________________
પ્રભુદ્ધ જીવન
પ્રાકૃત વિદ્યાપીઠ, વૈશાલી
[ગત મહાવીર જયન્તી–તા. ૨૩-૪-૫૬-ના રાજ ભગવાન મહાવીરની જન્મભૂમિ વૈશાલી ખાતે પ્રાકૃત વિદ્યાપીઠના રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદના વરદ્ હસ્તે થયેલ શિલાન્યાસવિધિ પ્રસંગે બિહાર સરકારના શિક્ષણ વિભાગ તરફથી પ્રગટ કરવામાં આવેલ વૈશાલીનું ઐતિહાસિક મહત્વ અને એ સ્થળે ઉભી કરવામાં આવનાર પ્રાકૃત વિદ્યાપીઠને પરિચય આપતી-મૂળ હિંદીમાં · લખાયેલ–પુસ્તિકાના શ્રી. શાન્તિલાલ નંદુએ કરી આપેલ ગુજરાતી અનુવાદ નીચે રજુ કરવામાં આવે છે, તંત્રી]
ભારતીય સંસ્કૃતિ
ભારતીય સ ંસ્કૃતિ અને સાહિત્યની પરંપરા ધણી પ્રાચીન અને મહાન છે. વેદેાની કાવ્યરચના કયારે અને કયાં થઇ તે સધી વિદ્યાનેામાં આજ સુધી પણ મતભેદ છે જ અને તે અંગેનાં વિદ્વાનેાનાં અનુમાન અને તર્કમાં હજારો વર્ષોં અને હજારો સૂચનાનુ અંતર જોવામાં આવે છે. પૌરાણિક આખ્યાના અને વિવરણાની આંટીઘૂંટીએના ઉકેલ દર્શાવવાને ઇતિહાસન પોતાની અસમતા પ્રકટ કરે છે અને એ બધી ઇતિહાસાતીત સમયની ખાખતા છે એમ કહીને ઉડાવી દે છે, નિર'તર પ્રવાહી હાવા છતાં પણ ભારતીય સંસ્કૃતિના અંગ ઉપાંગોના કાઇએ સરખા અને યોગ્ય તાગ મેળવ્યેા નથી. ભારતીય સંસ્કૃતિની ધારા–સરવાણી–અનાદિ, અને અનત છે.
૧૮
આમ છતાં અઢારમા શતકમાં જ્યારે પાશ્ચાત્ય વિદ્યાનેએ આપણા સાહિત્યિક ભડારની ખોજ કરી–વેદ અને ઉપનિષદો, બૌદ્ધ ત્રિપિટક અને જૈન આગમાના આછે પરિચય તે વિદ્યાનાએ મેળવ્યા–ત્યારે તેમણે આ બધાને સંસ્કૃતની ખેાજના નામથી જાહેરાત આપી અને સમસ્ત જગત ભારતીય સાહિત્ય પ્રત્યે આકર્ષિત થઇને તેને જાણવાસમજવાના, તેનુ અધ્યયન કરવાના પ્રયત્ન કરવા લાગ્યું. આનું કારણુ એ છે કે વચગાળાના યુગમાં વિદેશી આક્રમણાથી અભિભૂત થઈ જવાને કારણે ભારતીય ચિંતન, અધ્યયન અને અધ્યાપનની સરવાણીએ રાજનૈતિક સમસ્યાઓના ભારથી લદાઈ ગઈ હતી—ખાઈ ગઈ હતી. ભારતમાં પશ્ચિમમાં તક્ષશિલા અને પૂર્વમાં નાલંદા જેવાં મહાવિદ્યાયતના વિલુપ્ત થઈ ગયાં અને ખુદ ભારતવાસીઓ કસ્તૂરીમૃગની જેમ પેાતાની અનુપમ સાહિત્યિક નિધિએ પોતાનામાં છુપાયલી હાવા છતાં પોતે જ ભુલા પડયા હેાય તેમ ભટકી રહ્યા હતા.
તા. ૧૫૫-૫૬
સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ ભારતમાં એક નવી ચેતનાના આવિર્ભાવ થયા છે અને પેાતાની ખેતી અને ઉદ્યોગ વિષયક સમસ્યાઓના ઉકેલ શોધવાની સાથે સાથે, ભારત પોતાની પ્રાચીન સંસ્કૃતિ પણ સારી રીતે સમજવા અને સમજાવવા માટે પ્રયત્નશીલ થયું છે. ભારતીય સંસ્કૃતિની મુખ્ય સરવાણીએ
ભારતીય સંસ્કૃતિ પોતાના વિશાળ રૂપમાં બેંક અને અખંડ હાવા છતાં તેમાંની અમુક વિશેષતાઓ અનુસાર તેની ત્રણ શાખા છે—વૈદિક, બૌધ્ધ અને જૈન એમ પ્રાચીન કાળથી માનવામાં આવે છે. આ ત્રણે શાખાઓને બિહાર પ્રદેશ સાથે પ્રાચીનતમ નિષ્ટ સંબંધ રહ્યો છે. જેણે આત્મા અને સંસારના વિષયમાં ગભીરતમ ચિંતનને જન્મ આપીને ઉપનિષદ્ સાહિત્ય ઉત્પન્ન કર્યું-તે સમય વૈદિક શાખાના ઇતિહાસના સૌથી વધારે ગૌરવપૂર્ણ સમય છે; અને ઉપનિષદ્ વિચાર ધારાનો આવિષ્કાર અને પાષણ પ્રાચીન મિચિલા ( વર્ત માન તિરહુત મ`ડળ ) માં જ થયાં. બૌધ્ધ ધર્મના સંસ્થાપક ભગવાન યુધ્ધના જન્મ અને નિર્વાણુ જોકે બિહાર રાજ્યની વર્તમાન સીમાની અહાર થયાં, તો પણ તેમને જ્યાં ખેાધિજ્ઞાન પ્રાપ્ત થયું તે ભૂમિ બિહારમાં ગયાની નજીક જ છે. જૈન ધર્મોના ચોવીશ તીર્થ કરામાંના બાવીસ તીર્થંકરાની તપેાભૂમિ અને નિર્વાણ--સ્થળ બિહારમાં જ માનવામાં આવે છે. જેવાં કે સમ્મેત શિખર અથવા પારસનાથ પહાડ ચમ્પાપુરી અને પાવાપુરી. તીર્થંકર પારસનાથના જૈન સોંપ્રદાય બિહારમાં આજથી ૨૫–૨૬ શતાબ્દી પૂર્વે વિધમાન હતો. ગ્રેવીસમાં તીર્થંકર મહાવીર સ્વામીના માતા પિતા તે સપ્રદાયના અનુયાયી હતા. ભગવાન મહાવીરના ગર્ભ, જન્મ, દીક્ષા, કેવળ જ્ઞાન અને નિર્વાણ— આ પાંચેય કલ્યાણક બિહાર રાજ્યમાં થયાં એમ માનવામાં આવે છે
અને તે નિમિ-તે આ રાજ્યમાં વિવિધ. તીર્થક્ષેત્રા સ્થપાયાં છે-જેની યાત્રાવદના કરવી તે સમસ્ત રાષ્ટ્રમાં વસતા જૈના પોતાની મેટી કરજ માને છે. ભગવાન બુધ્ધ અને ભગવાન મહાવીરને આ પ્રદેશમાં નિર ંતર વિહાર હાવાને કારણે સભવતઃ નુ નામ વિહાર– બિહાર પડયુ છે.
આ રીતે વૈશ્વિક, બૌધ્ધ અને જૈન-આ ત્રણેય ધર્મોના બિહાર પ્રદેશ સાથે અતિ પ્રાચીન અને ઘનિષ્ઠ સંબંધ છે. આથી એ ઘણુ જ સ્વાભાવિક હતું કે સ્વતંત્ર ભારતની સાંસ્કૃતિક ચેતના જાગૃત થતાં બિહારની જનતા અને સરકારને આ ત્રણ સંસ્કૃતિગ્માના ઉચ્ચતમ અધ્યયન–અધ્યાપન તથા અનુસધાનની સુવિધા માટે વિશેષ કેંદ્રોની સ્થાપના કરવાની પ્રેરણા ઉદ્દભવે અને તે મુજબ બિહાર સરકારે ત્રણ સંસ્થા સ્થાપવાના નિર્ણય–નિશ્ચય કર્યો. કેન્દ્ર કયાં સ્થાપવાં એ . પ્રશ્નપર વિચાર-વિમર્શ કરતાં કેન્દ્ર, રાજ્યના ભિન્ન—ભિન્ન ભાગામાં રાખવાં સ્થાપવાં કે જેથી બધા ભાગાને ત્યાંથી ઉત્પન્ન થતા જ્ઞાનની જ્યોતિના પ્રકાશ મળી શકે અને પ્રત્યેક વિધાપીઠ એવા સ્થાનપર હાય જે સ્થાનનુ ઐતિહાસિક દૃષ્ટિએ વિશેષ ઔચિત્ય હોય-એ દૃષ્ટિએ નિર્ણય કરવામાં આવ્યા. આ દૃષ્ટિએ વિચારતાં વૈદિક સંસ્કૃતિ અને તેના અનુલક્ષી સંસ્કૃત સાહિત્ય માટે મિથિલામાં દરભંગા તથા બૌધ્ધ સંસ્કૃતિ અને પાલી સાહિત્ય માટે પ્રાચીન મહાવિહારનુ કેન્દ્ર નાલદાએ બન્નેની પસંદગીમાં કાઈ મુશ્કેલી નડી નહિ.
