SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ (ઘ) જ્યારે પણ કાઈ કૉંગ્રેસ કમીટી અથવા તે તે કમીટીને કાઇ પણ સભ્ય અથવા તો ધારાસભાના "કૉંગ્રેસી સભ્ય કૉંગ્રેસ કમીટીમાં, ધારાસભામાં, અથવા તે પ્રધાનમડળમાં એક યા બીજી રીતે જ્ઞાતિવાદને ઉ-તેજન આપે છે એમ કૉંગ્રેસની કારાબારીને માલુમ પડે ત્યારે તે કમીટીને યા સભ્યને રદ કરવાની કોંગ્રેસની કારોબારીને સત્તા હાવી જોઇએ. પ્રબુદ્ધ જીવન આ ભલામણાની આલાચના આ ભલામણામાં જ્ઞાતિ સંસ્થા માટે Cast—કાસ્ટ અને કામી એટલે કે સાંપ્રદાયિક સંસ્થા માટે Communal organisation-}મ્યુનલ ઓર્ગેનીઝેશન-એ શબ્દ વાપરવામાં આવ્યો છે. આ ભલામાને ઝીણુવટથી તપાસતાં એ પણ માલુમ પડે છે કે નિષિષ્ય બાબતોમાં અને પ્રવૃત્તિઓમાં અમુક ઠેકાણે જ્ઞાતિ અને કામીએ બન્ને સંસ્થાને એક સાથે ઉલ્લેખ કરવામાં આવ્યા છે જ્યારે અન્ય સ્થળે માત્ર જ્ઞાતિસંસ્થાના ઉલ્લેખ કરવામાં આવેલ છે. આ સંબંધમાં જવાબદાર વ્યક્તિ પાસેથી ખુલાસા માંગતાં એમ જણાવવામાં આવ્યું છે કે આ અનિયમિતતા આકસ્મિક છે અને જ્યાં જ્ઞાતિના ઉલ્લેખ દ્વાય ત્યાં કામી સંસ્થા પણ તે સાથે સૂચિત છે એમ સમજવાનુ છે. જ્ઞાતિવાદ અને કામવાદ રાષ્ટ્રીય એકતા અને સંગર્ટૂનના કાળજીના શત્રુ છે અને એ બન્નેને નાબુદ કરવામાં નહિ આવે ત્યાં સુધી આપણે રાષ્ટ્રીય એકતા વિષે નચિન્ત થઇ શકીએ એમ છે જ નહિ. આજે જ્યારે કોંગ્રેસતંત્રની વિશુદ્ધિના ગભીરપણે વિચાર કરવામાં આવે છે ત્યારે કૉંગ્રેસના સક્રિય સભ્યો--active members−ને આ ખાબતમાં સ્પષ્ટ માર્ગદર્શન આપવું અત્યન્ત જરૂરી હતું, કારણ કે આજે એવા અનેક સક્રિય કૉંગ્રેસ સભ્યો જોવામાં આવે છે જે એક બાજુ પાતાને કાંગ્રેસવાદી કહેવરાવે છે અને ખીજી બાજુએ કાં તે જ્ઞાતિસ ંસ્થા અથવા કામી સંસ્થાના સક્રિય સભ્યો કે આગેવાન કા કર્તા હાય છે અથવા તે કામવાદ અને જ્ઞાતિવાદને એક યા ખીજા હેતુથી ઉત્તેજિત કરતા હેાય છે. કાંગ્રેસનું ધ્યેય અને ઉદ્દેશો જોતાં કાઈ પણ જ્ઞાતિવાદી કે કામવાદી કાર્ય કર્તાને કાંગ્રેસના તંત્રમાં જરા પણ સ્થાન હાવું ન જ જોઈએ. આ રીતે વિચારતાં ઉપરની ભલામણો જે આજે દરેક કૉંગ્રેસી સક્રિય સભ્યને બંધનકર્તા છે. તે વખતસરની છે અને Caesar's wife must be above suspicion—એ કહેવત મુજબ કોંગ્રેસના અને એ દ્વારા રાષ્ટ્રના સાચા સેવક બનવા માટે દરેક કોંગ્રેસી સભ્ય જ્ઞાતિવાદ અને કામવાથી સર્વથા પર હાય એ અતિ આવશ્યક છે. કોમવાદ–જ્ઞાતિવાદની આત્મન્તિક નાબુદી અને આજની વાસ્તવિકતા તા. ૧-૧૦-૫૫ ઉભી કરવામાં આવેલી સંસ્થાએ જેનો હેતુ નિશાળા, કાલેજો, હેસ્ટેલા. વગેરે શૈક્ષણિક સગવડે અથવા તે અન્ય ઉપકારક પ્રવૃ-િત ચલાવવાના હોય તેવી સંસ્થા વિષે તે સંબંધ રાખી નહિ શકે—આ આદેશને વાસ્તવિક અમલ કેટલા સક્રિય સભ્યોએ કર્યો છે? એ તે જાણીતું છે કે આજે અનેક કૉંગ્રેસવાદીઓ આવી પ્રવૃ-િતઓમાં ભાગ લેતા હોય * છે તેમ જ ઉપર જણાવી તેવી શૈક્ષણિક સંસ્થાની વ્યવસ્થાપક ક કાર્યવાહક સમિતિના સભ્યો હોય છે. એ સ સસ્થાઓમાંથી કેટલા કેંગ્રેસીઓએ રાજીનામાં આપ્યા છે? આમ છતાં પણ આપણા લોકોનું અન્તર-બાહ્ય જીવન જે ગાઢ રીતે એક યા ખીચ્છ કામ અથવા જ્ઞાતિસંસ્થા સાથે સંકળાયલું જોવામાં આવે છે તે ધ્યાનમાં લેતાં સક્રિય કૉંગ્રેસી સભ્ય તરીકે ઓળખાતી અનેક વ્યક્તિ માટે ઉપરની ભલામણોના અમલ અત્યન્ત મુશ્કેલ છે. દાખલા તરીકે પહેલી ભલામણ એવી અપેક્ષા રાખે છે કે કાઈ પણ સક્રિય સભ્ય જ્ઞાતિ યા ક્રામી સસ્થાનેા સભ્ય હાવા ન જોઇએ, આના સીધા અર્થ એ થાય કે આવા દરેક સભ્ય પોતપોતાની જ્ઞાતિ અને સંપ્રદાયમાંથી રાજીનામુ આપવુ જોઇએ. આ માટે કેટલા સભ્યો તૈયાર છે અને આ ભલામાને પ્રગટ થયાને લગભગ સાત મહીના થવા આવ્યા છે એમ છતાં કેટલા સભ્યોએ પોતપોતાની જ્ઞાતિ અથવા સંપ્રદાયમાંથી રાજીનામુ આપ્યું છે ? હજુ સુધી એવા કોઈનાં નામ જાણવા કે સાંભળવામાં આવ્યા નથી સિવાય કે કૉંગ્રેસના મહામંત્રી શ્રીમન્નારાયણુ અગ્રવાલ જેવી એક એકલદોકલ વ્યકિતએ પેાતાની અગ્રવાલ અટકના જાહેર રીતે પરિત્યાગ જાહેર કર્યો હૈાય. આવી જ રીતે જ્ઞાતિના નામે અથવા જ્ઞાતિારા ચલાવવામાં આવતી પ્રવૃત્તિ ( અહિં સાંપ્રદાયિક યા કામી પ્રવૃત્તિ પણ સમાવિષ્ટ ગણવાની છે) સાથે કૉંગ્રેસના સક્રિય સભ્ય જોડાયલા હોવા ન જોઇએ તેમ જ જ્ઞાતિ તરફથી • વસ્તુતઃ આપણા જીવનમાં જ્ઞાતિ અને સંપ્રદાયનાં મૂળ એટલાં બધાં ઊંડાં છે કે માત્ર કેંગ્રેસના આદેશથી ૉંગ્રેસી સભ્યોનું ત-કાળ ખીનજ્ઞાતિ કે ખીનકામી રૂપાન્તર થવું શકય જ નથી. ઉપરની ભલામણેાના અમલ આદર્શ કોંગ્રેસવાદી માટે અમૃતન્ત જરૂરી છે, પણ સામાન્ય સક્રિય ક્રાંગ્રેસી સભ્ય માટે આ ભલામણે અતિ વ્યાપક અને અવ્યવહારૂ છે અને એ ભલામણેાને વળગી રહેવામાં આવે તા કાં તે ઢગલાબંધ કાંગ્રેસીઓ સામે કોંગ્રેસની કારાબારીએ શિસ્તભ ગનાં પગલ ભરવાં પડે અથવા તે આંખ આડા કાન કરીને જે જેમ ચાલે છે તે તેમ ચાલવા દેવુ' પડે. આ બન્ને વિકલ્પ કાંગ્રેસને—તેના પ્રભાવ અને પ્રભુતાને—નુકસાન કરનારા છે. જ્ઞાતિવાદ અને ચૂંટણીઓ આ ઉપરાંત આ ભલામણેા ધડનાર અને તેને અમલી ૩૫ આપનાર કાંગ્રેસી આગેવાનીએ ચૂંટણીના અનુસંધાનમાં આ બાબતને વિચાર કર્યાં લાગતા જ નથી, તેમ જ ચૂંટણી વખતે કૉંગ્રેસી કાર્ય કરાએ શું કરવું અને કેમ વર્તવું એ વિષે આ ભલામણામાં કશું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું નથી. ગઈ ચૂંટણીમાં મી અને જ્ઞાતિસંસ્થાએંનુ કેટલું અવલખન લેવામાં આવ્યુ હતું તે કોઈની જાણ બહારની વાત નથી. આગામી ચૂંટણીમાં પણ સત્તાલક્ષી કેંગ્રેસ પાટી માટે ખીજો કોઈ વિકલ્પ છે જ નહિ એમ સૌ કાઈ સમજે છે. જ્ઞાતિ અને સંપ્રદાય વિષે જે કટ્ટર વિરોધી વળણુ આ ભલામણામાં દર્શાવવામાં આવ્યું છે તે તે જ સંગત બની શકે કે જો સાથે સાથે કૉંગ્રેસ જાહેર કરે કે આગામી ચૂંટણીમાં મતે મેળવવા માટે અમે કાઇ પણ્ કામી કે જ્ઞાતિસંસ્થાના સીધા કે આડકતરા આશ્રય નહિ લએ તેમ જ લેાકામાં રહેલા જ્ઞાતિગત કે કામી પૂર્વગ્રહોને સીધી કે આડકતરી અપીલ નહિ કરીએ. હિંદની પરિસ્થિતિમાં આ વાત તદ્દન અવ્યવહારૂ છે એમ ચૂંટણી સાથે સબંધ ધરાવતા દરેક કાંગ્રેસી આગેવાન પાકાર ઉઠશે. આ બાબતમાં સ્પષ્ટતા કરવામાં ન આવે અને જ્ઞાતિ કે કાલ સાથે કોંગ્રેસની અલગતા જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી ઉપરન ભલામાતા બહુ અર્થ નથી. જો આદર્શના ધોરણે આ પ્રશ્ન વિચાર વામાં આવે તે કૉંગ્રેસે ચૂંટણીના વખતે પણ આ જોખમ ખેડવુ જોઈએ અને અમે ચૂંટણીમાં મતા મેળવવા માટે કોઈ જ્ઞાતિ ક સપ્રદાય સામે નજર સરખી કરવાના નથી એમ બાપાકાર જાહેર કરવું જોઇએ. પણ અહિં હજુ આપણે કે આપણી કાંગ્રેસ સાધનશુદ્િ આદર્શને વળગી રહેવાને લેશમાત્ર તૈયાર નથી. જ્ઞાતિવાદ અને કોમવાદ વચ્ચે તફાવત આ આખા પ્રશ્નને હજુ પણ વધારે ઉંડાણથી વિચારવાની જરૂર છે. જ્ઞાતિ અથવા નાતજાત અને કામ અથવા સાંપ્રદાયિક વર્તુળ પે એ વચ્ચે એક મોટા તકાવત એ છે કે નાતજાતનાં વતુ ળા ઉચ્ચ નીચના કેવળ કાલ્પનિક અથવા તે અનિચ્છનીય ભેદ ઉપર ઉભાં થયેલાં છે. જ્યારે કામ અથવા સંપ્રદાય ધાર્મિકના નામે ઓળખાતી એક ચોક્કસ વિચારસરણી ઉપર ઉભું' થયેલ વર્તુળ છે. આવી એક ખીજા પ્રકારની વિચારસરણીને અનુસરવાની દરેકને હક્ક છે. રાજ્ય બંધારણ પણ આ હક્કનો સ્વીકાર કરે છે. હિંદુ મુસલમાનનાં ધ ાએ અને તેમાંથી ઉપજેલા ભયંકર અનર્થાએ સાંપ્રદાયિક લેખાતી દરે બાબતા વિષે આપણને સાશક બનાવ્યા છે અને તેથી તેની નાબુદીને આપણે ઈષ્ટ ગણુવા લલચાઇએ છીએ, પણ તેની સાર્વાંત્રિક નાથુ . 2
SR No.525940
Book TitlePrabuddha Jivan 1955 Year 16 Ank 17 to 24 and Year 17 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1955
Total Pages248
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy