SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૫૫-૫૬ નથી રહેતી કે તે તે પ્રસંગાનુ વર્ણન યુધ્ધ પાતે જ કરેલુ છે. આ કંઈ જેવી તેવી વિશેષતા નથી. આજે, જ્યારે ચેમેર તટસ્થપણે લખાયેલ આત્મકથાનું મહત્ત્વ અંકાઈ રહ્યુ છે ત્યારે, ૨૫૦૦ વર્ષ પહેલાંની એવી આત્મકથાના થોડા પણ વિશ્વસનીય ભાગ મળે તો તે, એ કહેનાર પુરુષની જેવી તેવી વિશેષતા લેખાવી ન જોઈએ, 'કેમ કે એ સ્વાનુભવના વિશ્વસનીય થાડાક ઉદૂંગારા ઉપરથી પણ કહેનારના વ્યક્તિત્વનું સાચું મૂલ્યાંકન કરવાની સામગ્રી મળી જાય છે. ૧૬ થોડાં જ વર્ષોમાં, વિશ્વના માનવતાવાદી લેાકાના હૃદયમાં જે સ્થાન પ્રાપ્ત કર્યું છે તેના જેવુ સ્થાન પ્રાપ્ત કરતાં બુદ્ધુજીવનને તા સેકડા વર્ષ લાગ્યાં. તેનું કારણ જમાનાની જુદાઇમાં રહેલું છે. બુદ્ધના જમાનામાં ગાંધીજી થયા હાત તે એમના માનવતાવાદી વિચારેને પ્રસરતાં, બુદ્ધના વિચારાને પ્રસરતાં લાગ્યો, તેટલે જ સમય લાગત. આજનાં વિચારવિનિમયનાં સાધના એવાં ઝડપી છે કે જો તે જ યુદ્ધ આ જમાનામાં થયા હોત તા ગાંધીજીની પેઠે પોતાના જીવનકાળ દરમિયાન જ પોતાના વિચારાના દૂરગામી પડ્યા સાંભળી શકત. યુદ્ધને માનવતાવાદી વિચાર, આટલા લાંબા વખત પછી પણ, એક જ સાથે આખા ભારતમાં અને દુનિયાભરમાં ગુજે એ એક નવા જમાનાની અપૂર્વ સિદ્ધિ જ છે. જો બુદ્ધનુ વ્યકિતત્વ આવુ છે તે એ જાણવાની આકાંક્ષા સહેજે થઇ આવે છે કે બુદ્ધની એવી કઇ વિશેષતા છે કે જે તેમને ખીજા મહાન આધ્યાત્મિક પુરુષોથી જુદા તારવી આપે છે ? બુદ્ધના જીવનમાં, તેમના વિચાર અને આચારમાં અનેક બાબતો એવી છે કે જે અંતર મહાન ધર્મ પુરુષાના વનમાં અને વિચાર–આચારમાં પણ જોવા મળે છે, પણ ચેડીક છતાં તરત નજરે તરી આવે એવી વિશેષતાઓને જો બરાબર સમજી લઇએ તે બુદ્ધના જીવનનું અને એમના વ્યકિતત્વનું ખરું હાર્દ ધ્યાનમાં આવે. તેથી આ સ્થળે એ માબત જ ચેડાંક વિચાર દર્શાવવા ધાર્યું છે. ક્ષત્રિયવંશમાં જન્મ, શ્રમણ થઇ ગૃહત્યાગ કરવા, કઠાર તપ કરવું, ધ્યાનની ભૂમિકાના અભ્યાસ કરવો, માર યા વાસનાને છતી ધર્મોપદેશ કરવા, સધ રચવા, યજ્ઞયાગાદિમાં થતી હિંસાના વિરાધ, લોકભાષામાં સીધુ સમજાય તે રીતે ઉપદેશ કરવા અને ઉચ્ચ-નીચના ભેદ ભૂલી લેાકેામાં સમાનપણે હળવું મળવું ઈત્યાદિ ખાખાને બુદ્ધની અસાધારણ વિશેષતા 'લેખી ન શકાય; કેમ કે એવી વિશેષતા તે બુદ્ધના પૂર્વકાલીન, સમકાલીન અને ઉત્તરકાલીન અનેક ધર્મપ્રવક પુરુષોમાં ઇતિહાસે નાંધી છે. એટલુ જ નહિ પણ એ વિશેષતાએ પૈકી કાઇ કાષ્ઠ વિશેષતા તે યુદ્ધ કરતાં પણ વધારે સચોટરૂપે અન્ય ધર્મ પ્રવક પુરુષામાં હાવાનું ઇતિહાસ કહે છે. અને છતાંય બીજા એકકે ધર્મ પ્રવક પુરુષે બુદ્ધ જેવુ વિશ્વવ્યાપી સ્થાન પ્રાપ્ત કર્યું નથી. તેથી વળી બુદ્ધની અસાધારણ વિશેષતા જાણી લેવાની વૃત્તિ પ્રાળતમ થઈ આવે છે. આવી વિશેષતાઓ પૈકી કેટલીક આ રહી છેલ્લાં ત્રણ હજાર વર્ષોંના ધાર્મિક અને આધ્યાત્મિક ઇતિહાસને જોઇએ છીએ તા જણાય છે કે એટલા દૂર ભૂતકાળમાં યુદ્ધ સિવાય બીજો કોઇ એવા મહાન પુરુષ નથી થયો કે જેણે સ્વમુખે પેતાની વનગાથા અને સાધનાકથા જુદે જુદે પ્રસંગે, જુદા જુદા પુરુષોને ઉદ્દેશી સ્પષ્ટપણે કહી હાય અને તે માટલી વિશ્વસનીય રીતે સચવાઇ પણ હાય. દીર્ઘ તપસ્વી મહાવીર હાય કે જ્ઞાની સોક્રેટીસ હોય, ક્રાઈસ્ટ હોય કે કૃષ્ણ હોય; તે બધાની જીવનવાર્તા મળે છે ખરી; પણ મુદ્દે જે આપવીતી અને સ્વાનુભવ વમુખથી, ભલે છૂટા છૂટા પણ, કહેલ છે અને તે સચવાયેલ છે, ( જેમકે મઝિમ નિકાયના અરિયપરિયેસન, મહાસગ્ગક, સીહનાદ, મૂળદુખક્ષ્મન્ધ આદિ સુત્તોમાં તેમ જ અંગુત્તરનિકાય અને સુત્તનિપાત આદિમાં) તેવે। અને તેટલા ખીજા કાઈના જીવનમાં વવાયેલા જોવા નથી મળતા. મુખ્ય પુરુષ વિશેની હકીકત શિષ્યપ્રશિષ્યા દ્વારા જાણવા મળે, તે યથાવત પણ હાય, તોય તેનુ મૂલ્ય જાતકથન કરતાં ઓછુ જ છે, અને વધારે તેા નથી જ. જાતકથન યા સ્વાનુભવવર્ણનમાં, તે કહેનારના આત્માના તારા જે મધુરતા અને સવાદથી ઝણઝણી ઊઠે છે તે મધુરતા અને સવાદ અન્ય દ્વારા પ્રાપ્ત થયેલ વર્ણનમાં ભાગ્યે જ સંભળાય. એ ખરું કે હવનના અનેક પ્રસંગે એમના શિષ્યપ્રશિષ્યાએ નોંધી રાખ્યા છે. ભક્તિ અને અતિશયોક્તિને એમાં પુષ્કળ રંગ પણ છે; તેમ છતાં અનેક જીવનપ્રસંગો એવા પણ છે કે જે યુધ્ધે પોતે જ કહ્યા છે અને આસપાસના સદર્ભ તેમજ તે કથનની સહજતા જોતાં એમાં જરાય શંકા તથાગતની ખીજી અને મહત્ત્વની વિશેષતા તેમની સત્યની અદમ્ય શોધ અને પ્રાણાન્ત પણ પીછેહઠ ન કરવાના સંકલ્પમાં રહેલી છે. ભારતમાં અને ભારત બહાર પણ અનેક સાચા સત્યશોધકો થયા છે. તેમણે પાતપેાતાની શોધ દરમિયાન અહું બહુ વેઠયું પણ છે. પરંતુ તથાગતની તાલાવેલી અને ભૂમિકા એ ખુદાં જ તરી આવે છે. જ્યારે એમણે હસતે મુખે માતા, પિતા, પત્ની આદિને વિલાપ કરતાં છેાડી, પ્રવ્રુજિત થઈ, નીકળી જવાના ઐતિહાસિક સંકલ્પ કર્યો ત્યારે એમની પ્રાથમિક ધારણા શી હતી અને માનસિક ભૂમિકા શી હતી એ મધુ, તેમણે એક પછી એક છેડેલ ચાલુ સાધનામાના તેમ જ છેવટે અંતરમાંથી ઊગી આવેલ સમાધાનકારક માર્ગના વિચાર કરીએ છીએ ત્યારે, સ્પષ્ટપણે સમજાય છે, આધ્યાત્મિક શુદ્ધિ સિદ્ધ કરવાના ઉદ્દેશથી પ્રવ્રુજિત થયેલાની સંખ્યા તે કાળે પણ નાની ન હતી. જો યુદ્ધના માત્ર એટલા જ ઉદ્દેશ હાત તા તે સ્વીકારેલ એવા ચાલુ સાધનામાર્ગોમાં કયાંય ને કયાંય ઠરી ઠામ એસત. પરંતુ મુદ્દને મહાન ઉદ્દેશ એ પણ હતા કે, કલેશ અને કંકાસમાં રચીપચી રહેતી માનવતાને ચાલુ જીવનમાં જ સ્થિર સુખ આપે એવા માની શોધ કરવી. મુદ્ધ તે વખતે અતિપ્રચલિત અને પ્રતિષ્ઠિત એવા ધ્યાન અને યાગભણી પ્રથમ વળે છે. એમાં તે પૂરી સિદ્ધિ પણ મેળવે છે, તેાય એમનું મન ઠરતુ નથી. આ શાને લીધે ? એમના મનમાં થાય છે કે ધ્યાનથી અને ચેાગાભ્યાસથી એકાગ્રતાની શકિત અને કેટલીક સિદ્ધિ લાધે છે ખરી, એ સારી પણ છે, પરંતુ એનાથી સમગ્ર માનવતાને શો લાભ ? આ અજંપો તેમને તે સમયે પ્રચલિત એવા અનેકવિધ કકાર દેહદમન તરફ વાળે છે. તેઓ કઠોરતમ તપસ્યા દ્વારા દેહને શોષી નાખે છે, પણ તેમના મનનુ આખરી સમાધાન થતું નથી, આમ શાથી ? એમને એમ થયુ કે, માત્ર આવા કઠોર દેહદમનથી ચિત્ત વિચાર અને કાર્ય શકિતમાં ખીલવાને બદલે ઊલટું કરમાઇ જાય છે. એમણે તેથી કરીને એવું ઉગ્ર તપ પણ ત્યજ્યું, અને તે સાથે જ પાતાના પ્રથમના પાંચ વિશ્વાસપાત્ર સહચારી સાધાને પણ ગુમાવ્યા. મુદ્દે સાવ એકલા પડયા. એમને હવે કાઈ સંધ, મા કે સેાખતીઓની કું× ન હતી. અને છતાં તે પોતાના મૂળ ધ્યેયની અસિદ્ધિના અજંપાને લીધે નવી જ મથામણ અનુભવવા લાગ્યા. પણ યુદ્ધની મૂળ ભૂમિકા જ અસામ્પ્રદાયિક અને પૂર્વગ્રહ વિનાની હતી. તેથી તેમણે અનેક ગુરુ, અનેક સાથીઓ અને અનેક પ્રશંસકાને જતા કરવામાં જરાય નિ ન જોઈ; ઊલટુ એમણે એ પૂર્વ પરિચિત ચેલા ત્યજી એકલપણે રહેવા, વિચરવા અને વિચારવામાં વિશેષ ઉત્સાહ અનુભવ્યો. ધરનાર અધું છે,ડાય, પણ સ્વીકારેલ પથેાના પૂર્વગ્રહા છેડવા એ કામ અધરામાં અઘરું છે, યુધ્ધે અે અધૂરું કામ કર્યુ અને તેમને પોતાની મૂળ ધારણા પ્રમાણે .સિદ્ધિ પણ સાંપડી. આ સિદ્ધિ એ જ યુદ્ધના વ્યકિતત્વને વિશ્વવ્યાપી બનાવનાર અસાધારણ વિશેષતા છે. નેરજરા નરીને કિનારે, વિશાળ ચેાગાનમાં, સુંદર પ્રાકૃતિક દૃશ્યો વચ્ચે, પીપળના ઝાડ નીચે, બુદ્ધ આસનબદ્ધ થઈ ઊંડા વિચારમાં ગરક થયેલ, ત્યારે એમના મનમાં કામ અને તૃષ્ણાના પૂર્વ સ ંસ્કારોનું શરૂ થયું. એ વૃત્તિએ! એટલે મારની સેના. બુદ્ધે મારની એ સેનાના પરાભવ કરી જે વાસનાવિજય યા આધ્યાત્મિક શુદ્ધિ સાધી તેના સ્વાનુભવ સુત્તનિપાતના પધાનસુત્તમાં મળે છે. એમાં નથી મૃત્યુતિ (અનુસંધાન પાનુ' ૧૭ ઉપર)
SR No.525941
Book TitlePrabuddha Jivan 1956 Year 17 Ank 17 to 24 and Year 18 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1956
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy