું ભાવિ ઉજ્જવળ અને મહાન હશે.
ભગવાન બુદ્ધે પ્રરૂપેલ આચારધર્મ धम्मं शरणं गच्छामि
को तु हासो किमानन्दो निबं पलिते सति । अन्धकारण ओनद्धा पदीपं न गवस्थ ॥ હાસ, આનન્દ તે શાના નિત્ય જ્યાં પ્રજળે જગત ? અધકાર વિંટાયા ! પ્રદીપનવ શેાધશે? अच्छि में अवधि मं अजिनि मं अहासिमे । (यह ) चे तं उपनय्हतिं वेरं तेसं न सम्मति ॥ ભાંડયા મને હણ્યા હુને, હરાવ્યો તે હર્યું. મમ એમ જે બાંધતા ગાંઠ તેમનુ વૈર ના શમે. अकोच्छि में अवधि में अजिनि मं अहासिमे । (यह ) चे तं न उपनय्हन्ति वेरं ते सूपसम्मति ॥ ભાંડયો મને હણ્યો હુંને, હરાવ્યો ને હયું મમ બાંધે જે એમના ગાંઠ તેમનું વૈર આથમે. न हि वेरेन वेरानि सम्मन्तीध कुदाचनं । अवेरेन च सम्मन्ति एस धम्मो सनातन ॥ વેરથી વેરની કદી ઉપશાન્તિ થતી નહીં; અવેરથી થતી શાન્તિ—એ છે ધમ સનાતન. पम्मा अप्पमादेन यदा नुदुति पण्डितो पज्जापासादमारुह्य असोको सो किनि पजं । पबतो व भुम्मट्ठे धीरो बालो अक्खति ॥ જ્યારે પંડિત અપ્રમાદે હઠાવી દે પ્રમાદને ત્યારે અશોક બનીને પ્રનાપ્રાસાદથી જુએ શાકયુકત પ્રજાને એ; ભૂમિ-ઉભેલ તે જેમ
al. 24-4-45
પર્વતસ્થ જુએ, તેમ નીરખે ધીર બાલને दांधा जागरतो रत्ति दोघं सन्तरस योजनं । दीघो बालानं संसारो, सद्धम्मं अविजानतं ॥ દીર્ધ જાગ્રતને રાત્રી, થાકયાને દીધ જોજન; દીધ સંસાર ખાલેને જે સદ્દમ ન જાણતા. यथापि भमरो पुप्फ वणगन्धं अद्देठयं । पळेति रसमादाय एवं गामे मुनी चरे ॥ રંગ ગન્ધ બગાડે ના, પુષ્પના રસ લૈ પળે ભમરે. તેમ મુનિએ ગામમાં ફરવુ ઘટે. यावज्जीवं पिचे बालो पण्डितं पयिरूपासति । न सो धम्मं विजानांति दबी सूपरसं यथा ॥ જિંદગીભર છે. બાળ ઉપાસે જ્ઞાનવાનને નહીં તે ધર્મને પામે:
ચાટવા પરસને કદી જેમ ન પામતા. मुहुत्तमपि चे विज्जू पण्डितं पथिमपासति । विप्पं धम्मं विजानाति जिव्हा सूपरसं यथा ॥ મુદ્દત પણ જો વિત્ત ઉપાસે જ્ઞાનવાનને સર્વે તે ધર્મને પામે:
સપના રસને જેમ જિન્હા સત્વર પારખે, યાત્રિકમાંથી સાભાર ઉષ્કૃત.
વિષય સૂચિ તથાગતની વિશિષ્ટતાના મમ એધિસત્ત્વ
પ્રાકૃત વિદ્યાપીઠ, વૈશાલી धम्मं शरणं गच्छामि
અનુવાદ : સુન્દરજી બેટાઇ
Be
૧૧ ૧૩
પંડિત સુખલાલજી કાન્તિલાલ રાડિયા અનુ. : શાન્તિલાલ નંદું ૧૮ અનુ, સુન્દરજી બેટાઇ ૨૦
મુંબઈ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩. મુદ્રણુસ્થાન : કચ્છી વીશા ઓશવાલ પ્રિન્ટીંગ પ્રેસ, મસ્જીદ બંદર રોડ, મુઅર્થ જ, તે, ન, ૩૪૬૨૯