________________
રજીસ્ટચ્ડ ન. B ૪૨૬૬ વાર્ષિક લવાજમ ના જ
પ્રબુદ્ધ જીવન
શ્રી મુંબઈ જૈન યુવક સ’ઘનું પાક્ષિક મુખપત્ર છુટક નકલ: ત્રણ આના
પૂ. જૈન વર્ષ ૧૪–૫. જીવન વર્ષ ૨ અંક ૨૦
મુંબઇ, ફેબ્રુઆરી ૧૫, ૧૯૫૫, મગળવાર આફ્રિકા માટે શીલિંગ ૮.
ut તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા
તેજોમૂર્તિ ગિની
पश्यत्यचक्षुः स शृणोत्यकर्णः। (श्वेत) : अवागपि सा वक्ति ।
( અમેરિકાની સુવિખ્યાત પ્રજ્ઞામૂર્તિ અંધ બધિર અને અવાક કુમારી હેલન કેલર ચાલુ ફેબ્રુઆરી માસની ચાથી તારીખે ન્યુયાર્ક થી ૪૦,૦૦૦ માઈલના લાંખા પ્રવાસ ઉપર નીકળેલ છે અને આ માસની ૨૪ મી તારીખે તે સૌથી પહેલાં હિંદ ખાતે આવે છે અને એ પ્રસ ંગે મુંબઈની મ્યુનીસીપલ કારરેશન તરફથી તેનું જાહેર સન્માન થનાર છે. તેની ત્રણ ઇન્દ્રિયોં ચક્ષુ, શ્રવણ, અને વાણી વિકલ છે, એમ છતાં માત્ર પ્રાણ અને સ્પર્શે ઇન્દ્રિયની મદદથી તેણે પેાતાના સર્વ નિકાસ સાધ્યા છે. તે વિદુષી અને તત્વચિત છે; તેણે કાવ્ય લખ્યાં છે અને અનેક પુસ્તક રચ્યાં છે. તેણે પાતાનુ આત્મ ચરિત્ર ખ પુસ્તકામાં પ્રગટ કર્યું" છે, પહેલાનુ નામ છે The Story of my Life, જેના અનુવાદ નવજીવન પ્રકાશન મ ંદિર તરફથી “અપંગની પ્રતિભા” એ નામથી બહાર પાડવામાં આવેલ છે; આ પુસ્તકમાં હેલન કેલરના ૨૧ વર્ષની ઉમ્મર સુધીનુ આત્મચરિત્ર અન્તગત કરવામાં આવ્યુ છે. ખીન્ન પુસ્તકનું ફુનામ છે Mid-Stream, જેના અનુવાદ 'નવજીવન પ્રકાશન મંદિર તરફથી મઝધાર ” એ નામથી બહાર પાડવામાં, આન્યા છે. આ પુસ્તકમાં હેલન કેલરના ૨૧ થી ૫૦ વર્ષ સુધીના આત્મચચત્રના સમાવેશ કરવામાં આવ્યા છે. ઉભયના અનુવાદક શ્રી મગનભાઇ દેસાઇ છે. આજે હેલન કેલરની ઉમ્મર ૭પ વર્ષની છે.
LI
“ અપંગની પ્રતિભા ” એ વિશિષ્ટ વ્યકિતએના પ્રવેશકા વડે સવિશેષ આકર્ષક બનેલ છે. એક પ્રવેશક ‘ તેનેમૂર્તિ, ભગિની ’ એ મથાળા નીચે પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીએ લખ્યા છે; : બીજો પ્રવેશક નેત્રી વિનાની નેત્રી' એ મથાળા નીચે કાકા સાહેબ કાલેલકરે લખ્યા છે. હેલન કેલરની આત્મકથાના પ્રવેશક લખવા માટે પડિત સુખલાલજીથી વિશેષ યાગ્ય વ્યક્તિ અન્ય કોઇ હાઈ ન શકે. પંડિત સુખલાલજીએ પોતાના પ્રવેરાકમાં પાંતાના તેમજ હેલન કેલરના પરિસ્થિતિભેદે નિષ્પન્ન થયેલા સામ્ય-નૈષમ્યની જે તુલનાત્મક સંરખામણી કરી છે તે ભારે રોચક અને આધપ્રદ છે. પ્રસ્તુત પ્રવેશક કુમારી હેલન કેલરના અદ્ભુત વ્યક્તિત્વના સુન્દર પરિચય આપતા હાઇને અપંગની પ્રતિભામાંથી નીચે સાભાર ઉષ્કૃત કરવામાં આવે છે. પ્રસ્તુત પ્રવેશકના પ્રારંભમાં પંડિતજીએ પેાતાના વિદ્યાવ્યવસાયને લગતી વનસ્મૃતિ કાઇક કાળે પ્રગટ કરવા ઇચ્છા દર્શાવી છે તે જીવનસ્મૃતિ સદ્ભાગ્યે તા. ૧-૧૧-૫૪ નાં પ્રમુદ્ જીવનના વિશેષ અંકમાં પ્રગટ થઈ ચુકી છે એ જણાવતાં આનદ થાય છે,
અભિભૂત થઇ જાય છે. અનેક રીતે જુદાઇ હોવા છતાં ઉંમર અને પરમાનદ સમાનશીલતાની દૃષ્ટિએ મેં એને આપેલુ ‘ભગિની' એ વિશેષણ એની સાથેના મારા સાદૃશ્ય-સબંધ ઠીક ઠીક વ્યકત કરી શકે,
હેલનને દર્શન, શ્રવણુ અને વચનની ત્રણે શકિતઓ એક જ સાથે અને તે પણ છેક જ શૈશવકાળથી ગઇ, જ્યારે મારી તો માત્ર દર્શનશકિત જ ગયેલી અને તે પણ ગ્રામ્યશાળાસુલભ માતૃ-ભાષાના પૂરા અભ્યાસ તેમ જ આજુબાજુના બધા દૃશ્ય પદાર્થીના પ્રત્યક્ષ અવલોકનતેમ જ તત્સંબંધી ભાષા અને લેખન વ્યવહાર સિધ્ધ થયા પછી. લગભગ પંદરેક વર્ષની ઉંમરે ઈદ્રિયઐકય અને તે પ્રાપ્ત થવાની ઉંમરની ષ્ટિએ હેલન મારા કરતાં અનેક ગણી વધારે · લાચાર, વધારે બંધનવાળી ખરી. પણ દેશ, કુટુંબ અને ખીજા સમેગાની દૃષ્ટિએ તેનું સ્થાન મારા કરતાં અનેકગણું વધારે સાધનસ પન્ન અને વધારે સ્વતંત્ર. કયાં અમેરિકા કે જ્યાં જન્મથી રાષ્ટ્ર, સમાજ, અથ અને ધર્મનાં બંધનાના સ્પર્શ જ નહિ, અને કયાં હિંદુસ્તાન કે જ્યાં તેવાં બધા વિના ખો સહજ અનુભવ જ નહિ ? કયાં હેલનના કૌટુબિક ચોગા અને કયાં મારા? એનાં માતાપિતા એને - વાસ્તે દરેક જાતન માર્ગ તૈયાર કરવા બુદ્ધિપૂર્વક બધુ સર્વસ્વ હોમે છે, જ્યારે મારી પ્રત્યે પૂર્ણ સાિવાળા પણું મારા વડીલે સ્વયં વિધાવિહીન હાઇ મારા વિકાસ માર્ગ ની કાપણુ દિશા સ્વયં જાણવા તેમ જ કોઈ જણાવે તેા તે સમજવા છેક જ અસમર્થ. કર્યાં ઇંદ્રિયવિકલ માનવબ ધ્રુઓને વિવિધ રીતે શિક્ષિત અને સંસ્કારી બનાવવા કામ કરતા અખુટ ધીરજવાળા તપસ્વી શિક્ષકોથી શોભતી તપાભૂમિ જેવી અમેરિકાની અપગ શિક્ષણ સંસ્થાઓ; અને કયાં અપંગને અનુપયેાગી સમજી તેના દુઃખ પ્રત્યેની સાચી સહાનુભૂતિથી એ નિસાંસા નાખી અહુ તેા તેને દાન આપી સતાષ માનનાર, પણ એ અપગની ઉપયોગિતા અને તેના
-
વીસથી વધારે વર્ષ થયાં હશે, મે” પ્રસિધ્ધ હિંદી ... પત્રિકા ‘સરસ્વતી'માં શ્રીમતી હેલનનું સ ંક્ષિપ્ત પશુ અદ્ભુત, પુરૂષાર્થ અને પ્રતિભાનું સૂર્યક જીવનચિત્ર વાંચેલું, ત્યારે જ એ બહેન તર મારૂં આકર્ષણ સહજભાવે થયુ. એને વિષે વધારે વિગતવાળી સ્પષ્ટ માહિતીની મારી જિજ્ઞાસા અદ્યાપિ જાગરિત જ હતી. પણ મારા મર્યાદિત જીવન અને કાર્ય ક્ષેત્રમાં એને સતાષવાની તક મને મળી ન હતી. તેટલામાં ગત મે માસમાં શ્રીયુત ગોપાલદાસભાઇએ મને એક દિવસ કહ્યું કે, વર્ષાથી મગનભાઇ પુછાવે છે કે, તેમણે શ્રીમતી હેલનની જીવનકથાના ગુજરાતી અનુવાદ કર્યો છે તે તમને અર્પણ કરવા ઇચ્છે છે, તે જો તે સ્વીકારો તે તેના પ્રારંભમાં તમે સ્વીકારરૂપે કાાંક લખી આપે એમ પણ ઇચ્છે છે. મેં તરતજ કહ્યું “હું એ વાંચી ગયા પછી હા ના હું. જો એના વાચન પછી જરા પણ મને મારા અધિકાર જણાશે તેા અવશ્ય કાંઇક લખીશ.” મને તરત જ અનુવાદના કરમાં મળ્યાં. મારૂ ઘણાં વર્ષ પહેલાંનુ શ્રીમતી હેલન પ્રત્યેતુ માકર્ષણ અને તેના જીવન વિષેની જિજ્ઞાસા એ બને એટલાં બધાં તીવ્રપણે સજીવ ચ ગયાં કે, તે વખતના ચાલુ લેખન અને સતત મનનકાર્ય ના પ્રવાહો મારા મનને ખીજી દિશામાં જતાં રોકી શકયા નહિ. કાંષ્ટક અંશે સમશીલ જીવનકથા સાંભળતાં જ અનેક વિચારે ઊભરાયા, પણું અહીં તા મર્યાદાનુસાર ટ્રકમાં જ પતાવવુ યોગ્ય છે. અનુકુળતા રહી તે। કયારેક મારા પોતાના વિદ્યાવ્યવસાય વિષેની વનસ્મૃતિ લખવાની ઇચ્છા મૂર્ત
મે શ્રીમતી હેલનને તેજોમૂર્તિ અને ‘ભગિની’... એવાં એ વિશેષણા આપ્યાં છે તે સાભિપ્રાય છે. એની જીવનકથામાં પદે પદે પુરૂષાર્થ અને પ્રતિભાના તેજ સિવાય ખીજું કાંઈ જ દૃષ્ટિગોચર નથી થતું. એનાં પુરૂષાર્થ અને પ્રતિભારૂપ તેજના આખરમાં એની શરીરમૂર્તિ