SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ તા ૧૩૫૫ મધ્ય અવત ખાલસ ન્યાસદીક્ષા પ્રતિબંધક ખીલ મુંબઈ પ્રદેશની તેજીસ્લેટીવ કાઉન્સીલના સભ્ય શ્રી પ્રભુશ્ર્વસ બાલુભાઇ પટવારીએ નાની ઉમરનાં છેકરા કરીને ઋપાતી દીક્ષાની અટકાયત કરવા માગતુ એક ખીલ તા. ૧૯-૧-૫૫ ના રાજ લેજીસ્લેટીવ કાઉન્સીલ ઉપર માકલી આપ્યું હતું. તે ખીલને કાઉન્સીલના કાર્ય ક્રમ ઉપર લેવામાં આવેલું હાઇને કાઉન્સીલની ચાલુ બેઠક દરમિયાન તે ખીલ ચર્ચા અને નિર્ણય માટે રજુ થવાને સંભવ છે. શ્રી પ્રભુદાસ પટવારી અમદાવાદના એક બાહાશ ધારાશાસ્ત્રી અને સુપ્રસિધ્ધ સામાજિક કાર્ય કતો છે. તેમણે આજથી બે વર્ષ પહેલાં અમદાવાદ ખાતે પ્રિયવા નામની ૧૪ વર્ષની એક જૈન બાળાને ત્યાંની સીવીલ કોર્ટના અટકાયતી હુકમ મેળવીને દીક્ષા અપાતી અટકાવી હતી અને ત્યારબાદ આવી ખાળદીક્ષાની મનાઈ કરતા સીવીલ કોર્ટના ચુકાદો મેળવ્યો હતે. ખન્ન દીક્ષા ઉપર સરકરી. અદાલતના આવા ચુકાદા પહેલી જ વારના હતા અને તે સામે કાઇ પણ પ્રકારની અપીલ કરવામાં આવી નહાતી. સરખું ગેસ્તુત ખીલના હેતુઓ અને કારણો દર્શાવતાં શ્રી પ્રભુદાસ પટવારી જણાવે છે તે મુજબ જે બાળકોને દીક્ષા શું એનું ભાન હોતું નથી અને દીક્ષાનાં મધના અને પરિણામેાના કશા પણ ખ્યાલ ડાતા નથી એવાં નાની ઉમ્મરનાં છેકરા કરીને દીક્ષા આપવાછે. આપાવવાની કેટલાક ધર્મધેલા સાધુઓ અને ગૃહસ્થાને લત લાગેલી - હોય છે. આવી દીક્ષામાંથી વ્યકિત તેમજ સમાજ ઉપર અનેક અનિષ્ટ પરિણામે તેમજ ધાત પ્રત્યાધાતા નીપજે છે. કેટલેક ઠેકાણે દીક્ષા - આપવાના હેતુથી માબાપની દેખરેખ નીચેથી છોકરા છોકરીઓને ભગાડવાના અને સતાડવાના કીસ્સા પણુ બને છે. આવી રાજખરાજ અનતી દુધટનાઓ ઉપર અંકુશ મૂકવાના હેતુથી તે પ્રસ્તુત ખીલ રજુ કરવા પ્રેરાયા છે. એ ખીલની વીગતા નીચે મુજબ છે : - ભૂમિ કા જો બાળકાની કુમળી ઉમ્મરના દુરૂપયોગ કરવામાં ન આવે અને તેમની ઓછી સમજણુનો ગેરલાભ ઉઠાવવામાં ન આવે તેમજ તેમના વિષેની નૈતિક તેમજ આર્થિક જવાબદારીઓની ઉપેક્ષા કે ત્યાગ કરવામાં ન આવે એ હેતુથી ઉગતી ઉમ્મરનાં છેકરાઓ અને છેકરીઓની દીક્ષા ઉપર અટકાયત મૂકવી જરૂરી છે. તે માટે હિના પ્રજાસત્તાક રાજ્યના છઠ્ઠા વર્ષ દરમિયાન નીચે મુજબ કાયદા કરવામાં આવે છે. નામ અને હકુમત પ્રદેશ ૧ (૧) આ કાયદાને ‘મુખ બાલસન્યાસદીક્ષા પ્રતિબંધક ધારા’ એ રીતે ઓળખવામાં આવશે.. (૨) તે આખા મુંબઇ પ્રદેશને લાગુ પડશે. (૩) આ કલમ તરત જ અમલમાં આવશે અને આ ધારાના બાકીના ભાગ પ્રદેશ સરકાર સરકારી ગેઝેટમાં જાહેરાત કરીને જે ક્વિસ નકકી કરે તે ક્વિસથી અમલી બનશે. સક્ષણ ૨. વિષય યા તા સંદર્ભ અંગે પ્રતિકુળ અર્થ થતા હાય તેવી ભાખત -ખાદ કરતાં. (૧) ‘બાળક’ એટલે ગમે તે જાતિની ૧૮ વર્ષ નીચેની વ્યક્તિ સમજવી. (૨) “ક્રેટ” એટલે બૃહદ મુંબઇમાં પ્રેસીડેન્સી મેજીસ્ટ્રેટની કોર્ટ અને અન્યત્ર ફર્સ્ટ ક્લાસ મેજીસ્ટ્રેટની કોર્ટ સમજવી, (૩) ‘સન્યાસ દીક્ષા’ એટલે કાઇ પણ એક બાળકને અન્ય કોઇ વ્યક્તિ કાઇ પણ સાધુસંસ્થામાં વિધિપુરઃસર પ્રવેશ કરાવે અને એ રીતે એ બાળક પાસે સાંસારિક વ્યવહારના ત્યાગ કરાવે અને તેના કુટુંબ સાથેના સર્વ સભા તેડાવી નાંખે, સન્યાસી, યતિ, માન, રિ, યેગી, બૈરાગી, મહંત, ચેલા, બ્રહ્મચારી, સાધુ, કીર, - સર્વ પ્રકારની સાધુસ સ્થાઓ ઉપર જણાવેલ સાધુસ’સ્થામાં લેખાશે. દીક્ષા આપનારને શિક્ષા અથવા તે કાઇ પણ આળકની સન્યાસ દીક્ષાની વિધિ કરશે, તે માટે ઉ-તેજન આપશે, અથવા તે સમતિ આપશે તે મહીના સુધીની સાદી કેદ તેમજ દંડને પાત્ર થશે. બાળકના વાલીને શિક્ષા જે કોઇ વ્યકિત કાન પણ બાળકને સન્યાસ દીક્ષા આપશે ૪. (૧) જ્યારે કોઇ પણ બાળકને દીક્ષા આપવામાં આવી ત્યારે માતપિતા તરીકે, વાલી તરીકે કે ખીજા કોઇ સંબંધમાં કો તે બાળકની સંભાળ રાખવાની કાયદેસર કે ખીન કાયદેસર જેવીખવાની ધરાવનાર તરીકે જે વ્યકિત આવી સંન્યાસ દીક્ષાને આપતું કોઇ પણ કાર્ય કરશે, અથવા તે જાણુપૂર્વક દીક્ષાં દેશે અથવા તેા બેદરકારીના કારણે એવી દીક્ષા અપાતી નિષ્ફળ નીવડશે તે ત્રણ મહિનાની સાદી કેદ અને દંડને પાત્ર (૨) જ્યારે કાઇ પણ બાળકને દીક્ષા આપવામાં આવી હ ત્યારે અન્યથા પુરવાર કરવામાં ન આવે ત્યાં સુધી એમ લેવામાં આવશે કે એ બાળકની સભાળ લેવાની જવાબદારી વ્યકિત પોતાની બેદરકારીના કારણે એ બાળને સન્યાસ દીક્ષા અટકાવવામાં નિષ્ફળ નીવડેલ છે. આ ગુન્હા કાગ્નીઝેમ્પલ' ગણારો. ૫ આ કાયદા નીચેના ગુન્હાઓ ‘કાગ્નીઝેબલ' એટલે કે પોલ પાતા થકી હાથ ધરી શકે એવા ગુન્હાઓ ગણાશે, અટકાયતી હુકમ ૬, આ ધારામાં ગમે તેવુ પ્રતિકૂળ વિધાન હોય એમ છતાં પા કોર્ટને કાષ્ઠની ફરિયાદ દ્વારા અથવા તે અન્ય પ્રકારે મળેલી ખતર એમ માનવાને પુરતું કારણ મળે કે કોઇ બાળકને સન્યાસ દીક્ષા વાની તૈયારી ચાલી રહી છે તે કાટ સન્યાસ દીક્ષાની અટકાયત આ ધારાની ત્રીજી અને ચોથી કલમમાં જણાવેલ વ્યક્તિઓમાંથી કે પણ ઉપર અટકાયતી હુકમ કાઢી શકશે. (૨) કાટ પાતા થકી અથવા તેા કામની અરજી ઉપરથી હુકમ કરી શકશે કે બાળકને કબજો ધરાવતી જે કોઇ વ્યકિત હાય તે બાળકને ચોક્કસ સ્થળે, ચાક્કસ સમયે અને કાટ નિયુકત કરે તે ચોક વ્યક્તિ સમક્ષ તે બાળકને રજુ કરશે અથવા તે રજુ કરાવશે કોર્ટ બાળકના કબજા માટે તથા રક્ષણ માટે તથા ખર્ચ અંગે જરૂરી હુકમ કાઢી શકશે. બાળદીક્ષા રદબાતલ ૭. બાળકને અપાયેલી કેપ પણુ સન્યાસ દીક્ષા રદબાતલ કાર્ડના હુકુમત પ્રદેશ .. ૧૮૯૮ના ક્રીમીનલ પ્રોસીજર કોડમાં ગમે તે કહ્યુ હાય એમ છતાં પ્રેસીડેન્સી મેજીસ્ટ્રેટની અથવા તે! ફર્સ્ટ કલાસ મેજીસ્ટ્રેટની કરતાં નીચેના દરજ્જાની કાર્ટ ત્રીજી તથા ચેથી કલમ નીચેના સ ચલાવી શકશે નહિ. ૯... ૧૮૯૮ ના ક્રીમીનલ પ્રેાસીજર કાર્ડમાં ગમે તે જ આવ્યું હોય એમ છતાં જેના હકુમત પ્રદેશની સ્થાનિક મર્યાદાની આરાપી મળી આવે તે પ્રેસીડેન્સી મેજીસ્ટ્રેટ અથવા તે ક મેજીસ્ટ્રેટ ત્રીજી અને ચેાથી કલમ નીચે તે આરોપી સામેને શકશે,” • બાલદીક્ષાની અનિષ્ટતા સબંધે આજે પશિષ્ટ સમાજમાં ખે જેવું છે જ નહિ. એમ છતાં હજી પણ નાની ઉમ્મરના છોકરા એને ભગાડવાના અને તેમનાં માબાપને પ્રલોભના આપીને આ મુડવાના કસ્સાઓ અવારનવાર અન્યા જ કરે છે. સમાજના જ નહિ પણ આખા હિંદુ સમાજમાં પ્રશ્ન છે. વડોદરા ખાલદીક્ષાની અટકાયત કરનારા જે કાયદા કર્યાં હતા. લગભગ ય તે સમાવિષ્ટ શ્રી. પ્રભુદાસ પટવારીને ધન્યવાદ ધટે છે. શિસમાજ આ અન્તઃકરણથી આવકારશે. એમાં કાઇ શક નથી. આપણે આશા રાખી કે કોંગ્રેસની પાર્લામેન્ટરી પાડી આ ખીલને માન્યતા આપશે ધારાસભાના સભ્યો આ બીલને સર્વાનુમતે પસાર કરશે. પરભાત
SR No.525940
Book TitlePrabuddha Jivan 1955 Year 16 Ank 17 to 24 and Year 17 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1955
Total Pages248
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy