SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ રજીસ્ટર્ડ ન B ૪૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪ પ્રાનજીવન શ્રી સુ'બઇ જૈન યુવક સ'નુ' પાક્ષિક મુખપત્ર છુટક નકલ : ત્રણ આના પ્ર, જૈન વર્ષ ૧૪–૪. જીવન વર્ષે ૨ અક ૨૪ મુંબઇ, એપ્રિલ ૧૫, ૧૯૫૫, શુક્રવાર આફ્રિકા માટે શીલિંગ ૮. TITAL.....31/3 ////...) concernautumn તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા .......... મંદિરપ્રવેશ અને વિનેામા ભાવે (આજે શત્રુજ્યમાં હરિજનોના મદિરપ્રવેશના પ્રશ્ન જૈન સમાજના અમુક કટ્ટર સ્થિતિચુત વર્ગમાં એક પ્રકારના ચ-તપ્રક્ષેાભ પેદા કરી રહ્યો છે. આ પ્રસંગે સન્ત વિનોબા ભાવે એક ફ્રેંચ મહિલાને લઈને તા. ૨૦-૪-૫૫ ના રાજ જગન્નાથપુરીના મંદિરમાં દર્શનાર્થે ગયેલા અને ત્યાંના મહત્તે એ ફ્રેંચ મહિલાને મંદિરમાં દાખલ થવા દેવાનેા ઇનકાર કર્યો અને પરિણામે સન્ત વિનાબા પણ એ મંદિરમાં દર્શન કર્યા સિવાય પાછા ક્લા, ત્યાર પછીના ઉત્તરાત્તર ત્રણ દિવસની સાયંકાળની પ્રાર્થના પછી તેમણે આજ પ્રશ્ન ઉપર જે મહત્વનાં પ્રવચન કર્યા હતાં તે સમયસરનાં લાગવાથી તેના બહેન શાન્તા ગારડિયા તેમજ બહેન ગીતા પરીખે કરેલા અનુવાદ અહિ એક સાથે પ્રગટ કરવા હુ' આકર્ષાયા છેં. જૈન ધર્મ હિંદુ ધર્મનું જ એક અંગ છે અને તેથી પ્રરતુત પ્રવચનામાં હિંદુ ધર્મ પરત્વે જે કાંઇ કહેવામાં આવ્યું છે એ જૈન ધર્મને પણ મહુધા લાગુ પડે તેવું છે. જગન્નાથપુરીમાં ફ્રેંચ મહિલાના પ્રવેશના જે કારણે વિરોધ કરવામાં આવ્યેા હતેા તે જ કારણે કેટલાક કટ્ટર જૈન સાધુએ અને તેમના અનુયાયીએ શત્રુ'જયના મંદિરમાં હજિનેાના પ્રવેશનો વિરોધ કરી રહ્યા છે. તેમના માટે તેમજ અન્ય જૈન ભાઈ ખહેના માટે આ પ્રવચના ભા૨ે માર્ગદર્શક નીવડવા સભવ છે. તેઓ શાન્તિથી આ પ્રવચનેાનું મનન કરે અને જે ઉદારતા આજના સમયની અનિવાર્ય માંગ છે. તે ઉદારતાને, વિશાળતાને, વ્યાપક આત્મીયતાને પેાતાના જીવનમાં અપનાવે, પ્રગટાવે એવી નમ્રભાવે પ્રાર્થના છે, પરમાન'દ) ૧ દુઃખદ બનાવ ઘણા લોકાને ખબર પડી હશે કે આજે સવારે હુ જગન્નાથના દન માટે મંદિર સુધી ગયા હતા અને ત્યાંથી દર્શન કર્યાં વગર પાછા આવ્યા. હું ખુબ ભક્તિભાવથી ગયા હતા, પરંતુ અમારી સાથે એક ફ્રેન્ચ વ્હેન હતાં, જેમને મંદિરમાં જવાની ના પાડવામાં આવી હાવાથી મને પણ મંદિરમાં ન જવામાં ધર્મ લાગ્યા. બાળપણથી આજ સુધી મેં હિન્દુ ધર્મનું સતત અધ્યયન કર્યું છે. ઋગ્વેદ આદિથી માંડીને રામકૃષ્ણ પરમહંસ અને મહાત્મા ગાંધી સુધી જે ધર્મવિચારની પરંપરા અહિં ચાલુ રહી છે એ બધીતુ ઘણા ભકિતભાવપૂર્વક અધ્યયન કર્યું છે અને મારો નમ્ર દાવા છે કે હું જે રીતે હિન્દુ ધર્મને સમજ્યો છું' એ રીતે તેનુ નિત્ય શ્યાચરણ કરવાનો મારો નમ્ર પ્રયત્ન રહ્યો છે. આજે મને લાગ્યું છે કે એ ફ્રેન્ચ મ્હેનને બહાર રાખીને અમે અંદર જાત તે અમારાથી મોટા અધમ થાત, મે ત્યાંના અધિકારીઓને પૂછ્યુ કે “અમે સૌ અંદર આવીએ ?” તેમણે જવાબ ઇન્કારમાં આપ્યો. તેથી ભગવાનને બદલે તેમને જ ભકિતભાવથી પ્રણામ કરીને અમે પાછાં આવ્યાં. એમણે અમને અ ંદર આવવાના જ્યારે ઇન્કાર કર્યાં એના મારા મનમાં વિચાર કરૂં છું તે તેમના વિષે કઇ જાતનો શબ્દ વાપરવા એ મને નથી સુઝતું એટલું જ કહ્યું કે એમને માટે મારા મનમાં કોઇ પણ પ્રકારના જુદાઇના ભાવ નથી. હું જાણું છું કે એમને પણ દુ:ખ થયું હશે, પરંતુ તે એક સંસ્કારવશ હતા એથી લાચાર હતા; તેથી એમને હું વધારે દોષ નથી આપતા. પરંતુ એટલું જ કહ્યું કે આપણા દેશ અને ધર્મને માટે આ મોટી દુઃખદાયક ધટના બની ગઇ. મેં ગઈકાલના પ્રવચનમાં ગુરૂ નાનકને આ મંદિરમાં જવાની રજા ન મળેલી અને હારથી જ પાછા જવું પડેલું તેનું ઉદાહરણ આપેલું. પણ એ તે બ્રુની ઘટના થ, ચારસા સાડાચારસો વર્ષ પહેલાંની એ વાત છે. હું આશા રાખતા હતા. કે હવે એનુ પુનરાવર્તન નહી થાય. એ આપણે વિચારવાનુ` છે કે જે ફ્રેન્ચ મ્હેન અમારી સાથે હતી એ કાણુ છે? તે અહિંસા અને માનવપ્રેમમાં વિશ્વાસ ધરાવનારી, અને ગરીમાની સેવા માટે ભૂદાનયજ્ઞનુ જે કામ ચાલી રહ્યું છે તેને માટે આદર ધરાવનારી એક અેન છે. ભૂદાનકા જોવા માટે એ અમારી સાથે ફરી રહી છે. તમને ખબર હશે કે યુધિષ્ઠિરને જ્યારે સ્વર્ગના દ્વાર આગળ એમના સાથી જોડે અંદર આવવાની મના કરવામાં આવી, ત્યારે તે પણ અંદર ન ગયા. તે જે વ્હેન અમારી સાથે કરી રહી છે તેના મનમાં કાથી ઓછી ભકિત નહતી. ભાગવત ધમ ના દાવા છે કે જેના હૃદયમાં ઇશ્વરની ભકિત છે તે ઇશ્વરને પ્યારી છે—પછી તે ગમે તે જાતની હાય. બ્રાહ્મણુ હાય અને દુનિયા આખીના ગુણ એનામાં હાય અને ભકિત ન હેાય એની સરખામણીમાં જેના હૃદયમાં ભકિત છે એવા એક ચાંડાલ પણ વધારે ઉત્તમ છે. ભાગવત ધર્મ અને એની પ્રતિષ્ઠા ઓરિસ્સામાં સર્વત્ર છે. ઊડિયા ભાષાના સર્વોત્તમ ગ્રંથ જગન્નાથદાસનું ભાગવત છે. ગુરૂ નાનકની જીની વાત છેાડી દો, પરંતુ અહીં આ ઉદાર વૈષ્ણવ ધર્મ ચાલે છે એવી પ્રચલિત વાત છે, તમારે સર્વેએ સમજવુ જોઇએ કે આ દિવસેામાં દરેક કામની અને દરેક ધર્મની કસોટી થઇ રહી છે. જે સંપ્રદાય અને જે ધમ એ કસેટીમાં ટકશે એ જ સ્થાયી રહેશે. જે આપણે પોતાને ચાર ાિલામાં બાંધી ઈશુ તે આપણી ઉન્નતિ નહી થઇ શકે અને જે ઉદારતાને હિંદુ ધર્મમાં વિકાસ થયો છે એ ખલાસ થઇ જશે. ધર્માંવિચારમાં ઉદારતા હાવી જોઇએ. જે કોઇ જિજ્ઞાસુ હાય એની સામે પોતાના વિચાર મૂકવા અને પ્રેમથી એની સાથે ચર્ચા કરવી એ ભકતનાં લક્ષણ છે બીજા ધર્મોની માફક જબરદસ્તીથી પાતાની વાત ખીજા પર લાદવાના જે પ્રયત્નો થાય છે તે રીતે આપણે ન કરવું જોઇએ. પરંતુ આપણાં મ ંદિર, આપણા ગ્રંથા સર્વે જિજ્ઞાસુઓ માટે ખુલ્લાં હોવાં જોઇએ. આપણું હૃદય બધાંને માટે ખુલ્લુ થાય એવુ મુકત હાવુ જોઇએ. આ રીતે પોતાનાં ધર્મસ્થાનાને જેલ જેવા બનાવી દેવા એ આપણે માટે બહુ હાનિકર્તા છે અને એમાં સજજનાને પ્રવેશની આનાકાની થશે તે મંદિરોને માટે જે ક" શ્રધ્ધા બચી છે તે પણ ખતમ થશે. ધમનું અધ્યયન સો માટે આખરે ધર્મના સ ંદેશ ને માટે છે? શું તે ક્ત થોડા જ લોકો માટે છે કે આખી દુનિયા માટે છે ? હું જયારે વેદનુ અધ્યયન કરતા હતા ત્યારે સાયણ ભાષ્યની સાથે જ ઋગ્વેદનુ ઉત્તમ સંસ્કારણુ મેકસમુન્નરનું કરેલું મળ્યું. ખીજું એક પણ એવું સારું ન મળ્યુ. આ વાત, તે હું ત્રીસ વર્ષ પહેલાની કરૂં છું. હવે તો તિલક વિદ્યાપીઠે સાયણ ભાષ્યની સાથે ઋગ્વેદનું સારૂં' સંસ્કરણ પ્રગયુ છે. પરંતુ
SR No.525940
Book TitlePrabuddha Jivan 1955 Year 16 Ank 17 to 24 and Year 17 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1955
Total Pages248
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy