________________
પ્રબુદ્ધ જીવન
૧૦
લકતાથી તા. ૧૮મી અને તા. ૨૬મી માર્ચના દિવસોએ આચાર્ય દેવ શ્રી વિજય રામચંદ્રસૂરિજીએ કરેલ અને લખેલ પત્રના ઉત્તરમાં નીચલા જવાબ લખ્યા હતા. “વના સાથે લખવાનું જે આપના તા. ૧૮મી અને તા. ૨૬મી માર્ચના તાર તથા કાગણ વદ ૯ કાગળ મળેલ છે. હુ' બહારગામ હોવાથી આપને તાત્કાલિક જવાબ આપી શકયા નથી તે સારૂ ક્ષમા ચાહું છું. અમદાવાદમાં તા. ૨૬મી માર્ચને શનીવારના રોજ શેઠ આણુજી કલ્યાણજીની પેઢીના સ્થાનિક પ્રતિનિધિ સાહેાની એક સભા મળી હતી. તેમાં મિંદરોમાં જૈનેતરોને દાખલ કરવા વિષેના પ્રકરણની જુદા જુદા દૃષ્ટિબિંદુથી પુરેપુરી છણાવટ કરવામાં આવી હતી. અને ત્યાર બાદ આજરોજ શેઠ આણુદજી કલ્યાણજી તરફથી એક નિવેદન જાહેરમાં પાડવામાં આવ્યું છે તેની નકલ આ સાથે આપની જાણ માટે મોકલ્યું છે. સમસ્ત વસ્તુસ્થિતિનો પુરેપુરો વિચાર કરી આ પગલું લેવામાં આવ્યું છે તેની આપને ખાત્રી આપુ છું.”
ઉપલા પત્રના અને નિવેદનના જવાબમાં ચૈત્ર સુદ ૮ ને શુક્રવારે તા. ૧ લી એપ્રીલે લકત્તાથી આચાર્ય શ્રી. વિજયરામચંદ્રસુરિજીએ નીચેના જવાબ માકલ્યા હતા. તા. ૩૦ મી માર્ચ ૧૯૫૫ ના તમારા પત્ર આજે મળ્યા. પત્ર સાથે તમે જે જાહેર પાડેલા નિવેદનની નકલ મારી જાણ માટે મોકલી છે તે પણ મળી. આવું પણશે આણુજી કલ્યાણજીની પેઢી જેવી સંસ્થા બહાર મુકે એ અમારી દૃષ્ટિએ બિલકુલ બરાબર નથી. આ નિવેદન સંબંધમાં જે કહેવાનું છે તે બાકી રાખી અત્યારે તો માત્ર જેમાં તમારૂં નિવેદન વિકૃતરૂપે પ્રગટ થયેલ છે તેમાંના માત્ર જન્મભૂમિ અને મુંબઈ સમાચારના માર્ચ માસના પેપરાની કાપલી તમારૂ ધ્યાન ખેંચવા મોકલી આપું છું. મને મોકલેલુ નિવેદન જ્યારે વિકૃતરૂપે બહાર આવેલ છે ત્યારે તમારૂં નિવેદન જેવું છે તેવું દરેક પેપરમાં બહાર આવે અને તે પણ શબ્દે શબ્દ બહાર આવે એવુ કરવાની પ્રથમ તમારી ક્રુજ છે. એજ ધર્મ આરાધનામાં અવિરત ઉજમાળ રહેા એજ એકની એક શુભાભિલાષા.” -
તા. ૧-૫-૫૫
પ્રવેશ અટકાવવા માટે જલદી પગલાં ભરે અને તમારી મેનેજીંગ કમિટિમાં જે ઠરાવ કર્યો છે તેને રદ કરીને વિરોધનો ઠરાવ પસાર કરો.” શ્રી. સૌરાષ્ટ્રની સરકારે અને મધ્યસ્થ સરકારે પણ આવા અન ધિકૃત અને તેવાજ શિસ્તભંગનાં પગલાંને અટકાવવામાં સારા વિશ્વનુ કલ્યાણ ઈચ્છનાર અને શાંતિથી જીવનાર શ્રી સંધને આપતિમાંથી બચાવવાનાં પગલાં પોતાની ક્રૂરજની રૂઇએ ભરવા જોઇએ.” શ્રી. રામચ સૂરિશ્વરજીના ઉપલા સદેશાનો ભારતના જૈન સધા કેં જવાબ આપે છે તે હવે પછી જ જણાશે.
ન
le
પુરી સર્વોદય સંમેલનના ઠરાવ
ત્રણ દિવસની ચર્ચા અને વિવેચનાના અને જગન્નાથપુરીમ મળેલા સર્વોદય સમેલને તા. ૨૭-૩-૫૫ ના રાજ નીચે મુજબ ઠરાવ પસાર કર્યો હતા ઃ -
છેલ્લા ચાર વર્ષોમાં ભૂદાન આંદોલને જે પ્રગતિ કરી છે. તેથી જનતા અજાણ નથી. દેશના દરેક ભાગમાં જે સધન કાર્ય કરવામાં આવ્યુ હત તો એથી પણ જોરદાર પ્રગતિ થઈ હાત. "ત્યાં જ્યાં જનતાને ભૂદાનના સંદેશ સારી રીતે પહેાંચાડી શકાયો છે ત્યાં ત્યાં જનતા એનું ધણી શ્રદ્ધાથી સ્વાગત કર્યું છે, આ જ કારણથી ભૂદાન જત.--આંદોલન થઈ શકે છે.
“પરંતુ આપણા લક્ષ્યની સિદ્ધિ હજી દૂર છે. સન ૧૯૫૭ સુધીમાં ભુમિક્રાંતિ સફળ કરવાને આપણે સંકલ્પ કર્યો છે. હવે એ વર્ષ જ બાક રહ્યાં છે. આ આપણી સેટીનો કાળ છે. આખી દુનિયા આ આંદોલનન ગતિવિધિ તરફ બહુ આશા અને ઉત્કંઠાથી મીટ માંડી રહીછે. એમાં ંકેત છૂપાયેલા છે કે આ વખતે અહિંસક પ્રક્રિયાની કસેાટી થઈ રહી છે.
સ
તારીખ ૧લી એપ્રીલ ઉપલા પત્ર શેઠ આણુદજી કલ્યાણુજીની પેઢી ઉપર તેમજ શેઠ કસ્તુરભાઈ લાલભાઈ ઉપર લખાયા હતા. તેજ વિસે કલકતામાં ૯૬ ક્રેનીંગ સ્ટ્રીટમાં જૈન સધની એક જાહેર સભા આચાર્ય શ્રી. વિજય રામચંદ્રસૂરિશ્વરજીના પ્રમુખપણા નીચે મળી હતી, જેમાં શ્રી. આણુજી કલ્યાણુજીએ હરિજન અને જૈનેતર મંદિર પ્રવેશ સંબંધમાં જે પગલું ભર્યું હતું અને જે નિવેદન બહાર પાડયું હતું તેના વિષેધ દર્શાવનારો ઠરાવ કરવામાં આવ્યો હતો અને તે સાથે એવા આગ્રહ કરવામાં આવ્યા હતા કે તેઓએ હાથ ધરેલી પ્રવૃતિને મજબૂતમાં મજબૂત વિરોધ કરવા અને જો તેમ નહિ કરવામાં આવશે તે ભવિષ્યમાં ખરાબ પરિણામ આવશે.” એ પછી આચાર્ય શ્રી. વિજય રામચંદ્રસુર-સર્વોયની સ્થાપના એ વગર અસંભવિત છે, પછી ભલે સમાજમાં ગમે તેટલા પલટો આવી જાય. આપણે એ પણ જાણીએ છીએ કે મૂલ્યો અને વિચારાનું પરિવર્તન શાસન દ્વારા નથી થઈ શક્યું. આ કામ લોકો પાસે જઇને અને પ્રેમથી સમજાવીને જ થઇ શકે છે. ભૂદાન તથા સાથે થતાં ખીજા આંદોલનો આ પ્રક્રિયાનાં જ અંગો છે. ક્રાન્તિની આ પ્રત્યક્ષ અને પરિપૂર્ણ પ્રક્રિયા છે.
સર્વોદયવિચારમાં વિશ્વાસ રાખવાવાળા ઘણાં ભાઈ-બહેન દેશમાં જે રાજતંત્રમાં, રાજનૈતિક પક્ષામાં, રચનાત્મક તથા અન્ય ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. એમને કંઈક સહયોગ ભૂદાન આંદલનને પ્રાપ્ત થયા છે. પરંતુ એમની વધારે શક્તિ પોત-પોતાના કાર્યોમાં જ લાગી રહી છે. એમાં શંકા નથી કે એમનાં કાર્યો પણુ આમ તે દેશ માટે ઉપયોગી અને સારાં છે. પરંતુ હવે સમય આવી ગયા છે કે સર્વોદયને માનવાવા સર્વ લોકો ગંભીરતાથી વિચારે કે શું વર્તમાન સમાજવ્યવસ્થાનું અને તેટલું જલદી પરિવર્તન કરવું આવશ્યક નથી ? સયમાં વિશ્વાસ રાખવાવાળા લોકો વર્તમાન સમાજના અન્યાય તથા અનીતિની સામે ચૂપ રહી શકે તેમ નથી, તેમજ તે વર્તમાન સ્થિતિ વિષે નિષ્ક્રિય બની શકે એમ પણ નથી. સૌયની પ્રક્રિયા અનુસાર સાચુ સમાજપરિવર્તન ત્યારે જ થાય છે કે જ્યારે વિચાર અને મૂલ્યોમાં પરિવર્તન થાય
શ્વરજીએ નીચલા આદેશ આપ્યા હતાઃ “વર્તમાન પત્રામાં પ્રગટ થયેલ સમાચારાએ સાધુ સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ શ્રી ચતુર્વિધ સંધમાં મહાવિક્ષાભને શાન્ત કરવા માટે શું કરવુ જોઇએ એના વિચાર કરી શ્રી સંધ કાઈ નિહ્ય પર આવે તે પહેલાં એવા સમાચાર સાંભળવા અને વાંચવા મળે છે કે શ્રી. સંધની પ્રતિનિધિરૂપ શ્રી. આણુજી કલ્યાણજીની પેઢીએ હરિજનોને પ્રવેશ કરતા અટકાવવા નહિ એવા ઠરાવ કર્યો છે. આવા શાસ્ત્રવિરૂદ્ધ ઠરાવ પેઢીએ કર્યો જાણી સારાયે શ્રી સંધે ભારે આંચકો અનુભવ્યો છે. શ્રી સંધ માને છે કે શ્રી. આણંદજી કલ્યાણુજીની પેઢીને આવા ઠરાવ કરવાના કોઈજ અધિકાર નથી. ખરેખર પેઢીએ આવા ઠરાવ કર્યો હાય તો શ્રી સંધના વિશ્વાસના ભયંકર દ્રોહ કર્યો છે. આથી સકળ સધને મારી ભલામણ છે કે હિંદ ભરના શ્રી. સધાએ અમદાવાદના સરનામે શ્રી. આણુજી કલ્યાણજીની પેઢીના શ્રી સંધ ( શ્રી સંધ) ના તારના સરનામાંથી તાર કરવા કે “હરિજન
અહિંસા એ આ જમાનાની માંગ છે. શુ અહિંસાનિક વ્યક્તિ સમયે આ આવશ્યકતાને અવગણી શકે ? સન ૧૯૫૭ ને સંકલ્પ આ આવશ્યકતાને જવાબ છે. આ સંકલ્પમાં અમને દૃઢ વિશ્વાસ છે કે આ યુગની સમસ્યાનું અહિંસા દ્વારા જ સમાધાન થઈ શકે છે. અહિંસ પ્રક્રિયાની કસોટીના કટોકટીભર્યાં અવસરે સર્વાંધ્ય તથા અહિંસામાં નિષ્ણ રાખવાવાળી સહુ વ્યકિતને સર્વસેવાસંધ વિનયપૂર્વક આહવાહન કરે કે તેઓ બધાં કાર્યો છોડીને ઓછામાં ઓછાં બે વર્ષ માટે ભૂદાન યજ્ઞમાં પોતાની સર્વ બુધ્ધિ, શક્તિ અને કાર્યકુશલતા સમર્પિત કરે 1
મુંબઈ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩.
મુદ્રણુસ્થાન : કચ્છી વીશા ઓશવાલ પ્રિન્ટીંગ પ્રેસ, મસ્જીદ બંદર રોડ, મુંબઈ ૯. કે, ન. ૩૪૬૨૯,