________________
તા. ૧૫-૧૨-પપ
પ્રબુદ્ધ જીવન
ખાલદીક્ષા અટકાયત ખીલ–એક નિવેદન
( મુંબઇની વિધાન પરિષદમાં શ્રી. પ્રભુદાસ બાલુભાઈ પટવારીએ રજુ કરેલ બાળસંન્યાસ દીક્ષા પ્રતિધક ખીલ” વિષે વિધાન સભાના મંત્રીએ જૈન સમાજના બહુમાન્ય બે પડિત, પડિત સુખલાલજી અને પડિત ખેચરદાસ જીવરાજ દોશી પાસે તેમના મંતવ્યોની માંગણી કરેલ, એના પ્રત્યુત્તરમાં તેમણે પોતાના વિચારને સ્પષ્ટપણે અને સચેટ રીતે રજુ કરતુ નીચેનું નિવેદન મોકલ્યું છે. તે મનનીય નિવેદન તટસ્થ વિચારસરણી ધરાવની કાઇ પણ વ્યકિત માટે વિચાર–સાધન બને એવું છે તેથી તે શબ્દશઃ નીચે આપ્યું છે. તંત્રી. )
By: Sh
નિવેદન. નીચે સહી કરનાર અમે બંને સંયુક્તભાવે ભાઈ શ્રી. પ્રભુદાસ પટવારીના ખાળસન્યાસ–દીક્ષા પ્રતિબંધક બિલ અંગે અમારો વિચાર અનેં અભિપ્રાય આપના વિચારાર્થે અત્રે રજુ કરીએ છીએ. પ્રથમ જ નમ્રપણે એ જણાવવું યોગ્ય છે કે અનુક્રમે અમારા સાઠ અને પચાસ વર્ષ જેટલે લાંબે સમય ભારતીય ધર્મ-પરંપરાઓના શાસ્ત્રીય પરિશીલનમાં તેમજ અમુક અંશે પ્રત્યક્ષ પરિચયમાં વ્યતીત થયા છે. અત્રે અમે મુખ્યપણે જૈન પર પરાને લક્ષી કાંઇક કહેવા ધારીએ છીએ. તેમ છતાં ધૃતર પર પરાના જે વિચાર આવશે તે મુખ્ય વસ્તુને સ્પષ્ટ કરવા પૂરતા જ.
ભારતમાં દીક્ષા અને સન્યાસ ધર્મની પરંપરા બુદ્ધ, મહાવીર પહેલાં ઠીકઠીક લાંબા સમયથી આજ લગી ચાલી આવે છે. વૈદિક પર પરાની નાની મેટી અનેક શાખાઓ હતી અને આજે પણ છે. તેમાં સન્યાસ એ સામાજિક જીવનના ચાર આશ્રમ પૈકી છેલ્લો આશ્રમ સ્વીકારાયા છે. જેમ એ આશ્રમની દીક્ષા છે તેમ તે પહેલાના ત્રણ આશ્રમમાં પ્રવેશનારની પણ તે તે ભૂમિકા અનુસારે દીક્ષા મનાયેલી છે, પણ છેલ્લી દીક્ષા જ સન્યાસ તરીકે સ્થાન પામે છે. એટલે વૈદિક પરંપરાની કાઇ પણ શાખામાં નાની કે અપકવ ઉંમરે સંન્યાસનું વિધાન છે જ નહિ. આમ છતાં વ્યવહારમાં એવુ જોવામાં આવ્યુ છે કે કેાઈ બાવા, અતીત, ઉદાસીન, નિર્મળા આદિ પંચના ખાવા નાના બાળકોને ભોળવીને એમને સન્યાસ દીક્ષા આપી દે છે. એમ છતાં વૈદિક હિંદુસમાજ બહુ વિશાળ હોવાથી આવી અનિષ્ટ સન્યાસદીક્ષા થાય તેય બહુ નજરે ચંડતી નથી. શ્રી. શ`કરાચાર્ય ની લઘુવયદીક્ષા જાણીતી છે. એ પ્રતિષ્ઠિત પણ છે, પરંતુ એ સુદ્ધાં એક અકસ્માત યા અપવાદરૂપ રહી છે. ખુદ શંકરાચાય પછીના બારસે વર્ષ દરમિયાન તેમની ગાદીએ આવનાર કોઈ એને લઘુવયસન્યાસી થયા જ નથી. એટલુ જ નહિ, પણ તેમની ગાદીએ આવનાર કે તેમના લખાણાને અમર બનાવનાર અનેક પરિવ્રાજક અને વિદ્વાનો ગૃહસ્થાશ્રમમાંથી પસાર થયેલા. રામાનુજ, મધ્વ આદિ અન્ય વેદાન્ત—પર પરાઆમાં પણ કાઈ આચાય એવડી નાની વયે સંન્યસ્ત થયાના દાખલા નથી, તેથી શંકરાચાર્યના દાખલાને રાજમાગ તરીકે નથી ઇતિહાસમાં સ્થાન કે નથી પ્રત્યક્ષ વ્યવહારમાં સ્થાન,
છેક નાની ઉંમરથી દીક્ષા આપવાની પ્રથા જૈન બૌધ્ધ જેવી હું શ્રમણપર પરામ્બેમાં પ્રથમથી જ ચાલી આવી છે. બૌધ્ધ પરંપરા લઘુવય ઉમેદવારને ભિક્ષુ બનાવે છે, પણ તે આજન્મ ભિક્ષુ પ્રથમથી નથી બનતા પ્રથમ તે સામÌr (Apprentice) બને છે; એટલે ભિક્ષુવેશ લઈ માત્ર અધ્યયન કરે છે. બબ્બે ચાર ચાર વર્ષ પેાતાનુ ભિક્ષુ જીવન મરજી પડે તે સ્વતંત્રપણે લબાગ્યે જાય છે. કાઇને લાંમે ગાળે આજન્મ ભિક્ષુપદ લેવાનુ મન થાય તે જ અને ત્યારે જ તે એવુ પદ સ્વીકારે છે. અન્યથા ગમે ત્યારે વચ્ચેથી કુટુબમાં પાછા આવે છે, ને સમાજમાં પ્રતિષ્ઠિત જ્વન ગાળે છે, અધ્યાપક કૌશાંખીજી એ જ રીતે ભિક્ષુ બની પાછા કુટુંખમાં આવેલા, બ્રહ્મદેશ, સીલેન, ટીમેટ આદિ દેશમાં લાખાની સંખ્યામાં સામણેર ઉમેદવારા મળી આવે, પણુ આજન્મ ભિક્ષુ હેાય એવા તા અમુક જ બાકી રહે છે. તેથી બૌધ્ધ પરંપરામાં દંભ કે નૈતિક ગંદવાડને તેવુ સ્થાન નથી જેવું જૈનપર પુરામાં છે.
છેક નાની ઉંમરથી દીક્ષા આપવાની પ્રણાલી આજે જૈનપરપરાના શ્વેતામ્બર મૂર્તિપૂજક અને તેરાપથી કે જે સ્થાનકવાસી ક્રિકાની એક શાખા છે એ બે ફ્રિકામાં ચાલુ અને જીવતી છે. આ ક્રિકા
૧૫૭
આના અમને પ્રત્યક્ષ પરિચય પણ છે. જૈનદીક્ષા એ બૌધ્ધદીક્ષાથી જુદા પ્રકારની છે. તે શરૂઆતથી જ આજન્મ પ્રતિજ્ઞા સાથે જોડાયેલી છે, અને એવી આજન્મ પ્રતિજ્ઞાનું જૈન પરંપરામાં મોટું ગૌરવ છે. વળી આ પ્રતિજ્ઞા ખીજી કાઇ પણ પરંપરાની દીક્ષાપ્રતિના કરતાં વધારે ગહન અને કાણુ છે. હિંસા, અસત્ય, ચૌર્ય, અબ્રહ્મ અને પરિગ્રહ એ પાંચ મુખ્ય દોષોને મન વચન કે શરીરથી ન સેવવા, ન ખીજા પાસે સેવરાવવા કે અન્ય કોઇ આપમેળે સેવતા હોય તા ન તેમાં અનુમેદન આપવું—આટલો વિશાળ અને સૂક્ષ્મ અર્થ એ પ્રતિજ્ઞામાં રહેલા છે. એક તા આજન્મ દીક્ષા અને તે પાછી આવી ગહન, એટલે તેનું ગૌરવ થાય તે સ્વાભાવિક છે; પરંતુ આ ગૌરવમાં જ ઘણાં ભયસ્થાના રહેલાં છે. કાચી ઉંમરના ઉમેદવાર આવી ભીષ્મપ્રતિજ્ઞાના ભાવ સમજી ન શકે એ કહેવાની ભાગ્યે જ જરૂર હાય. ઉંમરે પહોંચતાં બાળદીક્ષિતની વાસના જાગે ત્યારે