________________
૨૪૨
પ્રભુધ્ધ જીવન
"अहिंसा की सही समज
પ્રભુ જીવનના વાચક્રને યાદ હશે કે ગત નવેમ્બર માસની ૧૫ મી તારીખના અંકમાં અહિંસાની અધુરી સમજણુ’ એ મથાળા નીચે તેરાપથી સ ંપ્રદાયની અહિંસા વિષયક માન્યતાની એક વિસ્તૃત આલોચના કરવામાં આવી હતી. એ આલેચનાના ઉત્તર રૂપે તેરાપંથી આચાર્ય શ્રી તુલસીના શિષ્ય મુનિશ્રી નથમલજીએ કલકત્તાથી નીકળતા તેરાપંથી સંપ્રદાયના સાપ્તાહિક પત્ર જૈન ભારતી'ના તા. ૩૦ જાન્યુઆરીના અંકમાં અહિંસાકી સહી સમજ' એ . મથાળા નીચે એક લાંખા વિદ્વતાપૂર્ણ લેખ લખીને તેરાપંથી માન્યતાઓના હાર્દને સમજાવવા પ્રયત્ન કર્યો છે. આ ઉપરાંત પૂર્વપક્ષના મન્તવ્યોના વાચકોને ખ્યાલ આવે એ હેતુથી ‘અહિંસાની અધુરી સમજણુ’તા કલકત્તાથી નીકળતા ‘તરૂણ' પાક્ષિકમાં પ્રગટ થયેલ હિંદી અનુવાદ ‘જૈન ભારતી’ના એ જ અંકમાં સાધન્ત ઉધૃત કરવામાં આવ્યેા છે. ‘જૈન ભારતી'ના સ’પાદક શ્રી શ્રીચંદ રામપુરિયાએ પણ એ જ ક્રમાં આ વિષય ઉપર એક સવિસ્તર અગ્રલેખ લખ્યા છે, આ રીતે એ આખા ક માત્ર અહિંસાની આ પ્રકારની ચર્ચાને સમર્પિત કરવામાં આવ્યે છે. અહિંસાની અધુરી સમજણુ' જેવી પ્રતિપક્ષની વિસ્તૃત આલોચનાને પોતાના પત્રમાં આટલું મોટુ સ્થાન આપીને જે ખેલદીલી દર્શાવી છે તે બદ્લ શ્રીચંદ રામપુરિયાને ધન્યવાદ ઘટે છે. પત્રકારામાં આવી ઉદારતા ભાગ્યે જ જોવામાં આવે છે.
મુનિશ્રી નથમલજીએ આપેલા ઉત્તરની પણ ખાસ નોંધ લેવી ઘટે છે, મારાં અને એમનાં મન્તવ્યોમાં કેટલોક પાયાના તફાવત છે. હું કોઇપણ માનવી માટે સંપૂર્ણ અહિંસક જીવન શકય માનતો નથી. અલ્પતમ અહિંસા ઉપર રચાયલા જીવનને વ્યવહારની ભાષામાં સંપૂર્ણ અહિંસક જીવન કહા તે જુદી વાત છે. તેઓ માનવી માટે સ ંપૂર્ણતયા અહિંસક જીવનની સંભાવના કલ્પે છે અને માજને અહિંસાત્રતધારી જૈન સાધુ આવુ જીવન જીવે છે એમ તેઓ માને છે. અહિંસાની વ્યવહારગત વિચારણામાં માનવી માત્રની રક્ષાને જ નહિ પણુ માનવસમાજના કોયને પણ અને પછી નીચેની ક્રેટિના જીવાની અપેક્ષાએ ઉપરની ક્રેડિટના જીવોની રક્ષાને પ્રાધાન્ય આપવું જોઇએ એવા મારા અભિપ્રાય છે. સર્વ જીવાને સરખા ગણવા જોઇએ અને કોઇની પણ રક્ષાને અન્યની અપેક્ષાએ કશા પ્રકારનું પ્રાધાન્ય આપવુ ન જોઈએ એવા તેમના અભિપ્રાય છે, માનવીની પ્રવૃત્તિ પાછળ ત્રણ પ્રકારની વૃત્તિ હોવાના તેઓ નિર્દેશ કરે છે. સ્વાર્થ, પરાર્થ અને પરમાથ અને પરાપ્રેરિત પ્રવૃત્તિને—જે માં સમજવામાં આવે છે તે અ”માં પરમાર્થ સાથે કાઇ સબંધ નથી એમ તેએા જણાવે છે. મારા મન્તવ્ય પ્રમાણે પરાર્થ સેવા પણ પરમાર્થની સાધક છે, તેમના વિચાર મુજબ ધાર્મિક ગુરૂનું કાર્ય માત્ર અહિંસામૂલક મેક્ષ ધર્મ માન આપવાના છે. મારા વિચાર પ્રમાણે મેક્ષધર્મ તેમજ સમાજધમ –ઉભયની સાચી સમજણુ અને માર્ગદર્શન આપવું એ પ્રત્યેક ધર્મગુરૂતુ કર્તવ્ય છે. તેમના મત પ્રમાણે અહિંસા એકાન્ત અને નિરપવાદ ધર્મ છે. મારા મત પ્રમાણે અહિંસા સાપેક્ષ અને સાપવાદ ધમ છે. જીવનમાં એવા પણ પ્રસગે આવે છે કે જ્યારે અહિંસા એટલે કે નિષ્ક્રિયતા અધર્મ બની જાય, તેમની પ્રરૂપણા મુજબ આહંસા આદિ વ્રતાની કલ્પના સમાજધારણને લક્ષ્યમાં રાખીને કરવામાં આવી જ નથી. મારા ખ્યાલ મુજબ આ વ્રતાની કલ્પના સમાજધારણના વિચારમાંથી જ ઉભી થઇ છે અને આત્મસાધના સાથે તેને સંકલિત કરવામાં આવી છે. તેમના મત પ્રમાણે અસંયમમાંથી સયમ તરફ કોઈને - વાળવાના પ્રસંગ બાદ કરતાં અહિંસાવ્રતધારી માટે કાઇને પણ કશી આફતમાંથી બચાવવાના, મદદ કરવાને, રાહત આપવાના કે તેની પ્રાણહાનિ થતી અટકાવવાનો ધર્મ કદિ પ્રાપ્ત થતા જ નથી. મારી વિચારણા મુજબ અહિંસાવ્રતની આ કેવળ એકાંગી અને તેથી અસ્વીકાય કલ્પના છે. તેમના દૃષ્ટિક્રાણુ અહિંસાના નકારાત્મક સ્વરૂપને સર્વસ્વ ગણુવાના
"
તા. ૧-૩-૫૫
છે. હું અહિંસાનો નિષેધક તેમજ વિધાયક ઉભય ભાવે વિચાર કરવા પ્રયત્ન કર્યાં છું.
આમ અમારા અભિપ્રાય અને વિચારણામાં પાયાના તાવત હોઇને ઉભયમાન્ય એવી કાઇ સમન્વયપૂર્વકની વિચારણા નિર્માણું થવાના સંભવ દેખાતા નથી અને તેથી આ ચર્ચાને વિશેષ લખાવવી જરૂરી લાગતી નથી. મુનિ નથમલજીએ રજુ કરેલી વિચારસ-ણિ સ્વીકાર્ય બની શકે તેમ નથી એમ છતાં પણ તેમણે જે ઉદ્દાત્ત શૈલિમાં પોતાના વિચારાની રજુઆત કરી છે તે માટે તેમને હું ધન્યવાદ આપ્યા વિના રહી શકતા નથી. મારી આલોચનામાં કાઇ સ્થળે નાનો સરખો પણ કટાક્ષ કે આક્ષેપ હશે; તેમની રજુઆતમાં આવા કોઇ કટાક્ષ કે આક્ષેપ, આવેશ કે અસમતા નજરે પડતાં નથી. ભાષામાં તેમજ નિરૂપણમાં એક વિદ્વાન અને પ્રસન્નચિત્ત મુનિને શોભે તેવું માધુર્ય, સંયમ, ગાંભીય અને બહુશ્રુતતા નજરે પડે છે. તેમનું લખાણ વાંચીને મેં ઉંડી પ્રસન્નતા અનુભવી છે, વિચારના મતભેદો જો આ ધારણે રજુ કરવામાં આવે તો પરસ્પર કદિ કટુતા જન્મે નહિ, મતભેદમાંથી મનભેદ પરિણમે નહિ અને સમાજના વિચારવૈભવમાં આત્કારદાયક તેમજ ઈષ્ટ એવી વૃધ્ધિ સા થતી રહે,
અહિ એક બાખતના ઉલ્લેખ કર્યાં વિના રહી શકાતુ નથી તેરાપથી લેખાને પોતાની માન્યતાઓના સમર્થનમાં ગાંધીજીનાં છુટાછે. ગાંધીજી અહિંસા ધર્મના એક મહાન આચાર્ય હતા. અહિંસાછવાયાં વાકયાનુ જ્યાં ત્યાં અવતરણુ કરતા જોઇને ભારે આશ્ચર્ય થાય ધર્મની વિવિધ દૃષ્ટિકોણુથી અને ભિન્ન ભિન્ન સગા વચ્ચે ચર્ચા કરતાં ગાંધીજીએ એવુ ધણું લખ્યું છે જેને ગાંધીજીની સળંગ વિચારામાંથી છૂટું પાડીને તેરાપથીની માન્યતા સાથે મળતું કરી શકાય. પણુ સમગ્રપણે વિચારતાં કાઇને પણ સહજ માલુમ પડે તેમ છે કે ગાંધીજીની અહિંસાવિષયક જીવનદ્રષ્ટિ અને તેરાપ ંથીની
તદ્દિષયક જીવનદૃષ્ટિ વચ્ચે ઉત્તરધ્રુવ જેટલું અંતર છે. એકના, મુનિ નથમલજી પોતાના લેખના પ્રારંભમાં જણાવે છે તે મુજબ, પ્રવક ધર્મ હતેા: અન્યતા કેવળ નિવ ક ધમ છે. એકના જીવનના પ્રધાન સુર હતે અન્યાયપ્રતિકાર અને આ ત્રાણુ; અન્યની વિચારસરણીમાં આ ઉભયને કશું સ્થાન અપાયલું જોવા મળતું નથી. એકની ભાવના હતી કે “મારે રાજ્ય નથી જોતુ, સ્વર્ગ નથી જોતુ, મેક્ષ નથી જોતું; મારે તા દુ:ખી જનોના દુ:ખનુ નિવારણું –તિનાશન-જોઇએ છીએ.” અન્યને કેવળ આત્મ-મેક્ષની જ ઝંખના છે. એક મુખ્યતયા વિધાયક અહિંસાના ઉપાસક હતા; અન્ય મુખ્યતયા નકારાત્મક અહિંસાના આરાધક છે. એક અહિંસાની સર્વ વિચારણામાં માનવીના દૈહિક તેમજ આધ્યાત્મિક સુખાયને પ્રાધાન્ય આપ્યું હતું; અન્ય છકાય જીવની સમાનભાવે રક્ષા કરવાના ઉપદેશ આપે છે. એક પરાસેવામાં જીવનની પ્રતિક બ્યતા માની હતી; અન્યે પરમાર્થ સાધનામાં જીવનની ચરિતાર્થતા માની છે. એકની વિચારણા સમાજલક્ષી હતી; અન્યની કેવળ વ્યકિતલક્ષી છે, એક સયત-અસયત સ પ્રત્યે દયા, દાન, નુકંપાના પુરસ્કર્તા હતા; અન્યે ધ્યા, દાન, અનુકંપાને સયત–અસયતની ધુંચ ઉભી કરીને પાંગળી બનાવી દીધી છે. આવા જ્યાં મૌલિક દૃષ્ટિભેદ અને અભિગમભેદ છે ત્યાં ગાંધીજીનાં વાકયા આજે ચલણી નાણું છે એમ સમજીને તેમનાં લખાણાના જ્યાં ત્યાં ઉપયોગ કરવા તે ઉચિત નથી, ન્યાયયુકત નથી, સામાન્ય જનતામાં ગેરસમજુતી પેદા કરવા ખરેખર છે. ગાંધીજીના આ કેવળ દુરૂપયોગ છે. તેરાપંથી વિવેચકોને મારા નમ્રભાવે પ્રશ્ન છે કે શું તેમની માન્યતા અને મન્તભ્યે સ્વતંત્રપણે ઉભા રહી શકે તેમ નથી?
પાન દ