SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ તેમાં ખારીક વિચાર કરાયેો છે એવું નથી, પણ એક સ્કુલ વિચારથી એમ નકકી કર્યુ કે ૫૭ સુધી આ કામ કરવું અને તેમાં બે વર્ષ બાકી છે. તેથી એ વર્ષ કામ કરવું, તેના અથ એટલા જ છે કે જે એ વર્ષે બાકી રહ્યા છે તેમાં આપણે પુરૂં જોર અજમાવીએ. તેમાં આપણે ફક્ત હીંદુસ્તાનવાસીઓને જ આવ્હાહન નથી આપતા. તેમજ સર્વોદયપ્રેમીકાને જ નથી કહેતા. આ આજ્રાહન તે! આખી દુનીયાના લેાકને છે કે બે ત્રણ વષ જોર અજમાવી દંડમુકત સમાજ રચનાતી ૧૯૫૭માં સ્થાપના કરી. પ્રબુદ્ધ જીવન આજે આપણે છુટા પડીશુ. કેટલાક લોકો પગપાળા આવે છે અને ટ્રેનમાં પાછા જાય છે. કેટલાક પગપાળા આવે છે અને પગપાળા પાછા જાય છે. જો પગપાળા જવાની યેાજના હાય તા એછામાં ઓછુ એક વખત પગપાળા જવું જોઇએ, કારણ કે આ વખતે એક એવા સંદેશા લઈ જવાના છે કે જે દરેક જગ્યાએ સંભળાવવાના છે. જે કાઇ ઠેકાણે આ રીતે ઉત્કર્ષ થયા છે ત્યાં માનવીએ ધણી તીવ્રતાથી માની લીધુ છે કે પેાતાની મુકિત ઘણી નજીક છે જ્યારે પાતાની મુકિત માટે માનવીને એવી તીવ્રતા આવી ત્યારે જ ધર્મના ઉત્કર્ષ થયા અને બહુ મહાન કાર્યો થયા એ આપણે સઉ જાણીએ છીએ. તે બે વર્ષોમાં ફ્કત અહીંના જ લોકો પ્રયત્ન કરશે અને થોડી જમીન મળવી મુકિત પામશે એવા વીચાર ન કરતાં એ વર્ષોમાં જગતના બધા શસ્ત્રોને નકામાં બનાવીને એક નવા સમાજ માટે તેને પ્રેરીત કરવાની કોશીષ કરવી જોઇએ આ વસ્તુ આજે અસંભવીત માનવાની જરૂરત નથી કે જ્યારે પહેલાના સે। સે। વર્ષ બરાબર આજનું એક વર્ષોંચાય છે. આપણે એવી આશા રાખીને જજીએ અને જ્યાં ભુમી માગવા જઈએ ત્યાં કહીએ કે તમારૂ દાનપત્ર વીશ્વશાંતી માટે છે. શુ તમે વીશ્વશાંતી નથી ઇચ્છતા ? જો વીશ્વ શાંતી ઇચ્છતા હૈ। તા ભુમીદાન અને સંપત્તીદાનની ચેોજનામાં પુરા સહકાર આપે. તમારા છઠ્ઠો ભાગ એ વીશ્વશાંતી માટેના વાટ હશે. આપણે મા `કામ આવી જ ભાવનાથી કરીએ અને જોઇએ કે કેટલી શક્તી પડી છે. કેટલાક પીસાબ કરનારા ભાઇઓને આ કામ જે ચાલ્યુ' તે રીતે ભાગ્યેજ ૧૯૫૭ સુધી પુરૂ' થવાનું લાગે છે, માટે આપણે ખીજો રસ્તો શોધીએ એમ તેમનુ કહેવુ છે, પણ હું કહુ છું કે ઉપાયની કીંમત એટલી નથી કે જેટલી શ્રધ્ધાની-વીચાર શ્રધ્ધાની– કીંમત છે. જો આપણામાં શ્રધ્ધા ભાવનાની ખામી હશે તે ગમે તેટલા સારા ઉપાયે શોધીએ તે પણ ભ્રુમીસમસ્યાનો ઉકેલ નહી આવી શકે. તેમાં આ સમસ્યાનો જો ઉકેલ આવશે તે તેની સાથે માનવીના એ નીશ્રય પણ થયા હશે કે તેણે શાસનમુક્ત અને દંડમુક્ત થવું છે. એવા નીય જો થયા હશે તે। આ સમસ્યા અહીંસાથી જ ઉકેલાઇ હશે. પર એ ક મને લોકો પુછે છે કે શું દરેક મનુષ્ય છઠ્ઠો ભાગ આપશે તે તમને વીશ્વાસ છે ? આવા સવાલ થાય છે તેના અથ જ તમારૂ દર્શન મર્યાદીત છે. પરંતુ સૌ વ્યાપક રીતે જુએ અને ભાવનાથી લોકા પાસે પહોંચે તા આ સવાલ હિન્દુસ્તાનની ભુમી-સમસ્યા ઉકેલવા જેટલા નાના નથી તેમજ થોડા ભુમીહીનાને જમીન આપી તેમની ભુખ સતેષી શાંતી સ્થાપીત કરવા જેટલી નાની વાત નથી. મુખ્ય વાત તે એ છે કે હીંદુસ્તાનની નૈતીક શક્તી એવી થાય કે તેના પરીણામરૂપે આખી દુનીયામાં શાંતી સ્થપાય. આ વાત ધ્યાનમાં આવે તે અત્યાર સુધી આપણી જે રીત છે તે સફળ ન થઇ હાય તે! તેમાં સંશોધન કરવુ જરૂરી છે. તેમાં જે ત્રુટીઓ હોય તે કયાં તે વાણીના દોષ હરો, મનના દોષ હશે કે કર્મના દોષ હરી, એટલા માટે જ તેમાં પુરી શકતી નહી આવી હાય એમ આપણે સમજવુ જોઇએ. તા. ૧૫-૪-૫ ત્યારે લોકો તેને સૌમ્ય સત્યાગ્રહ માને છે અને તેનાથી કામ ન થયુ તે તીવ્ર સત્યાગ્રહથી કામ કરીશું એમ તેઓ માને છે. તેનાથી પણ કામ ન થયું તે વીશેષ તીવ્ર સંત્યાગ્રહથી કરવાનુ તે વીચારશે. એ રીતે ઉત્તરાત્તર તેની તીવ્રતા વધારતાં જશું, પરંતુ હકીકતમાં આપણું ચીતન એનાથી બીલકુલ ઉલ્ટુ હેવું જોઇએ, આપણે સૌમ્ય સત્યાગ્રહ શરૂ કર્યો છે, તેનાથી કામ ન થાય તે એથી વીશેષ સૌમ્ય સત્યાગ્રહ શોધીશુ અને તેનાથી પણ કામ ન થયુ. તે એવા સૌમ્ય સત્યાગ્રહ શેાધીશું કે જેથી તેમાં વીશેષ તાકાત આવે. તમને ખબર હશે કે હામીયાપથામાં એવી વિદ્યા શીખવવામાં આવે છે કે દવાનુ પ્રમાણુ એન્ડ્રુ હાય તે પણ એને વારંવાર ઘુંટીને એને ટ્ટ કરી શકાય. જે ભાવનાથી પ્રભાવીત થાય છે તે સુક્ષ્મ-તમ થઈને પણ વધુ અસરકારક થઇ શકે છે. પરંતુ હીંસાની દષ્ટિએ વીચારતાં લાગે છે કે જો સૌમ્ય શસ્ત્રથી કામ પુરૂ` ન થાય તે! એથી તીવ્ર શસ્ત્ર વાપરવાથી તાકાત વધશે અને કામ યશસ્વી થશે. આપણી પ્રક્રીયા હીંસાની આ પ્રક્રીયાથી ખીલકુલ ઉધી જોઈએ, અને આ વાત પણ ધ્યાનમાં હાવી જોઇએ કે તેમાં સફળતા કે યશ ન મળે તા માનવું જોઈએ કે આપણી સૌમ્યતામાં ખામી છે. એટલા માટે આપણે સૌમ્યતા વધારવી જોઇએ. ભાઇ, સત્યાગ્રહનુ આ સ્વરૂપ છે. આજ સુધી આઝાદી માટે જે સત્યાગ્રહ થયા તેમાં દબાણુથી અંગ્રેજ સ-તાને કાઢવાની વાત હતી એટલું જ એનું નકારાત્મક કાર્ય હતું. એ સમય અને અવસ્થામાં જ્યારે લેાકા ભ્રમમાં નાની મોટી હીસા કરતા અને નીરાશ થઇને બેઠેલા હતા ત્યારે અહીંસાનો વીચાર પ્રગટ થયો અને લેાકાએ જેટલી માત્રામાં તેને ગ્રહણુ કરી શકે તેટલી માત્રામાં ગ્રહણ કર્યો. એટલે એ દીવસેામાં જે થયું તે સત્યાગ્રહની એક પરીપુ` પ્રક્રીયા હતી એમ ન મનાય. એ ઉપાધીયુકત વીશીષ્ટ પરીસ્થિતિમાં જે પ્રક્રીયા થઇ એ એક પ્રક્રીયા હતી એમ માનીને સ્વરાજ્ય બાદ ઢાકશાહીની આજની હાલત જોઇને તથા આખી દુનિયામાં જે શક્તિ કામ કરી રહી છે તેનુ' સુક્ષ્મ દર્શન કરીને આપણે સમજવુ જોઇએ કે સત્યાગ્રહની માત્રા ઉતરો-તર સૌમ્ય કરવી જોઇશે, સત્યાગ્રહ જો સૌમ્યતર તથા સૌમ્ય-તમ થતા જશે તો તે વધારે શક્તિશાળી અને કારગત નીવડશે, તુલસીકૃત રામાયણમાં સુરસા રાક્ષસીની કથા છે * સુરસા નામ અહીન કી બાતા” એ હનુમાન સામે આવીને ઉભી રહી, અને જ્યારે એણે પોતાનુ મેહું એક જોજન જેવડું ાળુ કર્યું ત્યારે હનુમાન એ જોજનના બની ગયા. જ્યારે સુરસાએ એ જોજનનુ મેટું કર્યુ ત્યારે હનુમાન ચાર જોજનના થઇ ગયા. જ્યારે હનુમાન ચાર જોજનના થયા ત્યારે સુરસા આઠ જોજનની થઇ ગઇ અને જ્યારે હનુમાન સેાળ જોજનના ખની ગયા, ત્યારે સુરસા બત્રીસ જોજનની થઇ. ત્યારે હનુમાન સમજ્યા આની પાસે ગુણાકારની ક્રીયાથી કામ નહીં ચાલે, ખત્રીસના ચોસઠ અને ચોસઠના એકસે આવીશ બનાવવામાં કોઇ સાર નથી, આના કાઈ અંત નહીં આવે, એ ન્યુકલીયરશસ્ત્ર સુધી પહાંચી જશે. આમાં કઇં સાર નથી. એમ સમજીને હનુમાને બહુ નાનું રૂપ ધારણ કર્યું અને તેના મેમાં દખલ થઇને નાસીકામાંથી મ્હાર નીકળી ગયા, અને ત્યાં મામલા જ પુરે થઇ ગયો. જ્યારે હું સત્યાગ્રહ માટે વીચારૂ' "ત્યારે તમારી આગળ તે અંગે વિચારો મૂકીશ. જેઓ સત્યાગ્રહ અંગે વીચારે છે. તે માને છે કે માનવીએ નાની હીંસાથી મેટી હીસામાં અને તેમાંથી તીહીંસા તરફ પ્રગતી કરી છે, તે વીચારે છે કે પહેલાં તે સૌમ્ય સત્યાગ્રહ કરીશુ. આજે મારી જે પદયાત્રા ચાલી રહી છે તે પણ એક સત્યાગ્રહ છે એમ હું કહું છું રૂપ આ કથાથી આપણે સમજવુ જોઇએ કે સુરસા આવું ભયાનક ધારણ કરીને એટમ અને ાઇડ્રોજન ખેબના રૂપમાં આપણી સામે ઉભી છે, તે આપણે અતી લધુ રૂપ ધારણ કરીને એની અંદર ચાલી જઈને નાસીકામાંથી પાર નીકળી જવુ જઇએ. આપણને એ માટે પ્રેરણા મળે છે. ગુજરાતના એક ભાઇએ કહ્યું કે હમણાં ત્યાંનું કામ ઘણું ઢીલું પડી ગયું છે. મે કહ્યું અરે, એ ઢીલુ નથી પડયું. ઢીલું નથી પડયું તેમ બહારથી જુએ છે, અંદર તે જુઓ તમારી છાતી પર હાથ રાખીને જુએ અને જુએ કે શું નાડી મદ પડી છે ? જો છાતી પર તમારા હાથ રાખો તે અનુસાહ નહીં દેખાય. ખાખા (વીનેાખા)ને તે ઉત્સાહ જ દેખાય છે. હું ચાલી રહ્યો હતા ત્યારે પેટમાં જોરથી દર્દી શરૂ થયુ, મને થયું કે વાહ, આ પણ ખરૂ છે પરંતુ તેની લાંબી વાત નહીં કહું. સવારથી તે રાત સુધી પેટ દુઃખતું હતું. પહેલાં તે ઉંધ સારી આવતી હતી, પણ આ દીવસેામાં તેને કારણે ઘણીવાર તુટી જતી હતી, મેં વીચાર્યું કે એમાં (
SR No.525940
Book TitlePrabuddha Jivan 1955 Year 16 Ank 17 to 24 and Year 17 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1955
Total Pages248
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy