________________
તા. ૧-૧૦-૫૫
બાલદીક્ષા અટકાયતના સમકાને જૈન યુવાને નમ્ર અપીલ
મુંબઈ સરકારના પ્રકાશન ખાતા તરફથી તા. ૨૧–૯–૧૫ ના રાજ પ્રગટ કરવામાં આવેલી યાદી જણાવે છે કે “રાજ્યની વિધાનપરિષદે જાહેર પ્રજાની જાણ માટે ચાર મહીના સુધી ફેરવવા માટે ઠરાવેલે બાલસંન્યાસ—દીક્ષા પ્રતિબંધક ખરડા મુંબઈ સરકારના સપ્ટેંબરની તા. ૧૬ મી ના ગેઝેટના પાંચમા ભાગમાં પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. ખરડા પરત્વે જે કાંઈ મન્તવ્યો મોકલવા હાય તે મત્રી, મુંબઈ વિધાનપરિષદને જાન્યુઆરી તા. ૧૨, ૧૯૬૬ સુધીમાં માકલી
આપવાના છે.
પ્રબુદ્ધ જીવન
“ ખરડાના હેતુ બાળકોની કુમળી વયનો ગેરલાભ લેવામાં ન આવે અને બાળકોને અને યુવાનોને નૈતિક તેમ જ ભૌતિક ત્યકત શા સામે અને શોષણ સામે રક્ષણ મળે તે જોવાનો છે. બાલસંન્યાસ–દીક્ષા આપવા, યોજવા કે તેનું સ ંચાલન કરવા માટે સજાની અને સન્યાસદીક્ષા આપનાર બાળકને હવાલે ધરાવનાર વ્યકિતને પણ સજા કરવાની જોગવાઈ ખરડામાં કરવામાં આવી છે. આ ખરડા સંન્યાસ દીક્ષાને ગેરકાયદેસર અને ફોગટ ઠરાવવાની પણ જોગવાઈ ધરાવે છે. બાળકને સન્યાસ દીક્ષા અપાતી અટકાવનારો મનાઈ હુકમ કાઢવાની અને બાળકના રક્ષણ, કબજા વગેરેના હુકમ કાઢી આપવા માટેની પણ જોગવાઈ કરવામાં આવી છે.”
આ ઉપરથી પ્રસ્તુત ખરડાને ટેકો આપનાર ભાઈ બહેનેાની કરજ અને છે કે તેમણે આવા અગત્યના વિષય સબંધે પ્રમાદ અને મૌન ન સેવતાં પેાતાના અભિપ્રાયો મંત્રી, મુખઈ વિધાન પરિષદ, કાઉન્સીલ હાલ, કાટ, મુંબઈ ઉપર મોકલી આપવા એટલું જ નહિ પણ તે દરેકની એક એક નકલ મુખ્ય પ્રધાન શ્રી મોરારજીભાઇ, સેક્રેટરિયટ કાટ, મુંબઈ, શ્રી. પ્રભુદાસ બાલુભાઈ પટવારી, પ્રીતમનગર એલીસ બ્રીજ અમદાવાદ ૬, અને શ્રી મુંબઈ જૈન યુવક સંધ, ૪૫/૮૭ ધનજી સ્ટ્રીટ મુંબઈ ૩. એ મુજબ મોકલી આપવી. આ ઉપરાંત આ વિષયમાં જાહેર મત કેળવવા માટે સભા ભરવી, પત્રિકાઓ કાઢવી, જેના જે સાથે સબંધ હાય તે તે સામાજિક સ ંસ્થાઓ તરફથી ઉપર મુજબ ખીલને ટૂંકા આપતા તારા કરવા તથા કાગળો લખવા. આ ખીલના સમર્થ કા ધ્યાનમાં રાખે કે આ બીલના વિરોધીઓની સંખ્યા બહુ નાની છે, એમ છતાં તેને સાંપ્રદાયિક સાધુએનો અને શ્રીમાને આગેવાનાનો બહુ મોટા ટકા છે અને વિધી આન્દોલન પાછળ આજે તેમના તરફથી હજારો રૂપિયા ખરચાઈ રહ્યા છે. જૈન સમાજના યુવાનાને આજે પડકાર થઈ રહ્યો છે કે આજથી ૨૦-૨૫ વર્ષ પહેલાં આ પ્રશ્ન જૈન સમાજ સમક્ષ ઉભા થયેલા અને આ વિષે સ્થિતિચુસ્તાએ ભારે શોરબકાર મચાવી મૂકે, એમ છતાં એ સમયના યુવાએ સ્થિતિચુસ્ત વર્ગના અને બાલદીક્ષાઝની સાધુઓને ભારે જોરદાર સામના કરેલા અને વડોદરા રાજ્યમાં આ પ્રકારના કાયદે કરાવવામાં સફળતા મેળવેલી, શુ આજના જૈન યુવો આ વિષયમાં જ્યારે પ્રચંડ આંદોલન ઉભું થયું છે અને મુખ પ્રદેશની અને ધારાસભામાં આ ખીલ પસાર થવાના પૂરો સંભવ છે ત્યારે કમતાકાત માલુમ પડશે અને જાનવાણીની સ્થિતિચૂસ્તાની સેડમાં લપાઇ જવુ પસ ંદ કરશે ? જૈન સમાજના યુવા આ પડકાર ઝીલે, જે અટકાયત કાળબળ માંગી રહી છે અને શિષ્ટ સમાજ અનુમેદી રહી છે તેને કાયદાથી અમલી બનાવવા માટે નિડરતાપૂર્વક બહાર આવે, અને આગળની પેઢીએ આદરેલા કાને પૂરૂં કરે !
આ ધારાને સમર્થન આપતા ભાઈ બહેનેાની સહી એકઠી કરીને યોગ્ય સમયે મુંબઈના મુખ્ય પ્રધાન સમક્ષ રજુ કરવી એવા મુંબઇ જૈન યુવક સંધ તરફથી પ્રબંધ કરવામાં આવ્યો છે. આને લગતા પત્રકો છાપવામાં આવ્યા છે. જેને જેટલા જોઇએ તેને મુંબઈ જૈન યુવક સંધ તરફથી વિના મૂલ્યે પૂરાં પાડવામાં આવશે. આ દરેક પત્રકમાં મથાળે નીચે મુજબ લખાણ કરવામાં આવ્યું છે.
૧૦૯
“ અમે નીચે સહી કરનારા જૈન મુબઈ પ્રદેશની વિધાનપરિષદમાં માન્યવર શ્રી. પ્રભુદાસ માલુભાઈ પટવારીએ રજી કરેલ ખાલસંન્યાસ દીક્ષા પ્રતિષ્ઠધક ખીલને હાર્દિક ટેકે આપીએ છીએ અને જૈન સમાજમાં લાંખાકાળથી ચાલી આવતું માલદીક્ષાનું અનિષ્ટ જદ્ધિથી નાબુદ થાય એમ અમે અન્તથી ઈચ્છીએ છીએ.”
આવું પત્રક કાઈ પણ ભાઈ કે બહેન જાતે તૈયાર કરીને તે ઉપર સહીઓ લઇ શકે છે. આવી સહીઓ એકઠી કરનાર નીચેની બાબતા ખાસ ધ્યાનમાં રાખે.
(૧) સહીઓ માત્ર જૈનેાની જ લેવાની છે.
(૨) સહી કરનારે સહી નીચે પાતાનું પૂરું ઠેકાણું લખવાનુ છે. (૩) સહી કરનાર વ્યકિત ૧૮ વર્ષ ઉપરની ઉમ્મરની હાવી જોઇએ. (૪) આ પત્રક ઉપર ખોટી કે સમજ્યા વિનાની એક પણ સહી થવી ન જોઇએ.
૪૫૪૭, ધનજી સ્ટ્રીટ | મુંબઈ ૩
}
મંત્રીઓ મુંબઈ જૈન યુવક સંઘ,
બાલદીક્ષા અટકાયત પ્રકરણ
અમદાવાદના કેટલાક પ્રમુખ નાગરિકોનું જાહેર નિવેદન
( આ નિવેદન તા. ૯-૯-૫૫ ના રાજ પ્રગટ કરવામાં આવ્યું હતું.) બાલદીક્ષા પ્રતિબંધક માટેનું ખીલ શ્રી. પ્રભુદાસ પટવારી તરફથી તા. ૧૩ મીએ મુંબઇ ધારાસભામાં રજૂ થવાનું છે. એ ખીલ સમાજના હિતમાં છે એમ અમે માનીએ છીએ. કાચી ઉંમરના અણુસમ બાળકો અને બાળકીઓને ફાસલાવીને ઊંધુ ંચતુ સમજાવીને ધર્મ અને આત્માના કલ્યાણતા અવળા અર્થ રજૂ કરીને, તેમના અજ્ઞાન, ફૂંકી બુધ્ધિ અને સારાસાર વિવેકશકિતના અભાવને લાભ લઈને કેટલાક સાધુ, ખાવા, જોગી, આચાર્ય, મહંત વગેરે તેમને દીક્ષા લેવડાવી જીવનભર તેમને સાધુ અને સન્યાસી અગર વૈરાગીની સ્થિતિમાં રાખવાની ફરજ પાડે છે, એવા દાખલા સમાજમાં અનેક વખત બનતા આપણે સહુ જાણીએ છીએ. જેમને સંસારનુ ભાન નથી, ધર્મ અને આત્માના કલ્યાણ વિષે જેમને ખ્યાલ પણ હાતા નથી, તેમને આ પ્રમાણે ગૃહસ્થ જીવનથી દૂર કરી દેવા એ સમાજવિરોધી કાર્ય છે એવું અમારું માનવું છે. તેથી શ્રી. પટવારીએ એના પ્રતિબંધ કરવા માટે કાયદો કરાવવા ધારાસભામાં જે ખીલ રજૂ કર્યું છે તેને અમારુ સંપૂર્ણ રીતે સમર્થન છે. આ ખીલ કોઇ એક કામ કે એક ધર્મના અનુયાયીઓને નહિ પરંતુ જે જે ધર્મના સાધુએ બાવા વગેરે આવું કાય કરતા હોય તેમને તેમ કરતાં અટકાવવા માટે છે. સમાજના સર્વે બુદ્ધિમાન અને સમજુ વર્ગના સ્ત્રીપુરુષોના આ ખીલને ટા છે. ધારાસભાના સભ્યોને અમારી વિનંતી છે કે એ ખીલને વિનાવિરાધે સર્વાનુમતે પસાર કરવામાં સહાયભૂત થાય.. પંડિત સુખલાલજી સરલાદેવી સારાભાઈ ડૉ. સુમન્ત મહેતા વિદ્યાખહેન રમણભાઈ ધીરજલાલ ધનજીભાઈ શાહે રતિલાલ દીપચ'દ દેસાઇ શારદાબહેન મહેતા ચારૂમતી યોધ્ધા
હડીસીંગ હરગોવિંદદાસ શાહુ જયભિખ્ખુ
વિનોદચંદ્ર જેશીંગભાઇ શાહુ નીલક’સિકલાલ માણેકલાલ શાહ ગટ્ટુભાઇ ગા. ધ્રુ
ગંગાબહેન ઝવેરી શંભુલાલ જગશીભાઈ જયવંતીબહેન દેસાઈ
વિષય સૂચિ કોંગ્રેસ તંત્રની વિશુદ્ધિ અને
જ્ઞાતિવાદની નાબુદી બાલદીક્ષા પ્રતિબંધ ધારા અમારી પર્યુષણ વ્યાખ્યાનમાળા આપણા ચીમનભાઈ સત્રતંત્ર. સ્વતંત્ર આપણે
પૃષ્ઠ
૧૦૩
પરમાનંદ
મંત્રીઓ, મું.જૈ. યુ. સબ્ર ૧૦૫ પરમાનદ
૧૦૮
૧૧૦
૧૧૧
અનુ. પરમાનંદ
કાકા કાલેલકર