SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૫-૫૬ હાય-અને માણુસ માત્ર ભૂલને પાત્ર છે—તે તે તારે કબુલ કરવા. ન થયા હાય તો તે અંગે ખુલાસો કરવા. આ તારા ચાર મુખ્ય કર્તવ્યો છે, જે તારે હવે પછીથી ચોક્કસાઈપૂર્વક અાવવાના રહેશે. હવે ખીજા ચાર અકબ્યા પણ સાથે સાથે જણાવું, જે કાઈ પણ સંધના સભાસદથી થવા ન જોઇએ. જે કાઈ વ્યકિત કાઇ પણ સ્ત્રી પર બળાત્કાર કરે તે સંધના સભાસદ તરીકે ચાલુ ન રહી શકે. જે ખૂન કે ગર્ભપાત કરે કે કરવામાં મદદરૂપ અને તે પણ આ સધા સભાસન્ન રહી ન શકે. આવી જ રીતે જે ચોરી કરે અથવા ખેાટી સાક્ષી પુરાવે તે શાકય સંધનો સભાસદ થવા માટે લાયક નથી. આ મુખ્ય કતવ્ય અને અક બ્યા-આટલું કરવું જ જોઇએ અને આટલુ તે થઈ ન જ શકે—તે સિવાય ખીજી ઘણી નાની નાની ભાખતા આ નિયમાને લગતી છે. તેની વિગતો સધના વડિલા પાસેથી તારે જાણી લેવી. અને તેમાં થતા ફેરફારાથી વાકેફ રહેવું તે તેના અમલ કરવા એધિસત્ત્વઃ પુરાહિતજી. તમે વર્ણવેલા નિયમ ને શિસ્તની મને પૂરી ખબર છે. શાકય સંધના નિયમો પણ હું જાણું છું. તે પ્રમાણે વર્તવાનો હુ પ્રમાણિક રીતે પ્રયત્ન કરીશ. ( તે નમસ્કાર કરીને નીચે ખસે છે. ) પ્રબુદ્ધ જીવન શુધ્ધાદન: ( ઉભા થઈ ) શાકય સંધે ગૌતમને સધા સભાસદ બનાવ્યો તેથી હું સર્વના અંતઃકરણપૂર્વક આભાર માનુ છું. અને હવે સધને મારી વિનતિ છે કે મને નિવૃત થવાની પરવાનગી આપે. શાકય સેનાપતિઃ ( મોટેથી ) આપણા બધુ શુધ્ધાદન સંધમાંથી નિવૃત થવા પરવાનગી માંગે છે. જેને આ સામે વાંધે હાય તે સ્પષ્ટ કહે ( આ પ્રમાણે ત્રણ વાર ાષણા કર્યાં પછી ) કાના વાંધા જણાતા નથી તો સર્વાનુમતે બધુ શુધ્ધોદનની માંગણી માન્ય રાખવામાં આવે છે. અલબત કમને, કારણ શુધ્ધાદનની હાજરી સધને ઘણી રીતે ઉપયોગી નીવડી છે. શાય મહારાજા: શુષ્પાદન ! હું તમારૂં અભિનંદન કરૂ છું. અમારી ક્ષત્રિય પરપરા એવી છે કે સુપુત્ર કરતા કારવતા થાય તે પુખ્ત ઉંમરના થાય એટલે આપણા અધિકાર તેને સુપ્રત કરી પિતા પોતે નિવૃત્ત થાય. હવે મારી જગ્યાએ કાઈ યોગ્ય યુવાનની નીમણૂંક કરી સંધ મને પણ નિવૃત થવા પરવાનગી આપે એવી મારી ઈચ્છા છે. શાકય સેનાપતિ: અધુ ! આપણા મહારાજા નિવૃતિ લેવા પરવાનગી માંગે છે. આ વિષયમાં જેને કહેવું હાય તે કહે. શુધ્ધાદન: હવે હું સધા સભાસદ રહેતા નથી, છતાં નિવૃત્ત સભાસદને સધને સલાહ આપવાના હકક છે. આપ સૌની ઈચ્છા "હાય તા હું બે શબ્દો કહેવા ઈચ્છું છું. શકય મહારાજા: લેા એલ. શુધ્ધાદન: સધની સંમતિથી તમે નિવૃત થા તે તેમની જગ્યાએ ખીજા મહારાજાની નીમણુ ંક