પ્રાકૃત જૈન વિદ્યાપીઠની સ્થાપના માટે વૈશાલીની પસંદગી
ઉક્ત યોજના પ્રમાણે જૈન સંસ્કૃતિ અને પ્રાકૃત સાહિત્ય સબંધી ગવેષણૢ માટે ત્રીજી વિદ્યાપીઠના નિર્દેશ થયો હોવા છતાં તેની સ્થાપના તથા તેના સ્થાનના નિય કરવામાં થોડા વિલખ થયો. આર્થિક સમસ્યાને માને તો બિહાર રાજ્યના અગ્રિમ ઉદ્યોગપતિ શ્રી. શાંતિપ્રસાદજી જૈને અને શ્રી. હરખચંદ જૈને જૈન સમાજ તરફથી ઉદાર દાન-પ્રાપ્તિદ્વારા અમુક હદ સુધી હળવા કર્યો. પરંતુ મુખ્ય મુશ્કેલી વિદ્યાપીઠ માટે સ્થળ–પસંદગી કરવા અંગેની હતી. પાવાપુરી, રાજગૃહ અને વૈશાલી એવાં કંઇક સ્થળેા તે માટે સૂચવવામાં આવ્યાં. અનેક બળતાના વિચાર વિમર્શ કર્યાં બાદ રાજગૃહ અને વૈશાલી એ અન્નેમાંથી કોઈ એકને આ કાર્ય માટે યોગ્ય સ્થળ ગણવામાં આવ્યું. રાજગૃહ, મગધની પ્રાચીન રાજધાની હતી. ત્યાં ભગવાન મહાવીરને ઉપદેશ અને અનેક વર્ષોં આવાસ થયા હતા. અત્યારે પણ તે એક મહાન તીર્થક્ષેત્ર ગણાય છે અને ત્યાં હજારાની સંખ્યામાં યાત્રિકા આવે—જાય છે તથા ત્યાં ભવન વગેરેની તેમજ આવવા જવાની અનેક સગવડો ઉપલબ્ધ છે. બીજો મત એમ હતા કે આ વિદ્યાપીઠ માટે યોગ્ય સ્થળ વૈશાલી છે. રાજગૃહમાં જે સગવડો ઉપલબ્ધ છે તે સગવડે જો કે આજે વૈશાલીમાં ઉપલબ્ધ નથી, પરંતુ વિકાસયેાજના દ્વારા તે અગવડો હુ જથેડા સમયમાં દૂર થઈ જવાની આશા રાખવામાં આવે છે. ઐતિહાસિક દૃષ્ટિએ બિહાર રાજ્ય અને જૈન ધર્મના અતિ નિષ્ઠ સંબંધ વૈશાલી સાથે સંકળાયેલ દેખાય છે. છેલ્લાં દસ-બાર વર્ષોથી શ્રી. જગદીશચંદ્ર માથુર, આઈ. સી. એસ. ના સુયોગ્ય સંચાલનદ્રારા વૈશાલી સંધે ત્યાંના પુરાતત્ત્વનું જે અધ્યયન કર્યું છે, જે સાહિત્ય પ્રકાશિત કર્યુ છે, (જીએ વૈશાલી અભિનંદન ગ્રંથ-શ્રી. જ. ચં. માથુર અને પ્રા. યોગેન્દ્ર મિશ્ર કૃત) જે સંગ્રહાલય બનાવ્યું છે તથા મહાવીર જયંતીના પ્રસંગે પ્રતિવષ એક વિશાલ સાંસ્કૃતિક મહેત્સવનું આયેાજન કર્યું છે, તે ધ્યાનમાં લેતાં આ કેન્દ્રની વૈશાલીમાં સ્થાપના કરવાનું અનુચિત લેખાવુ