વિષમ સ્થિતિ ઊભી થાય છે. આજન્મ પ્રતિજ્ઞાને કારણે તે કુટુંબમાં પાછા આવી શકતા નથી, અને આવે તે કોઇ પણ જાતનું સન્માન અનુભવતા નથી. સમાજમાં પણ તેનું બહુ ઉતરતુ સ્થાન રહે છે. ધાર્મિક લેખાતા સગૃહસ્થા અને ધનવાના પણ એવી કોશિશ કરે છે કે તે પાછે દીક્ષામાં ધકેલાય. ગુરુના પેંતરા પણ એ જ દિશામાં હોય છે. એટલે બાળદીક્ષિત ઉમરે પહોંચતાં અકલ્પ્ય મૂંઝવણ અનુભવે છે. કાઈ દીક્ષિત વેશમાં રહી દંભી જીવન ગાળે છે તો થોડા ખીજા સમાજમાં પાછા કરી અતિષ્ઠિત જીવન જીવે છે. અલબત્ત, એમ નથી સમજવાનું કે બધા જ બાળદીક્ષિતા ઉમરે પહેાચતાં આવી જ મુશ્કેલી અનુભવતા હશે. પણ આ મુશ્કેલી એક નક્કર સત્ય છે અને તે અગણ્ય કાટિની નથી.
T
પાછા કરવામાં નિરાશ્રયપણું અને પ્રતિષ્ઠાનિ દેખાતાં જ છે. આને પરિણામે બાળદીક્ષિતામાં કેટલીક અરવાભાવિક વિકૃતિ આવે છે જે દીક્ષાના પ્રાણના જ નાશ કરે છે. કેટલાક બાળકો અને કૂમારી જરા મેાટી ઉમરના દીક્ષિતાની વાસનાના ભોગ બને છે. અને તે પાછા ઉંમરે પહોંચતાં તે વાસનાનો ચેપ વિસ્તારી અપ્રાકૃત અનાચારમાં પણ પડે છે. આ ધૃણાજનક હકીકત અમે માત્ર કલ્પનાથી રજૂ નથી કરતા, પણ એના અનેક દાખલા અમારી સામે છે જેના પત્રમાં તે વિશેષ ઉલ્લેખ અસ્થાને ગણાય.
વળી, બાળદીક્ષિત કરતાં બાળાદીક્ષિતની સ્થિતિ વધારે કફોડી બને છે. ઉંમરે પહોંચતાં તેનું મન બળવા કરે ત્યારે તે અનેકરીતે સપડાય છે. પુરુષ દૂષિત હોય તો તે ભાગી છૂટે છે; નારીની સ્થિતિ જુદી છે. દોષમાં ભાગીદાર પુરુષ અને પોતે એમ બંનેનું પાપ એ તરુણ દીક્ષિતાને અનુભવવું પડે છે. ધર અને સમાજમાં પાછું ક્ય નહિ; કરે તે કાઈ સધરે નહિ; ગર્ભનિરોધ અને ગભ પાતના માર્ગો ખુલ્લા નહિ અને કયારેક પ્રસૂતિગૃહમાં કોઇ પહેાંચી તે પછી પાછળથી એનુ જીવન સમાજમાં ધૂળધાણી. આમ છેક લઘુઉમરે દીક્ષાં સેવાના અનિષ્ટ પરિણામે એ માત્ર ધર્મસંસ્થા પૂરતા નથી રહેતાં, ગૃહસ્થસમાજમાં પણ પ્રસરે છે અને વિધવા તેમજ કયારેક કયારેક સધવા પણ એ પાશમાં સપડાય છે.
અમે જાણીએ છીએ કે બધાં જ બાળદીક્ષિત કે બાળદીક્ષિતાની આવી સ્થિતિ નથી થતી. તેમાંથી કાઈ કાઈ વિરલા કેટલીક દૃષ્ટિએ સારા અને ભવ્ય પણ પાકે છે; પરંતુ એકંદર ખાળદીક્ષાને એક માઠી અસર જ ઉપજાવે છે. વળી અમારે એ પણ કહેવાનું નથી કે ઉંમરલાયક થઈ દીક્ષા લેનાર બધા સારા પાકે છે. છતાં એટલુ તા . સત્ય છે કે આવી કઠોર આજન્મ દીક્ષા લેવા માટે કાંઇક વિચાર કરી શકાય