SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૫-૧૧-પપ્ બાલદીક્ષાની અટકાયતની ભારત જૈન મહામંડળે સુન્દરદાસ, શ્રી ચંદુલાલ વમાન શાહ, શ્રી ખીમચંદ મગનલાલ વેરા કરેલી હિમાયત શ્રી મહેન્દ્ર દેસાઈ, શ્રી અનૃતલાલ જેઠલાલ શાહ, શ્રી મનુભાઇ રાવળ, શ્રી દુર્લભજી ઉમેદચંદ પરીખ, શ્રી વિજયાબહેન પરીખ, શ્રી બાપાલાલ દેશી, શ્રી રતિલાલ શેઠ, શ્રી મણિલાલ મોહનલાલ ઝવેરી, શ્રી લીલીબહેન પડયા વગેરે મુંબઇના આગેવાન નાગરિકો પણ ઉપસ્થિત થયા હતા. આ ભાજનસમારભમાં ૩૦૦ લગભગ ભાઈ બહેનો જોડાયાં હતાં. ૧૩૬ તા. ૬–૧૧–૫૫ ના રાજ મુંબઈ ખાતે મળેલી ભારત જૈન મહામડળની કાર્યવાહક સમિતિએ ખાલદીક્ષા તેમ જ અયોગ્ય દીક્ષાની અટકાયત સબંધમાં નીચે મુજબના ઠરાવ સર્વાનુમતે પસાર કર્યો હતા. “જૈન સંસ્કૃતિ એ શ્રમણ સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિનુ હા સંતપરંપરા રહેલ છે. અને આજ પણ તેના સાધુઓમાં ત્યાગી અને તપસ્વીઓની અછત નથી, તેને વધારે શુધ્ધ, પવિત્ર અને ઉપયોગી બનાવવાની દૃષ્ટિએ યોગ્ય પાત્ર જોઇને દીક્ષા આપવી જોઇએ. સમજદારી અને વિવેકયુકત થયા વિના સાચા ત્યાગને સંભવ નથી. એટલે ચોગ્ય વય પુરી થતા સુધી અને અયોગ્ય પધ્ધતિથી દીક્ષા દેવી શ્રેયસ્કર નથી. અમે આચાર્યો અને સતાની સેવાઓમાં વિનતિ કરીએ છીએ કે તેઓ અયોગ્ય અને બાલદીક્ષા ન આપે. સંસ્કાર અને વૈરાગ્યવૃત્તિને મુકત વાતાવરણમાં વધવા દેવી જોઇએ, અને જ્યારે દીક્ષા લેનાર ચોગ્યતા પ્રાપ્ત કરે અને પુખ્ત ઉમરના થાય ત્યારે જ દીક્ષા આપવી જોઈએ. અમારે ત્યાં એવું એક વિધાન છે કે દીક્ષાસંધની તથા પાલકાની સહમતી વગર દીક્ષા આપી શકાય નહિ. એટલા માટે સમસ્ત જૈન ભાઈની સેવામાં અમારી વિનંતિ છે કે ભાવ— આવેશમાં આવીને કાઈ અયોગ્ય અને માલદીક્ષા આપે નહિં અને એવી કોઈ દીક્ષામાં અન્ય જૈના સાથ પણ આપે નહિ. ભારત જૈન મહામડળ અયોગ્ય અને બાલદીક્ષાને સમય અનુસાર તેમ જ શ્રેયસ્કર માનતું નથી. ક્રીથી અમા સતગણને તથા જૈન ભાઇને આગ્રહપૂર્વીક પ્રાર્થીએ છીએ કે તે યાગ્ય અને બાલદીક્ષા બંધ કરી દે કે જેથી કાયદાની જરૂર ન પડે.” ! આ સંબંધમાં સવિશેષ આનદની વાત એ છે કે પ્રસ્તુત કાર્યવાહક સમિતિના એક સભ્ય અને મુંબઈ તેરાપંથી મહાસભાના પ્રમુખ શ્રી તેમચંદ નગીનચંદ વકીલવાળાએ આ દરાવને ટકા આપ્યા હતા. સાધારણ રીતે બાલદીક્ષાના પક્ષપાતી તેરાપથી સમાજના પ્રમુખનું આ રીતે બદલાયલું વલણ આવકારપાત્ર બને છે. પ્રસ્તુત ઠરાવમાં દર્શાવાયલી આશા મૂર્તિમન્ત બને અને જૈન સમાજના પેટાવિભાગાના સર્વ સાધુએ સર્વ પ્રકારની અયોગ્ય દીક્ષા અને તેમાં પણ ખાસ કરીને ખાલદીક્ષા નહિ આપવાની પ્રતિજ્ઞા લે તે પછી પ્રસ્તુત ખીલ પાછળ રહેલું પ્રયોજન સિધ્ધ થયું ગણાય અને એ ખીલના વિરોધ કરવાને જૈન સમાજ પૂરતું કશું પણ કારણ ન રહે એમ કલ્પી શકાય પણ વા નિ કહાં કે મીયાં કે તે પાંઉમેં શ્રુતિયાં ? તંત્રી સઘના ભવ્ય ભાજન સમારંભ શ્રી રસિકલાલ પરીખનું સ્વાગત તા. ૭-૧૧-૫૫ સોમવાર સાંજના વખતે મુબઇ ખાતે ચાપાટી ઉપર આવેલા પ્રાણસુખલાલ મફતલાલ સ્વીમીંગ ખાથના વિશાળ ચેાગાનમાં શ્રી મુંબઈ જૈન યુવક સંધ તરફથી એક ભવ્ય ભોજન સમારંભ ગોઠવવામાં આવ્યા હતા. આ સમારંભમાં સંખ્યાબંધ સભ્યાએ ભાગ લીધો હતા તેમજ સધના નિમંત્રણને માન આપીને શ્રી કૃષ્ણલાલ મેાહનલાલ ઝવેરી, શ્રી ોયાંસપ્રસાદ જૈન, શ્રી લાલચંદ હીરાચંદ, શ્રી ભવાનજી અરજણ ખીમજી, શ્રી શાન્તિલાલ હરજીવન શાહ, ( મુંબઈના મજુરપ્રધાન ), શ્રી ઇન્દુમતી બહેન ચીમનલાલ, સર મણિલાલ બાલાભાઈ નાણાવટી, શ્રી રતિલાલ મૂળજી ગાંધી. શ્રી ખુશાલદાસ કુરજી પારેખ, શ્રી તારાબહેન માણેકલાલ પ્રેમચંદ, શ્રી જે. ડી. દફ્તરી, શ્રી ડાહ્યાભાઈ વી. પટેલ, શ્રી લીલાવતીબહેન ખેંકર, શ્રી રતિલાલ ભાઈચંદ મહેતા, શ્રી પ્રવીણુભાઈ ગાંધી, શ્રી ભાનુશ ંકર યાજ્ઞિક, ડો. સાંગાણી, શ્રી મેાહુનલાલ મહેતા ( સોપાન ), શ્રી ડુંગરશી ધરમશી સપત, શ્રી શામજી સાંજના છ વાગ્યાથી સભ્યો તથા મહેમાનનાં આગમન શરૂ થયાં. સૂર્યાસ્ત સાથે દિવસના પ્રકાશ સકેલાવા લાગ્યા, અને રાત્રીના અંધકાર ચેતરફ ફ્લાવા લાગ્યો. વીજળીની ખત્તીએ વડે આખુ ચેાગાન પ્રકાશાજજવલ બની રહ્યું. લગભગ ૬ વાગ્યે સૌ પોતપોતાનાં સ્થાને ગોઠવાઈ ગયા. ભાજન શરૂ કરતાં પહેલાં શ્રી સુરજચ છ ડાંગીએ પ્રાથના કરી હતી અને ત્યાર બાદ ભાજન શરૂ થયું. ભેજન માટે પુરી, દુધપાક, જલેખી તેમ જ બીજી અનેક સ્વાષ્ટિ વાની તૈયાર કરવામાં આવી હતી. પીરસવાની વ્યવસ્થા પણ પૂરી સતાષકારક હતી. સમુકિનારે, રાત્રીની થડી હવામાં વિશાળ ચેાગાન વચ્ચે ટેબલ ખુરશી ઉપર વ્યવસ્થિત રીતે ગાઠવાયલા ૩૦૦ જેટલાં આપણાં સ્વજનાને ભાઇ, બહેનો તથા બાળકને મિષ્ટ ભોજનને આનંદપૂર્વક માણતાં જોવાં એ ભારે પ્રેરક અને આલ્હાદક દૃષ્ય હતુ. સૌના મેઢા ઉપર મીઠી પ્રસન્નતા પસરી રહી હતી, વાતાવરણમાં આન ંદઉલ્લાસ વ્યાપેલા હતા. શ્રી ભુજપુરીનું સ્વાગતપ્રવચન ભાજન પુરૂં થવા આવ્યું એ લગભગમાં મુંબઈ જૈન યુવક સંધના પ્રમુખ શ્રી ખીમજી માડણ ભુજપુરીઆએ ઉપસ્થિત મહેમાનેને આવકાર આપતાં જણાવ્યું કે “આજના આ મંગળ પ્રસ ંગે અમારા મુખ્ય મહેમાન તરીકે સૌરાષ્ટ્રના મુખ્ય પ્રધાન શ્રી રસીકલાલ પરીખને ઉપસ્થિત થવા અમે વિસ્તૃત કરેલી તે માન્ય કરીને તે અહિં પધાર્યા છે. આથી અમે ઘણા આનંદ અનુભવીએ છીએ અને તેમનુ અમે અન્તરથી સ્વાગત કરીએ છીએ. તેમની સાથે અમારા સંધના ઘણા ાના સખધ છે. તે મુંબઈમાં વસતા હતા તે સમય દરમિયાન અને ત્યાર બાદ વર્ષો સુધી અમારા સંધના સભ્ય હતા. આ રીતે અમારામાંના એક શ્રી રસિકભાઇ સૌરાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદ ઉપર હેાય એ અમારા માટે અપૂર્વ ગૌરવને વિષય છે. તેમણે કુશળ રાજ્યવહીવટ દ્વારા અને રાષ્ટ્રનિષ્ઠા તથા ઉચ્ચ કોટિના સૌજન્ય દારા સૌરાષ્ટ્રનાં પ્રજાજનોની અમાપ પ્રીતિ અનેલોકપ્રિયતા સંપાદન કરી છે એ જોઇને અમે ઉંડી પ્રસન્નતા અનુભવીએ છીએ. તેમને દીર્ધોયુષ્ય સાથે સુદૃઢ આરોગ્ય પ્રાપ્ત થાય અને દેશને હજુ તેમની અનેક સેવાઓના લાભ મળતા રહે એવી અન્તરની શુભેચ્છા અને પ્રાર્થના સાથે તેમને ક્રીથી હું આવકાર આપું છું અને તે સૌરાષ્ટ્રના મુખ્ય સ્થાન ઉપર આવ્યા ત્યારથી આપણી વચ્ચે એક વાર ખેંચી લાવવાના અમારા પ્રયત્ન આજે સફળ થયેલા જોઇને હું મારા તરફથી ઉંડા આનંદ અને સતાષ પ્રદર્શિત કરૂ છું, ” શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા ત્યાર બાદ શ્રી મુંબઈ જૈન યુવક સધના મંત્રીશ્રી પરમાનદ કુંવરજી કાપડિયાએ જણાવ્યું કે “ગયે વર્ષે આ જ અરસામાં અમારા મુંબઈ જૈન યુવક સંધના રૌપ્ય મહાત્સવ પ્રસંગે આપણે આ સ્થળે એકઠા થયા હતા અને એ સમુહભાજનમાં લગભગ ૪૦૦ ભા બહેનોએ ભાગ લીધા હતા. એ દિવસે અમારા સંધના સભ્ય, આપણા લોકપ્રિય મજુર પ્રધાન શ્રી શાન્તિલાલ શાહે સૂચના કરી હતી કે આવી રીતે દર વર્ષે એક વાર સમુહભાજનના આકારમાં મળવાનો પ્રશ્ન ધ ગોઠવાય તા એ ભારે આવકારદાયક બનશે. એ સૂચનાને લક્ષ્યમાં રાખીને આજના ભજનસમારંભના અમારી કાય વાહીએ પ્રબંધ ગોઠવ્યો છે.” મ
SR No.525940
Book TitlePrabuddha Jivan 1955 Year 16 Ank 17 to 24 and Year 17 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1955
Total Pages248
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy