________________
તા. ૧-૧૦-૫૫
પ્રભુનૢ જીવન
અને
સમયના સમીપવર્તી ક્ષિતિજમાં શક્ય લાગતી નથી. રાનનિષ્ઠા દેશનિષ્ઠા ગમે તેટલી ઉગ્ર હોવા છતાં એવા બહુ જ આછા કૉંગ્રેસી સભ્યો નીકળી આવશે કે જે પોતાના ધર્મમાંથી યા તેા સપ્રદાયમાંથી છુટા થવાને તૈયાર હોય. આ જ સભ્યોને પોતાની જ્ઞાતિથી છુટા થવુ કે રહેવુ એટલુ' મુશ્કેલ નહિ લાગે. આ આજની વાસ્તવિકતા છે. વળી જેવી રીતે હિંદુ, મુસલમાન, ખ્રીસ્તી, અને હિંદુમાં અન્તત જૈન, સ્વામીનારાયણુ, વૈષ્ણવ, શિખ કે શૈવ વગેરે પથાતે સંપ્રદાય તરીકે ઓળખવામાં આવે છે તેવી જ રીતે આર્ય સમાજ, બ્રહ્મસમાજ, થીઓસીસ્ટ વગેરે પણ ચોક્કસ પ્રકારના સંપ્રદાયા જ છે, અને આ દરેક સંપ્રદાયને અનુસરતુ અનુયાયીદલ એક પ્રકારની કામ છે. જ્ઞાતિભેદ પાછળ કાઈ પ્રકારની બુદ્ધિસંગતતા કે ચોક્કસ વિચારસરણી જોવામાં આવતી નથી, જ્યારે દરેક સંપ્રદાય પાછળ બુદ્ધિપૂર્વકની અમુક ચોક્કસ વિચારસરણી રહેલી છે. સંપ્રદાયાના ઉદયઅત પાછળ આપણી સંસ્કૃતિ અને સભ્યતાના ઇતિહાસ પડેલા છે અને તેની નાબુદી જ્ઞાતિની નાબુદી જેટલી સહેલી નથી. નાતજાત અને કામથી દૂર રહેવાના આદેશ આપતી વખતે કાંગ્રેસે નાતજાત અને કાની સંસ્થા વચ્ચે રહેલો આ ભેદ લક્ષ્યમાં મેવાની જરૂર છે.
વિશાળ રાષ્ટ્રવાદ અને સાંકડાં વર્તુળે
ખીજો પણ એક મુદ્દો વિચારવાની ખાસ જરૂર છે. આપણે ગમે તેટલુ ઈચ્છીએ કે માનવી નાતજાતની કે કામની સાંકડી દીવાલોમાં રહીને વિચાર કરતા અટકે અને વિશાળ રાષ્ટ્ર અથવા તે સમગ્ર માનવજાતને જ કેન્દ્રમાં રાખીને વિચાર કરે અને કાર્યોકાના નિય કરે. આમ છતાં પણ સામાન્ય માનવી નાનાં નાનાં વર્તુલાના પરિધમાં સદા વિચરે છે અને વિચરવાને ટેવાયો છે. આ વર્તુલ માત્ર નાત જાત કે કામનું જ નહિ પણ શેરી, મહેલ્લો, ગામ, શહેર કે પ્રદેશ, અથવા તેા ચોક્કસ ઉદ્દેશા ઉપર નિર્માયલા સામજિક મંડળા હાઈ શકે છે. આ બધાં વર્તુળામાં વિશાળ રાષ્ટ્રીયતાને ખાધક બનવાનું જોખમ રહેલું હાય છે એમ છતાં પણ આવાં વર્તુલેની મર્યાદા વીંધીને બહુ જ ઓછા માણસો ભાવનાના અનન્ત આકાક્ષમાં ઉડ્ડયન કરવાની અને તનુરૂપ આચરણ કરવાની તાકાત ધરાવે છે. આ બાબત અન્ય માનવીઓને જેટલી લાગુ પડે છે તેટલી જ સેંકડોની સંખ્યામાં રહેલા સક્રિય ધ્રાંગ્રેસી સભ્યોને પણ લાગુ પડે છે.
આપણા દેશની આવી વિચિત્ર પરિસ્થિતિ વચ્ચે કરવું શું એ એક મોટા પ્રશ્ન છે. જ્ઞાતિ અને કામના ઉચ્છેદને લગતી ઉપર જણાવેલ ભલામણા કાંગ્રેસે પાછી ખેંચી લેવી અને કામી અને જ્ઞાતિપ્રવૃતિમાં છડેચોક ભાગ લેતા કૉંગ્રેસી ઉપર કશે અંકુશ ન મૂકવા ? આ બાબતમાં અકુશાની તે જરૂરી છે જ, પણ તે અંકુશ વાસ્તવિકતાનો પૂરા ખ્યાલ રાખીને નક્કી થવા જોઇએ અને મુકાવા જોઇએ. આ દૃષ્ટિએ પ્રસ્તુત ભલામણોમાંના (ક) વિભાગને નીચે મુજબ સુધારવા કૉંગ્રેસના પ્રમુખ તથા અન્ય આગેવાન કૉંગ્રેસી કાર્યકર્તાઓને હું નમ્રભાવે વિસ્તૃત કરૂં છુંઃ
ઘેાડાંક અગત્યનાં સૂચને
(૧) મુબઇ સરકારે જ્ઞાતિ અને સંપ્રદાય બહિષ્કારને ગેરકાયદેસર જાહેર કરતા કાયદા કર્યાં છે. આવા કાયદો અખિલ હિંદના ધોરણે ભારત સરકાર પાસે કાંગ્રેસે કરાવવા જોઇએ. જ્ઞાતિ અને સંપ્રદાયનુ ખરૂં જોર તે તે વર્તુલની આમન્યા તેડનારના અહિષ્કાર કરવાની તાકાતમાં રહેલું છે. આ બહિષ્કારની સતા કોઈ પણ કામ કે જ્ઞાતિ પાસેથી લઇ લેવી એ સપના મોઢામાંથી ઝેરની કાથળી કાઢી લેવા બરાબર છે. આમ કરવાથી જ્ઞાતિવાદ અને કામવાદ ધીમે ધીમે નિર્મૂળ બની જશે અને દેશદ્રોહમાં પરિણમતાં કાનીયા જ્ઞાતિસંગઠ્ઠને ઉભા થવાની કે જામવાની શકયતા ઘણી ઓછી થઈ જશે. ·
(૨) કોઈ પણ કામ કે જ્ઞાતિની બધારયુક્ત સંસ્થા હાય તેને સભ્ય થવાની કૉંગ્રેસી સક્રિય સભ્યને મના કરવામાં આવે અને સભ્ય હાય તે તેમાંથી રાજીનામું આપવાની તેને ફરજ પાડવામાં આવે.
·3
૧૦૫
આપણા દેશમાં સાધારણ રીતે કોઇ પણ વ્યક્તિ જન્મથી પેાતાની જ્ઞાતિ અને સંપ્રદાયની સભ્ય ગણાય છે. આવા જન્મજાત સભ્યપાનું રાજીનામું આપવાની નહિ પણ કપાલ પરિષદ, જૈન કાન્ફરન્સ—આવી જ્ઞાતિ કે કેાની સંસ્થા સાથે કોંગ્રેસના સક્રિય સભ્ય સંબંધ ધરાવી ન શકે આવું તેના ઉપર મર્યાદિત બધન નાખવામાં આવે.
(૩) કામના કે જ્ઞાતિના લાભાર્થે ઉભી કરવામાં આવેલ શૈક્ષણિક, વૈદ્યકીય કે એવી અન્ય ઉપકારક સંસ્થાઓમાં પ્રમુખ યા` મંત્રી જેવા જવાબદાર "અધિકાર ઉપર રહેવાની સક્રિય સભ્યને મના કરવામાં આવે. કારણ કે આવા અધિકાર ઉપર રહેનાર વ્યકિતને પોતાની સંસ્થાના ઉત્કર્ષ માટે પોતાની કામ યા જ્ઞાતિને અપીલેા કરવાની અને એ રીતે કામી કે જ્ઞાતિભાવનાને સતત સંતેજ રાખવાની ક્રૂજ પડે છે.
સામાન્ય સક્રિય સભ્ય માટે આટલાં બધનો અથવા તે નિષેધ આજની કક્ષાએ પૂરતાં લેખાવા જોઇએ.
ચૂંટણી પ્રસંગે પણ કાની અને જ્ઞાતિસંસ્થા સબંધમાં કેવુ વળણું રાખવું અને તેનો લાભ ઉઠાવવા કે નહિ અને બ્રાભ ઉઠાવવા તે તે માટે કોઈ મર્યાદા ખરી કે નહિ—આ બધી બાબતનુ પણ કોંગ્રેસની કારોબારીએ સ્પષ્ટ માર્ગદર્શન કરાવવું જોઈશે. નહિ તે એક બાજુથી કામવાદ અને જ્ઞાતિવાદને ખાવવાની અને બીજી બાજુએ ચૂંટણી જેવા પ્રસંગે તેને બહેકાવવાનીએ પરસ્પરવિધી નીતિનુ પ્રદર્શન થશે.
કોંગ્રેસની કામવા—જ્ઞાતિવાદ નાબુદ કરવાને લગતી ભલામણા ઉપરના ધેારણે સુધારવામાં આવશે તે તેને અમલ કરવાનું સક્રિય સભ્યો માટે સરળ બનશે અને શિસ્તભંગનાં પગલાં ભરવા પડે એવા કીસ્સા બહુ ઓછા ઉભા થશે અને જ્ઞાતિવાદ અને કામવાદને નાબુદ કરવાની દિશાએ કૉંગ્રેસે એક મકકમ છતાં આકાશી નહિ પણ વ્યવહારૂ પગલું ભર્યું' લેખાશે. પાનદ
અમારી પર્યુષણ વ્યાખ્યાનમાળા
પર્યુષણ વ્યાખ્યાનમાળા આવી અને ગઈ અને અનેક મીઠાં સ્મરણે મૂકી ગઈ. આ પર્યુષણ વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાન આઠે દિવસ પંડિત સુખલાલજીએ શેાભાવ્યું હતું. એમની અતિ નાજુક તબિયતને અંગે ડેડ સુધી મનમાં ચિન્તા રહે કે તે આવી શકશે કે કેમ અને તેમ છતાં તેઓ આવ્યા; આઠે દિવસની વ્યાખ્યાનસભામાં પ્રારંભથી અન્ત સુધી બેઠા અને જ્યારે જ્યારે તેમને જરૂર લાગી છે. ત્યારે ત્યારે થયેલા વ્યાખ્યાનની તે આલેચના કરતા રહ્યા અને વિશિષ્ટ વ્યખ્યાતાઓના પરિચય પણ કરાવતા રહ્યા. ૨૦મી તારીખ, સંવત્સરીના સિની સવારે રાસી થીએટરમાં વ્યાખ્યાન સભા, તે સભામાં પંડિતજીનુ પહેલુ વ્યાખ્યાન, આગલા દિવસે બપોરથી ખીજા - દિવસની સવાર સુધી તેમને તાવ રહે, સવારના એવી સ્થિતિ કે તે એલી શકશે કે કેમ એ સવાલ, તેમની જગ્યાએ કાણુ વ્યાખ્યાન આપે એ મુંઝવણુ સંચાલકોના મનને ઘેરી રહી. હાર, ખારસા કે પંદરસા માણસની આ સભામાં વ્યાખ્યાન આપવાનું એકાએક કાને કહેવુ અને એકાએક ખુલે પણ કાણું ? એવામાં થીએટર ઉપર પંડિતજી આવી પહોંચ્યા અને નિયત વિષય ઉપર તેમણે ખેલવાના પોતાને નિરધાર જાહેર કર્યાં અને પાણા કલાક સુધી તેમણે એક ભારે વિદ્વતાપૂર્ણ અને ચિન્તનપ્રેરક વ્યાખ્યાન આપ્યું. આ માટે આ વ્યાખ્યાનમાળાના પ્રયોજક મુંબઈ જૈન યુવક સંધ પડિતજીના જેટલા આભાર માને તેટલા ઓછા છે.
આ વખતની આખી વ્યાખ્યાનમાળા જાહેર કરેલા કાર્યક્રમ મુજબ પાર પડી હતી, સિવાય કે ૧૫મી તારીખે ડા. માતીચંદ આવી શકયા નહાતા અને તેમની જગ્યા શ્રી કાકુભાઈએ પૂરી હતી અને સંકલ્પ શક્તિ' એ વિષય ઉપર તેમણે વ્યાખ્યાન આપ્યું હતું. આમ અણુધારી પડેલી તાને સાંધી આપવા માટે સધ શ્રી કાકુભાઈને ઋણી બન્યા છે.
SON
૬.
!Z 43 ૫૩ ૯૮