કરવાના સંધને પૂરા હક્ક નથી. સંઘે કાઈ એકાદને નીમ્યા અને તેને "કાસલરાજાની સંમતિ ન મળી તો તે મહારાજા થઈ શકરો તહીં. ફકત આમ કરીને સંધે પોતાનું સ્વમાન ગુમાવવું પડશે એમ હુ માનુ બ્રુ. આ કરતાં મને લાગે છે * સર્વાનુમતે નકકી કદી ચાર પાંચ નામે કાસલરાજા પાસે મેકલવા અને તે જેને પસદ કરે તેને આપણે નીમવા. આ રીતે આપણુ માન પણ રહેશે ને ધારેલું કામ પાર પડશે. શાકય સેનાપતિઃ–શુધ્ધાદન રાજાના મન્તવ્યમાં ઘણુ' તથ્ય છે. આયી મારી સચના છે કે હાલમાં મહારાજાએ પોતાની વિનંતિ પાછી ખેંચી લેવી તે હવે પછીની બેઠકમાં આ બાબતની વધુ ચર્ચા કરવી. શાક્ય મહારાજા:–હું મારી માંગણી પાછી ખેંચી લઉં છું. શાય સેનાપતિઃ–મહારાજાએ પોતાની વિનતિ પાછી ખેંચી લીધી છે, તે ( ચેતર જોઇ ) હું માનુ છું કે સભા આ સાથે સંમત છે. સભાનુ કામ હવે પૂરૂ થાય છે. [ પડદો પડે છે. ] દ્વિતીય અક સમાપ્ત તથાગતની વિશિષ્ટતાના મમ (અનુસંધાન પાના નં. ૧૨ થી ચાલુ) કૈં નથી કવિકલ્પના. જે સાધક આ દિશામાં સાચા અર્થમાં ગયો હશે તે બુદ્ધના ઉદ્ગારમાં પોતાના જ અનુભવ જોશે. કાલિદાસે કુમારસભવમાં મહાદેવના કામવિજયનુ મનહર ામાંચકારી ચિત્ર કળામય રીતે કર્યું છે, પણ તે કાવ્યકળામાં કવિની કલ્પનાનાં આવરણ તળે માનવ–અનુભવ જરા ગૌણુ થઈ જાય છે; દી તપસ્વી મહાવીરે સંગમ અસુરના કાર ઉપસર્ગી છ માસ લગી સહ્યા અને અંતે એના પરાભવ કર્યાં; એ રૂપકવણુંનમાં પણ સીધેસીધુ` માનવીય મનેવૃત્તિનું . તુમુલ ' જોવા નથી મળતું; કૃષ્ણની કાલિયનાગદમનની વાર્તા પણ એક પૌરાણિક વાર્તા જ બની જાય છે; જ્યારે બુદ્ધનુ કુશળ–અકુશળ વૃત્તિએનું આંતરિક તુમુલ ૮ એમના સીધા સ્વાનુભવ વર્ણનમાં સચવાયેલું છે. ભલે પાછળથી અધેાષે કે લલિતવિસ્તરના લેખકે તેને કવિકલ્પનાના ઝૂલામાં ઝુલાવ્યું હોય. મારવિજયથી બુદ્ધની સાધના પૂરી થતી નથી; એ તે આગળની સાધનાની માત્ર પીઠિકા બની રહે છે. બુદ્ધના આંતરિક પ્રશ્ન એ હતા કે માનવતાને સાચું સુખ સાંપડે એવા કયા વ્યવહારુ માર્ગ છે. આ પ્રશ્નનું નિરાકરણ અત્યારે જેટલું સરલ લાગે છે તેટલું તેમને માટે તે કાળમાં સરલ ન હતુ. પણ મુદ્દે તા એવુ નિરાકરણ મેળવવા સુધી ન જપવાના કઠોર સંકલ્પ જ કર્યાં હતા. એ સંકલ્પે અતે તેમને રસ્તા દાખવ્યો. તે કાળમાં આત્મતત્ત્વને લગતા અને તે વિશે સામસામી ચર્ચા-– પ્રતિચર્ચા કરતા અનેક પથા હતા. તેમાં એક પથ બ્રહ્મવાદના હતે. એ માનતા ચરાચર વિશ્વના મૂળમાં એક અખંડ બ્રહ્મતત્વ છે, જે સચ્ચિદાનંદરૂપ છે અને જેને લીધે આ સમગ્ર વિશ્વ અસ્તિત્વમાં આવ્યું છે, ટકી રહ્યું છે અને પરિવર્તન પામી રહ્યું છે. આવું બ્રહ્મ એ જ સર્વ દેવાનું અધિષ્ઠાન હાઈ દેવાધિદેવ પણ છે. યુદ્ધના પ્રશ્ન વ્યવહારુ હતા. એમને જગતના મૂળમાં શું છે ? તે કેવું છે ? ઇત્યાદિ ખાતાની બહુ પડી ન હતી. એમને તો એ શેાધવું હતું કે ખીજાં અધાં પ્રાણીઓમાં શ્રેષ્ઠતા ધરાવતી માનવજાતિ જ પ્રમાણમાં તિર પ્રાણીજગત કરતાં વધારે કલહપરાયણ અને વિશેષ વૈર–પ્રતિવરપરાયણ દેખાય છે, તે એના એ સતાપનિવારણના કાઈ સરલ વ્યવહારુ માર્ગ છે કે નહિ ? આ મથામણે તેમણે બ્રહ્માવિહારના માર્ગ સુઝાયા. તપ અને ધ્યાનના પૂર્વ સંસ્કારોએ તેમને મહ્દ કરી હશે, પણ બ્રહ્મવિહારની શોધમાં મુખ્ય પ્રેરક બળ તેા એમના વ્યવહારુ પ્રશ્નના ઉકેલ પાછળની લગનીમાં જ દેખાય છે. બેશક, તે કાળે અને તેથી પહેલાં પણ આત્મૌપમ્યના પાયા ઉપર અહિંસાની પ્રતિષ્ઠા થયેલી હતી; સર્વ ભૂતહિતેરતઃ અને મૈત્રીની ભાવના જ્યાં ત્યાં ઉપદેશાતી, પરંતુ બુદ્ધની વિશેષતા બ્રહ્મતત્ત્વ યા બ્રહ્મદેવના સ્થાનમાં બ્રહ્મવિહારની પ્રતિષ્ટા કરવામાં છે. આપણે અત્યાર લગીમાં પ્રાપ્ત સાધના દ્વારા એ નથી જાણતા કે યુદ્ધ સિવાય બીજા કાઇએ બ્રહ્મવિહારની વ્યાપક ભાવનાના એટલ સુરેખ અને સચેટ પાયા નાખ્યા હોય. ઔદ્દવાડ્મયમાં જ્યાં ને ત્યાં આ બ્રહ્મવિહારનું જેવું વિશદ અને હૃદયહારી ચિત્ર આલેખાયેલું મળે છે તે યુદ્ધની વિશેષતાનુ સૂચક પણ છે. જ્યારે બુદ્ધને મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા એ ચાર ભાવનાઓમાં માનવજાતિના સુખના માર્ગ દેખાયે ત્યારે તેમને પોતાની ખીજી શોધ સધાયાની દૃઢ પ્રતીતિ થઈ અને પછી તેમણે એ જ ભાવનાઓના બ્રહ્મવિહાર કરી માનવજાતિને સૂચવ્યુ કે, તમે અગમ્ય અને અકળ બ્રહ્મતત્ત્વની જટિલ ચર્ચા કરશે! તૈય છેવટે તમારે સાચી શાંતિ માટે આ બ્રહ્મવિહારના આશરા લેવા પડશે. એ જ વ્યવહારુ અને જીવનમાં પ્રયત્નશીલ સૌને સુલભ એવું બ્રહ્મ છે. જો બુદ્ધના આ બ્રહ્મવિહારના આપણે માનવજાતિના સ્થિર સુખના પાયા લેખે વિચાર કરીએ તો સમજાયા વિના નહિ રહે કે એ કેવી જીવનપ્રદ શોધ છે. મુદ્દે પોતાના આખા જીવનમાં જે નવા નવા રૂપે અનેક ઉપદેશ કર્યો છે, તેના મૂળમાં આ બ્રહ્મવિહારના વિચાર જ તરવરે છે—જેમ ગાંધીજીની અનેકવિધ પ્રવૃત્તિમાં સત્ય અને અહિંસાની પ્રબળ વૃત્તિ તરવરે છે તેમ, અપૂર્ણ. પંડિત સુખલાલજી
SR No.525941
Book TitlePrabuddha Jivan 1956 Year 17 Ank 17 to 24 and Year 18 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1956
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy