SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન १.४ સતેષથી ને સુખથી બ્રહ્માચર્ય વ્રતનું પાલન કરીશ. સાધ્વીસધમાં જઇને મને જે શીખવા નહીં મળે તે આ પુત્ર મને શીખવશે, સાધ્વી શિક્ષણુ આપે છે પેાતાના જ સપ્રદાયનું; પણ આર્યપુત્ર તેમને અનેક સપ્રદાયાના ધ રહસ્ય સમજાવશે. જો કદાચ આ ગાળામાં એકાદા સ ંપ્રદાયમાં જઇને સાધુ થઇ આમરણાંત બ્રહ્મચર્ય પાળવાનું તે નક્કી કરશે તે હું પણ તેમને જ પગલે ચાલીશ, આ સંદેશ સાંભળીને તે આર્યપુત્ર અંગેના મારા પ્રેમમાં અનેકગણા વધારા થઈ ગયા છે. એમ એમને મારા વતી જણાવજે. [ પડદો પડે છે. પ્રવેશ મીો સૂત્રધાર ઃ દંડપાણિ શાક્યના ગામમાં એધિસત્ત્વનું લગ્ન પૂરી ધામધૂમથી ઉજવાયું. આ લગ્નસમારંભમાં શુધ્ધાદન રાજાએ આમ ત્રણ આપવાથી કાલિય જાતિના અનેક આગેવાનો પણ હાજર હતા. લગ્ન-સમારભની આ એક વિશેષતા હતી. કેટલાક લોકો કહેતા હતા કે આ સમારંભ પછી કાલિય અને શાકય જાતિએ તેમનું અરસ્પરસનુ વૈમનસ્ય ભૂલી જશે. પણ ખીજા કેટલાક કહે છે કે આવુ કાંઈ બનતુ નથી. મહેમાના ચાર દિવસ મળે, સારૂં સારૂં ખાય, મજાની વાત કરે ને પોતપોતાને ઘેર જઈને બધુ ભૂલી જાય. ( સત્રધાર જાય છે.) સ્થળ-માધિસત્ત્વનો ખંડ. એકદમ સાદો છે. એ પલંગ છે ‘તે એસવાનાં એ આસના છે, રાત પડી ગઈ છે, તેથી દીવા બળે છે અને ખંડમાં તેને સ્વચ્છ પ્રકાશ પડે છે. ધિસત્ત્વ પેાતાના પલંગ પર જમણી બાજુ સુતા છે, પણ તેમને ઉંઘ આવતી નથી, એટલામાં યશોધરા પ્રવેશે છે. મોધિસત્ત્વના પલંગ તરફ ચારપગલે જઇને તેમની તરફ એકી નજરે જીવે છે, તે જાગે છે તેનુ ભાન થતાં તે શરમાય છે તે એક બાજુ જઈને ઉભી રહે છે.] એલિસત્ત્વ : અરે, તુ આમ ઉભી કેમ છે? પેલું આસન લને ભેસને ! C ચશેાધરા પણ આર્ય પુત્રને નિદ્રામાં હરકત તા નહીં થાયને ? મેાધિસત્ત્વઃ જરા યે નહીં ! છેલ્લા ચાર—પાંચ દિવસ કેવા ધમાધમના હતા તે તે। તુ જાણે છે. બધાં કામે બા ને બાપુ પર છેડી દેવા એ ઠીક ન હતું. મહેમાનાની આગતાસ્વાગતા કરતાં તે હું થાકી જતા ને પલંગ પર આડા પડયો ન પડ્યા ત્યાં તે ગાઢ નિદ્રા મને આવી જતી. વચ્ચે વચ્ચે જાગીને જોઉં તે તુ નિરાંતે ઉંધતી હાય ને તેથી તને જગાડવી મને ગમે નહીં. આજે તારી સાથે પેટ ભરીને વાતા કરવાનું મેં નક્કી જ કર્યુ છે. મને લાગ્યુ કે તુ સીધી તારા પલંગમાં જને સુઈ જશે. તે તે મારે તને ધીમેથી ખેલાવી “ ઉઠાડવી પડશે. તે યશાળા : (ગાસન પર બેસતાં) આ ઘરમાં આવ્યા પછી, હું સીધી મારા પલંગ પર સુવા ગઈ જ નથી, સાસુજી વગેરે સ્ત્રીમડળ ગુવા જાય પછી હું અહીં આવી તમારા પલંગ પાસે ઉભી રહી તમને જોયા જ કરૂં, છાસ જોયા જ કરૂ, તમે તે ગાઢ નિદ્રામાં હો, પણ ત્યારે પણ તમારા ચહેરા કેવા સુંદર તે ગંભીર દેખાય છે, જાણે તમે સમાધિમાં જ ન હેા ! એસિસત્ત્વ : જો મારા વખાણ રહેવા દે ! ખેલ જોઉં, અહીં કાંઇ અતડુ લાગે છે—નવું લાગે છે ? પિયરની યાદ વારવાર આવે છે કે નહીં ? ચશેાધરા : જ્યાં મોટી થઈ-ઉછરી-તે ધર યાદ તા આવે જ ને. પણ અહીં કંટાળા આવવાનુ કે અત લાગવાનુ કશું કારણ નથી. સાસુજીએ પહેલે જ દિવસે કહ્યું કે “આ ઘર તારૂ જ છે, હેન. તને જે જોઇએ તે માંગી લેજે, સકાય ન રાખીશ.” તેમના વર્તાવ પણ તેવા જ સારા અને સરળ છે. છેકરી પરણીને સાસરે જાય તેથી તે સાસરવાસની વાતોથી ગભરાય તેમ હું પણ ગભરાતી, પણ અહીં તેા તમારા કુટુંબના પ્રેમાળ વનથી તમે બધાંએ મને જીતી લીધી છે. પણ, એક શંકા મનમાં માન્યા કરે છે તા. ૧૫-૫-૫૬ મેોધિસત્ત્વ : એક શકા—કઈ બાબતમાં ? ચશેાધરા : આ પુત્ર પચીસ વર્ષ સુધી બ્રહ્મચર્ય-પાલન કરવાના છે તે તે હું જાણતી હતી, પણ તે મારી સાથે ખેલતાં કેમ નથી ? અખેલા પણ બ્રહ્મચર્ય વ્રતના એક ભાગ હશે કે શું એ હું વિચારતી હતી. પછી એમ લાગતું હતું કે તે પછી આ પુત્ર પાસે શીખવાની મારી હોંશ કેમ પૂરી થશે ? મેક્ષિસત્ત્વ : તારી શકા નિરાધાર છે એ તને હવે સમજાયુ જ હશે. પહેલે દિવસે મેં તને ઉઠાડી હોત તો તુ આશ્ચયૅ પામત. અને ખેલવાની એટલી બધી ઉતાવળે શુ છે? આપણે તે હવે સાથે જ રહેવાનું છે—તુ મારી સહચરી–સહધર્મચારિણી છે, તને શું. તારા સહવાસમાં મને પણ પુષ્કળ જ્ઞાન મળશે. યશેાધા : હવે તમે મારી સ્તુતિ શરૂ કરી. હું રહી સ્ત્રીજાત. મને અનુભવં પણ શુ? મારા સહવાસમાં આર્યપુત્રને શું જ્ઞાનલાભ થવાના હતા? મેાધિસત્ત્વ : અરે, પુરૂષા । પ્રયત્નથી અને અભ્યાસથી શાણપણ પ્રાપ્ત કરે છે. પણ સ્ત્રીઓમાં તે તે શાણપણ કુદરતી રીતે જ હોય છે. હાલની પરિસ્થિતિમાં તેમના વિકાસ નથી થતા તે દુ:ખદ છે. ચોાધા : એ ખ, આર્યપુત્ર ! પુરૂષો પ્રમાણે સ્ત્રીઓને પણ સાધુસ ંતાની સાથે ચર્ચાને લાભ મળે તે તેમના જ્ઞાનના વિકાસ અવશ્ય થવા પામે. પણ અમને છોકરીઓને તે બાર વર્ષથી જ બધી રીતે ધનમાં નાંખવામાં આવે છે. પંદર વર્ષ થયાં ન થયાં, ત્યાં તે લગ્નની શરણાઈ વાગી જ છે ને! બસ, પછી ઘરસંસારની વે, કુટુંબની જંજાળ, એ બધામાં જ્ઞાનવિકાસ તે સ ંભવે જ કયાંથી ? અમને પણ પુરૂષોની જેમ ઠીક લાગે તે ઉંમરે લગ્ન કરવાની છૂટ હોવી જોઇએ. નહીં ? ધિસત્ત્વ : હું થ્યાને પુરૂષોની હિંસક વૃત્તિનુ પરિણામ લેખુ’ છું. એમ કહે છે કે' પહેલા તે આપણા દેશમાં આજકાલના ખાક્ષવિવાહ ન હતા. લગ્નની ભાખતમાં સ્ત્રીને સંપૂર્ણ સ્વતંત્રતા હતી. પણ શાકય અને ક્રાલિય અંદર અંદર લડવા-ઝધડવા લાગ્યા ને તેથી પોતાનુ સ્વાતંત્ર્ય ખાઇ એટા. હવે જે કાંઇ રયુ ખડયુ બાકી છે. તે કાસલરાજાની મરજી પર વલખે છે. કાલે ધાર કે તેના ' સદેશે આવ્યા કે અમુક શાકય કે કૈલિય કન્યાને મારા અંતઃપુરમાં તાબડતાખ મોકલી આપો એમ સંદેશ આવ્યો તે કાની હિંમત છે કે આ આજ્ઞાને કરે મારે ? ચશેાધરા : પણ, આર્યપુત્ર, કાસલરાજા આપણને જોવા થોડાક જ આવે છે ? મેાધિસત્ત્વ : અરે પણ તેના દૂત અને ગુપ્તચરા તા છે ને ? અને તેમની ખુશામત કરવા તે કૃપા સંપાદન કરવા આપણા દેશમાં પણ કેટલાક લેાકેા છે ને ? આમાંના કે બેંકે તેમને ખબર આપી કું “મહારાજ, પેલા શાકયની કે આ કાલિયની કન્યા રૂપવતી છે. સ પત્યુ. મીજે જ દિવસે તેને શ્રાવસ્તી મોકલી આપવાને સ દેશે આવ્યા જ સમજોને ? ચાધા કાસલરાજા જો એવા બળવાન છે તે તે પરિણિત સ્ત્રીને બળાત્કારથી કેમ લઈ જતા નથી ? એધિસત્ત્વ : આપણું નશીબ એટલુ પાંસરૂ છે કે હજી ત્યાં સુધી વાત પહોંચી નથી. આવા સરમુખત્યારી રાજા પ્રજાના અંતમનને ઓળખે છે. પરણેલી સ્ત્રીઓ પર બળાત્કાર કરવાથી તો ઠેરઠેર રાજ્યમાં અંડ થાય તેની તેમને બરાબર ખબર છે. આ કારણથી જ પરણેલી સુંદર સ્ત્રીઓ માથે આવા ભય હાતા નથી. ચશેાધરા : તો પછી કુમારીકાને રાજા રંજાડે ત્યારે લોકા કેમ ખંડ પેકારતા નથી ? મેક્ષિસત્ત્વ : આનો જવાબ છે કે લોકો મૂર્ખ છે. મનને એમ મનાવવામાં આવે છે કે છેકરી વયમાં આવેલી, તેના લગ્ન થવાના જ છે તે મહારાજાના અંતઃપુરમાં તે હેાય તેમાં શું વાંધે છે ?
SR No.525941
Book TitlePrabuddha Jivan 1956 Year 17 Ank 17 to 24 and Year 18 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1956
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy