________________
તા. ૧૫-૧૦-૧પ
રાજ્યપુનર્ઘટના પંચના ચુકાદા અને મુંબઈ પ્રદેશની નવર્ચના
લાંબા વખતથી જેની રાહ જોવાતી હતી તે રાજ્ય પુનઃટના પચનો ચુકાદો તા. ૧૦-૧૦-૫૫ ના રોજ બહાર પડી ગયા. આ ચુકાદાની અનેક વિગતાની આપણે અહિં ચર્ચા નહિ કરીએ. મુખપ્રુ પ્રદેશ અને મુંબઈ શહેરનું તેમાં જે ભાવી નિર્માણ સૂચવાયું છે તે બાબતને જ આપણે વિચાર કરીશું.
આજના મુંબઈ પ્રદેશમાંથી આણુતા વિભાગ રાજસ્થાનમાં મૂકવાતી, કર્ણાટક વિભાગ અલગ કરવાની અને કચ્છ, સૌરાષ્ટ્ર તથા હૈદ્રાબાદ રાજ્યમાં મરાઠાવાડાના નામે જે પ્રદેશ ઓળખાય છે તેને મુંબઇ પ્રદેશમાં સામેલ કરવાની અને એ રીતે મુંબઈ પ્રદેશને દ્વિભાષી પ્રાન્તબનાવવાની આ પંચે ભલામણ કરી છે. આના પરિણામે મહારાષ્ટ્રીઓની ૪૮ ટકા અને ગુજરાતીઓની ૩૬ ટકાની વસ્તી વાળા આ નવા મુંબઇ પ્રદેશ બને છે; સાધારણ રીતે ભાષાને કેન્દ્રમાં રાખીને પ્રદેશાની પુનઈંટના કરવાના હેતુથી ઉભું કરવામાં આવેલું આ પંચ આવા દ્વિભાષી પ્રદેશ ક્રમ સૂચવે છે. તેના પાયામાં મુંબઈ શહેરનું શુ કરવુ એ જટિલ પ્રશ્નની ગુ ંચવણ રહેલી છે. એક બાજુએ મુંબઈ પ્રદેશમાંથી મુંબઈ સાથે તારવેલું મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને મરાઠાવાડાને એકત્ર કરીને સંયુક્ત મહારાષ્ટ્ર રચવુ એવી મહારાષ્ટ્રના આગેવાનોની માંગણી હતી. ખીજી બાજુએ મુંબઇને અલગ રાખીને ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રનું મહાગુજરાત રચવું અને એ માંગણી સ્વીકાર્યું ન હેાય તે મુંબઈ પ્રદેશને ઉપર જણાવ્યું તે મુજબ વધારે વિસ્તારવાળા દ્વિભાષી પ્રદેશ બનાવવા એવી ગુજરાતીઓની માંગણી હતી. મુંબઈ શહેરની અનેક વિશેષતાઓ તેમ જ મહારાષ્ટ્રીનું મુંબઈ શહેરમાં ૪૪ ટકાનુ વસ્તીપ્રમાણુ જોતાં મુંબઈને મહારાષ્ટ્રમાં ભેળવીને સંયુક્ત મહારાષ્ટ્ર સૂચવવાનું પંચને યોગ્ય ન લાગ્યું, આ સંબંધમાં પંચ જણાવે છે કે “વસતી અને વિસ્તારનું કદ જોતાં તેમ જ પ્રાથમિક રીતે જ મુંબઇ એક શહેરી ઘટક છે એ હકીકત લક્ષ્યમાં લેતાં અમારા મત મુજબ ભારત રાજ્યના એક અલગ રાજ્ય તરીકે મુંબઇની રચના કરવી તે અમને યોગ્ય નથી લાગતું. ખીજી બાજુ લાકશાહી ધારણે આગળ વધેલા મુંબઈ રાજ્યના રાજકારણી જીવનનું બૃહત્ મુંબઇ એક ધીખતું કેન્દ્ર બનેલું છે અને તેને કેન્દ્રસંચાલિત એક નાનું ઘટક બનાવવામાં આવે, તો એ આપણું એક પ્રકારનું પ્રત્યાધાતી પગલું લેખાશે એમ અમને લાગે છે.
*
પ્રબુદ્ધ જીવન
“બીજો એક એ મુદ્દો ધ્યાનમાં લેવા યોગ્ય છે કે વિદ્યુત્ શકિતના અને પાણીના પુરવઠા માટે અને શહેરના ભાવી વિકાસ માટે પણ બૃહત્ મુંબઈ મહારાષ્ટ્રના પ્રદેશ ઉપર આધાર રાખે છે. મહારાષ્ટ્રના આન્તર પ્રદેશ સાથેનાં તેનાં કુદરતી જોડાણા પણ બૃહત્ મુંબઇને અલગ વહીવટી એકમ નહિ બનાવવાના પક્ષમાં એક મોટી દલીલ છે.
“મહારાષ્ટ્રથી મુંબઈ શહેરને અલગ પાડવાનું જેમ વહીવટી રીતે અનિચ્છનીય છે તેમ જ મહારાષ્ટ્રના એક અંગ તરીકે મુંબઇ રહે’ અને ગુજરાતથી વહીવટી રીતે જુદું પડે તે તેના ભાવી વિકાસ ઉપર એટલી જ અવળી અસર નિપજવાનો સંભવ છે, બૃહત્ મુંબને મહારાષ્ટ્રનુ અંગ બનાવવામાં આવે તે ગુજરાતી અને બીજી કામેામાં તેથી ઘણા મોટા અસતીષ પેદા થવાનો સંભવ છે, અને તેની આ વિસ્તારના ઔદ્યોગિક અને વ્યાપારી જીવન ઉપર કાઈ માઠી અસર પડશે નહિ એમ આશા રાખવી તે ગેરડહાપણભર્યું' લેખાશે. અમને લાગે છે કે બૃહતું મુંબઈનું મહત્વ એવું છે કે તેને અલગ કરવા જતાં અથવા તે મહારાષ્ટ્રમાં અન્તર્ગત કરવા જતાં વ્યક્તિગત રીતે ગુજરાત તેમ જ મહારાષ્ટ્રને અને સાથે સાથે સમગ્ર રાષ્ટ્રને ભારે નુકસાન થવા સ ંભવ છે અને તેથી એવુ કાઈ પણ જોખમ ખેડવામાં અમને શાણપણુ લાગતું નથી.
૧૧૯
મુંબઈની નાણાકીય પુરાંત ઉપર મહારાષ્ટ્રી તેમ જ ગુજરાતી—ઉભય વિસ્તારાને આધાર રાખવા પડે છે. મુંબઈ સરકારે પ્રસિદ્ધ કરેલાં આંકડા દર્શાવે છે કે ૧૯૫૩ ના માર્ચમાં પૂરાં થતાં ત્રણ વર્ષ દરમિયાન બૃહત્ મુંબની સરકારી પુરાંત રૂપિયા બાર કરોડ જેટલી હતી અને એવી વકી રાખવામાં આવે છે કે આ પુરાંત ઘટવાની નથી પણ વધવાની છે. એમ જણાવવામાં આવ્યું છે કે બૃહતુ મુંબઇને અલગ પાડવામાં આવે તા બૃહત્ મુંબઈની આ કંઈક અંશે મુંઝવનારી પુરાંત અને એટલી જ કંઈક અંશે મુંઝવનારી અન્ય વિસ્તારાની ખાધ વચ્ચે મેળ ખેસાડી દેવા. એમ પણ સૂચવાયુ છે કે બૃહત મુંબઈમાંથી નિકાસના વેચાણપરના કરના કેટલાક ભાગ મુબઇને મળતા બંધ કરી શકાય.” આ આર્થિક મુદ્દાને લગતી ખીજી પણ કેટલીએક સૂચનાઓની વિગત આપીને પંચ જણાવે છે કે “અમે આ બધી દરખાસ્તને પુરી સંભાળપૂર્વક તપાસી છે અને છેવટે એવા તાસ્તસ્ય ઉપર આવ્યા છીએ કે સામાન્ય બંધારણીય સ્વરૂપથી વેગળી જતી કાઈ પણુ કામચલાઉ વ્યવસ્થા અમુક મુશ્કેલીએ ઉકેલે તે કરતાં ખીજી વધુ મુશ્કેલીઓ કદાચ પેદા કરશે અને જે પરિસ્થિતિમાં આ કામચલાઉ વ્યવસ્થાની અજમાયેશ કરવાનું વિચારાયું છે તેનાથી નિદ્ભૂત ધ્યેય કદાચ પાર ન પણ પડે. આથી અમને એવા નિણૅય લેવાની ફરજ પડે છે કે મુંબઈ પ્રદેશનું સંગકૃિત સ્વરૂપે જાળવી રાખવા સિવાય ખીને કાઈ પણ વિકલ્પ રાજ્યના કે પ્રજાના કલ્યાણુની દૃષ્ટિએ લાભદાયી નીવડવા સંભવ નથી.”
“મહારાષ્ટ્ર અને ગુજરાતથી બૃહત્ મુંબઇને અલગ પાડવાના પ્રશ્ન અંગે એક મહત્નની બાબત એ પણ લક્ષમાં લેવાની છે કે બૃહત્
આ નવી રચનાથી કોઇ પણ પક્ષને પુરો સંતોષ થવા સંભવ નથી. મહારાષ્ટ્રના લોકોનું મુંબઇ સાથેનુ' સંયુક્ત મહારાષ્ટ્ર મેળવવાનું સ્વપ્ન આથી લુપ્ત થાય છે, મુંબઇને અલગ વહીવટી એકમ બનાવીને મહાગુજરાત રચવાના ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના લોકોના મનોરથ પણ વણપૂર્યાં રહે છે. આમ છતાં આખા દેશનું સમગ્ર હિત ધ્યાનમાં લઇને તેમજ મુંબઈ સાથેના પોતાનાં અનેક હિતા ગાઢપણે સંકળાયલા લક્ષમાં લઇને ગુજરાત સૌરાષ્ટ્ર તેમજ કચ્છના મેટા ભાગના આગેવાનો આ નવી રચનાને અપનાવવા તૈયાર હોય એમ લાગે છે. સીમાપચે પણ પરસ્પરવિરોધી માંગણી અને મુંબઈનું અખિલ ભારતીય મહત્વ ધ્યાનમાં લખને ચોગ્ય માર્ગ રજી કર્યાં હાય એમ આપણે સ્વીકારવું જ જોઇએ. વસ્તુતઃ મુંબઈ અલગ રાજકીય ઘટક બને અને મહારાષ્ટ્ર અને ગુજરાત પ્રત્યેક અલગ અલગ રાજ્ય અને એ રચના આદર્શ હતી. પણ ઉપર જણાવેલી મુંબઈ પ્રદેશની રચના પણ જે મહારાષ્ટ્રીએ સ્વીકારવાને તૈયાર નથી તે મુંબઇને અલગ રાખવાના વિચારને તેડી પાડવા આકાશ પાતાળ એકઠા કરત એમાં કાઈ સ ંદેહ નથી. આ નવી રચના નીચે મહારાષ્ટ્રીને ધારાસભામાં ૫૬ ટકા પ્રતિનિધિત્વ મળવા સંભવ છે. અને એ રીતે ગુજરાતીઓએ હંમેશાં લધુમતીમાં જ રહેવાનું છે એ પણ નિશ્રિત છે. આમ છતાં માત્ર ભાષાના ધોરણે જ નહિ પણ સમગ્ર રાષ્ટ્રના હિતાહિતના ધારણે લેવાયજ્ઞેો નિણૅય ગુજરાતીએ સ્વીકારવાને તૈયાર છે, પણ આ બાબતમાં મહારાષ્ટ્રી ખેચેન છે. તેમને વિદર્ભના મરાઠી—ભાષાભાષી આખા પ્રાન્ત મળ્યા અને મુંબઈ પ્રદેશમાં બહુમતી મળી તેથી કાઈ સતાષ નથી, ‘અમારા મુખમાં કાષ્ઠના ભાગ ન હોય' એ ધેલછા તેમના મગજતે ભમાવી રહી છે અને ‘કામાતુરાણાં ન વિવેક લા' એ મુજબ કેવળ આવેશભર્યાં રાષ્ટ્રવિધાતક નિવેદને તેમના આગેવાને કમનસીબે પ્રગટ કરી રહ્યા છે. આપણે આશા રાખીએ કે આ આવેશ ક્ષણજીવી નીવડશે અને સમય જતાં શાણપણું અને ડહાપણનાં તા મહારાષ્ટ્રી સમાજમાં વધારે સક્રિય બનશે, તેમનાં મગજ સમતલ બનાવશે અને નવી ચેન્જનાને અપનાવી લેવા તેઓ તૈયાર થશે,
મુંબઇ પ્રદેશને લગતા આ નવા ઉકેલ અદ્યતન સંચાગામાં ઉભય પક્ષે સ્વીકારી લેવા ચેગ્ય લાગે છે પણ તે ઉકેલ તા જ સાચા ઉકેલ લેખાશે કે જો બન્ને પક્ષ તેને ખેલદિલીથી આપનાવશે. એમ નહિ બને તો આ ઉકેલ જ નવા કાયડાનું રૂપ ધારણ કરશે અને