SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ; ૧૦૦ પ્રબુદ્ધ જીવન વૈરાગ્યની વૃત્તિ જાણીતા સામાજિક કાર્યકર શ્રી. ગટુભાઈ ધ્રુવે જણાવ્યું હતુ કે, “દીક્ષાની પાછળ વૈરાગ્ય વૃત્તિ હોવી જોઈએ. બાળકના બાળપણના લાભ ઉઠાવી, સમજણુ વગર, બાળકની પરાણે સંમતિ મેળવી, દીક્ષા અપાય તેની સામે વિરોધ ઉઠાવવા જાઇએ, કોઈ બાળકનું અપહરણ કરી તેને ગુલામ તરીકે વેચે એ જેવા ગુન્હા ગણાય છે તેમ પરાણે અપાતી ખાલદીક્ષા પણ ગુન્હા ગણાવા જોઇએ અને સમાજે એની સામે વિરાધ ઉડાવવા જોઇએ, પણ એ માટે સમાજને કાયદાનું પીઠબળ હોવું જોઇએ.” એ દીક્ષા અયાગ્ય છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “માત્ર સાધુ સન્યાસી થઈને જ આત્માનું કલ્યાણ કરી શકાય એવું નથી. ગૃહસ્થાશ્રમમાં રહીને પણ આત્માનું કલ્યાણ થઈ શકે છે. ખાળકને સમજણુ વગર પરાણે વૈરાગ્ય ઉત્પન્ન કરી દીક્ષા અપાવવી તે અયોગ્ય છે. આ રજુ થનારા દીક્ષાના કાયદામાં ૧૮ વરસની ઉમરની મર્યાદા રાખવામાં આવી છે. પણ મારૂં ચાલે તા હું તા ૨૧ વરસ વગર દીક્ષા લેવા ન દઉં. આપણી માગણી તા એવી હાવી જોઇએ કે, માત્ર મુંબઇ ઇલાકામાં જ નહીં પણ ભારત ભરમાં આ કાયદો હોવા જોઈએ.” શ્રી. જયભિખ્ખુએ જણાવ્યું હતું કે, “લગ્નના કાયદા કરતા પણ વધારે મહત્ત્વના આ બાલદીક્ષા પ્રતિબંધના કાયદે છે, જ્યાં સુધી બાળક સારાસારના વિવેક જ ન સમજે, તેનામાં પૂરતી સમજ ન આવે ત્યાં સુધી તેને ૠઇ પણ પ્રકારના બંધનમાં નાંખવા તે ગુન્ડો છે. આ ગુન્હા તે માનવતાને ગુન્હો છે. કેટલાક લોકો તેા પારકાના છોકરાને જતી કરી પુણ્ય લે છે. સમાજમાં આ અનિષ્ટ જેવું તેવુ નથી. કાયદાથી તે અટકાવવુ જોઈએ.” સ્ત્રીત્વની શાભા પ્રમુખસ્થાનેથી પડિત શ્રી. સુખલાલજીએ જણાવ્યું હતું કે, “આજે પુરૂષોની બુદ્ધિ પ્રતિષ્ઠા અને પૈસા પાછળ કુંઠિત થઈ ગઈ છે, બહેનોએ આવા બાલસન્યાસ પ્રતિબંધ ખીલ અંગે લોકમત કેળવવા જે આ પહેલી સંભા ભરી છે તેથી મને આનંદ થાય છે. શહેરમાં જૈન અને જૈનેતા અનેક વિદ્યાના છે, અધ્યાપકો છે, તે બધાએ આ ખીલને ટકા આપવા જોઇએ.” તેઓએ જણાવ્યુ હતુ કે “ધર્મની અંદર દંભ ચલાવી લેવાય નહિ.. દેશને આજે વધારેમાં વધારે જરૂર હાય તે તે સંન્યાસ અને દીક્ષાની છે. બીજાના સુખ માટે ભેગ આપવાની વૃત્તિ એનુ નામ સન્યાસ અને દીક્ષા અને તેની આજે વધારે જરૂર છે. આ ખીલમાં જે પ્રતિબંધના વિચાર છે તે તે દીક્ષાની પ્રક્રિયાની પદ્ધતિ પર છે.” પડિત શ્રી. સુખલાલજીએ જણાવ્યુ હતુ કે “દીક્ષા લીધા પછી ઘણી વાર બનો અને ભાઈઓ પસ્તાઇને સંસારમાં પાછા આવે છે ત્યારે સંસારમાં માબાપ પણ તેને આવકારતા નથી. ખીલના હેતુ “આ બીલના હેતુ એ છે કે ૧૭–૧૮ વરસની ઉંમર પછી દીક્ષા લેવામાં આવે જેથી એનુ દીક્ષામાં મન ઠરે અને જ્યારે તે તેમાંથી પાછા આવવા માગે ત્યારે ગમે તે રીતે પોતાના નિર્વાહ કરી શકે. આ સવાલ માત્ર ધન છે એવું નથી પણ આ સવાલ તા. રાજ્યના છે, સમાજના છે. કારણ કે ધર્મ સમાજથી છૂટા નથી. ધર્મ સમાજ અને રાજ્ય સાથે સંકળાયેલા જ છે. ધર્મોમાં સમાજે કે રાજ્યે ડખલ ન કરવી જોઇએ તેવું કહેનારા ભ્રમમાં છે. આ ખીલ તે ધર્મને શુધ્ધ કરવાનો પ્રયત્ન છે. આ ખીલ તે દીક્ષા પધ્ધતિની શુદ્ધિ કરવા માટે છે.” પસાર થયેલા વ તા. ૧૫-૯પપ શેઠ કસ્તુરભાઈ લાલભાઈ બાલદીક્ષાની વ્હારે વિધાન પરિષદમાં ખાલ સન્યાસ દીક્ષા પ્રતિબંધક ખીલ તા. ૮–૯–૫૫ શુક્રવારના રાજ રજી થયું તે પછીના ખીજે દિવસેં સવારે જૈન શ્વે. મૂ. સમાજના અગ્રણી શેઠ કસ્તુરભાઇ લાલભાઇ, શેઠ જીવતલાલ પરતાપસી, શેઠ ભાગીલાલ લહેરચંદ ઝવેરી, શેઠ મણિલાલ મેહનલાલ હેમચંદ ઝવેરી, શેઠ અમૃતલાલ કાલીદાસ દોશી, શેઠ દામજી જેઠાભાઈ તથા એક સમયે ખાલદીક્ષા પ્રતિબંધક ધારાના પ્રખર હિમાયતી શતાવધાની શ્રી. ધીરજલાલ ટોકરશી શાહ મુંબથી પુના ગયા હતા અને પ્રસ્તુત ખીલ જૈન ધર્મમાં હસ્તક્ષેપ કરનારૂ છે, દખલગીરી કરનારૂં છે એવી પત પ્રધાન શ્રી. મારારજીભાઈ સમક્ષ તેમણે ધા નાખી હતી. આજને તબકકે મુખઈ સરકારના આ પ્રશ્ન ઉપર અનિશ્ચિત વલણુની શ્રી. મેરારજીભાઇએ આ ગૃહસ્થાને જાણ કરી હતી અને પ્રસ્તુત ખીલ સબંધે તેમની સાથે કેટલીક ચર્ચા કરી હતી. સંધ સમાચાર આ પછી શહેરની સ્ત્રી સસ્થાઓની બહેનેાની આ જાહેર સભાએ ઠરાવ પસાર કરી આલસન્યાસ દીક્ષા પ્રતિબંધક બીલને ટેકો આપ્યો હતા અને આ પ્રકારનો કાયદો ભારતભરમાં પસાર કરવા ભારત સરકારને વિનતી કરી હતી અને ઠરાવમાં જણાવ્યું હતું કે કાચી ઉંમરનાં અણુસમજી બાલ-બાલકાને દીક્ષા આપવી તે અનિષ્ટ છે. માબાપો આવેશમાં આવી જઈ લાગણીવશ થઈ ખાલ-બાલિકાઓને દીક્ષા માટે સુપ્રત કરે છે તે ઇષ્ટ નથી. બાલસ ંન્યાસ પ્રતિબંધક ખીલ પસાર કરવાથી સમાજના એ અનિષ્ટનો અંત આવશે. તા. ૧૦–૯–૧૫ ના રોજ શ્રી મુખ જૈન યુવક સંધની કા વાહક સમિતિની સભા મળી હતી જેમાં નીચે મુજબના ઠરાવો કરવામાં આવ્યા હતાઃ શ્રી. ખાલચંદ મહેતાનું શાકજનક અવસાન શ્રી. બાલચંદ મહેતાનાં અકાળ મૃત્યુના સમાચાર સાંભળી શ્રી મુંબઇ જૈન યુવક સધની કાર્યવાહક સમિતિ અત્યન્ત ખેદ અનુભવે છે, તેમણે સધના ઑડીટર તરીકે કાંઇ પણ વેતન લીધા સિવાય વર્ષો સુધી સેવા કરી હતી તેમ જ ખીજી અનેક જાહેર સંસ્થાએની તેમણે એ રીતે સેવા કરી હતી. તેમનાં પત્ની તથા અન્ય સ્વજના પ્રત્યે સંઘતી કાર્યવાહક સમિતિ ઊંડી ક્લિસાજીની લાગણી વ્યકત કરે છે. શ્રી, નેમચંદ્ર નગીનચંદ્ર વકીલવાળાને સઘના સભ્યપદ્મશ્રી મુક્ત કરવામાં આવ્યા સંધના સભ્ય શ્રી, નેમચંદ નગીનચંદ્ર વકીલવાળાના સંધમાંથી રાજીનામું આપતા પત્ર સભા સમક્ષ રજુ કરવામાં આવ્યો. તે પત્રમાં જેના ઉલ્લેખ કરવામાં આવ્યા છે તે બાલદીક્ષા અયોગ્ય ક્ષાના એક પ્રકાર છે એમ સધ માને છે અને તે અનિષ્ટ દૂર કરવા અંધની સ્થાપનાથી આજ સુધી સધ સતત પ્રયત્ન કરતા રહ્યો છે. સંઘની આ નીતિ સાથે શ્રી, તેમચંદભાઈ નગીનચંદે વીલવાળા ખાલદીક્ષાની જે ચાલુ હિમાયત કરી રહ્યા છે અને તેમના પત્રમાં તેઓ જણાવે છે તે મુજબ હવે પછી પણ કરવાના છે તે ખીલકુલ સોંગત નથી એવા આ સંધના અભિપ્રાય છે અને તેથી તેમના રાજીનામાંના સ્વીકાર સંધ માટે અનિવાર્ય બને છે અને તેથી તેમને સધના સભ્યપદથી આ સભા મુક્ત કરે છે. વાર્ષિક સમુહભોજન તથા નૌકાવિહાર આગામી આશ્વિન માસ દરમિયાન સંઘના સભ્યોનું વાર્ષિક સમુહભાજન ગઠવવું તથા શરદ્પૂર્ણિમાની રાત્રીએ. નૌકાવિહારના પ્રબંધ કરવેા, એમ ઠરાવવામાં આવે છે. મત્રી મુંબઇ જૈન યુક સંઘ આભાર નિવેદન મારા પતિ સદ્ગત શ્રી. રામનારાયણ વિશ્વનાથ પાઠકના અવસાન નિમિતે જે જે સ્નેહીઓએ અને સંસ્થાએ પત્રા કે ઠરાવેા દ્વારા શાકની લાગણી પ્રગટ કરી છે અને મારી તથા અન્ય કુટુંબીજનો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે તે બધાના વ્યક્તિગત આભાર માનવાનું મારે માટે શકય ન હાઈ વર્તમાનપત્રો દ્વારા જાહેર રીતે તે સૌનો આભાર માનું છું તે સૌ દરગુજર કરશે એવી આશા છે. હીરા. રા. પાઠક વિષય સૂચિ પૃષ્ટ શાન્તિના મા બાલસંન્યાસ–દીક્ષા પ્રતિબં ધક ખીલ ઉપર વિધાનપરિષદમાં ચર્ચા સધ સમાચાર જયપ્રકાશના પુણ્યપ્રાપ પ પણ વ્યાખ્યાનમાળા અનુ. મેનાબહેન નરોત્તમદાસ 1 ૯૩ ૧૦ પમાન ૧૧ ૧૦૨ (16)
SR No.525940
Book TitlePrabuddha Jivan 1955 Year 16 Ank 17 to 24 and Year 17 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1955
Total Pages248
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy