________________
તા. ૧૫-૧૧-૫
તેમજ વિજળી કારખાનાનાં સાધના, બુધના સાધના—આ બધા માટે ઉદ્યોગના વિકાસ ઉપર ભાર આપવા જ પડશે. એ પાછળ નાણાં નહીં ખરચીએ તે ખેતીમાં વાપરવાનાં સાધના ખાતર વિગેરે કર્યાંથી આવશે ? અને તે નહીં હાય તા તેના વિના ખેતીની ખીલવણી ક્રમ થશે ? વળી ખેતીના ઉત્પાદન માટે આવશ્યક બાર હેતુ નથી તે તેના ભાવ નીચા જાય છે એ ૧૯૫૪-૫૫ નાં ભાવ તૂટવાની ઘટના ઉપરથી સમજાય છે. તેમજ અત્યારે ખેતીવાડીમાંથી ૬૯% ટકા જેટલી વસ્તી પોતાના ગુારા કરે છે, તથા વધતી વસ્તીને આ ક્ષેત્ર જ અપનાવે છે, કારણ કે બીજા ઉદ્યોગાની ખીલવણી હજુ થઇ નથી. આથી આ ખેતી ઉપરની વધારાની વસ્તી અને વધતી વસ્તીને સમાવી લેવા વિકલ્પ ક્ષેત્રની ખીલવણીની જરૂર રહે છે. વધુમાં, ખીજી યેાજના દરમ્યાન આપણે રાષ્ટ્રીય આવકમાં ૨૫ ટકા ટકાને વધારા કરવા ઇચ્છીએ છીએ. તેથી વિકાસની ગતિમાં વેગ લાવવાની જરૂર રહેશે. તેમજ ઉત્પાદન વધુ અને ઝડપી કરવું પડશે. આ સમગ્ર દૃષ્ટિએ જોતાં ઉદ્યોગાને પ્રથમ સ્થાન આપવું વ્યાજખી ગણાય.
ખેતી અને ગ્રામવિકાસ
પ્રબુદ્ધ જીવન
૧૪૧
બધે પ્રસારવી જરૂરી ગણાય.. એ દ્વારા ગામડાનું જીવન ચેતનવંતુ બનશે અને ગ્રામપ્રજા આધુનિક વિજ્ઞાન અને જગતની પ્રગતિને પીછાનશે. “સહકારી ગ્રામ જીવન” “સહકારી ખેતી” વિગેરે સહકારી વિચાર ભાવનાને અમલમાં લાવવા અને તેવી ભાવનાનાં ઉત્સહ તથા પ્રેરણા સીંચવા આ ઘટા તથા સેવાની અનિવાર્યતા સમાજવાદી ઢબની સમાજ રચનાની દૃષ્ટિએ ખુબ જ વધે છે તે ભૂલાવુ ના જોઇએ. વિશેષમાં સત્તાના વિકેન્દ્રીકરણ માટે ગ્રામપંચાયતેાને સજીવન કરવા સારૂં આનો ઉપયોગ થઈ શકશે, એ દ્વારા આપણે આર્થિક ચેાજના નીચેથી કરવાનાં આપણા સ્વપ્નને સિધ્ધ કરી શકીશું'. (Planning from the bottom rather than from the top ).
જો કે આનો અર્થ એમ નથી કે ખેતીની ખીલવણીના આપણા પ્રયત્ના ઢીલાં કરવા અથવા તેના ઉપર ખર્ચ જ ન કરવા. વાસ્તવિક દૃષ્ટિએ જોતાં આપણને આવું કરવું પાલવે તેમ જ નથી. ઉલટાને આ ક્ષેત્રમાં પરિશ્રમને વધુ અને વધુ ઉત્તેજન આપવું પડશે. આનાં કારણે। આમ ગણાવી શકાય.
(
બીજી યાજના દરમ્યાન આપણી વસ્તીમાં ૯૦ લાખ માનવીએના વધારા થશે, તેને પૂરતું અનાજ આપવા ખેતીની ખીલવણી ચાલુ રાખવી પડશે જ. અત્યારના આપણા અપૌષ્ટિક તથા અપૂરક આહારમાં ફેરફાર કરવા માટે વધુ ખેતીવાડીની પેદાશ જોઇશે. વળી ગામડામાંથી શહેરમાં જનાર અથવા નાના ઉદ્યોગો કે મેટા કારખાનામાં કામ કરનાર નવા મજૂરાને માટે પણ વધુ ખેતીવાડીની પેદાશ જોઇશે. તેમજ આયોજનના ખર્ચને લીધે પ્રજાની ખરીદશકિતમાં વધારે થશે અને એ સ્વાભાવિક છે કે જે દેશમાં અડધા ભાગના લોકો એક ટક, તે પાછુ અપૂર્ણ અને હલકા પ્રકારનું, ખાતાં હોય ત્યાં નવા નાણાંને ઉપયોગ પ્રથમ તેા ખાવા માટે જ થાય તેમાં નવાઈ નહીં. આયાજનથી નવા કારખાના તથા ઉદ્યોગાની ખીલવણી થશે તેને માટે કાચા માલ રૂ, શણુ, વગેરે જોઇશે. આ ઉપરાંત હજુ આપણી ખેતી કુદરતની ‘બલિહારી’ ઉપર જ આધાર રાખે છે અને કુદરતની મનસ્વીતાથી ભારતમાં કાણુ અજાણ છે? તેથી ખીજી ચેજનામાં જળસિંચાઇ, પૂરનિયંત્રણ, શાકભાજી, મધમાખી, ઢારઉછેર, ખાતરના નવા કારખાના ( સીંદ્રી ક્રટીલાઈઝર જેવાં ) પાછળ નાણાં ખર્ચવાની જરૂર રહેશે જ. આમ થશે તે જ આપણે ખેતીની પેદાશમાં નિશ્ચિંત થઈ શકીશુ.
ગ્રામવિકાસ ઘટકા અને રાષ્ટ્રીયવિકાસ ચેાજના પછાત સ્થગિત ગ્રામ જીવનનાં આર્થિક તેમજ સામાજીક ફેરફાર કરવા માટે પ્રથમ યોજનામાં ગ્રામવિકાસ ઘટકા ( Community Projects ) અને રાષ્ટ્રીય વિકાસ સેવા ( National Extetion service ) તે ‘નમૂના' ના પ્રયોગ તરીકે દાખલ કરેલી. આ યોજનાની સફળતાના ઉત્સાહપ્રેરક અહેવાલો મળી ચૂકયા છે. તેથી ઉત્પાદનને પ્રોત્સાહન મળ્યું છે. ગ્રામપ્રજાના સહકારથી નવા રસ્તા, કુવા, સ્કુલો બાંધવામાં આવ્યાં છે. જો કે આમાં સંપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે તેમ નથી જ. છતાં પણ ‘તુમારશાહી' ની જાળમાંથી મુકિત મેળવી ગામડાના વિકાસમાં ક્રાંતિકારી અને ઝડપી સુધારા માટેની એની અગત્યતા પૂરવાર થઈ ચૂકી છે. બીજી ચેોજના દ્વારા દેશની સુરત પલટી નાખવી હોય તેમજ યોજનાને ભારતના એક એક ગામડે પહોંચાડવા તથા પ્રજાના સીધા સંપર્કમાં આવી તેમની મુશ્કેલી તથા વિચારો જાણી, યોજનામાં વધુ અને વધુ રસ પેદા કરવા હોય તે, તેમજ ખીચ્છ યેજનાને “જનતાની યોજના” ( People's Plan ) બનાવવી હોય તે। આ વિકાસ ઘટકો તથા રાષ્ટ્રીય સેવાની યોજનાને
જો કે આ સાથે એ ન ભૂલાવું જોઈએ કે આ તરકી સરકારી હાવાથી તે દ્વારા સંપૂર્ણ ક્રાંતિ નિર્માણ થવાની આશા રાખી ન શકાય. ક્રાંતિ લાવવા માટે તો ભિન્નભિન્ન સામાજીક સંસ્થા, કાર્ય કરી સર્વેના સહકારની અનિવાર્ય જરૂર રહેશે. તે વગર સરકારના અધિકારીઓ ગામડાની પ્રજામાં પ્રબળ ઉત્સાહ કે આશા નહીં જન્માવી શકે. માટે આવી બધી સંસ્થાની સેવા અને સહકારને ઉતેજન આપવું જરૂરી ગણાશે.
અપૂર્ણ
અભય પરીખ
ગાંધીજી અને મણિભુવન
( ગતાંકથી ચાલુ )
અહિં હું મારા જીવનની પણ એક ધટના રજુ કરૂ છું. ૧૯૨૦ ના એપ્રીલ-મે માં હું મુંબમાં હતા, અને આંદાલનની ચેાજના સંબધમાં દરરોજ મહાદેવ દેસાઈને પૂછવા જતા. રાજાજી પણ તે સમયે મુંબઇમાં હતા. અસહકાર આંદોલનના ચાર તત્વમાં એક તત્વ વકીલને વકીલાત છેડવાનુ હતુ. આ બાબતમાં બાપૂએ રાજાના અભિપ્રાય લીધા હતા. મને બરાબર યાદ છે કે મહાદેવ તથા મે આ વસ્તુને તદ્દન અસંભવિત—સ્વપ્ન સમાન માની હતી. છતાં આશ્ચર્યની વાત છે કે જેઓએ આ હુકમને સ્વીકાર્યો તેમાં હું પણ એક હતા.
ત્યાર બાદ મણિભુવનમાંથી જ તિલક સ્વરાજ ક્રૂડનો આરંભ થયા, જે દ્વારા બાપૂ અહિંસક યુદ્ધના હથીયારાથી દેશને સુસજ્જ કરવા ઈચ્છતા હતા. આ મણિભુવનમાં શંકરલાલ ખેંકર, ઉમર સુભાની. અને રેવાશંકર ઝવેરીએ સર્વ પ્રથમ પચીસ પચીસ હજાર ફાળામાં તેધાવીને શુભ શરૂઆત કરી. નિશ્ચિત કરેલી રૂા. એક કરોડની રકમ એકઠી થઇ ગઈ.
૧૯૨૧ ના જીલાઈની ૩૧ મી તારીખે ગાંધીજીએ પરેલમાં ઉમર સુભાનીના આંગણામાં વિદેશી વસ્ત્રોની હાળી કરી. અરૂઆતમાં આછી સફળતા સાંપડી, પણ મારા ધારવા પ્રમાણે શ્રી. લીલાવતી એંકર પ્રથમ મહિલા હતા જેમણે વિવાહ અવસર ઉપર પ્રાપ્ત થયેલી અધી જ સુંદર વિદેશી સાડીએ બાપૂની સામે મૂકી દીધી. પછી તે સખ્યાબંધ બહેનેાએ આવીને ઢગલા કર્યો અને બાપૂએ જાતે તે બધા અગ્નિને સ્વાધીન કર્યા. સ્ત્રીના સાર્વજનિક અને રાજનૈતિક જીવનમાં પ્રવેશના આરભ અહિંથી થાય છે.
કરાંચીના ઠરાવના અનુસંધાનમાં અલીભાઇએ પકડાઇ ગયા હતા. સિપાઈની વફાદારી ડગાવવાને પ્રયાસ કરવાના એમના ઉપર આરોપ હતા. ગાંધીજીએ મુંબઇમાં તા. ૪ થી એકટાબર ૧૯૨૧ ના દિવસે પચાસેક નેતાઓની એક સભા ખેલાવી અને કરાંચીના ઠરાવતુ સમ ન કર્યું. સહી કરવામાં ગાંધીજી, અનુલકલામ આઝાદ, લજપતરાય, મોતીલાલ નહેરૂ, જવાહરલાલ નહેરૂ, અજમલખાં, વલ્લભભાઈ પટેલ, 1. અનસારી અને રાજગાપાલાચારી હતા. તા. ૫ મી એ મળેલી કોંગ્રેસની કારોબારીએ આ ઘેષણાપત્રનુ' પુનઃ સમર્થન કર્યું, અને ખીજા પણ અસંખ્ય વ્યાખ્યાનમ ંચ ઉપરથી આ ઠરાવ પસાર કરાવવામાં આવ્યો. વાતાવરણમાં ચારે બાજુ સરકારના વિધ કરવાની હવા ગુંજી રહી હતી. ગાંધીજીએ ખારડેલીમાં સત્યાગ્રહ કરવાની દ્યેષણા